________________
તા. ૧-૪-૫૪
પ્રબુદ્ધ જીવન
આફ્રિકાવાસી જૈન બંધુઓને અપીલ
જે સંયુક્ત જૈન વિધ થીંગૃહની જૈન સમાજના પ્રખર વિચારક સ્વ. વાડીલાલ મેતીલાલ શાહ અને જૈન સમાજનાં પ્રચંડ સુધારક સ્વ. મણિલાલ મેાકમચંદ શાહે આજથી ત્રીશ વર્ષ પહેલાં સ્થાપના કરી હતી તે સંસ્થાના મંત્રી શ્રી. ટી. જી. શાહ તથા તેમની પત્ની શ્રી ચંચળબહેન આપના પ્રદેશમાં મુસાફરી અર્થે આવ્યા છે. આ સંસ્થા મુંબઇ શિવ બાજુએ આજે પોતાની માલેકીતુ મકાન નિર્મા કરી રહી છે. તે મકાન પુરૂ' કરવા માટે અને જરૂરી સાધન સામગ્રી પ્રાપ્ત કરવા માટે રૂા. ૭૫૦૦૦ ની તત્કાળ આવશ્યકતા છે. આ સંસ્થા કશા પણ ક્િરકાભેદ સિવાય ઉચ્ચ શિક્ષણ લેવા ઇચ્છતાં વિધાથી એને રહેવા વગેરેને સગવડ આપે છે. જૈનેામાં પરસ્પર એકતા સાધવાના હેતુપૂર્ણાંક અને જૈન વિદ્યાર્થી ઓને આગળ ભણુવામાં પડતી અગવડે બને તેટલી દૂર કરવાના હેતુથી આ સંસ્થાની સ્થપાના કરવામાં આવી છે. શ્રી. ટી. જી. શાહ અમારા પ્રતિનિધિ તરીકે ત્યાં આવ્યા છે. તે તેમને આપનાથી બનતા કાળા આપીને અમારી આ સંસ્થાની ભીડ દૂર કરવા પ્રાર્થના છે. લી આપના ચીમનલાલ ચકુભાઇ શાહુ પ્રમુખ, સયુકત જૈન વિદ્યાર્થી ગૃહ,
પ્રબુદ્ધ જીવન અને આફ્રિકાવાસી બધુ
છેલ્લાં પચ્ચીશ વર્ષ થી જૈન સમાજમાં વિચારક્રાન્તિનુ કાર્ય કરી રહેલ મુબઇ જૈન યુવક સંધ તરી છેલ્લાં પંદર વર્ષથી એક પાક્ષિક મુખપત્ર ચલાવવામાં આવે છે જેનું નામ પ્રબુદ્ધ જીવન છે. શ્રી. મુબઇ જૈન યુવક સંધના મંત્રી શ્રી. ટી. જી. શાહ તથા તેમનાં પત્ની શ્રી, ચંચળબહેન ત્યાં કેટલાએક સમયથી પ્રવાસાર્થે આવ્યા છે, તેમની દ્વારા પ્રબુધ્ધ જીવનને ત્યાં ફેલાવા થઇ રહયા છે. આ પત્રમાં રાષ્ટ્રને સ્પર્શીતા અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. ધર્મ, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર તેમજ અર્થકારણને લગતા વિષયોની આલાચના કરવામાં આવે છે, અને દેશમાં બનતી ધટનાઓનું હાઈ નિડ રપણે રજુ કરવામાં આવે છે, ગાંધીજીએ જે નિયમ નવજીવન અને હરિજન માટે સ્વીકાર્યાં હતા તેને અનુસરીને અમારા આ પત્રમાં જાહેર ખબર લેવામાં આવતી નથી અને સમાજને ઉપયોગી પ્રશ્નો વિષે સ્પષ્ટ માર્ગદર્શન આપવાના હેતુથી આ પત્રનું સંચાલન કરવામાં આવે છે. મુંબઇ, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ગુજરાતમાં પ્રબુધ્ધ જીવને એક વિશિષ્ટ કોટિના સામયિક તરીકે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. જાણીતા વિદ્વાન વિચારક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તેના તંત્રી છે. તેનું વાર્ષિક લવાજમ આફ્રિકા માટે આઠે શીલીંગ છે. આપને આ પત્રના ગ્રાહક થવા પ્રાના છે.
લી આપના ખીમજી માંડણ ભુજપુરીયા પ્રમુખ, મુંબઈ જૈન યુવક સધ મુદ્રણ દ્વેષ
મુદ્રણુઅણુધ્ધિ ગદ્ય લખાણમાં નીભાવી શકાય છે, કારણુ આસપાસના સંદર્ભે થી વાંચનાર ઘણુ ખરૂ અને તારવી શકે છે. પશુ પધમાં મુદ્રણદોષ પધાર્થને ઘણીવાર મારી નાંખે છે, એટલે કે કવિ શુ` કહેવા માંગે છે તે વાંચનાર સમજી જ શકતા નથી, આવા મુદ્રણુ દોષ ગયા અંકમાં પ્રગટ થયેલા દેખું ન કાં પૂર્ણવિરામ રાહે ?' એ મથાળામાં એક નાનાસરખા કાવ્યમાં રહી ગયેલા માલુમ પડે છે. કવિને થયેલા અન્યાયના પ્રાયશ્ચિત્તપે એ
-
૧૫
કાવ્ય નીચે ફરીથી પ્રગટ કરવું એાગ્ય ભાસ્યું છે, ભવે ભવે અલ્પવિરામ મૂકી આત્મા વધે આગળ વાય માંહે, આશ્ચય –પ્રશ્નાર્થ નું ચિહ્ન ઝુકી રહે કયાં ક દેખું ન કાં પૂર્ણવિરામ રાહે ?
માગ
ગીતા
માથેરાન પટન
એપ્રીલની ત્રીજી તારીખને બદલે નવમી તારીખે
તત્રી
કેટલાએક સભ્યોને છોકરાંઓની પરીક્ષાઓના કારણે બીજી તારીખના પર્યટનમાં જોડાવાની પ્રતિકુળતા માલુમ પડવાથી એક અઠવાડીયુ મડું એટલે કે ચાલુ માસની તા. ૯, ૧૦, ૧૧ (શુક્ર, શિન, રિવ) એમ નક્કી કર્યું છે. પર્યટનમાં જોડાવા ઇચ્છનાર સભ્યે તા. ૫ સામવાર સાંજ પહેલાં ગયા અંકની જાહેરાત મુજબ પર્યટન માટે નિશ્ચિત કરેલી રકમ સંઘના કાર્યાલયમાં ભરી જવી. તા. ૯ શુક્રવાર સવારે છા વાગ્યે ખેારી’દરથી ઉપડતી લોકલમાં નીકળવાનુ છે. તા. ૧૨ સોમવાર વહેલી સવારે ઉપડતી ટ્રેનમાં માથેરાનથી મુંબઇ પાછા આવવાનું છે. સાધારણ એઢવાનુ તથા જરૂરી કપડાં સિવાય વિશેષ સામાન સાથે લેવાની જરૂર નથી. સંધના સભ્યોને સારી સંખ્યામાં જોડાવા વિનતિ છે.
મત્રી, મુખઇ જૈન યુવક સંઘ, પુસ્તક પરિચય
હિલેાળા : લેખક : શ્રી વીરજી ગંગાજર માહેશ્વર, પ્રકાશન એન. એમ. ત્રિપાઠી લિમિટેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ, ૨. કિંમત શ. ૧-૮-૦.
આ નાનું સરખું પુસ્તક લેખકની આજ સુધીની આત્મકથા જેવું છે. શ્રી વીરજીભાઈની આજે ૭૬ વર્ષની ઉમ્મર છે. સામાન્ય પરિસ્થિતિ વચ્ચે તેમના જીવનની શી રીતે શરૂઆત થઇ, ટુકી કેળવણી, તાર લખનાર તરીકે જીવનના પ્રારંભ, એક ધંધામાંથી બીજા ધંધામાં પ્રવેશ અને સધાતી રહેલી આર્થિક ઉન્નતિ, સૌ. રતનબાઇ જેવી એક તેજસ્વી સન્નારી સાથેનું ૨૫ વર્ષનું ગૃહસ્થ આ જીવન, ૧૯૩૦-૩૨ ની રાષ્ટ્રીય ચળવળમાં તેમણે ખૂન્નેએ લીધેલે સક્રિય ભાગ, રતનબાઇના અવસાનને તેમના ચિત્ત ઉપર પડેલા સખ્ત આધાત, વાનપ્રસ્થ જીવનનો સ્વીકાર, દેશના એક ખુણેથી ખીજે ખુણે તેમણે કરેલા વિપુલ પ્રવાસ, આજે એકાન્ત નિવૃત્તિ ભરેલું સુખ અને સંતોષમય ભરેલી જીંદગીની આ એક સાદી
કાળનિગ મન=આમ ઢાળ ઢળાવથી સરળ જીવનકથા છે. લેખકના પાતા વિષે કોઈ મોટા દાવા નથી. એમ છતાં આ લાંબા ચિત્રપટમાં ઉંડી જીવનનિષ્ઠા, સેવાવૃત્તિ અને શીલપરાયણતા, તેમ જ સતત ઉદ્યોગશીલતા તરી આવે છે. લેખકનુ લખેલુ' ‘હિન્દ પÖટન’ નામનુ એક પુસ્તક પાંચેક વર્ષ પહેલાં પ્રગટ થયુ' છે જે આપણા દેશને લગતી અનેક માહીતીઓથી ભરેલું છે,
આરમી સદીના સર્વશ્રેષ્ઠ જ્યેાતિર સંપાદક : પંડિત અમૃતલાલ તારાચંદ દેશી, વ્યાકરણ તીથ, દામજી નેણુશીની વાડી, સ્ટેશન રોડ, ભાંડુપ મુંબઇ પાસે કિંમત રૂા. ૦-૧૨-૦.
આ નાની સરખી પુસ્તિકા મૂળ કોઇ એક બ્રાહ્મણ પંડિતના લખેલા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના ચરિત્રના આધાર લઈને લેખકે તૈયાર કરી છે. હેમંચદ્રાચાર્ય ના જીવનને લગતી અનેક ઐતિહાસિક અનૈતિહાસિક માહીતી આ પુસ્તકમાંથી જાણવા મળે છે. મૂળમાં જૈન પરંપરાને અનુકુળ કેટલાક સુધારા તેમ જ વધારા સંપાદકે કર્યાં હાય એમ લાગે છે. સંશોધનની દૃષ્ટિએ આ પુસ્તિકામાં કોઇ મૌલિકતા જોવામાં આવતી નથી.
-
@ *???list="" /