________________
રજીસ્ટર્ડ ન. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્ર, જૈન વર્ષ ૧૪-પ્ર. જીવન વર્ષ ૩ એક પ
પ્રબુદ્ધ જીવન
શ્રી સુઇ જૈન ચુવક સંઘનુ... પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ આના
મુંબઈ, જુલાઈ ૧, ૧૯૫૫, શુક્રવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
業業業業業業
હું હાલ અલ < = ઝાઝાલ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા લાલ લાલ લાલ
જૈન—હિંદુ વિષે એક
કલક-તાથી શ્રી પ્રભુદાસ ખેચરદાસ પારેખે “હિંદુ અને જૈન: જીવન–મરણ જેવા પ્રશ્ન” એ મથાળાના એક લેખ પ્રભુધ્ધ જીવનમાં પ્રકાશનાર્થે મેાકલ્યો છે. તે લેખના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.
(૧) સિંધુ નદીથી ઉપલક્ષિત પ્રજાનુ પરદેશીએ આપેલુ નામ તે હિંદુ પ્રશ્ન છે. હિંદુ પ્રજાના પ્રવ્રુત્તિનિમિ-તક અર્થે ભારતની આ પ્રજા છે. હિંદુ એટલે ભારતીય આર્ય પ્રજા હિંદુ પ્રજા એવા અ સ્વીકારવા જોઇએ.
(ર) હિંદુ પ્રજાના માત્ર એક વૈદિક ધર્મ જ નથી, પણ જૈન ધર્મ બૌધ્ધ ધર્મ, વૈદિક ધર્મ –એ ત્રણેય મુખ્ય ધર્માંને હિંદુપ્રજાના ધર્માં કહી શકાય, પરંતુ હિંદુ ધર્મ એ નામથી સમુચ્ચયે એ ત્રણે ધર્મોને ઓળખાવી
ન શકાય.
(૩) હિંદુ એ પ્રજાનું નામ છે. હિંદુ એવા કોઈ ધર્મ આ જગતમાં છે જ નહિ.
(૪) એવી રીતે જૈન કામ કે જૈન સમાજ એ પણ અ વિનાના શબ્દસમાસ છે. જૈન એવી કોઇ પણ કામ કે સમાજ અસ્તિત્વ ધરાવતી જ નથી. હા, જૈન ધર્મ પાળનારી હિંદુ કામો કે હિંદુ સમાજો અસ્તિત્વ ધરાવે છે. કોઇ જૈનને એમ પૂછવામાં આવે કે તમે કાણુ છે ? તા તેણે પોતાની જાતને એવી રીતે વર્ણવવી જોઇએ કે હુ પ્રજાએ ‘હિંદુ ( ભારતીય આર્ય ) છું અને ધર્મ જૈન છું.
વિચિત્ર વિચારણા
હિંદુ ધર્મ પરસ્પરવિરોધી મન્તવ્યો ધરાવતા અનેક સંપ્રદાયોનુ સમુચ્ચયવાચક નામ હાઇને તેનુ કોઈ એક ચોક્ક્સ લક્ષણુ બાંધવુ મુશ્કેલ છે, અશકય છે. એમ છતાં પણ આ બધા સપ્રદાયામાં ચૈતન્યતત્વના સ્વીકાર, આત્માનું અસ્તિત્વ, કર્મવાદ, મેક્ષની કાઈ એક કલ્પના અને માનવીસમાજમાં ઉચ્ચ નીચની ભાવના—આ પાયાની માન્યતા મોટા ભાગે સળંગ એક સૂત્રરૂપે નજરે પડે છે અને તે વડે હિંદુધર્મ સમગ્રરૂપે અન્ય ધર્મોથી જુદા તરી આવે છે. આ રીતે સદીઓથી
પ્રચલિત થયેલા ‘હિંદુધર્મ એ પ્રકારનો શબ્દસમાસ ભાઇશ્રી પ્રભુદાસને ગમે તેટલા અર્થહીન અને કે અવાસ્તવિક લાગતા હૈાય તે પણ તે શબ્દસમાસના ઉપયાગ ચોક્કસ અર્થમાં કઇ કાળ સુધી ચાલુ રહેવાના જ છે.
તેઓ હિંદુ શબ્દથી જે અર્થ સૂચવવા માંગે છે તે અર્થ આજે હિંદી શબ્દથી સર્વત્ર સૂચવા તેમજ સ્વીકારાઈ રહ્યો છે. ભારતીય’ શબ્દ જરૂરી હિંદી'ના શબ્દપર્યાય છે, પણ આર્ય' શબ્દ ભારતીય, હિંદી કે હિંદુવાચક બની શકતા નથી. તે શબ્દને સ્વતંત્ર ઈતિહાસ અને અર્થ છે. આર્યોં પરભેામમાંથી હિંદમાં એક સમયે ઉતરી આવેલા હાઇને મૂળમાં હિંદવાસી હતા જ નહિ. વળી દક્ષિણમાં વસતી દ્રાવીડ પ્રજા જે હિંદુ જરૂર છે તેને આય તરીકે ઓળખાવી નહિ જ શકાય. ભારતીય યા હિંદીમાં હિંદુ તેમ જ મુસલમાન તેમ જ હિંદમાં વસતી અન્ય જાતિઓના સમાવેશ થાય છે. આમ દરેક શબ્દના ઐતિહાસિક ભાવ અને અર્થે અલગ અલગ છે.
આવી જ રીતે તે કહે છે કે જૈન એવી કાઈ કામ કે સમાજ હોઈ ન શકે. આ કેવળ હાસ્યાસ્પદ વાત છે. જૈન ધર્મને સ્વતંત્ર અને પુરાણા ધર્મ માનીએ તો પણ તે ધર્મને જે વર્ગ અનુસરે છે તે વર્ગ જૈન સમાજ જ કહેવાય—આ એક તે એક એ જેવી વાત છે. કામ શબ્દ તો એક અથવા ખીજા ધર્મના અનુયાયી વર્ગ માટે જ સત્ર વપરાઈ રહ્યો છે. હિંદુ કામ, મુસલમાન કામ એવી જ રીતે જૈન ધર્મ હિંદુ ધર્મનો પેટાવિભાગ હોય કે ન હેાય તે પણ જૈન કામ એ જૈન ધર્મને અનુસરતા વર્ગને ઓળખવા માટે યોગ્ય અને
સુપ્રચલિત શબ્દસમાસ છે.
હિંદુ શબ્દની સિંધુ શબ્દમાંથી ઉત્પતિ થઈ અને સિંધુ બાજુએથી આજથી ૮૦૦-૧૦૦૦ વર્ષ પહેલાં મુસલમાનો હિંદુસ્તાનમાં આવવા લાગ્યા ત્યારે સિંધુની આ માજીએ વસતી પ્રજાને મુસલમાના ‘હિંદુ' શબ્દથી ઓળખવા લાગ્યા એટલી વાત ભાઇશ્રી પ્રભુદાસ સ્વીકારે છે, પણ સાથે સાથે તેમણે એ પણ સ્વીકારવું જ રહ્યું કે સિંધુની
શ્રી પ્રભુદાસ પારેખની વિચારસરણી પાછળ કેવળ એક જ
આ બાજુએ વસતા લૉકાની ધાર્મિક માન્યતાઓ કે જેમાં વૈદિક, જૈનવૃત્તિ કામ કરી રહેલી જણાય છે અને તે એ કે હિંદુ શબ્દ સાથેનુ
અને બૌધ્ધના સમાવેશ થતા હતા તે સમુચ્ચયે હિંદુ ધર્મના નામથી ઓળખાવા લાગી અને એ વખતની પ્રજાની રહેણી કરણી, રીતરીવાજ સભ્યતા વગેરેને હિંદુ સંસ્કૃતિ નામ આપવામાં આવ્યું. અને સાથે સાથે તેમણે એ પણ સમજી લેવું જોઇએ કે પછી તે હિંદુસ્તાનમાં સંખ્યાબંધ મુસલમાન આવ્યા, અહિં પણ અનેક હિંદુ મુસલમાન થયા, અંગ્રેજો આવ્યા, ખ્રીસ્તીધર્મ પણ સારી રીતે ફેલાયે. એટલે સમયાન્તરે હિંદુ શબ્દ પ્રજાવાચક મટી ગયા અને ધર્મ અને સંસ્કૃતિવાચક બની ગયો અને પ્રજાવાચક હિંદું શબ્દનું સ્થાન ‘હિંદી’શબ્દ લીધું.
સગપણ તેમને છોડવું નથી, કારણ કે તેથી થતા લાભો છેડયા પાલવે તેમ નથી અને જૈન ધર્મની અલગતાના અને પ્રાચીનતમતાનો ખ્યાલ તેઓ છેડી શકે તેમ નથી, કારણ કે તે સાથે તેમનું ધર્માભિમાન જોડાયલું છે. આ વળષ્ણુ માત્ર તેમનું જ નથી; અન્ય અનેક જૈને આવું વળણું ધરાવતા માલુમ પડે છે, પણ કાઇએ ધ” શબ્દ સાથે ‘હિંદુ’ શબ્દને જોડવા નહિ અથવા તો ‘સમાજ' કે ‘મ' શબ્દ સાથે ‘જૈન’ શબ્દને જોડવા નહિં એમ હજુ સુધી કહ્યુ નથી. આવી વાતે કરનારા પેાતાની તેમ જ જૈન સમાજની કેવળ હાંસી જ કરાવે છે,
અને વળી ‘જૈન હિંદુ' ના પ્રશ્નને જીવનમરણના પ્રશ્ન તરીકે વર્ણવવા એ તેા કેવળ ખાલીશતા જ છે અથવા તે નરી ધર્માંધતા છે. કમનસીબે આજે ગમે તે પ્રશ્ન—પછી તે એક સંપ્રદાયના હોય, નાત જાતના હાય, કામને હાય કે પ્રાન્તના હાય જીવનમરણના પ્રશ્ન ખની જાય છે. આ રીતે વિચારવું અને વર્ણવવુ એ આજના પ્રચારાની ચાલુ ઢખ થઇ પડી છે. આ પરિસ્થિતિ વિચારના સમધારણના અભાવ સૂચવે છે.
પાન ૢ