________________
-૫૫
૪૩
આ મંદિર તે ભારતનું મોટું તીર્થધામ છે, આ સ્થળે દર વર્ષે હજારો યાત્રાળુ આવે જાય છે અને જગન્નાથજીના દર્શનથી પેાતાને ધન્ય થયેલા માને છે. પંડયાએના આ એક મોટા અડ્ડો છે. ભાળા યાત્રાળુઓ પાસેથી એક યા ખીજા નિમિ-તે પૈસા કેમ કઢાવવા એ જ તેમના વ્યવસાય હાય છે. આ તેમના એક મોટા બજાર છે અને ભકિત પણ અહિં બજારૂ ચીજ બની ગઇ છે. મંદિરમાં ન મળે શાન્તિ કે ન મળે પવિત્રતાનું વાતાવરણુ, ચેતરક ખૂબ ધાંધલ, ધમાલ અને પારવિનાના ધોંધાટ. અહિં કયાં આવ્યા એમ મન એ ડિ વ્યાકુળતા અનુભવે. માણસોની પણ પુષ્કળ ભીડ. મંદિરમાં દાખલ થા કે પડયા પાછળ લાગે. આ દેવનાં દર્શન કરશે અને આ દેવીને કંઈક ધરો. એક અહિં ખેલાવે, ખીજો ત્યાં ખેંચી જાય. આપને પુણ્ય ઉપાર્જન કરાવવાની બધાંને પારવિનાની ચિન્તા. આ તે તીર્થં છે કે શાકમાર્કીટ છે એવી આપણને ભ્રાન્તિ થઇ આવે, જ્યાં યાત્રાળુઓનાં મોટાં ટોળાં એકઠાં થાય છે અને માનવી અને દેવ વચ્ચે લાલી કરતા પંડયાએની સંસ્થા વિધમાન હાય છે—મથુરા, કાશી, ગયા, પુરી કે હરદ્વાર ત્યાં બધે જ લગભગ આવા અનુભવ
થાય છે.
મુખ્ય મંદિર લાંબુ ખૂબ, પહેાળું ઓછું છે; અંદર પ્રકાશની વ્યવસ્થા અલ્પ પ્રમાણમાં છે. જગન્નાથજીનાં દર્શન માટે રંગમંડપમાં થઈને ગર્ભાગાર તરફ જવાનું હેાય છે. ગર્ભાગારમાં તા દીવાના પ્રકાશ વિના કશું દેખાય જ નહિં, દર્શનાર્થીઓની લંગાર લાગેલી હાય. રંગ- - મંડપમાંથી ગર્ભાગારના ઉમરા એળગીએ એ પગથી ચડીએ અને પાછા ઉતરીએ એટલે જગન્નાથજી સમીપ પહોંચીએ. આ મંદિરમાં ભોગ ધરાવાતા હાઈને સ્વચ્છતા જળવાવી અશય હાય છે. જ્યાં ત્યાં તેલ તેમ જ પાણી પણ ઢોળાયલાં હાય, એટલે જમીન ચીકણી લપસણી હાઈને દર્શનાર્થી વિના આયાસે સાષ્ટાંગ દંડવત્ કરી બેસે છે. ભકતજનો પગથીયાં ચડતાં ઉતરતાં ભુલ ન કરે અને લપસી ન જાય એ માટે પડયા દર્શનાર્થી ભાઇઓ તેમ જ ખાઓના હાથ પકડી પકડીને અંદર લઈ જતા હોય છે અને આ જગન્નાથજી, આ સુભદ્રા, આ બલરામ એમ બતાવતા હાય છે. આપણને આ ભારે કઢંગુ --મર્યાદા ઓળગતુ–ભાસે છે. આખું વાતાવરણ આપણને યુગળાવતુ લાગે છે. બહાર નીકળીએ અને હવા પ્રકાશ વચ્ચે આવીએ ત્યારે જ આપણે મોટી રાહત અનુભવીએ છીએ.
ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર જોયા બાદ આ મંદિરમાં ક ંઇ નવીનતા કે વિશેષતા નથી લાગતી. આ મ ંદિરનું મંડાણુ અને શિલ્પનિર્માણુ ભુવનેશ્વરને ધણા અંશે મળતુ છે. લંબાઈ પહેાળા તથા ઉંચાઈમાં આ મ ંદિર થોડુક મેટુ' છે, પણ શિલ્પકળાની દૃષ્ટિએ તે કરતાં ઉતરતું છે. અહિં કોતરકામ બહુ ઓછું છે અથવા તે અવારનવાર કરવામાં આવેલા ચુનાના પ્લાસ્ટરે ધણું ઢાંકી દીધું છે. ભવ્યતાનો અંશ ખન્નેના સમાન છે, પણ ભુવનેશ્વરની ભવ્યતા શાન્તિનો અનુભવ કરાવે છે; અહિંની ભવ્યતા અશાન્ત બનાવી દે છે. આ મંદિરની એક વિશેષતા એ છે કે તેને એ ગઢ છે. બહારનો ગઢ ૬૭૦ છુટ લાંખો અને ૬૪૦ ફુટ પહેાળા છે. અંદરના ગ ૪૨૦ ફુટ લાંખો અને ૩૧૫ પુટ પહેાળા છે. વિમાન અથવા તે શિખર ૧૯૩ છુટ ઉંચુ છે. ભુવનેશ્વર મા આ મંદિર પણ ક્રમશઃ વિમાન, જગમાહન, નાટમંડપ અને ભાગમંડપમાં વહેંચાયલું છે. ગંગદેવ ચાલા નામના રાજાએ ઈ. સ. ૧૦૮૦ થી ૧૧૪૦ ના ગાળામાં આ મંદિર બંધાવેલું છે.
ભુવનેશ્વરનું ‘લિંગરાજ' શિવાલય હતું; આ વિષ્ણુની ઉપાસનાનું ધામ છે. આ મંદિરમાં મુખ્ય સ્થાને ત્રણ મૂર્તિ છે. તે અનુક્રમે જગન્નાથજીની (એટલે કે શ્રીકૃષ્ણની), સુભદ્રાની અને બલરામની છે એમ કહેવામાં આવે છે. સુભદ્રા એટલે શ્રીકૃષ્ણની બહેન જેનુ અર્જુને અપહરણ કરેલુ. અને પછી- જેની સાથે તેણે લગ્ન કરેલું. મંદિરના મુખ્યસ્થાને બે ભાઇ અને એક બહેન—આવા ત્રિપુટીસયોગ હિંદના અન્ય મદિરામાં ભાગ્યે જ જોવામાં આવે છે. આ મૂર્તિ લગભગ માણસના કદની અને લાકડાની બનાવેલી છે. આવી મૂર્તિ લાંખા વખતની હાઈ ન શકે અને લાંખા સમય સુધી ટકી પણ ન જ શકે એ સહજ કલ્પી શકાય તેવું છે. ખાર વર્ષે આવતા અધિક વૈશાખ માસ દરમિયાન ચોક્ક્સ પ્રકારના ઝાડના લાકડામાંથી ચોક્કસ કુટુ એના કારીગરો પાસે મૂળ મુજબ નવી મૂર્તિ તૈયાર કરાવવામાં આવે છે. જુની મૂર્તિને સમુદ્રમાં પધરાવવામાં આવે છે અને નવી મૂર્તિ તેના સ્થાને ગોઠવવામાં આવે છે. આ ફેરબદલી કરતાં પહેલાં એક એવી પરપરા પ્રવર્તે છે કે જુની જગન્નાથજીની મૂર્તિના પેટાળમાં મૂકેલી અમુક વસ્તુ મદિરના પુજારી આંખે પાટા ખાંધીને કાઢે છે અને નવી મૂર્તિના પેટાળમાં મૂકી છે અને પછી તેનું દ્વાર અધ કરવામાં આવે છે. આ ગુપ્ત વસ્તુ વિષે ભારે ગૂઢતા સેવવામાં આવે છે. કાઈ કહે છે કે તે ભગવાન શ્રીકૃષ્ણનું અસ્થિ છે; કાઇ કહે છે કે તે ભગવાન બુદ્ધના દેહાવશેષ છે; વળી કોઈ કહે છે કે તે નીલવર્ણતુ શિવલિંગ છે તે વિષે નિશ્ચયપૂર્વકની કાષ્ઠ માહીતી આપતુ નથી. અને તેનું રહસ્ય "કાઇ સમજાવી શકતુ નથી.
ઉપર જણાવેલ ત્રણે મૂર્તિમાં નથી કશું રૂપ કે કળામયતા; તેના હાથ પગ ઠા અને આકૃતિ ખેડાળ ઢંગધડા વગરની છે. બાળકને રમવાના ઢીંગલા ઢીંગલીને માનવીનુ