________________
તા. ૧-૪-૫૪
કરવા બરાબર છે. તેથી એમણે વ્યાખ્યાન શરૂ કરી દીધુ. મોડેથી શેઠ આવ્યા, અને વ્યાખ્યાન શરૂ થઇ ગયેલુ જોઇ આદુંઆ થઈને ખેલ્યા, • ક્રમ મહારાજ ! રાહ તે જોવી હતી ! નગરશેઠે આવ્યા પછીજ વ્યાખ્ય.ન શરૂ થાય એ અહિંના શિરસ્તો છે. એ શિરસ્તાનુ પાલન થાય તાજ અહિંના સધ સાધુના આગમનનું સામૈયું, ખાનપાન તથા ઉત્સવ વગેરેની વ્યવસ્થા કરે છેએ ખબર છે ને !” આનિસ્પૃહ પુરૂષને એવા માનપત્રની પરવા ન હતી. એમણે શાંતિપૂર્વક પેાતાના વેશ શેને સોંપી દીધા અને અવધૂતની જેમ વનનેા મા લીધા. કોઈની શેહમાં ન ખાવાની અને સંયમ ધર્મની કિંમત આંકવાની આ એમની અસાધારણ દૃષ્ટિ હતી. એમના હરએક રતવન કે પદમાં તે સમયમાં જે સામાજિક શિથિલતા ફેલાઈ હતી, અંધાનુકરણ વૃત્તિનુ જે પ્રાબલ્ય હતું અને ધર્મ કે ગચ્છને નામે જે ક્રિયાજડતા વ્યાપેલી હતી તેનું સ્પષ્ટ વર્ષોંન મળી આવે છે. અને સાથે સાથે એ બધું છેડીને શુદ્ધ આત્મતત્વનું નિરીક્ષણ કરવાની ઠોકી વગાડીને ધોષણા કરી છે. દાખલા તરીકે ધર્મ નાથના સ્તવનમાં એમણે કહ્યું છે કેઃ— “ધરમ ધરમ કરતા જગ સહું ક્રિ, ધર્મ. ન જાણે હા મમ્ -છનેશ્વર. અનંતનાથના રતવનમાં કહ્યુ` છે કે—
“ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં, તત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરા નિજ કાજ કરતાં થકાં, મેહ નડીયા કલિકાલ રાજે નમિનાથના સ્તત્વતમાં ગાયું છે કે—
પ્રબુધ્ધ જીવન
“ શ્રુત અનુસાર વિચારી ખેલું, સુગુરૂ તથાવિધ ન મિલેરે, કિરીયા કરી નવી સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સળે રે.”
આવા તો અનેક ઉતારાઓ આપી શકાય તેમ છે. ટુકામાં આ બધું બતાવી આપે છે કે શ્રી આનધનજીનુ* માનસ કેટલુ ક્રાંતિકારી હતું. તેઓ શ્રી હરિભદ્રને બરાબર અનુસર્યાં છે.
આમ ભગવાન રૂષભદેવથી લઈને આનધન સુધી ક્રાંતિને વારસા અખંડ ચાલ્યો આવે છે. મહાપાધ્યાય યશવિજયજી, નવાંગી ટીકાકાર અભયદેવસૂરી વગેરે મહાપુરૂષો ક્રાંતિને જ માર્ગે ચાલેલા છે. જે આત્માથી હાય તેને ક્રાંતિના માર્ગ અપનાવ્યા સિવાય ચાલે જ નહિ. આ વારસાને હવે આપણે ટકાવવા રહ્યો. વમાનમાં આપણી સામે અનેક કોયડા ઉભા છે, તેના ઉકેલ ક્રાંતિ વિના આવવાને નથી. ક્રાંતિ એ કેઇ ધવિધી પ્રવૃતિ નથી. એ તે ધર્માંશાધક પ્રવૃતિ છે. (૧) આપણી સાંપ્રદાયિક કટ્ટરતા, (૨) આપણા દેવદ્રવ્યના પ્રશ્ન, (૩) આપણા સમાજ દિનપ્રતિદિન ક્ષીણુ પડતા જાય છે તેને થીગડા દેવા જેવી યોજના કરવા કરતાં કા મૌલિક સક્રિય યોજના ઘડવી (૪) જક્રિયા કે જે શરીરને, મનને, અને ધનને ભારે હાનિ કરે છે તે વિષે પણ હવે મુંગા એસાય તેમ નથી. (૫) શાસ્ત્રના અ'વાદના વાકયો અને કવિવાણી જેવા વચનને પરમા”ના વચન માની ભોળી જનતા ગાડરીઆ પ્રવાહને અનુસરી રહી છે. તેને ચેતાવવાની આપણી ફરજ થઇ પડે છે. આ બધા કોયડાઓના ઉકેલ ક્રાંતિ કર્યાં વિના એટલે કે લોકવિરાધનુ જોખમ ખેડયા વિના થવાના નથી. આ વ્યાખ્યાનોનો ઉદ્દેશ ક્રાંતિને જન્મ આપવાના છે. વ્યાખ્યાનાના ઉદ્દભવ એ જ રીતે થયેલા છે. જો આપણે પણ પ્રતિસ્રોતગામી મટી કેવળ અનુસ્રોતગામી બનીએ તા કોઇ ઉપરથી આવીને આપણું શ્રેય કરી જવાનુ નથી. એચરદાસ જીવરાજ દાણી
સમાપ્ત
સત્ય શિવ સુન્દરમ્
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના થડા સમયમાં પ્રગટ થનારો લેખસંગ્રહ કિ. રૂ. ૩.
મુખઇ જૈન યુવક સદ્ય અને પ્રબુધ્ધ જીવનના ગ્રાહુકાને તા. ૧-૫-૫૪ સુધીમાં રૂ. ૨ માં મળશે, પાસ્ટેજ રૂ. ૦-૬–૦ લખા: મંત્રીઓ, શ્રી સુબઇ જૈન યુવક સઘ ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩,
પ્રકીર્ણ નોંધ
૧૭
મુંબઇના નવા વેચાણવેરા
આ એપ્રીલ માસની પહેલી તારીખથી મુંબઇ પ્રાંતને નવા સુધારેલા વેચાણવેરા લાગુ પડે છે. શરૂઆતના વેચાણવેરા એક મુખી હતા; વચ્ચેના બહુમુખી હતા; હવેને દ્વિમુખી છે. આ નવા વેચાણવેરાના ધારાએ વેપારી આલમમાં ભારે મુઝવણ પેદા કરી છે. એ ધારાની કેટલીએક કલમે. ભારે અટપટી હાઇને તેમાંથી શુ અથ કલિત થાય છે તે કોઇ નિશ્ચયંપૂર્ણાંક કહી શકતુ નથી. વેપારીમાળાની કાર્યવાહી આ બાબત કલાકના કલાક સુધી ચર્ચે છે; પેાતાના સલાહકાર ધારાશાસ્ત્રી આગળ આમથી તેમ દોડે છે; સેલ્સ ટેકસના અધિકારી પાસે શકાસમાધાન માટે ધક્કા ખાય છે, પણ કાષ્ટ તેમના મનનું સમાધાન કરી શક્તું નથી કે સાચા ઉકેલ બતાવી શકતું નથી. કેટલાક અધિકારીએ કબુલ કરે છે કે અમને પાતાને પણ આ કાયદાની આંટીઘુંટી સમજાતી નથી. કાઇ એવા પણ નીકળે છે કે જેઓ એમ કહે છે કે અમે ખુલાસા આપવાને બંધાયેલા નથી. તે અમારે ફામ' કેમ ભરવા ?” એમ વેપારીઓ પૂછે છે. જવાબ મળે છે કે “તમને ઝે તેમ તમે ફાર્મ ભરીને લાવજો, અમને સુઝશે એ મુજબ કર આકારીશું અને તેથી તમને સ ંતોષ ન થાય તેા તમે અપીલ કરી શકો છે,' પણ અપીલ કર્યાં પહેલાં વેપારીએ આકારાયા કર ભરી દેવા પડે છે તે શું તે અધિકારીએ નથી જાણતા ?.
નિકાસ માટે લાઇસેન્સ અને પુનવેંચાણ માટે એથેરીઝેશનનું સીફીકેટ મેળવવા માટે જે જીતે અને મોટા વેપારી ન હોય તેવા નાના અને નવા વેપારીઓને રૂા. ૨૦૦૦૦ અથવા તે તેટલી રકમની સીકયેરીટીએ સરકારમાં ડીપોઝીટ કરવી પડે છે, આ પ્રબંધે નાના અને નવા વેપારીઓ માટે આજના નાણાંભીડના જમાનામાં એક મોટી આફત ઉભી કરી છે.
નવા ધારી તરેહતરેહના ફામ અને યાદી રાખવાની ફરજ પાંડે છે અને સાધારણ વેપારીઓને આવી જટિલ રચનાને પહોંચી વળ વામાં કેટલી બધી મુશ્કેલી પડે તેના કોઇ ખ્યાલ રાખવામાં આવ્યો નથી. નવા ધારા જટિલતાના એક અદ્ભુત નમુના છે. કર લ્યો, કાયદો કરે, પણ કાયદાનું શબ્દનિર્માણ અને વહીવટી રચના એવાં હોવાં જોઇએ કે પેાતાને શુ કરવાનુ અને શું નહિ કરવાનુ તેની તેને તરત સુઝ પડે. આ નવા ધારામાં હજુ ધણા બુધ્ધિશાળી માણસને પણ પુરી સુઝ પડતી નથી. આ વ્યાપારીઓ માટે એક મેટી કમનસીબી છે.
વળી પ્રદેશે પ્રદેશે જુદી જુદી જાતના વેચાણવેરા-આ પરિસ્થિતિ વેપારીઓ માટે ભારે મુંઝવતી ખતી છે. કમનસીબે વેચાણુવેરા એ દરેક પ્રદેશની એકાન્ત હકુમતના વિષય છે. પ્રદે શાને મળેલી આ સત્તા તે કેન્દ્રસ્થ સરકારને સોંપવાને તયાર નથી કારણ કે આ સત્તા પ્રાદેશિક રાજ્ય માટે એક પ્રકારની કામધેનુ છે. ધાર્યાં મુજબ નવી નવી ચીજો ઉપર વેચાણુ વેશ નાંખીને તેમજ ચાલુ દરમાં પૈસા, બે પૈસાના કાવે તેમ વધારે કરીને પ્રાદેશિક સરકાર ધારે તેટલાં નાણાં આ કર દ્વારા વસુલ કરી શકે છે. આને લીધે પ્રાદેશિક સરકારા આ વિષયને લગતી પોતાને મળેલી સત્તા છેડવા માંગતી નથી. પણ બીજી બાજુએ આને લીધે અન્તરપ્રાદેશિક વ્યાપાર પરત્વે વ્યાપારીની પાર વિનાની હાલાકી થાય છે, એ તરફ મધ્યસ્થ સરકારે ગંભીરપણે જોવાની જરૂર છે.
આવી વિચિત્ર પરિસ્થિતિનું એક પરિણામ એ આવ્યું છે કે આ કરથી કૅમ છટકવું તે વિચાર તરફ વ્યાપારી ધકેલાય છે. સેલ્સ ટેકસના વહીવટીદારા અને વ્યાપારી વચ્ચે એક પ્રકારનુ દૂ યુધ્ધ ચાલે છે. વેચાણ વેરાના વહીવટદાર મદદરૂપ બનવાને અધ્યે વ્યાપારીએ કયાં ભુલ કરી છે તે શોધીને તેની કનડગત શરૂ કરે છે.