________________
diale) ( ( [
પ્રબુધ્ધ જીવન
૧૬૨
છે. પાશ્ચાત્ય પરિભાષામાં આ દૃષ્ટિકોણને આપણે “Pragmatism” કહી શકીએ, જ્યાં પ્રત્યેક વસ્તુનું મુલ્યાંકન તેની ઉપયોગીતાના
આધાર ઉપર થાય છે.
આ રીતે આપણી સામે સમ્યગ્દષ્ટિનાં ચાર રૂપ થયાં. ૧ આત્મશુધ્ધિ-કષાયાની મન્દતાના કારણે આત્માની અન્તર્મુખીશ્રૃતિ. ૨ દૃષ્ટિ શુદ્ધિસત્યની પરીક્ષા માટે દ્વેષ અને પક્ષપાત રહિત તટસ્થપણે વસ્તુને જોવાની ક્ષમતા.
૩ ઉપાય શુધ્ધિ-વસ્તુસ્વરૂપ જાણુવાનો ઉપાય નિર્દોષ અને બૈનિક હાવે
૪ ધ્યેય શુધ્ધિ-દૃષ્ટિ સન્મુખ કે મહાન ધ્યેયનુ હાવું. આમાં પાછલી ત્રણે શુધ્ધિએ ત્યારે જ આવી શકે જો પ્રથમ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી હાય.
વમાન દૃષ્ટિકોણ
સમ્યગદૃષ્ટિની ઉપરોકત વ્યાખ્યા કાલકલ્પિત નથી તેમાં શાસ્ત્રીય દ્રષ્ટિ રહેલી છે. તે મનુષ્યને નથી કાષ્ટ નિર્જીવ ક્રિયાકાંડ કરવામાં બાંધી દેતી કે નથી તેને બુધ્ધિપૂર્વક વિચાર કર્યા વિના કોઇ વાત સ્વીકારવાનું કહેતી. આત્મશુધ્ધિ થવામાં અનુકુળ તેવી કોઇ પણ ક્રિયા ઉપાદેય છે. વસ્તુનુ યથ રૂપ સમજવા માટે નિરભિનિવેશ દૃષ્ટિ અને તર્ક સગત પધ્ધતિ સ્વીકારીને સ્વતંત્રપણે પરીક્ષણ કરવાના વ્યકિતને સંપૂર્ણ અધિકાર છે. આ પ્રકારની દૃષ્ટિ તે જ સંભવી શકે જો ધ્યેય શુધ્ધ હોય. સંકુચિન ધ્યેયાળી વ્યકિત અભિનિવેશાથી પર નથી થઇ શકતી.
પ્રત્યેક ધમ ઉદ્દગમકાળે આત્મસ્પર્શી હેય છે. તેમાં ક્રિયાકાંડ, બાહ્યાચાર કે વેશપરિધાનને આત્મસાધનામાં સહાયક થવા પુરતુ જ સ્થાન હોય છે. સાધકને પેાતાની સવલતા પ્રમાણે ઉચિત પરિવર્તન કરવાનો પૂર્ણ અધિકાર રહે છે. એવા પણુ સાધક હાઇ શકે કે જે રૂચિ અનુસાર એક વાત મહાવીરની તેા ખીજી બુધ્ધની અને ત્રીજી ઉપનિષદ્દની સ્વીકારે અને છતાં ધ્યેયશુધ્ધિના કારણે તે સમ્યગ્દૃષ્ટિ હોય. અહિંસા ધર્મના સંબંધ વ્યકિત સાથે છે. આત્મકલ્યાણ માટે કાઇ એક જ પરપરાના સ ંપૂર્ણ સ્વીકાર કરવા આવશ્યક નથી. સાધકને ભક્તનુ ટાળુ જમા કરવાની ચિન્તા નથી હતી જે જિજ્ઞાસુવૃત્તિથી તેની પાસે આવે, તેને સીધા સાદા શબ્દોમાં પોતાના અનુભવ કહે છે. માન, પૂજા, પ્રતિષ્ઠા, જયદ્યાષ આદિ વિક્ષેપેાથી તે દૂર ભાગે છે. નથી તેને કાઇ મતનું ખંડન કરવાનુ હતું, નથી શાસ્ત્રાર્થ કરવાના હતા. આ પ્રણાલી ન્યુનાધિક માત્રામાં સંતપરંપરામાં સામાન્યતઃ દેખાય છે.
પરંતુ ધીરે ધીરે સાધકમાં લોકેષણા નંગે છે. તે પેાતાના અનુયાયીઓને એકઠા કરી ધમને એક સગડૂનનું રૂપ આપે છે. તેના અંતરાત્મા વિરાધ કરીને પોકારે હતું આ જંજાળમાં કર્યા પડે છે?” પણ બુધ્ધિ તેને દબાવી દે છે. તે કહે છે “ મારે સંસારના ઉધ્ધાર કરવા જોઇએ.” લેષા પરોપકારનો સ્વાંગ સજીને નટના ભાગ ભજવે છે. બુધ્ધિ એષણાઓની દાસી બને છે, મનમાં જે તૃષ્ણા જાગે, બુધ્ધિ તેનુ સમર્થન કરતી જાય છે. આત્માની આંતરિક વૃત્તિના આધાર પર આ સંગઠૂન શકય હેતુ નથી. એટલે બાહ્યાચારને મહત્ત્વ મળતુ જાય છે. આન્તરિક વૃત્તિની ઉપેક્ષા શરૂ થાય છે. .ધીરે ધીરે એવા સિધ્ધાન્તો સ્થાપવામાં આવે છે. જેને સૈધ્ધાંન્તિક આધાર તા આત્મશુધ્ધિ હાય, પણ વ્યવહારિક રૂપ માત્ર બાહ્યાચાર હાય. બૌદ્ધ ધર્મમાં બુદ્ધ, ધર્મ, અને સંધના રૂપમાં ત્રણ તત્વ સ્થપાયાં તે ઉપરોકત કારણે, એ ત્રણ તત્વમાં અવિચલ શ્રદ્ધા તેવુ જ નામ સભ્યદૃષ્ટિ એવા અર્થ થઇ ગયા. સિધ્ધાન્ત રૂપે એમ કહ્યુ કે જેણે વસ્તુતત્વ જાણી લીધું તે પ્રત્યેક વ્યક્તિ મુધ્ધ છે. પણ વ્યવહારમાં ભિન્ન મત કે સંપ્રદાયના કાઇ મહાપુરૂષને બુધ્ધ માન્યા નહિ.
જ્યારે હું ભિવાની કાલેજમાં અધ્યાપક હતા ત્યારે ન:નચર્ચા માટે કયારેક કયારેક આર્યસમાજ મંદિરમાં ચાલી જતા. એક
તા. ૧૫-૧-૫૪
દિવસે સમાજના મ`ત્રીએ મને કહ્યું “આ સમાજી થઇ જાને ! સત્યની ગવેષક કોઇપણ વ્યક્તિ આ સમાજી થઈ શકે છે.” મે કહ્યું “તત્વનો ગવેષક કાપણું આર્યસમાજી થઇ શકતા હોય તે હું આર્યસમાજી છું જ.” તત્કાળ મંત્રીએ આ સમાજના દશ નિયમેાવાળુ છાપેલું" ફાર્મ લાવીને મારી આગળ મૂકયું. પહેલા નિયમ હતા “પ્રત્યેક સત્યવિધાનો સ્વીકાર કરવા તૈયાર રહેવુ જોઇએ.” મને આ પ્રતિજ્ઞા ખૂબ સરસ લાગી. ખીજો નિયમ હોય “વેદ સર્વ સત્ય વિદ્યાઓનુ મૂળ છે.” મે કહ્યું “પહેલો નિયમ સારે છે, પણ બીજો નિયમ તેનું ખંડન કરી નાખે છે. સત્યને અંગીકાર કરવા હૃદય હંમેશા ખુલ્લુ રાખવું જોઇએ. તેને કાઇ એક વ્યકિતવિશેષ કે પુસ્તવિશેષની અંદર સીમિત શા માટે કરી દેવું ? ”
મુદ્દના અર્થ “જ્ઞાન” એવા સ્વીકારી પછી તેને કાઇ એક વ્યકિતમાં મર્યાદિત કરી દેવા તે પશુ એવુ જ છે.
ધર્મ અને સ ંધ વિષે પણ આ જ વાત છે. બૌધધર્મ માં આચારને શીલ કડ઼ેવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધા-તે અન્ય ધર્મોંમાં પણ મળે છે. પરંતુ બૌધ્ધ ભિક્ષુઓ સિવાય અન્ય કાઈમાં આ શીલનો સ્વીકાર કરવામાં નથી આવતા. સંધની કલ્પના પણ ખાદ્યવેશ અને આચારના આધાર પર નિર્ભર છે
જૈન ધર્મોમાં દેવ, ગુરૂ અને ધના રૂપે આ જ વાત કહેવાઇ છે. નિરંતર આપણે સાધુવર્ગ ને મુખેથી અરિહંત, સિધ્ધ, સાધુ અને કેવલી ભાષિત ધર્મને મગસ, શરણુ, કે લોકેાત્તમ સ્વરૂપે સાંભળીએ છીએ. આમાં પ્રથમના એ દેવતત્વમાં આવે છે, અને સાધુ ગુરૂતત્વમાં, જેમણે રાગદ્વેષ આદિ આત્મશત્રુઓને જતી કૈવલ્ય પ્રાપ્ત કરી લીધું છે તેમને દેવતત્વમાં ગણ્યા છે. સિધ્ધાંત તરીકે આ તત્વમાં કોઈ પ્રકારની સામ્પ્રદાયિકા કે સંકુચિત વૃત્તિ નથી. દેવતત્વની કલ્પના આદશ રૂપે છે. ચામસૂત્રમાં એવા આદર્શ પુરૂષવશેષની કલ્પના કરી છે કે જે દોષોથી નિત્ય મુકત હાય, અને સાંસારિક ઇચ્છા જેને કદી સ્પેશી ન હાય. જૈન દર્શન ઈને નિત્યમુક્ત નથી માનતું. જૈન દર્શનાનુસાર પ્રત્યેક આત્મા ઉત્ક્રાંતિ કરતા ક્રમે કરી પરમાત્મા થાય છે. એટલે જે આત્માઍ પોતાનો પૂર્ણ વિકાસ સાધ્યા છે, રાગ દેષને જતી કૈવલ્ય પ્રાપ્ત કર્યું છે તે દરેકને દેવ માન્યા છે. આવા દેવ પાસે તે પ્રત્યેક આત્મકલ્યાણના અભિલાષીનું –પછી તે જૈન હાય, બૌધ્ધ હોય કે અન્ય સંપ્રદાયી હાય-પણુ મસ્તક નમી પડશે.
આમ સૈધ્ધાન્તિક ઉદારતા હેાવા છતાં વ્યવહારમાં આપણે સંકુચિત થઇ ગયા છીએ. જૈન પરમ્પરા સાથે સબંધ ન રાખનારા કોઇપણ મહાપુરૂષને દેવ માનવા આપણે તૈયાર નથી. જે કોઇ વ્યકિત યુધ્ધ કે મહાત્મા ગાંધી જેવા મહાપુરૂષ ઉપર દેવ જેવી શ્રધ્ધા રાખશે તે આપણે ઝટ તેને મિથ્યાદષ્ટિ કહી દેશું. સિધ્ધાંત અને વ્યવહારમાં આ પ્રકારનું અંતર આપણુને બાહ્ય ડાળ કરતાં શીખવાડે છે. જયારે હૃદયમાં સત્યની જિજ્ઞાસા જાગે ત્યારે અથવા કાઈ આપણા ઉપર સકુચિત હોવાના આક્ષેપ કરે ત્યારે સિધ્ધાન્તને આશ્રય લઈએ છીએ અને વ્યવહારમાં ઉતારતી વખતે તેને ભૂલી જઇએ છીએ. આ પ્રમાણે આપણે પરમાના ભકત બની રહીને પોતાના અહંભાવ અને ક્યાયાનુ પેષણ કરી લઇએ છીએ. આવી ભક્તિ સત્યશોધનની વૃત્તિને કુંઠિત કરી નાંખે છે. આત્માને મુખ્ય ધ્યેય રાખીને જીવનનિર્વાહ પુરતા વ્યાપાર કરી શકાય, પણ તે વ્યાપાર આત્મા ના ખાધક થતા હોય તો તેને છોડી દેવા જોઇએ, પરંતુ વર્તમાન પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. આપણે ખાદ્યની રક્ષા માટે અધ્યા- મનો આશ્રય લઇએ છીએ. આને સમ્યગદૃષ્ટિ ન કહી શકાય. અપૂર્ણ પંચક જૈન