SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ dh પ્રબુધ્ધ જીવન ૨૧૪ વ્યાપારી જ્યાં ત્યાંથી છટકવા માંગે છે. પરિણામે આ ખાતામાં લાંચ રૂવતની જડ બહુ ઊંડી ખેઠી છે. પાપારીઓને સાધારણ રીતે અળખામણા લાગતા ઇન્કમટેકસ આવા સેલ્સટેક્સના ત્રાસ કરતાં આજે ઘણા સારા સાદે અને સરળ લાગે છે. મુંબઈ સરકારે આ કાયદામાં રહેલી ગુચેના સ્પષ્ટ ઉકેલ આપવા જોઇએ. અને તે દૃષ્ટિએ કાયદા સત્વર સુધારવા જોઇએ, સરળ બનાવવા જોઇએ. વસ્તુત: આ વેચાણવેરા આખા દેશ ઉપર એકસરખા લાગુ પડે અને તેમાંથી થતી આવક પ્રદેશ પ્રદેશની આવક મુજબ તે તે પ્રદેશને વહેંચી દેવાય એવી વ્યવસ્થા ઉભી થવી. જોઈએ. આ સિવાય વેચાણવેરાને લગતી વ્યાપારીઓની હાડમારીને કદિ અન્ત આવશે નહિ. પબ્લીક ચેરીટી ટ્રસ્ટ એકટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુખનો પબ્લીક ચેરીટી ટ્રસ્ટ એકટ (૧૯૫૦) કાયદેસર છે કે નહિ તે સંબંધમાં તે કાયદેસર છે એવા મુંબઈ હાઈકોટના ચુકાદા સામે દીલ્લીની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. તેને તા. ૧૮-૩-૫૪ના રોજ ચુકાદો આવ્યો છે. આ ચુકાદાની નકલ હજી .હાથ ઉપર આવી નથી, પણ છાપામાં એ ચુકાદા સબંધે જે હકીકતે બહાર આવી છે તે જોતાં મૂળ કાયદામાં રહેલી એ બાબતાને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવી છે. (૧) કાઇપણ ગેરવ્યવસ્થાના કારણસર ધાર્મિક સખાવતાના ટ્રસ્ટામાં ચેરીટી કમીશનર કા દ્વારા પેાતાને ટ્રસ્ટી નીમવાના હુકમ મેળવી શક્તા હતા અને એ રીતે ધાર્મિક ખાતાઓ ઉપર તે સીધા કાછુ મેળવી શકતા હતા. ઉપરના ચુકાદાથી ચેરીટી કમીશનર પોતાની જાતને ટ્રસ્ટી નીમાવી નહિ શકે. (૨) કાઇ પણ ધાર્મિક સખાવત ઉપર ચેરીટી કમીશનર કાના હુકમારા Cypres–સીપ્રે–નેા સિદ્ધાન્ત લાગુ પાડીને તે સખાવતનાં નાણાં જનહિતના અન્ય કોઇ કાર્યમાં ખરચવાની કૂરજ પાડી શકતા હતા. સીપ્રેના સિધ્ધાન્તના અર્થ એ છે કે જ્યારે કાઈ પણ સખાવતના હેતુ અમલી ખની શકે તેમ ન હેાય અથવા તે તે હેતુના અમલ કરવા છતાં નાણાંના વધારા પડતા હાય ત્યારે તે નાણાં એવા જ અન્ય કાઇ સખાવતી કામમાં વાપરી શકાય અને એ રીતે એ નાણાંના સદુપયોગ થઇ શકે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના પરિણામે ધાર્મિક સખાવતા ઉપર આ સીપ્રેનો સિદ્ધાન્ત હવે લાગુ પાડી નહિ શકાય. ઉપર જણાવેલા બન્ને પ્રતિબંધો માત્ર ધાર્મિ ક ટ્રસ્ટ યા સખાવતાને લાગુ પડતા હોય અને ખીજી જાહેર હિતની સખાવતા યા ટ્રસ્ટાને લાગુ પડતા નથી એમ આ ચુકાદાની ટુંકી ખખરો જોતાં માલુમ પડે છે. આ ચુકાદાનું એક પરિણામ એ આવે છે કે મંદિરની જરૂરિ યાત કરતાં વધારે પ્રમાણમાં એકઠા થયેલા દેવદ્રવ્યના અન્ય સામાજિક હિતના કાર્યોંમાં વપરાવાની મૂળ ધારામાં જે જોગવાઇ હતી તે આ ચુકાદાથી પાછી ખેંચી લેવામાં આવી છે. આ રીતે દેવદ્રવ્યને સામાજિક કાર્યોમાં વહેતું થયેલું જોવા ઇચ્છતા સુધારકાને કાયદાની આ પીછેહઠ જરા ખેંચે તેવી છે. આમ છતાં આ બાબતમાં જરા પુછુ નિરાશ થવાની જરૂર નથી. સુધારક માટે કાયદાની મદ વડે ક્રાઇ સુધારણાને હેતુ સિદ્ધ કરવા એ ખરી પ્રગતિ નથી. ખી પ્રગતિ સમાજના વિચારમાં ધરમૂળથી ફેરફાર કરીને તેને દેવદ્રવ્યના સામાજિક ઉપયોગ તરફ સ્વેચ્છાએ વાળવામાં રહેલી છે. આ કાર્ય પ્રચાર અને સમજાવટથી જ થઇ શકે છે. સદ્ભાગ્યે સ્થિતિચુસ્ત લોકો પણ. સીધી રીતે નહિ પણ સીદીભાઈના કાનની માક આડકતરી રીતે દેવદ્રવ્યના શ્રાવકશ્રાવિકાના કાર્યમાં ઉપયોગ કરવા તરફ વળી રહ્યા છે, અને પોતપેાતાના હસ્તકના વહીવટમાં આવા પ્રબંધ એક યા તા. ૧-૪-૫૪ બીજી યુક્તિપૂર્વક કરી રહ્યા છે. આપણે આશા રાખીએ કે જે આજે યુતિપ્રયુક્તિથી થઇ રહ્યું છે તે સીધી રીતે કરવાની હીંમત હવેની પેઢી જરૂર' દાખવશે અને દેવમંદિરમાંથી થતી અઢળક આવકનો જરૂરી સામાજિક કાર્યોમાં ઉપયોગ કરતા અચકાશે નહિ, ભાઇ કૃપાળ કોઠારીને અભિનન્દન ભારત જૈન મહામડળના પ્રમુખ અને અમારા જુના સહકા કર્તા શ્રી તારાચંદ કોઠારીના જયેષ્ઠ પુત્ર ચિ, ભાઇ કૃપાળ કોઠારી ચા એકાઉન્ટન્ટની પરીક્ષામાં તાજેતરમાં પાસ થયાં છે. આ પરીક્ષામાં સાધારણ રીતે સાતથી આઠ ટકા પરિણામ આવે છે અને તેમાં પસાર થવાતુ કાઇ પણ વિદ્યાર્થી માટે અતિ મુશ્કેલ હોય છે આ ઉપરાંત ભાષ કૃપાળને અભિનન્દન આપવાનું એક વિશેષ કારણ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની છેલ્લી પરીક્ષાની બહાર પડેલા ફત્તેહમ વિદ્યાર્થીઓની નામાવલિમાં તેનું નામ નહેતુ, પોતે નપાસ હાઈ શકે જ નહિ એવી ભાઇ કૃપાળને પ્રતીતિ હતી. તે પરીક્ષા લેતી સંસ્થાને એક નિયમ એવા છે કે કઇ વિધાર્થી ૫. ૨૫] ભરે તા જે વિષયમાં નાપાસ થયો હોય તેને લગતા પ્રશ્નપત્રનું અન્ય પરીક્ષા પાસે પુનરાવર્તન કરાવવામાં આવે, અને આ પુનરાવતનના પરિણામે તેને જો પાસ કરવામાં આવે તે શ. ૨૫૦] પણ પાછા આપવામાં આવે. ભાઇ કૃપાળે પણ રૂા. ૨૫૦ ભર્યા, અને તેના પ્રશ્નપત્રો ફરીથી તપાસાયા, તેને પાસ થયેલા જાહેર કરવામાં આવ્યા અને રૂા. ૨૫૦] પણ પાછા મળ્યા. આમ નપાસમાંથી પાસ થનાર ભાઈ કૃપાળ સવિશેષ અભિનન્દનના અધિકારી બને છે. તેની ભાવી કારકીદી સા ઉજ્વળ બનતી રહે અને સુખ, ઐશ્ચય અને સ્વાસ્થ્ય તેને પ્રાપ્ત થતાં રહે એવી શુભેચ્છા ધર્માનંદ, ફરતું પુસ્તકાલય લાલબાગ અને માધવંબાગ વચ્ચે આવેલી મુનિશ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી અને સંસ્કૃત પાઠશાળા તરફશ્રી ૧૯૪૩-૪૪ માં કરતાં પુસ્તકાલયની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી અને આશરે શ. ૩૦૦૦ નાં પુસ્તકાની ૧૫૦ પેટીએ તૈયાર કરવામાં આવી હતી. આ પેટીમાંથી ૧૦૧ થી ૧૫૦ પેટીઓ ખાલી કરીને તેમાં ૧૯૫૨-૫૩ માં પ્રગટ થયેલા લગભગ રૂા. ૧૦૦૦ ના નવાં પુસ્તકા તાજેતરમાં ખરીદીને મૂકવામાં આવ્યાં છે અને આ નવી પેટીઓ ૧-૩-૫૪ થી આપવાની શરૂ કરી છે. દરેક પેટીમાં આશરે રૂા. ૧૫ ની કીંમતના ચારથી પાંચ પુસ્તકો રાખવામાં આવ્યાં છે. આ પેટીઓ મેળવવા માટે નીચેના નિયમે કરવામાં આવ્યા છે. (૧) પેટી મેળવવાની ઈચ્છા ધરાવનારે વાર્ષિક રૂા. ૩ લવાજમના ભરવા પડશે. (૨.) પેટી દીઠ પેટી લઈ જનારે શ. ૨૦) ડીપોઝીટના ભરવા પડશે અને તે પેટી એક માસની અંદર પાછી પહોંચાડવી પડશે. પેટી વધારે વખત રાખવી હાય તો ફરી વખત ઇસ્યુ કરાવી શકાશે. આ નવી પેટીઓને લાભ લેવા વાંચાભિલાષી ભાઇ મહેતાને વિનતિ છે, ભોગીલાલ અમૃતલાલ ઝવેરી આસીસ્ટન્ટ સેક્રેટરી. પછાત વર્ગોનું ઉધ્ધારકાય શ્રી મુંબઈ જૈન યુવક સંધના આશ્રય નીચે સધના કાર્યાલયમાં (૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ) તા૦ ૩-૪-૫૪ ના સાંજના ૬-૩૦ કલાકે એક જાહેર સભા મળશે એ પ્રસંગે ચંદનવાડી મ્યુનીસીપલ ચાલામાં વસતાં નીચલા થરના લેકામાં કાર્ય કરતાં શ્રી સરલાએન ઝવેરી આજ સુધીના પોતાના કાના અનુભવ રજી કરશે, મંત્રીઓ, મુખઇ જૈન યુવક સંઘ. +
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy