________________
છુક નક્લ : ત્રણ આના
શ્રી મુબઈ જૈન યુવક સંઘનુ‘ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જીવન
પ્ર. જૈન વર્ષ ૧૪ : અક માવતર ૧: ૧૮
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
મુંબઈ : ૧૫ જાન્યુઆરી ૧૯૫૪ શુક્રવાર
સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ
( ગતાંકથી
ચાલુ )
મ
હવે આપણે દાનિક દૃષ્ટિએ સમ્યગ્દર્શન સ્વરૂપની પર્યાં. લોચના કરીએ. મોક્ષમાર્ગના પ્રાપક રત્નત્રયમાં તેનુ સ્થાન પ્રથમ છે. તેના વિના જ્ઞાન અને ચારિત્રની કંઇ કિંમત નથી, જે પ્રમાણે એકડા ઉપર ચઢાવેલા ભીંડાની કિંમત દસગણી વધી જાય છે, અને એકડાને ભૂંસી નાંખવથી મીડાની કોઈ કિંમત નથી રહેતી, તે, પ્રમાણે સમ્યગ્દર્શનયુકત જ્ઞાન–ચારિત્ર્યનું મૂલ્ય ... વધી જાય છે પણ સમ્યગ્દશ નરહિત જ્ઞાન–ચારિત્ર્યની કોઈ કિંમત રહેતી નથી. સમ્યગ્દષ્ટિ પણ ઘટને ધટ રૂપે જાણે છે અને મિથ્યાદષ્ટિ પણ ઘટને ઘટ રૂપે જાણે છે. આમ અતેની પ્રતીતિમાં સમાનતા હેાવા છતાં સમ્મદૃગૃષ્ટિનુ જ્ઞાન સમ્યગ્ અને મિથ્યાદ્રષ્ટિનું મિથ્યા કહેવાય છે. ત્યારે સ્વાભવિક પ્રશ્ન ઉઠે કે સભ્યષ્ટિ કોને કહેવા ?
ભારતવષ શતાબ્દિ તે શું પણ સહસ્ત્રાબ્દિથી ભાગવતુ આવ્યું છે. હમણા જ છ વર્ષ પહેલાં દેશના ભાગલા પડયા ત્યારે પ્રજાને જે નૃશંસતા અને પશુતાને અનુભવ થયા તેની સ્મૃતિ તાજી જ છે. આ બધા એકાંગી મિથ્યાદ્રષ્ટિનાં ફળ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ આવા અભિનિવેશ કે આવેશથી ભ્રમિત ન થાય. તેની નદ્રષ્ટિ તે સત્ય તરફ જ મીટ માંડી રહે અને ભાવાવેશમાં ખેંચાઇ જતા સમસ્ત વિશ્વને દિવાદાંડીની જેમ ભયસ્થાનાની ચેતવણી આપતા રહે. દરેક વ્યકિતમાં એટલું સામર્થ્ય હાવુ જોઇએ કે તે પુર્વ સરકારી કે સ્વાથી ન ખેં'ચાતા પ્રત્યેક વસ્તુનુ યથાર્થ રૂપે દર્શન કરે. ઓછામાં ઓછું, હૃદયમાં એવી ભાવનાપૂર્વક પ્રયત્ન કરતા અવશ્ય રહેવુ જોઇએ. તેમાં જ પોતાનું તથા સમાજનું કલ્યાણુ સમાયેલું છે.
ઉપરાંત પ્રશ્નના ઉત્તરમાં સભ્યદ્રષ્ટિની વ્યાખ્યા ત્રણ પ્રકારે વવાય છે. તત્વરૂપી અર્થાત્ સત્યને જાણવું અને જાણીને સ્વીકારવાની તત્પરતા એ પહેલી વ્યાખ્યા છે. જો કે વ્યકિત પ્રત્યેક નિર્ણય કરતી વખતે પોતે સંપૂર્ણ સત્યને માગેછે એમ માને છે, પણ જો તે જરા ઉંડા વિચાર કરે તો તે નિર્ણયની પાછળ પુરાણા સંસ્કારા, વૈયકિતક કે સામુહિક સ્વાથ વગેરે અનેક તત્વા કામ કરી રહ્યા છે તે તેને તુત દેખાઈ આવે. ગત યુધ્ધની પહેલાં જમનીના નાઝીએ જગતની સર્વ પ્રજાએ કરતાં પોતે શ્રેષ્ઠ છે એમ માનતા, અને સમરત વિશ્વ ઉપર શાસન કરવાને પોતાના ન્યાયપૂર્ણ અધિકાર સમજતા, પરંતુ યુધ્ધમાં જ્યારે તે પ્રજા ખુરી રીતે કચડાઈ ગઈ ત્યારે જ તેનું અભિમાન નષ્ટ થયું. પોતાના દેશ, જાતિ, ધર્મ, વગેરેને ખીજાથી ઉત્કૃષ્ટ માનવામાં આ જાતના અભિનિવેશ રહેલા હાય છે. સ્પોસ્પને માનનારે એક સનાતની હિંદુ એવી કલ્પના પણ નથી કરી શકતા કે એક અંગ્રેજ કે મુસલમાનનુ જીવન પોતાના વન કરતાં વધારે પવિત્ર હાઇ રાકે. જૈના વિષે પણ આ જ હકીકત છે. જૈન સાધુ પેાતાના સોંપ્રદાયથી ભિન્ન અન્ય વ્યકિતને સાધુ નથી માની શકતા. જૈન આગમ માં પંદર ભેદો સિધ્ધ કહ્યા છે તેમાં “ અન્યલિંગ સિધ્ધ ” એવા પણ એક ભેદ છે. અર્થાત્ સાધુના બાહ્ય વેશ નહાવા છતાંએ વ્યકિત આત્મગુણાના વિકાસ સાધી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. આવું સ્પષ્ટ વિધાન હાવા છતાં અન્ય વેશ ધારણ કરનારને માત્ર વેશના કારણે મિથ્યાત્વી માનવા અને તેનુ કાઈ પ્રકારે સન્માન ન કરવું તેના જેવા દુરભિનિવેશ બીજો ક્રયા હાઇ શકે ? મહાત્મા ગાંધીજીએ અહિસાની જે સાધના કરી તે સુવિદિત છે. તે જ્યારે એક જૈન સાધુને મળવા ગયા, ત્યારે તે સાધુએ તેમને મિથ્યાત્વી ગણીને સન્માન ન કર્યું. જનાબ મહમદઅલીએ એક વખત એમ કહ્યું હતું કે “એક મુસલમાન શરાબ પીનારો. વ્યભિચારી અને પતિત હૈાય તે પણ તેને હું મહાત્મા ગાંધી કરતાં વધારે ઉંચે માનુ છું.” ખીજી બાજુથી એવા હિંદુની પણ ખામી નથી કે જેઓ પતિતમાં પતિત હિંદુને સરહદના ગાંધી કરતાંયે સારે। માનતા હાય, દુભિનવેશનાં પરિણામો
રજીસ્ટર્ડ ખી. ૪૨૬૬
{
વાર્ષિક લવાજમ રૂપિયા ૪ પરદેશ માટે : શાલિ`ગ ૮
સમ્યગ્દષ્ટિના ખીજો અર્થ છે “વૈજ્ઞાનિક પધ્ધતિ." પ્રથમ અર્થમાં એ બતાવ્યુ છે કે વ્યક્તિની ભાવના નિરંતર સત્ય ગ્રહણ કરવા તરફ રહેવી જોઇએ. પરંતુ વૈજ્ઞાનિક અને નિર્દોષ સાધન વિના સત્યની પિછાન થતી નથી. સાધનમાં દેષ એ પ્રકારે હાઇ શકે. (૧) વ્યકિત પૂર્વગ્રહથી પ્રભાવિત હાય, જે વિષેની ચર્ચા આગળ કરી લીધી છે. (૨) તેની જોવાની રીત જ વિપરીત હેય. પહેલા દાખ્ખું કારણ વ્યકિતગત સ્વાય કે કષાય છે. ખીજાનું કારણુ અજ્ઞાન છે. જ્યાં સુધી જીવ પદાર્થને યથાર્થ રૂપે જોતાં નથી શીખતા ત્યાં સુધી તેનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે. તેથી જ શાસ્ત્રકારીએ ગુરૂની આવશ્યકતા સ્વીકારી છે. જેમ એક બાળકને પ્રશ્ન પૂછીએ કે “ એ તે એ કેટલા થાય ” તે તે ત્રણ કહેશે, પાંચ કહેશે અને ચાર પણ ખેાલી જશે. પણ આ તેનો સાચા ઉતર નહિ કહેવાય. સાચે ઉત્તર તેા ત્યારે જ કહેવાય કે જ્યારે તે રીતસરની ગણુતરી કરીને ચોક્કસ ચારના આંક ખાતે. આ પ્રમાણે પ્રત્યેક કાર્યને જોવાની કને કાષ્ઠ વૈજ્ઞાનિક પધ્ધતિ હાય છે. તે સમજીને તનુસાર ચાલવું તેનું નામ સભ્યદ્રષ્ટિ.
સમ્પષ્ટિના ત્રીજો અર્થ ધ્યેયની અપેક્ષા છે. જ્યાં સુધી આત્માની પ્રવૃતિઓનું લક્ષ્ય ખાદ્યમુખી સાંસારિક સુખ તરફ હાય, ત્યાં સુધી તેની પ્રત્યેક ક્રિયા, પ્રવૃતિ, કે જ્ઞાન મિથ્યા છે. ધ્યેય બદલાયું કે બધું સમ્યક્ થઇ જાય છે. જે પ્રમાણે ધન કે શારીરિક ખળ એક પ્રકારની વિશેષ શકિત છે, તેનુ સારાપણું કે ખરાખપણું તેના ઉપયોગ ઉપર આધાર રાખે છે, સ્વતંત્ર રીતે તે સારા કે ખરાબ નથી. જો તેના ઉપયોગ સ્વપરના કલ્યાણ માટે કરવામાં આવે તે તે શુભ છે. જો તેના ઉપયોગ ખીજાને કષ્ટ પહેોંચાડવામાં કરવામાં આવે તે તે અશુભ છે, તે પ્રમાણે જ્ઞાન પણ એક શકિત છે. તેનું સભ્યપણુ કે મિથ્યાપણું તેના કઇ રીતે ઉપયોગ થાય છે તેના ઉપર આધાર રાખે છે. સમ્યગ્દષ્ટિ તેના ઉપયાગ આત્મવિકાસ માટે-મેક્ષરૂપ પરમ પુરૂષા માટે કરે છે. તેથી તેનું જ્ઞાન સમ્યક્ છે. મિથ્યાસૃષ્ટિ જ્ઞાનના ઉપયેગ સાંસારિક ભેગેની વૃધ્ધિ કરવામાં કરે છે તેથી તેનું જ્ઞાન મિથ્યા