SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મારી ચાત્રા ભૂતકાળમાં પર્યટણ (ગતાંકથી ચાલુ) [ અહિં છપાયલા બ્લોકસ કુમાર કાર્યાલય તરફથી અમને મળ્યા છે. જે માટે અમે કુમાર કાર્યાલયના ઋણી છીએ. પહેલું ચિત્ર જગન્નાથ પુરીના મુખ્ય મંદિરનું છે. તેમાં લેખમાં સમજાવ્યા મુજબ વિમાન, જગમેાહન, નાટમાંડપ અને ભેગમાપ અનુક્રમે નજરે પડે છે. ખીજું ચિત્ર ભુવનેશ્વરના લિંગરાજ મંદિરના જગમાહનના ઉપરના ભાગનું શિલ્પનું છે. ત્રીજુ ચિત્ર બિંદુસાગરના એક કિનારા ઉપરથી દેખાતાં ભુવનેશ્વરનાં મદિરાનુ છે. તંત્રી ] ભુવનેશ્વર ભુવનેશ્વર ઓરીસ્સાનુ નવુ પાટનગર છે. આ કારણે અનેક નવાં સરકારી મહાલયે ભુવનેશ્વરના ઉપાન્તભાગને શાભાવી રહ્યાં છે. ભુવનેશ્વરમાં સ ંખ્યાબંધ શિવાલયો તેમ જ વિષ્ણુમ દિશ છે. આમાં પરશુરામેશ્વર, મુકતેશ્વર, સારીદેવળ, મૈત્રેશ્વર તથા લિંગરાજ મુખ્ય છે. તેમાં પણ લિંગરાજ તેના ઉત્તુંગ બાંધકામ અને શિલ્પવિધાન માટે જગવિખ્યાત છે. આપણી બાજુનાં મંદિરેથી પૂર્વ તથા દક્ષિણમાં આવેલાં મંદિર શિષરચનામાં બહુ જુદાં પડે છે. દક્ષિણમાં ચાર દરવાજે અનેક માળ વાળા ગાપુર હાય છે. તેના ગર્ભાગાર ઉપર કે. રંગમંડપ ઉપર મેટાં શિખરો કે ધુમ્મટા હાતા નથી. પૂર્વ બાજુનાં મંદિરમાં ગર્ભાગાર ઉપર જ ગગનચુંબી શિખર હોય છે જેને વિમાન કહેવામાં આવે છે. તેની આગળ રંગમડપ હોય છે જેને જગમાહન કહેવામાં આવે છે. તેની આગળ એક નાના મંડપ હાય છે તેને નાટમડપ કહેવામાં આવે છે. આ મદિરાને આપણી બાજુના મંદિશ માક મોટા ગોળ ઘુમ્મટ હાતા નથી; દરવાજા પરના અનેક માળવાળા ગાપુરને બન્ને ગર્ભાગાર ઉપર ગોળ યા અષ્ટક્રાણુ ઉત્તરાત્તર ઘેરાવાવાળું નાનું થતું જતું શિખર હેાય છે. વળી મંદિરની અંદર આપણાં મંદિશ માક થાંભલા હાતા નથી. એરીસ્સાના મંદિરાના ખાસ કરીને તેમાંના વિમાનના ધાટ ઉધા લાંબા પ્યાલાને કેટલાક અંશે મળતા હાય છે, લિંગરાજ મંદિરના નામ ઉપરથી માલુમ પડે છે કે તે શિવાલય જ હોવું જોઇએ. આ મંદિર કલિંગના રાજા લલાટેન્દ્ર કેશરીએ ઈ. સ. ૬૪૦ માં બંધાવ્યું એવી ઐતિહાસિક માન્યતા છે. આમ ૧૩૦૦ વર્ષ જુનું હોવા છતાં આ મંદિરનું બાંધકામ એટલુ નકકર છે અને સળંગ પથ્થરનુ હાઇને સદીઓના વાવટાળ સામે એવું અકબંધ ટકી રહ્યું છે કે ૫૦-૧૦૦ વર્ષ પહેલાં જ જાણે કે આ મંદિર બાંધવામાં આવ્યું ન હોય એવી પ્રથમ દર્શને જોનારને ભ્રાન્તિ થાય છે. પાયાથી ટાચ સુધી આગળ પાછળ કે દર મંદિરના ખૂણેખૂણા કળાપૂર્ણ કોતરકામથી ભરેલા છે. આખા મંદિરની ૨૧૦ ફુટ લખાઈ છે, તથા ૬૦ થી ૭૫ છુટ પહેાળાઇ છે. વિમાન વિભાગની ઉંચાઈ ૧૮૦ છુટ છે. તેની આગળ મનેાહર જગમાહન શાભી રહેલ છે. તેની આગળ કાનારકની માક નાટપડપ છે અને તેથી પણ આગળ એક નાનો મંડપ છે, જેને ભાગમડપ કહેવામાં આવે છે. મુખ્ય મંદિરની આસપાસ ભિન્ન ભિન્ન દેવદેવીઓથી અધિષ્ટિત કુટુ ંબના વિલ આસપાસ બાળકાના ઘેરા હાય એમ—નાનાં નાનાં મંદિશ સમસ્ત દૃષ્યની ભવ્યતામાં વધારો કરી રહ્યાં છે. આ બધું વિગતે જોવાની તૃષ્ણા મનની મનમાં રહી ગઈ. કારણ કે ` અસ્ત પામી ચુક્યા હતા; ક્વિસના અજવાળાં સ"કેલાતાં જતાં હતાં. આ પરિસ્થિતિમાં આખા ખેચી ખેંચીને, અહિંથી તહીં, ત્યાંથી અન્યત્ર એમ ટુંક સમયમાં કરાય તેટલું કરીને, ઉંચે ચડીને, અને નીચે ઉતરીને જોવાય તેટલું જોઈ લીધું અને આખું મંદિર ઘુમી વળ્યાં. મુખ્ય લિંગના દર્શનથી અમે વંચિત રહ્યા, કારણ કે તે માટે અમારે ખીજો એક ક્લાક ખાટી થવુ પડે તેમ હતું. અનેક સુન્દર કળાપૂર્ણ લાવણ્યભરી મૂર્તિઓ અને તરેહ તરેહનાં કાતરકામ જોતાં અને સહેજ કલ્પનામાં ન આવે એવુ અદ્ભુત ભવ્ય બાંધકામ નિહાળતાં ભવ્યતાં જ અહિં સ્વતઃ મૂર્તિમન્ત થઈ રહી ન હાય એવી અમારા મન ઉપર ઉંડી છાપ પડી. અને આખુય દૃષ્ય સુશ્લિષ્ટપણે સ્મરણુ ઉપર કારાઇ ગયું. અહિંથી આગળ ચાલ્યા સિવાય છુટકો નહોતો. ઘણુ જોવાનુ રહી ગયુ એવા અસતાપ સાથે અમે મંદિરની બહાર નીકળ્યા અને અટકતી અને ખેંચતી મેટરે રાત્રીના નવ વાગ્યે અમને પુરી પહોંચાડયા. જગન્નાથજીનું મંદિર પુરીમાં આવ્યાને અમને પાંચ ક્વિસ થયા હતા પણ પુરીનું મુખ્ય મંદિર જોવાના સમય હજુ સુધી અમને મળ્યા નહતા, માની ૨૫, ૨૬ તથા ૨૭ તારીખ એમ ત્રણ દિવસ અમે સર્વોદય સંમેલનની કાર્યવાહીમાં રોકાયા, ૨૮ મીની સવારે બીજો કોઈ કાર્યક્રમ નહિ હોવાથી અમે જે ધર્માંશાળામાં ઉતર્યાં હતા તેની બહુ નજીકમાં આવેલા ભારતપ્રસિધ્ધ જગન્નાથજીનું મંદિર જોવા ઉપડયા, પ્રબુદ્ધ અન 4
SR No.525940
Book TitlePrabuddha Jivan 1955 Year 16 Ank 17 to 24 and Year 17 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1955
Total Pages248
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy