SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પ્ર જૈન વર્ષ ૧૪-પ્ર. જીવન વર્ષ ૩ અંક છ શ્રી મુંબઈ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ આના રજીસ્ટર્ડ નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ મુંબઈ, ઑગસ્ટ ૧, ૧૯૫૫, સેમવાર આફ્રિકા માટે શીલિંગ ૮, -સાફ-હ હ હ લ અને ગ્રાહક એક તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા લોક યાત્રા - સત્યની, સાન્દર્યની ( ગતાંકથી ચાલુ) ‘કાવ્ય મંગલા’ પછી ‘વસુધા’ આવ્યું’. વસુધા' પછી યાત્રા.’ ‘વસુધા’ અને ‘યાત્રા’ની વચ્ચેના ગાળામાં મે ‘અર્વાચીન કવિતા’ તૈયાર કર્યું. એ વિવેચન ગ્રંથ માટે ગુજરાતી કવિતાના સમગ્ર પ્રવાહ. જોતાં જોતાં કાવ્ય અને અકાવ્યના ભેદ મને બહુ સ્પષ્ટ રીતે સમજાવા લાગ્યા અને સ્વાભાવિક રીતે જ આ જ્ઞાનને લાભ મારી કવિતાને આપવા મેં પ્રયત્ન કર્યો. ‘કાવ્ય મંગલા' અને ‘વસુધા'ની નવી આવૃતિએ કરવાના પ્રસંગ આવતા ગયા ત્યારે એમાં કેટલું બધુ તે અકાવ્ય આવી ગયેલુ હતું તે જોઇને હું ચેાંકી ઉઠ્યા હતા. ઘણીયે વાર અતિ ઉમળકાથી લખાયેલી કૃતિઓ, તત્કાલ પૂરતા ધણા સંતોષ આપી ગયેલી કૃતિ અમુક વખત પછી સંતોષ આપતી અટકી ગઇ છે. મારાં જેટલાં કાવ્યાને મેં ગ્રંથસ્થ કર્યા છે તેટલાં જ કાવ્યાને કે તેથી પણું વિશેષને મે' ખૂદ કરેલાં કાવ્યોની ફાઇલમાં રાખેલાં છે. ઘણાને જાણીને આનદ થશે કે એમાં મેં ઘણા ઉત્સાહથી લખેલુ’ ‘નગરી એક પાંડીચેરી’તુ કાવ્ય પણ આવે છે ! અર્થાત્ કવિતા એ જાણે કે એક સનાતન સાધનાની વસ્તુ જ હોય તેમ લાગે છે. અમુક કૃતિ તમારે હાથે સાંગેપાંગ ઉતરી હાય એના અર્થ એવો નથી કે હવેની ખીજી કૃતિ એવી જ ઉત્તમ ઉતરશે. હરેક નવુ' કાવ્ય કવિને માટે એક નવેસરથી આદરવાની સાધના રહે છે. આ સાધના શી છે, કેવી રીતે થાય છે, કયારે પૂર્ણ અને છે. એ કવિએ પોતે શોધવાનું રહે છે. કવિની પાસે છંદ પછી પૂરી સામગ્રી હેાય, વિચાર અને ઉર્મિઓને પૂરતો ભડાળ હાય, કલ્પના હાય, બાની હાય, શબ્દની છટા અને વાકૂપાટવ હોય, ચાતુર્ય અને ચમત્કૃતિ હાય, છતાં કાવ્ય કાવ્ય બનતું અટકી જાય છે. અને એમ ક્રમ થતું હશે ? અને હમણા તે એક જ જવાબ સૂઝે છે. કવિની કૃતિમાં જીવનનું અને જગતનું જો કઇ મૂલતમ તત્વ, કોઇક સત્ય, કોઈક સૌન્દર્ય ઝડપાય તેા જ તે રચના જીવનને તેના સ સુધી સ્પશી શકે તેવી, જીવનમાં જીવન બનીને રહી શકે તેવી ખને છે. કવિની ચિ-ત-િત, તેની અંતરતમ · પ્રેરણા આમ જેટલી સત્ય સૌર્યના મૂલતમ તત્ત્વને અડીને ગતિ કરવા લાગે છે તેટલી તે સત્ય અને સૌની સર્જક બને છે. એ મૂલતમના સ્પર્શમાંથી એ મૂલતમને સાકાર કરે તેવી વાણી રચાય છે. એવા સ્પર્શ વિનાની વાણી ખાલી વાણી રહી જાય છે. પરંતુ એવા સ્પ લઈ આવતી વાણી વાચકને પેલા મૂલતમ સુધી પહોંચાડી પણ આપે છે. ‘યાત્રા'ની કવિતા આ કેટલું કરી શકે છે તે કહેવાનું મારૂ કામ નથી. એની કવિતાને નિષ્ફળ કહેનારા પણ નીકળ્યા છે, તે તેને સફળ કહેનારા પણ નીકળ્યા છે. આવતી કાલે વળી ક્રાંક કાંઈક જુદું કહેનારા પણ નીકળે, પરંતુ ઉપર હું કહી ગયા તેમ યાત્રામાં તેમજ કવિએ મંજુર કરેલી હરેક કૃતિમાં જે કાંઈ છે તે તે તેવું જ રહેશે, એના સમાનધર્મીઓ હશે તે તેને પોતાની રૂચિ મતિ પ્રમાણે અધિક વખાણશે કે અધિકી વખાડશે, અને કવિ કરતાં જો કોઇ બૃહદ્ધર્મિયા હશે તે તેઓ કવિની સૌ સાધનાને, તેના સત નને વધુ ગતિ મળે તેવુ' પણ કાઈ પ્રતિકાય કરશે. અર્વાચીન કવિતા એ આત્મલક્ષી કવિતા રહી છે, વિશેષે. આત્મગત ઉર્મિની કવિતા રહી છે એ સૌને જાણીતી વાત છે. ગાંધીયુગના સમાજાભિમુખ જનતાપરાયણ યુગના કવિઓમાં આ આત્મગત ઉર્મિ ઉપરાંત સમાજના હાર્દની ગતિ પણ ઉમેરાય છે. એમાંથી ‘વિશ્વશાંતિ' ‘ત્રણ પાડોશી’ ‘મુધ્ધનાં ચક્ષુ' અને ‘કડવી વાણી' ના જન્મ થયા છે. આ યુગની સંસ્કારિતાને અનુરૂપ એવી, હરેક વિષયને ન્યાય કરે તેવી, સાદી સરળ તેમજ શિષ્ટ અને પ્રૌઢ, સાલકૃત અને નિરલ કૃત, ઉર્મિલ અને સ્વસ્થ, રંગમયી અને વાસ્તવિક બાની પણ કવિને મળતી રહી છે. બેશક, હરેક યુગની કવિતાને જેમ અમુક નિષ્ફળતા મળતી હાય છે તેવી રીતે આજની કવિતાની પણ નિષ્ફળતા છે જ, છતાં તેનાં સફળ સર્જાની પણ એક મનોહર શ્રેણી આપણી પાસે પડેલી છે. આ નિષ્ફળતાઓને લાલબ-તી રૂપે રાખી, સળ કૃતિઓની લીલી ધજાઓના ઇશારે આપણે આપણી રસયાત્રાને આગળ ધપાવવાની છે. આજના કવિની અને કવિને તમે જેટલા અશમાં લોકના પ્રતિનિધિ ગણુતા હૈ। તેટલા પ્રમાણમાં લોકચિત્તની વૃતિ આંતરસ ંવેદન ઉપર વધુ કેન્દ્રિત રહેલી છે. અને જગતમાં છેવટે સંવેદનાનું કેન્દ્ર તેા વ્યક્તિ જ છે. વ્યક્તિમાં સંસ્થાપિત થતુ એ... સવેદન જેમ જેમ વધુ સુક્ષ્મ થતું જાય, ગહન અને ઉન્નત થતું જાય, સુસ’સ્કૃત અને તેજોમય થતુ ં જાય તેમ તેમ વ્યક્તિમાં રહેલી ચેતનાનું સ્ફુરણ, એ ચેતનાની ગતિ અને શકિત, એનાં આનદ અને સામર્થ્ય વધુ ને વધુ વિશાળ અને ઉધ્વ ગતિક થતાં જાય છે. મારી તેમ જ આજના અન્ય કવિઓની કૃતિ તેમની આ આંતર ચેતનાના સ્ફુરણના નકશા છે. કેટલાક મદઃ કવિયશ:પ્રાર્થીઓની વાત બાજુએ મૂકીએ તે આજના હરેક સાચે સમર્થ કવિ પોતાની સાચી અનુભૂતિને સાચા સવેદનને—જ ગાય છે. કેવળ કલ્પિત સંવેદનાની લીલા રચવાથી કશા સારી નથી. એટલું સત્ય તે આજના ભૌતિકવાદના અને વાસ્તવવાદના યુગમાં જીવતા કવિ સમજે જ છે. એટલે કવિ જો સામાન્ય પ્રાકૃત સંવેદનાનું ક્ષેત્ર મૂકી આગળ જવા પ્રયત્ન કરતા દેખાય તે એના અર્થ એ જ છે કે તે એક વધુ સધન વાસ્તવિકતાની શોધમાં નીકળ્યા છે. ભૌતિકતાને જન્મ દેનાર કોઇ પરમ ભૂતાર્થની શોધમાં નીકળ્યો છે. એમ જ કહેવુ પડશે. આપણી—સામાન્ય જનની—સવેદનશીલતાને આ ઉડ્ડયના અવાસ્તવિક લાગે તેની ના નથી. ૪૦ હજાર ફ્રુટ ઊંચે ઉડ્ડયન કરતુ વિરાટકાય લેવિમાન જમીનપરથી જોનારને એક મગતરા જેવુ લાગે તેમાં દૃષ્ટિને વાંક નથી. આ વિમાન ઉડાડનારા ભૂમિને સ્પર્શે તજી ગયા છે, ગગવિહારી બની ગયા છે એમ પણ કહી શા છે. પણ તેથી એ વિમાનની વિરાટતા જરીકે ધટતી નથી. બેશક એ વિમાન આકાશમાં અધ્ધર ફાટી જશે, તુટી જશે એમ તમે ચેતવણી આપી શકા છે. પરંતુ એ જો સફળ રીતે ઉડી શકયું છે તે તેમાંથી પારાવાર શક્તિના લાભ છે. એમાંથી એક દિવસે અવકાશયાનની સ્પેશિપની આંતરગ્રાહ્ય ગતિની શક્યતા છે એ વાત આપણે સ્વીકારવાની છે. ગુજરાતી કવિતામાં જે, એક નવી સવેદનશીલતા પ્રગટી છે—ખાસ કરીને યોગદ્રારા ઉષ્મ અને આંત્તર જગતના સ્પર્શે આપણને થવા લાગ્યા પછી તેની કથા
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy