________________
૫૦
પ્રબુદ્ધ
ડીઝાઇન, પ્લાનીંગ જોઇને અમે અત્યન્ત મુગ્ધ બન્યાં, તેનુ આયેાજન કરનાર કુશળ સ્થપતિને અમે અન્તરથી ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. જેટલુ મંદિર આકર્ષીક છે એટલી જ પરમહંસની મૂર્તિ આકર્ષક છે. એક સ્થાપત્યના તા અન્ય શિલ્પકળાના અત્યુત્તમ નમુના છે. મંદિર ભવ્યતાને મૂર્તિમન્ત કરે છે; મૂર્તિ ત્યાગ, વૈરાગ્ય, પવિત્રતા, દિવ્યતા, ખાલોચિત નિર્મળતાને મૂર્તિમન્ત કરે છે. મંદિરની સાયંકાલીન પ્રાર્થના આરતિ ઉપાસના સાંભળીને અન્તમુ ખતા અનુભવતા રાત્રીના અમે અમારા નિવાસસ્થાને પાછા ફર્યાં.
ખાણુ ખદ્રીદાસજીનું જૈન મંદિર
ખીજે સેિ બાબુ ખદ્રીદાસજીએ બંધાવેલ સુપ્રસિદ્ધ જૈન મંદિર અમે જોવા ગયા. આ મ ંદિર તા પહેલાં પણ મે અનેકવાર જોયેલું, આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં બાબુ બદ્રીદાસનું નામ હિંદના એક નાની ઝવેરી તરીકે મશહુર હતું. તેમણે પુષ્કળ દ્રવ્ય ખરચીને આ મદિર અર્ધી સદી પહેલાં બધાવ્યુ છે. તેની અંદર કાચ અને મીણાકારીનું ભારે અજાયબી પમાડે તેવુ પુષ્કળ કામ કરવામાં આવ્યું છે. શિખરો ઉપર પણ મીણાકારી કામ ચમકે છે, મંદિરને પોતાની દૃષ્ટિ પ્રમાણે સુશાભિત બનાવવા પાછળ દ્રવ્ય ખરચતાં તેમણે પાછુ વાળીને જોયુ નથી. આજે કમનશીબે એ મંદિરની ભીંતા તથા થાંભલા ઉપરનું કાચ અને મીણાકારી કામ ખરવા માંડયું છે; જે એક વખત ઝાકઝમાળ લાગતું હતું તેમાં આજે ઝાંખપ આવવા લાગી છે. કાઇ કાઈ ઠેકાણે પોપડા ઉખડવા માંડયાં છે. આજે તેનુ સમારકામ કરવા માટે દ્રવ્ય નથી; દ્રવ્ય હાય તે પણ મૂળ સાથે એકરૂપ લાગે એવુ સમારકામ કરવું શકય નથી. કેટલેક ઠેકાણે ખરી પડેલા ભાગ ઉપર સાદુ' 'ચુનાનું પ્લાસ્ટર જોતાં ચિત ગ્લાનિ અનુભવે છે.
બદ્રીદાસ બાખુંએ આ મંદિર પાછળ એટલા જ પૈસા ખર્ચ્યા હશે જેટલા ઉપર જણાવેલ શ્રી રામકૃષ્ણના મંદિર પાછળ ખરચવામાં આવ્યા છે. પણ રામકૃષ્ણના મંદિરના આયોજકામાં જે એક વિશિષ્ટ દૃષ્ટિ જોવામાં આવે છે એ બાપુ દ્રીદાસજીમાં નહેાતી એમ સખેદ કહેવુ પડે છે. રામકૃષ્ણ પરમહ ંસનુ મંદિર નીતાન્ત નકકર પથ્થરનુ હાઈને કઇં કાળ સુધી એક સરખું એવું ને એવું જ ટકી રહેવાનુ એમાં કાઈ શક નથી, જ્યારે દ્રીદાસજીના મંદિરની ખીજા. પચ્ચાસ વર્ષના ગાળામાં શું સ્થિતિ હશે એ જ એક પ્રશ્ન છે. જોનારની આંખાને ઝાકઝમાળથી આંજી દેવી અને વિશાળ જનસમાજ સમક્ષ જૈન સમાજની જાહોજલાલીનુ પ્રદર્શીન કરવુ આવી જ કાઈ ભાવના બદ્રીદાસજીના મ ંદિરની સમગ્ર રચના પાછળ રહેલી હાય ઍવા આપણને ભાસ થાય છે, જ્યારે ભવ્યતા સાથે સાદાઇનુ સુસવાદી મીણુ કરવું એવી ભાવના રામકૃષ્ણ પરમહંસના મંદિરની યોજના પાછળ આપણે અનુભવીએ છીએ. આ બન્ને મદિરા જોતાં આવા ચિત્રવિચિત્ર પ્રત્યાધાતા આપણા મન ઉપર પડે છે.
શ્રી રામકૃષ્ણની ઉપાસનાવિધિ
રામકૃષ્ણ મીશન વિષે વિસ્તારથી લખવાને અહિં અવકાશ નથી. પણ તેના અનુસધાનમાં શ્રી રામકૃષ્ણની જે રીતની ઉપાસના આજે ચાલે છે તે વિષે એક વિચાર મનમાં કેટલાક સમયથી ધેાળાતા રહ્યો છે તે અહિં રજુ કરવા મન થઈ આવે છે. શ્રી રામકૃષ્ણનું આ મ ંદિર બનાવ્યું અને તેમાં તેમની મૂર્તિની સ્થાપના કરી એ બધું સમજી શકાય તેવી વાત છે, કારણ કે જે વ્યક્તિવિશેષ માટે સામુદાયિક આદર હાય અને ભકિતભાવ હાય તેની મૂર્તિ બનાવવામાં આવે અને તેનું મંદિર ઉભું કરવામાં આવે એ માનવ સ્વભાવને સથા અનુરૂપ છે. પણ તેમને ભગવાન તરીકે સ્વીકારીને તેમની આસપાસ એક પ્રકારન વૈષ્ણવી ક્રિયાકાંડ ઉભા કરવામાં આવ્યો છે તેમની આરતી ઉતરે, ભાગ ધરવામાં આવે, ચરણામૃત આપવામાં આવે, પ્રસાદ વહેંચવામાં આવે, શયન માટે એક બાજુએ નાને સરખા પલંગ અને તે ઉપર ગાદી તકીયા બિછાવવામાં આવે—આ બધુ શ્રી રામકૃષ્ણની તેમણે સાધેલા સર્વ ધર્મ સમભાવનીઆપણા મનમાં જે કલ્પના છે તે સાથે એકદમ વિસંવાદી લાગે છે. જેમના જીવન ચરિત્રની વિગતો જાણીને રામે રાલાં
વન
તા. ૧૫-૭-૫૫
જેવા પશ્ચિમના એક પ્રમુખ જીવનદૃષ્ટા વિસ્મયમુગ્ધ અને આદરપ્રણા બન્યા હતા તે આજે જીવન્ત હોય અને શ્રી. રામકૃષ્ણની આ પ્રકારની ચાલી રહેલી ઉપાસના નજરે નિહાળે તે તેમને કેવા આધાત લાગે ? શ્રી રામકૃષ્ણે એક એવા સન્તપુરૂષ હતા કે જેમને જોઇને જાણીને માત્ર હિંદુએ જ નહિ પણ અનેક મુસલમાનો ખ્રીસ્તીઓ તેમજ બૌધ્ધા પણ આજે આદર. ઉંડા ભકિતભાવ અનુભવે છે. આ જ પુરૂષની મૂર્તિ આસાપાસ આવા વૈષ્ણુવી ઠાઠ ઉભા કરીને રામકૃષ્ણ મીશનના સંચાલકાએ બહુજન સમાજ અને શ્રી રામકૃષ્ણ વચ્ચે એક દીવાલ ઉભી કરી છે. આ મીશન કેવળ માનવ સેવાના ધ્યેય ઉપર ઉભું કરવામાં આવ્યુ છે અને તે દિશાએ આ મીશને દેશભરમાં પુષ્કળ કાર્યો પણ કર્યું છે. આવા મીશનમાં સેવાલક્ષી અનેક યુવાનો હિંદુ, મુસલમાન કે ખ્રીસ્તી—વિના સંકોચે મુક્ત મને જોડાય એ વા યોગ્ય છે. પણ આવી રીતે જે જોડાવા ઈચ્છે તેણે આ ઉપાસનાના પ્રકાર સ્વીકારવા જ રહ્યો. શ્રી રામકૃષ્ણની મૂર્તિ આસપાસ આવી પૂજા અને પ્રક્રિયા ઉભા કરીને મીશને પોતાનું દ્વાર વિના કારણુ અત્યન્ત મર્યાદિત બનાવ્યું છે. મુંબઇ બાજુએ ખારમાં રામકૃષ્ણ આશ્રમ છે. ત્યાં કેટલાએક સમય પહેલાં હુ' ગયેલા અને આ બધું જોઇને મેં પ્રતિકલ આધાત અનુભવેલ. ત્યાંના રહેતા એક સ્વામીજીને મેં આ વિષે પ્રશ્ન પણ કરેલા અને આમજનતાને આવુ ગમે છે તેઓ આશ્રમ પ્રત્યે આકર્ષાય તે હેતુથી આ ક્રિયાકાંડ ચલાવવામાં આવે છે એમ તેમણે મને જવાબ આપેલો, આથી મને સતાષ થયો નહેાતા. આવુ લોકોને ગમે છે માત્ર એ ખ્યાલથી પ્રેરાઇને શ્રી રામકૃષ્ણની કલ્પના અને મીશનની ભાવનાના જે સાથે કશા મેળ નથી એવું આ બધું કેમ ચાલવા દેવાય ? એ જ માનસિક આધાત એ જ બાબતનું અહિં વિસ્તૃત સ્વરૂપ જોતાં વધારે સુદૃઢ થયો. અલબત જ્યાં મૂર્તિ ત્યાં ક્રિયાકાંડ આવે જ છે; પણુ આધુનિક સમયના આ સન્ત પુરૂષની મૂર્તિને આ ક્રિયાકાંડથી બચાવી શકાઈ હાત તા કેવું સારૂં થાત એવુ સવેદન આજે પણ મન તીવ્રપણે અનુભવે છે.
દાર્જીલીંગ તરફ
મુંબઇથી આટલે દૂર વારેઘડિયે અવાતુ નથી. અહિં સુધી આવ્યા છીએ તા દાર્જીલીંગ પણ જોઇ આવીએ. આ વિચાર અમે સહપ્રવાસીઆના દિલમાં ઉદ્ભવ્યો અને તે મુજમ્ નિણૅય થતાં અમે એપ્રીલ માસની પહેલી તારીખે સવારે સાડાદશ વાગ્યે ઉપડતી ટ્રેનમાં દાર્જીલીંગ જવા ઉપડયા. પાકીસ્તાનનું નિર્માણ થયા પહેલાં કલકત્તાથી ટ્રેનમાં રાત્રે એસીએ અને સવારે સીલીગુરી કે જ્યાંથી પહાડી ટ્રેન શરૂ થાય છે ત્યાં પહોંચીએ એવી સગવડ હતી. પાકીસ્તાન ઉભું થયા બાદ એ સ્તા બંધ થયા અને ભારતીય સીમાની અંદર રહીને સીલીગુરી પહોંચાય એવા લાંખા રસ્તા ચેાજવા પામ્યો, એ ઉપરાંત સાહેબગંજ જંકશનથી ચારેક માઈલ દૂર શકરીગલી ધાટ નામના સ્ટેશને ઉતરવાનું, ગંગા ઓળંગવાની અને પાંચ છ માઈલ ઉપરવાસ સામા કીનારે મણિયારી ઘાટ ઉતરીને ત્યાં ઉભેલી ટ્રેનમાં બેસવાનું-આમ સામાન્ય પ્રવાસીઓની દૃષ્ટિએ એક નવી વિટંબણા ઉભી થઈ છે. આ અગવડને લીધે ખરાને જેમને પ્રશ્ન નથી હોતા તે મોટે ભાગે કલકત્તાથી એરપ્લેનમાં જાય છે અને દાર્જીલીંગની તળેટી આગળ ઉતરે છે અને મેટરમાં એસીને દાર્જીલીંગ પહેાંચી જાય છે. અમે રેલ્વે માર્ગની આ અગવડને ઉલટી સગવડરૂપ લેખી અને તે આ રીતે કે મેટા ભાગના પ્રવાસ દિવસના કરવાના હાઇને ગાળાના એ પ્રદેશો નજરે જોવા મળશે અને એથી પણ વિશેષ ગંગાજીમાં નાના સરખા જળવિહારનો અપૂર્વ લાભ મળશે. આમ અન્યને જે કંટાળારૂપ લાગે છે તે અમારા માટે આનંદ અને ઉલ્લાસ વધારનારૂં થઈ પડ્યું.
કલકત્તા છેડયું અને ગરમી વધવા લાગી. વાતાવરણુ ઉપર ઉનોળાનું પ્રભુત્વ જામતું જતું હતું. ઉષ્ણ હવામાન વચ્ચે અમારી ટ્રેન ઉત્તરપ્રદેશ તરફ આગળ વધી રહી હતી. પ્રારંભના ભૂમિપ્રદેશ માટ ભાગે સપાટ હતા. મધ્યાકાશ વટાવીને સૂર્ય પશ્ચિમાકાશ તરફ ધીમે ધીમે ઉતરી રહ્યો હતા. ગરમી ઠીક ઠીક અકળાવતી હતી. સમય જતાં તાપનું
2