SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ નેતાઓને લત લાંગી છે. પેાતાના વિચાર સ્વતંત્ર શકે તેમ નથી એવી . અશ્રદ્ધાના આ રીતમાં આ થાય છે.. પ્રબુદ્ધ જીવન રીતે ઉભા રહી એવા ભાસ માન્યવર કસ્તુરભાઇ ભલે એમ માનતા હોય કે દેવદ્રવ્યના સામાજિક ઉપયોગ ઇચ્છતા સુધારકાને પોતે સચોટ રદિયો આપ્યો છે, પણ ચાલુ પ્રથાના સમર્થનમાં તેમણે માત્ર એક જ દલીલ રજુ કરી છે અને તે એ કે આપણાં આજે આટલાં બધાં મંદિરો મેાાદ છે .તે દેવદ્રબ્યુના મર્યાદિત ઉપયાગની પ્રથાને આભારી છે. આના ઉત્તરરૂપે જણાવવાનું કે દેવદ્રવ્યના એકાંગી ઉપયોગને લીધે જરૂર થોડાંક નવાં મદિરા ધાયાં - હશે. તેમજ જર્જરિત થતાં મદિરાના થોડા ઘણા ગૃધ્ધાર પણ થયો હશે, પણ મંદિશની આટલી બધી વિપુલતાનું ખરૂં કારણ એ છે કે આપણા ધર્માંચા, મદિરા ખધાવવા ઉપર અને મૂર્તિ નિર્માણ કરવા ઉપર કઇ કાળથી અસાધારણ ભાર મૂકતા આવ્યા છે. એક કાળે બ્રાહ્મણો યજ્ઞ ઉંપર ખૂબ ભાર મૂકતા અને દેશમાં પાર વિનાના યજ્ઞા થતાં. આવી જ રીતે ધર્મ સાધના એટલે મૂર્તિ અને મંદિર આશ્રીશાન મંદિર બંધાવા, પારવિનાની મૂર્તિ એ ધડાવા, મૂર્તિને માના ચાંદીથી મઢો, હીરામાતીનાં આભૂષણા કરાવા, વરધોડા કાઢો અને અઠ્ઠાઇ મહેત્સવા કરામ આપણું આખુ ધાર્મિક જીવન મૂતિ અને મંદિર આસપાસ જ મેટા ભાગે ઘેરાયલુ રહ્યુ` છે. આવા એકાન્ત પ્રચાર અને વાતાવરણના પરિણામે સખ્યાબંધ મંદિર નિર્માણ થયાં–તે એટલે સુધી કે એવાં પણ અનેક સ્થળેા છે કે જયાં મંદિરો છે પણ પૂજનારા નથી. ઇતિહાસકાળમાં આ એક - મદિયુગ હતા. માત્ર જૈન ધર્મ પૂરતી જ નહિં પણ સર્વ ધર્મો ઉપર આ મંદિરયુગની ખુળવાન અસર પડી છે. શિવવિષ્ણુના મંદિરની પણ કયાં કમીના છે? દેવદ્રવ્યની પ્રથા સિવાય પણ દક્ષિણ હિંદુસ્તાનમાં શિવવિષ્ણુનાં ઢગલાંબધ મંદિશ આજે મેજુદ છે. જ્યાં મુસલમાનનું આક્રમણ થયું ત્યાં-મર્દિશ નાશ પામ્યાં; જ્યાં એ આક્રમણ ન ફેલાયું ત્યાં મદિરા ટકી રહ્યાં. મંદિરાની માન્નુદે હાલત અને દેવદ્રવ્યની પ્રથાને શેઠ કસ્તુરભાઇ ક૨ે છે. એવા કોઇ ગાઢ સંબંધ છે જ નહિ. હવે આ મંદિરયુગ પૂરા થયા છે. અને સામાજિક યુગ શરૂ થયા છે. આના અથ એમ કેઇ ન કરે કે મંદિર અને મૂર્તિન હવે કાષ્ઠ ઉપયોગ રહ્યો નથી. ધર્મસંસ્થા સાથે મંદિરસ ંસ્થા અનિવાર્ય પણે સંકળાયલી છે. ઇસ્લામમાં મંદિરનું સ્થાન મસસ્જિદે લીધુ છે. ધર્મ સંસ્થાનું અસ્તિત્વ હશે ત્યાં સુધી મંદિર કે મસ્જિદનુ અસ્તિત્વ ખૂંધ થવાનું જ નથી. કામબળે આજે ફરક એ પડયો છે કે - આજે આપણે ઘણા વધારે સમાજલક્ષી બન્યા છીએ અને તેથી મંદિરની મુંડીમાં ચાલુ આવક દ્વારા વધારા થયા કરે અને તેમાંથી જે કાંઇ ખરચાયું તે માત્ર આંગી ભૂષણ અને ઘણે ઠેકાણે ખીનજરૂરી નવાં મદિરા અધાવવા પાછળ ખરચાય અને બાકી સંચય જ થયા કરે તેના બદલે મંદિરના નિભાવ તથા ટકાવ પાછળ જરૂરી હૈય તેટલુ દ્રવ્ય બાજુએ રાખતાં વધારાનાં દ્રવ્યના સામાજિક હિતોનાં કાર્ય માં ઉપયોગ થવા જોઇએ એમ આપણું સમાજલક્ષી માંનસ જોરશેારથી કહી રહ્યું છે. દેવદ્રવ્યને . અન્ય કાર્ય માં વાપરવાનાં પ્રતિધ જૈન સમાજ સિવાય અન્ય કોઇ ધાર્મિક સમાજમાં છે જ નહિ. જૈન સમાજમાં પણ શ્વે. મૂ. સમાજ આ બાબતમાં ઘણા વધારે કટ્ટર છે. દિખર સમાજમાં આટલેા ખધા આગ્રહ નથી. મુસલમાનની મસ્જિદો અને ખ્રીસ્તીઓના ચર્ચાની આવકમાંથી શૈક્ષણિક તેમજ પરોપકારની અનેક પ્રવૃત્તિઓ નિર્માણ થઈ છે અને થાય છે. મંદિરની વધાશની આવકના સામાજિક કાર્યોમાં ઉપયોગ થવા જોઇએ એ સહજ સ્વીકૃત બને તેવા તા. ૫૧-૧ વિચાર સ્વીકારવામાં ધર્મ શાસ્ત્રના અમુક પ્રતિબંધક ઉલ્લેખા અને તેના આધારે આજ સુધી સર્વમાન્ય અને સત આડે આવે છે. જે કાળે જે રૂઢિ પ્રચલિત બને છે તેનાં સમક વિધાને તે કાળના ધર્મ શાસ્ત્રામાં દાખલ કરવામાં આવે છે. એક કાળે જૈન સમાજમાં ચૈત્યવાસની પ્રથા હતી. શિથિલાચારી સાધુએ ચૈત્યવાસ કરતા અને તેમના હાથે ચૈત્યદ્રવ્યના ભારે દુરૂપયોગ થતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં લને જૈન સાધુઓને ચૈત્યમાં રહેવાની મનાઇ કરવામાં આવી. અને મંદિર અને મૂર્તિનુ એ કાળમાં અત્યન્ત મહત્વ હાને મંદિરમાં થતી આવકને મંદિર અને મૂર્તિ સિવાય અન્ય કાર્યમાં ઉપયોગ થ ન શકે એવી માન્યતા સ્વીકારવામાં આવી, કાળક્રમે તે માન્યતા સુદૃઢ થતી ચાલી અને તદનુસાર શાસ્ત્રગ્રંથામાં વિધિનિષેધા દાખલ થયા. આજે સાધુએના ચૈત્યવાસના પ્રશ્ન નથી. આજે છે તેટલાં મદિરા સાચવવા મુશ્કેલ છે, ત્યાં સ્થાનિક જરૂરિયાત સિવાય નવાં મંદિર બંધાવવાના પણ કંઈ પ્રશ્ન જ નથી. મૂતિઓ પણે ઢગલાબંધ પડેલી છે. મંદિરા સાદાં અને મૂર્તિઓ કશા પણ ઠાઠમાઠ વિનાની હોવી જોઇએ એ વિચાર ચેતરફ સ્વીકારાતા જાય છે. બીજી બાજુએ લોકમાનસ ધાર્મિક માન્યતા, વહેમ, લાંબા કાળના અધ્યાસ તેમાંથી અહિક લાભ મળવાની આકાંક્ષા- આવાં અનેક કારણાને લીધે મદિરા તરફ ખૂબ ઢળેલું રહ્યું છે અને દાનના પ્રવાહ એ દિશા તરફ હજુ અસ્ખલિતપણે વહ્યો જાય છે. આવા સંયોગો વચ્ચે શાણપણની એ જ સુજ હાઇ શકે કે મદિરની આવકને સામાજિક હિતના કાર્યો તરફ વાળી દેવી, જેથી મંદિર નભ્યા કરે અને સામાજિક કાર્યો પણ થતા રહે. આપણે દેવદ્રવ્ય સંબંધી આજ સુધી એક પ્રથા સ્વીકારી, આજે આપણને મળેલી નવી સુજના પરિણામે આપણે બધા એકઠા મળીને એ પ્રથામાં ફેરફાર કરવાને નિર્ણય કરી શકીએ છીએ. ધર્મ શાસ્ત્રનાં વિધિનિષેધાએ લાકકલ્યાણને અનુસરીને-નહિં કે તેને રૂંધીને—ચાલવાનું છે. લોકકલ્યાણને અમુક વિધિનિષેધ પોષક નથી એમ માલુમ પડતાં દરેક સમાજને તેમાં જરૂરી ફેરફાર કરવાના કાળસિધ્ધ હકક છે. ખીજી પ્રવૃત્તિ માટે ખીજા કડા કરી દેવવ્યને અડકવાના વિચાર ન કરો એમ માન્યવર કસ્તુરભાઇ શેઠ કહે છે. તેમના વિષે પૂરા આદર હોવા છતાં આપણે તેમને જવાબ આપી શકીએ છીએ કે ખીજી પ્રવૃત્તિઓ માટે ફંડ થાય કે ન થાય, આ દ્રવ્યને આમ સ્થગિત રાખવાને આવા વિચિત્ર ગ્રહ શા માટે ? પોતાના સમર્થનમાં શેઠ કસ્તુરભાઈ ગાંધીજીને ખેંચી લાવે છે. જે દાન જે કાર્ય માટે મળ્યું હોય તેમાં તે વપરાવુ જોઈએ-આમાં ગાંધીજીએ નવું શું કહ્યું ? સામાન્ય રીતે આપણે પણ આમ જ માનીએ છીએ. પણ દેવદ્રવ્યને પ્રશ્ન આ ક્રેટિના નથી. જેને દ્રવ્ય ન ખપે એવા દેવ સાથે આ દ્રવ્યની માલિકીને આપણે જોડીએ છીએ અને પછી દેવ એટલે મૂર્તિ અને મદિર એવા અર્થ કરીને દેવદ્રવ્યના ઉપયાગની આપણે એક કુત્રિમ મર્યાદા બાંધીએ છીએ. વસ્તુતઃ મદિર એ એક પ્રકારની ધાર્મિકસામાજિક સંસ્થા છે અને તેની આવક વ્યાપક અર્થમાં સામાજિક આવક છે. આ જ બાબતને આપણે બીજી રીતે પણ વિચારી શકીએ છીએ. દેવ અથવા ઈશ્વરના આ દુનિયા ઉપર ખરા. પ્રતિનિધિ ક્રાણુ ? ભૂતિ અને મંદિર કે માનવસમાજ કે જેના વિષે તે દેવ યા શ્વર અનત કરૂણા સેવે છે? સંભવ છે કે દેવદ્રવ્યના પ્રશ્ન ગાંધીજી સમક્ષ તેની સમગ્ર - બાજુએથી મૂકવામાં આવ્યા હાત તા તે આપણી વિચારજડતા ઉપર જરૂર હસ્યા હાત અને દેવમંદિરની વધારાની મુડી અને આવકના ઉપયોગ દરદ્રનારાયણ માટે જ થા
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy