________________
પ્રભુદ્ધ જીવન
૮૦
આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે, તેવા આત્માને આ કથામાં પેાતાના તીથૅ કરવની રક્ષા ખાતર ભોળી જનતાને કેમ ઊંધા પાટા–પોતે જે વસ્તુને ન માનતા હોય તે વસ્તુને પણ કહીને બધાવવા તેની ચેાજના કરતા ચિત્રિત કરવામાં આવ્યો છે. આ સત્યભકતની પોતાની તીથ કર્ ગ્રન્થીનુ' પરિણામ જણાય છે. આ માટે યાગીજીવનના અનેક પ્રકરણા પ્રમાણુરૂપે ઉપસ્થિત કરી શકાય તેમ છે. પણ તેની પરાકાષ્ઠા ૬૭ અને ૬૮ માં પ્રકરણમાં જોવા મળે છે. આ ઉપરથી ભગવાન મહાવીરના આત્માનું એક ભવ્ય અને ઉદાત્ત રૂપ નહિં, પણ એક લૌકિક ચાલાક આત્માનુ સ્વરૂપ આપણી સામે સ્ફુટ થાય છે, જે રૂપ માટે કશે જ પૂરાવા આપી શકાય તેમ છે જ નહિ. પુરાવા સત્યભકતના લૂખા તર્કમાંથી જ મળી શકે તેમ છે અને મહાન પુરૂષના આત્માને સમજવામાં કેવળ તર્ક બળનો આશ્રય લેવામાં આવે તે કેવું ભયંકર પરિણામ આવે તેના નમુના આ કથા પૂરો પાડે છે,
શ્રી સત્યભકતજીએ પ્રારંભમાં જ પ્રત્યેક પ્રકરણમાં મૂળ આધાર કેટલા મળે છે અને તે આધારને તેમણે ક્રવા ઉપયોગ કર્યો છે તે સ્પષ્ટ કર્યું છે. એટલે કે તેમની દૃષ્ટિ તે તે બટનાના સ્પષ્ટીકરણમાં પરપરાપ્રાપ્ત ઘટનાઓના વર્ણનમાં કેટલી જુદી પડે છે તે સ્પષ્ટ કર્યું જ છે. એવા તા સંભવ રહે જ છે કે તે તે ઘટનાઓના તેમણે કરેલ રહસ્યાદ્ઘાટનને ખીજો કાષ્ઠ લેખક જુદી જ રીતે ફ્રુટ કરે. અને આ કાંઈ તથ્યકથા નથી એટલે તેમાં વર્ણવેલ બધું તથ્ય જ હોય, જેમકે તેમણે પ્રારંભના પૃષ્ઠોમાં ભગવાન મહાવીર અને યશોદાના ગાસ્થ્ય જીવનની ઝાંખી પુત્રી પ્રિયદર્શનાના જન્મ પછીની વર્ણવી છે. આમાં તથ્ય શુ હશે એ કહેવુ કઠણ છે, પણ તેમાં તેમણે વૈરાગ્યાન્મુખ મહાવીર અને તેમને પકડી રાખવા માગતી યશોદા તથા અન્તે યશોદાનુ સમજણુપૂર્ણાંક મહાવીરના માર્ગનું અનુમોદન—આટલી વસ્તુને માનસશાસ્ત્રીય દૃષ્ટિએ જે ઉઠાવ આપ્યા છે તે ભદ્રે તથ્ય ન હેાય તેા પણ કલ્પના તા ભવ્ય છે અને કલ્પનાજગતમાં સત્ય પણ સંભવે છે. આને શાસ્ત્રાધાર કશા નથી, છતાં આવુ કાંઈક ન બને તે મહાવીરના જીવનની એ કડી અધૂરી જ ગણાય. એટલે સ્વામી સત્યભકતે આ કડીને સાંધવાને તેમની દૃષ્ટિએ પ્રયત્ન કર્યો છે અને તેમાં તેમને સફળતા મળી છે. યશોદા સાથેના પ્રસંગો સયત અને એક મહાપુરુષને છાજે એ રીતે જ ચીતરવામાં આવ્યા છે.
સામાન્ય રીતે આપણે ભગવાન મહાવીર વિષે ધણુ જ જાણીએ છીએ, પણ યશાદાના પાત્ર વિષે કશું જ જાણતા નથી. લક્ષ્મણના ત્યાગ વિષે આપણે ઘણું જાણીએ છીએ, પણ ઉર્મિલા વિષે કશું જ જાણતા નથી. જેમ રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તે ઉર્મિલાના પાત્રને ઉઠાવ આપી એ પાત્રને પણ હિન્દી સાહિત્યજગતમાં ચમકતું ક્યુ છે તેમ આ અન્તસ્તલમાં શ્રી સત્યભકતે યશોદાના પાત્રની ભવ્યતા અને ઉદાત્તતાના જે ઉઠાવ આપ્યા છે તે અપૂર્વ છે, મનેાહર છે.
મહાપુરુષો ની જીવનકથાના લેખનને એક કાળ એવા આવ્યા છે જ્યારે મહાપુરુષોના જીવનમાં ચમત્કારો અને દેવાગમનને પણ સ્થાન મળ્યું, એટલું જ નહિ પણ લેખકોએ તેમાં હાડ કરી છે. પોતાને માન્ય મહાપુરુષને પરને માન્ય મહાપુરુષથી ચડીયાતા કેવી રીતે ચીતરવા એ ધ્યેયને લઈને સંગતિ~~અસંગતિનો વિચાર કર્યાં વિના લેખા જ્યાં ત્યાં દૈવિ ચમત્કાર દેખાડવામાં જ માન્ય પુરુષની મહત્તા માનવા લાગી ગયા હતા. આના વિરોધમાં આચાર્યં સમન્તભદ્રને કહેવું પડયું હતું. કે.देवागम - नमोयान - चामरादि विभूतयः ।
माया विष्वेपि दृश्यन्ते नातस्त्वमसि नो महान ||
( દેવાનુ આગમન, આકાશમાં ગમન કે ચામરાદિની વિભૂતિ એ બધું તે માયાવીમાં પણ દેખાય છે. હે ભગવાન ! આપ એ બધા કારણે અમારે મન મહાન નથી. )
તા. ૧૫-૮-૫૫
દેવા આવતા હતા કે નહિ અને આવતા હતા તેા તે કયા દેવા હતા એ બધા પ્રશ્નોના ઉકેલ આ જમાનામાં આપી દેવાના સાધાના છે જ નહિ. એટલે સત્યભકતજીએ એ દૈવી ઘટનાઓને માનવીય ઘટનાઓ માનીને ચિત્રણ કર્યું છે અને જ્યાં દેવાનું આવવું નિરર્થક જ નહિ પણ ઉલટુ મહાવીરજીવનની મહતા એછી કરનાર હતું તેને ટાળવાના પ્રયત્ન કર્યાં છે.
ભગવાન મહાવીરના નામે જે જે ઉપદેશ થયેા છે તે બધાને આ નવલકથામાં વિચિત્ર રીતે સંધરવામાં આવ્યો છે. સાધનાકાળમાં કાઈ એક ઘટના સાથે પોતાના તે તે ઉપદેશને જોડી દેતા મહાવીરને વર્ણવ્યા છે. આમાંનુ ધણ અસંગત જ નહિ પણ અપ્રતીતિકર લાગે છે. આમ કરી સત્યભકતજીએ સાધક મહાવીર કરતાં એક યેજક મહાવીરતું ચિત્ર જ આપણી સામે સાધકને નામે ખડુ કર્યું છે, અને એમ થવાથી જગદ્ગુારક મહાવીરના સ્વરૂપને ઉપસાવવા જતાં એક હાસ્યજનક પાત્રને આપણી સમક્ષ ખડુ કર્યું છે.
જૈન આગમાએ અને પછીના સાહિત્યકારોએ ગોશાલકને વિધી સમજીને જે રીતે નિત્વો છે તેવી જ નિન્દા આ પુસ્તકમાં પણ વાંચી ત્યારે સત્યભકતના સર્વધર્મ સમભાવી આત્મા ક્યાંઇક ખાવા ગયેા હોય તેમ લાગ્યું, એટલું જ નહિ પણ અત્યાર સુધીમાં ગોશાલક વિષે થયેલું સંશાધન તેમને સાવ અજ્ઞાત જ રહ્યું હોય એમ જણાયું. આશા છે કે ખીજી આવૃત્તિમાં આટલી વસ્તુ તે તેએ અવશ્ય સુધારી જ લેશે, અને એક મહાન આત્માની નિન્દાના પ્રચારમાં પોતે ભાગી નહી જ બને.
હું જ્યારથી સત્યભકતજીના લખાણ વાંચતા થયા છું ત્યારથી તેમના પ્રશંસક રહ્યો છું. છેલ્લે છેલ્લે જે તેમની તીર્થંકર બનવાની પ્રવૃત્તિ વધી ગઇ છે તે તરફ ઉપેક્ષાભાવે જ જોઉં છુ. અને આથી મારી વિનંતી છે કે આ અવલોકનને તેઓ સ્વપરિચિતનીધ્ધિ તા નહી જ લેખે. એવી સ્વપરિચિતોની ઇર્ષ્યાના મહાવીરની ડાયરીમાં અનેકવાર ઉલ્લેખ છે. એટલે અહિં મારે આટલું સ્પષ્ટીકરણ કરવુ અવલોકનકાર : દલસુખ માલણિયા
પડયુ છે.
વિષય સૂચિ વિજ્ઞાન અને ધર્મ
શુ જૈતા હિન્દુ નથી ?
મારી યાત્રા
પ્રકીર્ણ નોંધ : પંચશીલ, માનવતાલક્ષી લેખાની માનવતા, સદ્ગત વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી.
પંડિત સુખલાલજી સન્માનવિચારણા 'महावीर का अन्तस्तल'
પૃષ્ઠ 91
રતિલાલ મફાભાઈ શાહ ૭૩
UY
h
પરમાનંદ પરમાનંદ
196
ક્લસુખ માલવણિયા ૧૯
સત્ય શિવ સુન્દરમ્
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશંકા સાથે કીંમત રૂા. ૩, પેસ્ટેજ ગૂરૂ મુંબઇ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રબુધ્ધ જીવનના ગ્રાહકો માટે કીંમત રૂા. ૨, પેસ્ટેજ રૂ
પ્રબુદ્ધ જૈન તથા પ્રબુદ્ધ જીવનની ફાઇલા
કીંમત રૂા. '૬, પોસ્ટેજ ઋષભદેવ–ચરિત્ર ચિત્રાવલિ ક
કીંમત રૂ!. બા, પોસ્ટેજ ]~
પ્રાપ્તિસ્થાનઃ
શ્રી મુખઇ જૈન યુવક સંધ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ કુવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. ≥. ન. ૩૪૬૨૯
10