SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શ્રી સુલાચના માદીના સત્કાર અને પરિચય મુંબઇની મ્યુનીસીપલ કારપેારેશનની સ્ટેન્ડીંગ કમીટીના પ્રમુખસ્થાને નિમાયેલ શ્રીમતી સુલોચના મોદીના સત્કાર કરવા તથા તેમની સાથે પરિચય સાધવાના હેતુથી તા. ૮-૫-૫૪ શનીવારના રાજ શ્રી. મુંબઇ· જૈન યુવક સંઘના કાર્યાલયમાં એક સ ંમેલન યોજવામાં આવ્યુ હતુ. પ્રાર ંભમાં સંધના મંત્રી શ્રી પરમાનંદકુંવરજી કાપડિયાએ શ્રીમતી સુ¥ાચનાબહેનને સંધ તરફથી હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે “ આપણામાંની એક બહેન સમાજની વર્ષો સુધી એક યા ખીજી રીતે સેવા કરતે કરતે આવા જવાબદાર અધિકાર પ્રબુધ્ધ જીવન સ્થાન ઉપર આવે એ આપણા સર્વને ગૌરવ આપે અને આપણા ક્લિમાં ઉડ્ડા આનંદ પેદા કરે એવી ઘટના છે.” ત્યારબાદ તેમણે સુલોચનાબહેનનો તથા તેમના પિતા ડા. કલ્યાણુદાસ જે. દેસાઇ જે પણ એક જાણીતા વર્ષો જુના સામાજિક કાર્ય કર્યાં છે તેમના પરિચય કરાવ્યા હતા અને સાથે સાથે મુંબઈ જૈન યુવક સંધની આજ સુધીની ઉજ્જવલ કારકીર્દીનો અને વિવિધ પ્રવૃતિઓનો ખ્યાલ આપ્યા હતા અને છેવટે સુલોચનાબહેનને આપણે બહુ નજીકના ભવિષ્યમાં મુંબઇના મેયર થયેલા જોઇએ એવી આશા વ્યકત કરી હતી. ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ખીમજીભાઈ ભુજપુરીએ સ્ટેન્ડીંગ કમીટીના પ્રમુખની જવાબદારીએ અને તે અધિકારના મહત્વની વિગતવાર સમજુતી આપી હતી, અને સુલેાચનાબહેનની કાર્યદક્ષતાના ખ્યાલ આપતાં જણાવ્યું હતું કે “પોતાના વિષયમાં પુરેપુરા તૈયાર થઇને આવે અને પરિમિત ભાષામાં જોઇએ તેટલું જ મુધૃસર ખેલે એવી કારપેરેશનની ગણીગાંડી વ્યક્તિઓમાંના સુલોચનાબહેન એક છે,” અને ત્યાર બાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના સીધા કાર્યક્ષેત્રમાં નથી આવતી એમ છતાં તેના જવાબદાર અધિકારીઓ ધણું કરી શકે તેમ છે એવી એ બાબત તરફ સુલાયના બહેનતુ તેમણે ખાસ ધ્યાન ખેંચ્યું હતું. (૧) મુંબઈ સરકારનુ` એકામોડેશન ખાતું જે આજે સૌ કોઇને અળખામણું થઈ પડયું છે તેને વહેલી તકે બંધ કરાવવું અને (૨) મુંબઇ સરકાર તરફથી પુરૂ પાડવા આવતા દુધના ભાવા હળવા કરાવવા, કારણ કે દુધની પડતર જે ભાવે દુધ વેચાય છે તેના કરતાં ઘણી નીચી છે. તા. ૧૫-૫-૫૪ ધરમાં આવી હાઉં' એમ મને લાગે છે,” ત્યારબદ તેમને કરવામાં અવલાં સૂચનાની દિશાએ શય હાય તે પાતા તરફથી કરવાની તેમણે ખાત્રી આપી હતી અને (૧) મુંબઇની સફાઇનું કાર્ય જે શરૂ કરવામાં આવ્યું છે તેને ખુબ આગળ વધારવું અને મુખને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવુ અને (૨) આજના મ્યુનીસીપલ એકટ જે જુના કાળના અવશેષ છે તેનુ આજના ખ્યાલેા મુજબ સાધન સંસ્કરણ કરવુ અને ધરણી અને ભાડુતના સંબંધને આજની દૃષ્ટિ સાથે બંધ બેસે તેવુ સ્વરૂપ આપવું—આ બે બાબતે તરફ પેાતાનું ખાસ લક્ષ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું અને તે બન્ને બાબતમાં હાજર રહેલા ભાઈબહેનોના તેમ જ મુંબઇની જાહેર જનતાનો પુરો સાથ માંગ્યા હતા. સંધના સભ્ય બનીને સધ સાથે વધારે આત્મીયતા કેળવવાની સધના મંત્રી તરફથી વિનતિ થતાં તેમણે સહર્ષ સ્વીકારી હતી. અને ત્યારબાદ સંધના ઉપપ્રમુખ શ્રી લીલાવતી દેવીદાસે સંધના નિમત્રણને માન આપીને આવવા બદલ સુલેાચનાબહેનને આભાર માનતાં તેમની સાથેનાં દીર્ઘ પરિચયને લગતાં કેટલાંક સ્મરણો રજી કર્યાં હતાં. અને ત્યારબાદ સ ંમેલન વિસર્જિત થયું હતું. ત્યાર બાદ સંધના મંત્રી શ્રી ટી. જી. શાહે સુલોચનાબહેનને આવકારતાં તેમજ તેમનું અભિનન્દન કરતાં મ્યુનીસીપલ કારર્પોરેશનની વર્ષો પહેલાં તેમણે જોયેલી સભાઓ યાદ કરી હતી, અને જણાવ્યુ હતું કે “એ સભામાં મેમ્બરશને મે' કેવળ ભુંકતા જોયા હતા અને મને ભારે આશ્ચર્ય થયુ હતું. એવા મેંબરામાં પણ સ્વ. લખમીદાસ રવજી તેરશી જેવા, પણ કાઇ કાઇ હતા કે જેનામાં નિડરતા અને શું ખેલવુ અને શુ ન ખેલવુ તેની પુરી સમજણ હતી અને જેમણે કોરપોરેશન દ્વારા મુંબઈની ઘણી સેવા કરી હતી.” આમ જણાવીને લખમીદાસ રવજીના પગલે ચાલવા સુલાયના બહેનને તેમણે ભલામણ્ કરી હતી. શ્રી. હીરાલાલ અમૃતલાલ શાહે પણ આ પ્રસંગમાં ભાગ લેતાં પેાતાને થયેલા આનંદ વ્યકત કર્યો હતા અને સુલોચનાબરન અને તેના કુટુંબ સાથેના મીઠા પરિચયના કેટલે ક ખ્યાલ આપ્યો હતે. ત્યાર બાદ પ્રમુખ સાહેબ તરફથી સુલેચનાબહેનનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. સુલોચનાબહેને આવા સુખદ પ્રસંગ ચેાજવા બદલ સંધના કાર્યવાહકોનો આભાર માનતાં જણાવ્યુ હતુ કે ‘ આજે પોતે જે સ્થાન ઉપર પહાચ્યા છે તે પેાતાને નાનપણમાં માતિપતા તથી મળેલા સુન્દર જ્ઞાનસંસ્કારોને અને સેવાભાવનાનાં પાયેલા બીજોને આભારી છે.” તેમણે વિશેષમાં જણાવેલું કે “લગ્નના કારણે હું જૈન લેખાઉ છું અને એ દાવે તમે મને ખેલાવી હોય તે તે પણ મને સ્વીકાર્યું છે. અહીં હું આત્મીયતાનું વાતાવરણ અનુભવી રહી છું અને મારા પ્રકીર્ણ નોંધ શ્રો મહાવીર જૈન વિદ્યાલયની વડાદરામાં એક વધુ શાખા મુંબઇમાં શ્રી મહાવીર જૈન વિધાલય જૈના એક સુપ્રસિધ્ધ શિક્ષણ સંસ્થા છે. આ સંસ્થા મુંબઇમાં એક વિશાળ વિધાર્થીગૃહ ધરાવે છે. જેના આશરે ૧૦૦ વિધાર્થીઓ લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ તથા પૂનામાં પણ આ વિઘલયની એક એક શાખા છે. વડેદરામાં શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ નામનું એક જૈન છાત્રાલય કેટલાંએક વર્ષોથી ઉભું કરવામાં આવ્યું હતું અને તેને લાભ હાઇસ્કુલમાં ભણતાં વિદ્યાર્થીઓને મળતા હતા. આજે વડાદરામાં એક સ્વતંત્ર યુનિવર્સિટી · ઊભી થઇ છે અને મુંબઇ પ્રદેશનું વાદરા એક મહત્વનું શિક્ષણુકેન્દ્ર બની ચુક્યું છે. વડાદરાની આ વિશેષતા ધ્યાનમાં લઇને ઉપર જણાવેલ જૈન વિધાર્થી આશ્રમ પણ ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટેના એક વ્યવસ્થિત વિધાર્થીગૃહમાં પરિવર્તિત થાય એ હેતુથી તે સંસ્થા સ્થાનિક સંચાલકોએ મુંબઇના શ્રી. મહાવીર જૈન વિદ્યાલયને જૈન વિદ્યાર્થી આશ્રમ તેની સર્વ અસ્કયામતા અને જવાબદારી સાથે સુપ્રત કરવાના નિણય કર્યો અને તા. ૨-૫-૫૪ના રાજ મળેલી મહાવીર જૈન વિદ્યાલયની સામાન્ય સમિતિની અસાધારણ સભાએ જરૂરી શરત સાથે એ માંગણી સ્વીકારવાનો નિર્ણય કર્યો. આ સંસ્થાનુ મકાન સંસ્થાનાજ ૧૬૫૦૦ ચારસવારના પ્લોટ ઉપર બાંધવામાં આવ્યું છે, સંસ્થાની જમીનમાં એક સુંદર જિનાલય છે. આજે ત્યાં ૫૦ વિધાર્થીઓને રાખી શકાય તેટલી સગવડ છે. સંસ્થાની અસ્કયામતાની કીંમત આજના ભાવે બે લાખ રૂપિયા લગભગની આંકવામાં આવી છે. આ સંસ્થામાં હવે પછીથી માત્ર ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ કક્ષાના વિદ્યાર્થીનેજ રાખવામાં આવશે એવા નિણૅય કરવામાં આવ્યા છે. આ રીતે શ્રી મહાવીર જૈન વિધાલયની એક શાખા નુન માસથી વડોદરા ખાતે શરૂ કરવામાં આવશે. આ માટે શ્રી મહાવીર જૈન વિધાલયના કાય વાહકોને ધન્યવાદ કરે છે અને એકલા જ ધન્યવાદ વડાદરા જૈન વિધાથી આશ્રમના સંચાલકાને પણ ઘટે છે કે જેમણે પોતાની સંસ્થા ચાલે છે તેમ ને તેમ ચાલુ રાખવાનું ખાટું મમત્વ ન સેવતાં તેને વિશેષ વિકાસ થાય તે હેતુથી તેની માણેકી અને કુલ હીટ શ્રી મહાવીર જૈન વિધાલયને સોંપી દેવાના નિર્ણય કર્યો છે અને આને લગતી વાટાધાટોમાં ક્રા પણ જાતની ખેંચપકડ ન કરતાં જરૂરી શરત કરવામાંત વિધાલયની અનુકુળતાને જ પ્રાધાન્ય આપ્યું છે. 4
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy