SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૮-૫૫ ઊંચ વર્ણમાં આથી ભારે ખળભળાટ મચી ગયા. જ્યાતિમા પોતાનું આ કામ પડતું મૂકે એ માટે તરેહ તરેહની યુકિતઓ યોજાવા લાગી અને જાતજાતની ધમકીઓ એમને મળવા લાગી. ઘરના વડીલાએ પણ સાથ છેડયા; અને ! આ કામ પડતું ન મૂકે તે ખાલી કરવા કહ્યું. પતિ-પત્નીએ રાજી થઈને વડીલોના ઘરના ત્યાગ કર્યો, પણ લીધેલા કામને ન છેડયું તે ન જ છેડ્યું. અસ્પૃશ્યોની શાળા પ્રબુદ્ધ જીવન આ પછી એમનું ધ્યાન ઢેઢ, ભગી, ચમાર વગેરે અસ્પૃશ્ય ગણાતા લોકા તરફ્ ગયું. એમની બેહાલ દશા જોઈને એમનું ક્લિ દ્રવી જતું. એમનું અજ્ઞાન દૂર કરવા એમણે અસ્પૃશ્યો માટે પણ પૂનામાં એક નિશાળ - સ્થાપી, અને પોતે જ એના શિક્ષક બન્યા. આથી તા ઊઁચ વર્ણના કાલાહલ ઓર વધી ગયા. જાહેર સભામાં જ્યોતિબા અને એમના સાથીના બહિષ્કાર કરવામાં આવ્યા એટલુ જ નહીં, જ્યોતિષ્ઠાને ખુનની ધમકી પણ આપવામાં આવી. પણ જેવુ ધ્યાન બહુમૂલાં મેતી ઉપર હોય એ મરજીવા સાગરના અગાધ જળમાં ડૂબતા કદી ડરે ખરો ? જ્યોતિબાનુ ધ્યાન તે જનતાનાં દુઃખ દૂર કરવા તરફ જ હતું. તે આવી ધમકીઓની પરવા કરે ખરા ? આ શાળાનું પરિણામ આવ્યું ત્યારે લોકો છક થઈ ગયા. પરીક્ષકે જાહેર કર્યું કે ઊજળા વર્ષોંના કરા કરતાં અસ્પૃશ્ય વર્ણના કરા વધારે હાશિયાર નિવડયા છે! સાંભળનારા તે માંમા આંગળા જ નાખી ગયા. વિધવાવિવાહ પછી તે। જાણે સમાજ-સુધારાનાં બધાં કામા જ્યોતિષ્માએ અપનાવી લીધાં. એમણે વિધવાવિવાહનું છડેચોક સમાઁન કર્યું અને સને ૧૮૬૦ એક વિધવાવિવાહ પણ કરાવી દીધે, પુરુષોની વાસનાના શિકાર અનેલી સ્ત્રીઓ, સમાજનિંદાથી અચવા, લાચાર બનીને, બાળહત્યા કરવા પ્રેરાતી, તે માટે તેમણે બાળહત્યા પ્રતિબંધક ગૃહની સને ૧૮૬૪માં સ્થાપના કરી. વિધવા સ્ત્રીઓને વિરૂપ બનાવવા માટે એમના માથે મૂડા કરાવવાની પ્રથાની સામે પણ એમણે પેાતાનાવિધ જાહેર કર્યાં. એકપત્ની વ્રત સ્ત્રીઓને ક્રરજિયાત વૈધવ્ય ભાગવવું પડે અને પુરુષો ગમે તેટલી સ્ત્રી કરી શકે-અરે, એક પત્નીની હયાતીમાં પણ ખીજી પરણી શકે—એ વાત જ્યોતિખાતે મજૂર ન હતી. પણ એ સમયે બીજી સ્ત્રી પરણવાના પ્રતિબંધ કરતા કાયદો ખતે એમ ન હતું; એટલે એમણે પોતાના આચરણથી જ એ નિયમનું પાલન કરી બતાવ્યું. તે આ રીતે જ્યોતિબા અને સાવિત્રીબાઈનાં લગ્ન થયાં ઘણાં વર્ષ વીત્યાં, છતાં એમને એક સંતાન ન થયું, જ્યેાતિમા તે! જનસેવામાં એવા મસ્ત કે એમને આને વિચાર પણ ન આવે. પણ બિચારાં સાવિત્રીખાઈને આતુ દુ:ખ લાગ્યા કરે. પિતા તેમજ અન્ય કુટુંબીઓને પણ આ વાતનું ભારે દુઃખ. પિતાએ, પત્નીએ અને છેવટે તેમના સસરા સુધ્ધાએ, સતાન પ્રાપ્તિને માટે, ખીજી પત્ની કરવાના આગ્રહ કર્યો. પણ જ્યોતિબા પેાતાના આદર્શથી જરા પણ ન ડગ્યા. છેવટે તેમણે પોતાનાં સ્વર્જનાના આ દુઃખનુ' નિવારણ કરવાના માર્ગ પણ પેાતાની લોકસેવાને શોભા આપે એવા અનેાખા શોધી કાઢ્યા. તેમણે પોતે સ્થાપેલ બાલહત્યા પ્રતિબંધક ગૃહમાંથી કાશીબાઈ નામની એક બ્રાહ્મણુ વિધવાના દીકરાને ખાળે લીધે અને એને લાલન પાલન કરીને ઉલ્કેર્યાં. આ દત્તક પુત્ર તે ડૉ. યશવંતરાવ ઝુલે. 1) ટ એસી જ ન રહેતા એ પુરુષે તરત જ એનો ઈલાજ શોધી કાઢો. તેમણે પોતાના જ કૂવા અસ્પૃશ્યો માટે ખુલ્લો મૂકી દીધો. છતાં સેંકડો વર્ષોથી ખાતા ચંપાતા આવેલ અસ્પૃશ્યાની સ્ત્રીઓની એ કૂવા સુધી પહોંચવાની અને પાણી ભરવાની હિંમત ન ચાલી. જ્યોતિખા આ વાત તરત સમજી ગયા, અને એ સ્ત્રીઓના ધડા પોતાના હાથે ભરી ભરીને એમના માથે ચડાવવા લાગ્યા. વિચારવા, ખેલવા કે ઉપદેશ દેવાને બદલે આચરણને જ જ્યોતિબાએ પ્રથમ સ્થાન આપ્યું તેના આ જ્વલંત પુરાવા છે. આ યાદગાર ઘટના સને ૧૮૬૮ માં બની, અસ્પૃશ્યોની સેવા અસ્પૃશ્યોની પાણી માટેની હાલાકી તા આજે પણ ઘણી જ છે; તે પછી એ વખતનું તે કહેવું જ શું? આ જોઇને જ્યોતિખાનું હૈયું કકળી ઊઠયુ: અરે, માણુસ જેવા માણસ; અને એને પૂરતુ ચેખ્ખું પાણી પણ ન મળે? ગમે તેવું મેલું ગંદું પાણી જ એના નસીબમાં ? ઉચ્ચ વર્ણની આ તે કેવી જોહુકમી ? અને કકળીને માત્ર અસ્પૃસ્યો અને શુદ્રોને શાટે જ્યોતિબાના મનમાં સે સે વધુ ને વધુ લાગણી જન્મતી હતી, અને એને એ તરત જ અમલમાં મૂકતા જતા હતા. સને ૧૮૭૩ ની સાલમાં તેમણે એક જાહેરનામું બહાર પાડયુ "કે—“શુદ્ર કે ખીજો જે કાઈ માનવી પોતાના ષ્ઠિરને માનીને, નીતિને અનુસરીને, ચેાખ્ખો ઉદ્યોગ ધંધા કરવાને નિશ્ચય કરીને એ પ્રમાણે આચરણ કરશે, અને મને એ પ્રમાણે ખાતરી કરાવી આપશે તે, તેને હું મારા કુટુંબના ભાઈ સરખા ગણીને, એની સાથે બેસીને જ ભાજન વ્યવહાર કરીશ—પછી ભલે તે ગમે તે જ્ઞાતિ કે દેશના હોય.'' જ્યોતિબાનું આ જાહેરનામું એમની માનવપ્રેમની અવધિરૂપ લેખાવુ જોઇએ. સને ૧૮૬૪ ની સાલમાં એમના પિતા ગોવિંદરાવ ગુજરી ગયા. જ્યોતિબાના સુધાર-કાર્યોથી એમના ઉપર ખીજે ભરાયેલા સગાસબંધીએ બરાબર લાગ જોયો અને તે કઈ શબ્દ ઉપાડવા ન આવ્યા. પણ જ્યોતિખાતે મન એવું કશું દુ:ખ ન હતું. એમણે તે! મરણ પછીની ક્રિયાના આખા ક્રમ જ બલી નાખ્યો. અને શ્રાધ્ધ કરવા માટે ધર્મવિધિ અને જમણવારમાં ખર્ચ કરવાને બદલે એમણે આંધળા– પાંગળાઓને જમાડીને અને ગરીબ તેમજ અસ્પૃસ્યોને ભણવા માટે પાટી, પેન્સીલ, પુસ્તકો વગેરે આપીને આત્મસ ંતાય મેળવ્યો. શિવાજી પ્રત્યેની ભકિત જ્યોતિષ્ઠાને છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યે ભારે માન. લાંબા વખતથી એમની ઈચ્છા રાયગઢના કિલ્લામાં એમની સમાધિનાં દર્શન કરવાની હતી; પણ કામનું દબાણ એટલું કે વખત મળે નહીં અને તે જઈ શકે નહીં, સને ૧૮૬૯ માં આ ભાવના એટલી પ્રખળ થઈ ગઇ કે છેવટે એમણે શિવાજી મહારાજને એક વીરરસપૂર્ણ પાવાડી લખ્યો ત્યારે જ કઈંક જંપ વળ્યો. છતાં મનને પૂરી શાંતિ તાન થઈ. પણ તે વખતે વાહન વ્યવહાર ભારે મુશ્કેલ એટલે મુસાફરી સહેલી નહિ. છતાં એક દિવસ એ પગપાળા ઉપડયા અને રાયગઢ પહોંચ્યા. જઈને જુએ તે શિવાજી મહારાજની સમાધિની એવી બેહાલ દશા કે જોઇને રોવુ જ આવે. ચારે કોર ભંગાર જ ભગાર પડેલો ! પૂજારી પણ અઠવાડિયે એક વાર આવી જેમ તેમ પૂજા કરી જાય. આ હાલત જોઇને તેમને પારાવાર દુઃખ થયું. અને એના ઈલાજ તરીકે તેમણે પોતાના હાથે ધું સાક્ કર્યું અને વનફૂલ વીણી લાવીને એની પૂજા કરી. એટલામાં બ્રાહ્મણ પૂજારી આવી ચડયા. હલકા વર્ણના માણસે પૂજા કરી જાણીને એને ગુસ્સો ફાટી નીકળ્યો. એણે લાત મારીને સમાધિ ઉપરનાં ફૂલ દૂર ફેંકી દીધાં અને પૂજા કરનારને ખેચાર ગાળા ચોપડાવી દીધી. પૂના પાછા આવીને જ્યાતિષ્ઠાએ આ દુર્દશાની કથની લેાકાને પહોંચાડી દીધી. પરિણામે થોડા વખતમાં જ ત્યાં સુવ્યવસ્થા થઈ ગઈ. મજૂરો અને ખેડૂતા પ્રત્યેની લાગણી જ્યાતિષ્ઠાને સેવાકાર્ય અંગે રળવાની છુરસદ કયાં ? પણ પૈસા વગર ચાલે પણ કેમ ? એટલે કાઈ કાઇ વખતે એમને તળાવ, પૂલ વગેરેના કેન્ટ્રિકટ રાખવા પડતા. આ વખતે એમને મજનૂરાની હાલાકીના જે પરિચય થયા તેથી તેમના દિલમાં મજૂરાના કલ્યાણુના વિચારો કાયમને માટે ઘર કરી બેઠા. ખેડૂતોને માટે તે જ્યોતિખાને હમેશાં લાગણી, ખેડૂત સુખી તે જગ સુખી' એ એમનુ સૂત્ર અને હિંદુસ્તાન તા ખેડૂતાના જ દેશ.
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy