________________
૬૮
પ્રબુદ્ધ જીવન કરવુ રહ્યું. ઉપરની ભૂમિકા ઉપર લેવું પડનાર આ પગલાને કાઈ આક્રમક પગલું કહી નહિ શકે. હજી પણ આશા રાખીએ કે પોટુ ગલ લાજભેર પોતાનો કબજો દીવ, દમણ અને ગાવા ઉપરથી ઉઠાવી લેશે અને શાન્તિને વરેલા ભારતને અશાન્તિ પેદા કરે એવું પગલું ભરવાની ક્રૂજ નહિ પાડે. અધીરા બનેલા ગેાવાના સત્યાગ્રહી અને ગાવા– આઝાદીના વાંચ્છુકો ભારત સરકારની આ જાહેરાતથી વિશ્વાસ અનુભવશે કે ભારત સરકાર હવે લાં સમય નિષ્ક્રિયતા સેવી નહિ જ શકે.ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ
2
“એકી સાથે આધ્યાત્મિક અને ભૌતિક ઉન્નતિ થઈ શકે ખરી ?” એ પ્રશ્નના જવાબમાં વિનાખાજી જણાવે છે કે આધ્યાત્મિક ઉન્નતિ અને ભૌતિક ઉન્નતિમાં કશા વિરાધ નથી, બલ્કે બન્ને મળીને એક જ વસ્તુ બને છે. માની લે કે આપણે કાઇક ભૂખ્યાંને માટે તેમને ખાવાનુ મળે તેવા પ્રબંધ કરી દીધો. તેમને રાજગાર અપાવ્યો, એટલે ભૌતિક ઉન્નતિ તો સ્પષ્ટ થઈ જ અને એની સાથે સાથે અધ્યાત્મિક ઉન્નતિ પણ થઇ, કેમ કે, ખીજાને માટે મહ્દ આપવી એ મૉટુ ધ કાય છે અને એથી ચિતની શુદ્ધિ થાય છે. માની લે કે આપણે ખીમારોની સેવા કરી. ખીમાર સાજા થઈ જશે અને દેશના કાર્યમાં લાગી જશે. એટલે ભૌતિક ઉન્નતિ જરૂર થશે, પરંતુ એની સાથે સાથે જનસેવા કરવાથી ચિં-તની શુધ્ધિ થાય છે, એટલે અધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. આ વાત જેમ વ્યકિતઓને લાગુ પડે છે, તેમ સમાજને પણ લાગુ પડે છે. માની લો કે હિન્દુસ્તાન એમ વિચારે છે કે, અમે ખીજા દેશોને લૂંટીને અમારા દેશને સમૃધ્ધ બનાવીશું. - ત્યારે તત્કાળ દેખાવની ભૌતિક ઉન્નતિ સાથે આધ્યાત્મિક પતન થશે, પણ અધ્યાત્મિક પતન થશે ત્યાં ભૌતિક ઉન્નતિ પણ વધુ દિવસ ટકી નહિ શકે. પછી દેશદેશની વચ્ચે લડાઈ શરૂ થશે અને તેનુ પરિણામ ભૌતિક અવનતિમાં જ આવશે. આ રીતે ભૌતિક ઉન્નતિ અને આધ્યાત્મિક ઉન્નતિ વચ્ચે ઘણા જ નિકટના સંબંધ છે એ આપણે ખરેખર સમજી લઇએ.”
આમ ભૌતિક ઉન્નતિ અને આધ્યાત્મિક ઉન્નતિ વચ્ચે ઘણા અંતલગના સબંધ હોવા છતાં આપણે ત્યાં એવી અનેક એકાન્તવાદી વિચારસરણી પ્રચલિત છે—દા. ત. વેદાન્તી તરાપથી, શ્રી કાનજી મુનિના અનુયાયી—જેએ ભૌતિક ઉન્નતિને કશુ મહત્વ આપતા નથી, અથવા તે ભૌતિક ઉન્નતિને આધ્યાત્મિક ઉન્નતિની કેવળ વિરોધી માને છે અને તેનું દુર્લક્ષ્ય કરવાને ઉપદેશ આપે છે, આવી વિચારણા ધરાવતા ભાઈ બહેન વિનોબાજીના ઉપર આપેલા જવાબને ગંભીરતાથી વિચારે અને તેમાંથી સાર ગ્રહણ કરે. પરમાનંદ (શિખર–મીલનની પીઠિકા : પૃષ્ઠ નં. ૬૩ થી ચાલુ ) સદ્ભાગ્યે છેલ્લાં બે વર્ષ દરમિયાન દુનિયાની આબેહવા સુધરતી ચાલી છે. કારીઆમાં તેમજ ઈન્ડાચાઇનામાં યુધ્ધ સ્થગિત થઇ શકયુ છે; ફાર્માંસામાંથી દાવાનળ સળગતા સળગતા અટકી ગયા છે; સ્ટેલીનના જવા ખાદ રશિયાની નીતિમાં તેમજ વલણમાં ફેરફાર થઈ રહ્યો છે; યુગોસ્લાવી સાથે રશિયાનું સમાધાન ભર્યું વળણ પેદા થયું છે; એસ્ટ્રી તથા જાપાન સ્વતંત્ર થયાં છે અને જર્મની પણ એકત્ર થવાની અણી ઉપર છે. આ સુલેહ શાન્તિ અને શાશ્ર્વતી—securityની આખેાહવા પેદા કરવામાં હિંદ અને તેના પ્રમુખ સૂત્રધાર જવાહરલાલ નહેરૂ બહુ મહત્વનો ભાગ ભજવી રહેલ છે એ ખીના આપણા માટે આનંદજનક તેમજ ગૌરવપ્રદ છે. ચીન આપણને સારી રીતે અનુકૂળ છે. ત્યાંના મુખ્ય પ્રધાન ચાઉ—એન–લાઈ શાણપણની મૂર્તિ છે. ઇંગ્લાંડ અને ફ્રાન્સને આપણી આ શાન્તિસાધનામાં આડકતરો પણ સારો એવા ટૂંકા છે. એશિયામાં ખૂણે ખૂણે જાગૃતિ ચમકી રહી છે. યુરોપના હકૂમતપ્રિય અને સંસ્થાનવાદી રાષ્ટ્રોએ પણ આજ સુધીનું વળણ હવે બદલ્યે જ છૂટકા છે, આફ્રિકાની ઉપેક્ષા કરવી હવે પરવડે તેમ નથી. અમેરિકા પછાત દેશને ઉંચે આવવામાં ઠીક ઠીક મદદ કરી રહેલ છે. આજ હજી આપણે એમ કહેવાની સ્થિતિમાં જરૂર
તા. ૧-૮-૫૫
નથી કે આ દુનિયા ઉપરથી યુધ્ધ સદાને માટે નાબુદ થયું છે. પણ એટલું તે ચોક્કસ લાગે છે કે આજને તબકકે યુધ્ધ જરૂર આવે ઠેલાયુ છે. આવા દશ વર્ષ પણ જો યુધ્ધ વિનાનાં પસાર થાય તેા પણ આપણા માટે ઘણું છે. યુધ્ધનુ દૂર અને દૂર જવું એ જ યુધ્ધની આત્મન્તિક નાબુદી કરવામાં ભારે મદદરૂપ બને તેમ છે.
આજે અમેરિકા માંગે છે (૧) રશિયાની એડી નીચેના દેશ પેલાન્ડ વગેરેની મુક્તિ (૨) રશિયાથી અન્ય પ્રકારની સમાજરચના ધરાવતા દેશોમાં દખલગીરી અને વીખવાદ પેદા કરતી કામીનકામ - રશિયા સંચાલિત આન્તરરાષ્ટ્રીય સામ્યવાદી સંસ્થાનું વિસર્જન અને (૩) જનીનુ સ્વતંત્ર એકીકરણુ,
રશિયા માંગે છે (૧) નાટા એટલે ઉત્તર આટલાન્ટિક રાષ્ટ્રોની સંસ્થા, સેટા એટલે કે પૈસીફિકના ફીલીપાઇન્સ વગેરે પૂર્વ પ્રદેશાની સંસ્થા અને ઈ. ડી. સી. એટલે જનીને અન્તગત કરતા યુરોપના પશ્ચિમ રાષ્ટ્રની સંસ્થા—આ ત્રણે સંસ્થાએ કે જે રશિયાના આક્રમણના સામના કરવાના લક્ષ્યપૂર્વક ઉભી કરવામાં આવેલ છે તેનું વિસર્જન અને (૨) આખા યુરાપની શાન્તિ અને સહીસલામતીને સુરક્ષિત રાખે એવી એક યુરોપવ્યાપી સંસ્થાનું નિર્માણુ,
પોતાને અનુકુળ શરતા અને સમજુતીપૂર્વ કનુ જર્મનીનું એકીકરણ કરવાને પણ રશિયા હવે તૈયાર છે. આ સંબંધે ઈંગ્લાંડના મુખ્ય પ્રધાન એન્થની જીંડને ચેાસ યોજના રજુ કરી છે. આ યોજના ઉપરની વિશેષ વાટાધાટામાંથી, સભવ છે કે, સર્વ પક્ષાને માન્ય એવા જર્મનીના એકીકરણના ઉકેલ નીકળે.
તાજેતરમાં હિંદના મહાઅમાત્ય પંડિત જવાહરલાલ નહેરૂ રશિયાના પ્રવાસે જઈ આવ્યા અને ભારત અને રશિયા ઉભય તરફથી સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું તે પણ એક અગત્યના બનાવ છે. ત્યાંના લોકોએ નહેરૂને જે ઉમળકાભર્યાં આવકાર આપ્યો તે કેવળ સ્વયં પ્રેરિત હતા એમાં કાઈ શક નથી. રશિયાની પ્રજા માટે આ પહેલા જ પ્રસંગ હતા કે જ્યારે સામ્યવાદી નહિ એવા દેશના એક આગેવાન નેતાની આટલા નજીકમાં આવવાના અવસર એ પ્રજાને પ્રાપ્ત થયો. રશિયા અને બહારની દુનિયા વચ્ચે જે અભેધ પડદો હતા તે આ ઘટનાથી થોડો ઉંચકાયા છે અને હિંદની સક્રિય તસ્થતાની નિતિની અને નિઃસ્વાર્થ શાન્તિસાધનાની રશિયાને તેમજ અન્ય દેશોને પૂરી પ્રતીતિ થઈ છે. હિંદુ આ રીતે ઉપર જણાવેલ પરસ્પરવિધી એ બ્લેક—વર્તુલ–વચ્ચે સમન્વય ઉભા કરતી મધ્યવર્તી કડીનુ કાર્ય કરી રહેલ છે અને શાન્તિને ઝંખતી દુનિયાની પ્રજા જવાહરલાલ ઉપર ભારે આશાની મીટ માંડીને બેઠી છે.
આ પીઠિકા ઉપર રચાયલું અને આજે . ગતિમાન બનેલું ચાર મહાન રાષ્ટ્રના સૂત્રધારાનું શિખર મીલન કેટલુ મહત્વપૂર્ણ છે તેના આ વિહંગાવલોકન દ્વારા આપને હું કાંઇક ખ્યાલ આપી શકયા હાઉં તે આજની મારી મહેનત લેખે લાગી એમ હું સમજીશ. ચીમનલાલ ચકુભાઇ શાહુ
સ્વ. મણિભાઈની સ્મૃતિમાં
તા. ૨૫–૭–૧૫ ને સેામવારની રાત્રિના નવા વાગતાં સયુંક્ત જૈન વિદ્યાર્થીગૃહના નિયામક પડિત સૂરજચંદ્ર ડાંગીંછની અધ્યક્ષતા નીચે છાત્રસયની પ્રાધના સભા ભુવનમાં મળી હતી. પ્રાથના થયા બાદ વિદ્યાર્થીગૃહનાં સ્થાપક સ્વર્ગસ્થ શ્રીયુત મણિલાલ માકમચંદ શાહની પુણ્યતિથિ નિમિ-તે છાત્રસંધના અધ્યક્ષશ્રીએ તેમના જીવનની તેજસ્વી ઝાંખી આપી હતી. તેમની સામાજીક ઐકયની ભાવના, શિક્ષણ પ્રત્યેની લાગણી અને પ્રત્યેક સંપ્રદાય વિષે સમાન આદરની અસાધારણ વૃતિના અસરકારક ખ્યાલ આપ્યા હતા. છાત્રસંધના સભ્યોએ આજના પુણ્ય દિવસે સામુદાયિક રૂપથી તેમની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં એવા સંકલ્પ પ્રગટ કર્યો કે તેમના નિષ્ટિ આદર્શોથી પ્રેરિત થઈને, પરસ્પર બંધુભાવથી અમારા જીવનને સદૃષ્ટિથી વિકાસના પગલે લઈ જઈશું.
8