SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રાકે પ્રબુધ્ધ જીવન તા. ૧-૪-૫૪ - . સારું અને નવું એટલું બધું ખરાબ” એમ નથી એવી એમણે ઘોષણા કરી. આગમવાણીને પણું તર્કની સરાણે ચઢાવી. કેવળજ્ઞાનના સ્વરૂપ વિષે તની દૃષ્ટિએ નવો વિચાર કર્યો. મહાવીરના સમયમાં બ્રાહ્મણોએ સંસ્કૃતને પ્રધાન સ્થાન આપેલું અને લોકભાષાને અવ- ગણેલી, ત્યારે મહાવીરે લેકભાષાને આગળ આણી હતી. તે જ લેકભાષા દિવાકરના સમયમાં લોકભાષા નહોતી રહી, છતાંય જૈન સંધ શાસ્ત્રની દ્રષ્ટિએ તેને જ વળગી રહ્યો. સંસ્કૃતને ફરીને ઠીક ઠીક પ્રચાર થયા હતા અને રાજભાષા તરીકે પણ તેને સારું સ્થાન મળેલું. પંડિતમાં જૈન પ્રવચનને પ્રચાર કરવો હોય અને તેને રાજસભા સુધી પહોંચાડવું હોય તે સમગ્ર જૈન પ્રવચનને સંસ્કૃતમાં ઉતારવું જ જોઈએ એવી પરિસ્થિતિ ઉભી થઈ. છતાં તે જમાનાના સ્થિતિચુસ્ત જૈન સંઘે એ વાત ન સ્વીકારી અને જૈન પ્રવચનના પ્રચારને થંભાવી દીધે. દિવાકરજીએ પ્રવચનને સંસ્કૃતમાં ઉતારવાનું બીડું ઝડપ્યું, પણ સંઘે તેમને સંઘ બહાર કર્યા, આકરી સજા કરી અને એમના પ્રયત્નને છિન્ન ભિન્ન કરી નાંખ્યું. પરિણામે એ તેજસ્વી પુરૂષની પ્રતિભા દબાઈ ગઈ. પણ પ્રવચનને સંસ્કૃતમાં ઉતારવાની પરિસ્થિતિ તે ચાલુ જ રહી હતી. જે કામ કરવાના માત્ર વિચાર માટે સિદ્ધસેનને સંઘે સજા કરી, તે જ કામ તેમના નાના ભાઇઓ શીલાંક અને અભયદેવે કર્યું. સંધે તેમની પ્રવૃત્તિને વધાવી લીધી. એ કમનસીબી છે કે આગળથી આપણે ભવિષ્યને ખ્યાલ કરી શકતા નથી અને હમેશા આપણે પશ્ચાતું બુદ્ધિવાળા રહ્યા છીએ. સિદ્ધસેનની પ્રતિભા તેમની કૃતિઓ-સન્મતિત તથા બત્રીશ બત્રી- શીઓ વગેરેમાં ઝળકી રહી છે. પણ તે સમયમાં કોઈ નર એ ન, થયું કે જે બત્રીશીઓ ઉપર વિવેચન લખે. આ રીતે ક્રાંતિ દબાતી દબાતી પણ અટકી નથી. ભગવાન ઋષભદેવથી શરૂ થયેલી ક્રાંતિ વચ્ચે વચ્ચે દબાતી દંબાતી પણ સિદ્ધસેન સુધી તે આવી જ પહોંચી. સિદ્ધસેન વિક્રમ રાજાના સમસમયી હતા એમ કહેવાય છે. તે પછી લગભગ આઠ સૈકાઓ વીતી ગયા. તે ગાળામાં શ્રમણુસંધનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું. કહેવાતા નિર્ચ થે આ વખતે ચૈત્યમાં અને મોમાં રહેવા લાગ્યા. મૂર્તિની પૂજાને તેમણે ધંધાનું રૂપ આપ્યું. ચૈત્યમાં આવતા ધન વડે મનમાની મજા માણવા માંડી. જોતિષશાસ્ત્રનું જોર વધવા લાગ્યું. ભકતેને માથે વિભૂતિઓ નખાવા લાગી, સારાં ભેજન મેળવવા ખુશામત કરાવા લાગી, અને તત્વને બતાવનારૂં લગભગ કાઈ જ ન રહ્યું. પગમાં પગરખા પહેરાવા લાગ્યા. ધાતુપાત્ર અને વાહન વગેરેને પણ ઉપયોગ થવા લાગ્યું. પોતે ભ્રષ્ટાચારી છતાં બીજાને પ્રાયશ્ચિત અપાવા લાગ્યા. શ્રાવકો સમક્ષ પૈસા લઈ અંગસૂત્રાદિ વંચાવા લાગ્યા. ધર્મને નામે સ્ત્રીઓ સાથે પ્રસંગ વધુ પડતો થવા લાગ્યું. હીનાચારી ગુરૂઓના સ્તૂપ અને ચૈત્ય સ્મારક રૂપે રચાવા લાગ્યાં. બરાબર આવા કપરા સમયે આચાર્ય હરિભદ્ર જેવા ધર્મવીર પુરૂષ ઝળકી ઉઠયા. તેમણે ફરી પાછી નિ ના આચારની સ્થાપના કરી અને લોકેને તેની સમજ આપી. એમણે નિગ્રંથના નામને લજવનારા સાધુઓની ઝાટકણી કાઢી. દેવદ્રવ્યને જ્ઞાનની વૃદ્ધિ અને સમગ્ર સંધના કલ્યાણ માટે જવાની ઘેષણા કરી. સંધમાં ક્રાંતિનું વાતાવરણ ફેલાવી દીધું. સાથે સાથે સર્વધર્મ-સમભાવની ભાવના કૅમાં જાગે એ જાતને મહાન પ્રયાસ કર્યો. એમણે ગદષ્ટિ સમુચ્ચય, ગબિંદુ વગેરે વેગના ગ્રંથ સ્વપજ્ઞ વિવેચન સાથે લખી તેમાં જણાવ્યું કે “ધર્મતત્વ બધાજ દર્શનમાં એક સરખું છે, માત્ર કહેવાની શૈલીને ફેર છે. મુમુક્ષ શ્રોતાએ જે શૈલીથી ધર્મતત્વ સમજે એ શૈલીને ધર્મતીર્થકરોએ ઉપયોગ કર્યો છે. મૂઢ લેકેને શૈલીભેદે તત્વભેદ ભાસે છે, મહાવીર હોય, બુદ્ધ હોય, કે કપિલ હોય, તે બધાજ મહાપુરૂષે હતા, સર્વજ્ઞ હતા. બધાએ ભિન્ન ભિન્ન સાધનો દ્વારા નિર્વાણુ માર્ગને જ દેખાડવા પ્રયાસ કર્યો છે. એ પ્રાચીન મહાપુરૂષને કેવળ તર્કો દ્વારા અપવાદ કરે એ મહા પાપકર છે.” એમણે એટલે સુધી કડી નાંખ્યું કે તે તે મહાપુરૂષના વચનનું ખંડન કરવા કરતાં પોતાની જીભને જ ઉચ્છેદ કરે બહેતર છે.” આપણું અજ્ઞાન, મેહ, જડતા રૂપી રોગ એક જ છે, તેને દૂર કરવા તે તે મહાપુરૂષોએ અનેક પ્રકારના ઔષધ બતાવેલા છે. જે તરફ આપણું અભિરૂચી થાય, તેને ઉપયોગ કરે, પણ કયું ઔષધ ખરું અને કહ્યું બેટું તેની માથાફેડ કે વાદવિવાદમાં પડવું તે આત્મઘાતી છે. જે ધર્મ જન્મથી પ્રાપ્ત છે તેને બરાબર શુદ્ધ પ્રાગદ્વારા અજમાવેશમાં મૂકવે એ જ એક ચિત્તશુદ્ધિને રામબાણ ઇલાજ છે. ધારો કે તમને જન્મથી બુદ્ધ ધર્મના સંસ્કાર છે તે તમારા આત્મવકાસ માટે તે સંસ્કારને નિર્મળ કરે અને તે ધર્મપ્રક્રિયાને બરાબર અક્ષરશઃ અમલમાં મૂકે તે જરૂર તમે નિર્વાણુના સાધક બનવાના જ, એ જ રીતે જે કપિલ મહર્ષિના કે મહાવીરના જન્મથી સંસ્કાર હોય તે તે તેમની ધર્મપ્રક્રિયા અને વિધિએને અક્ષરશઃ અમલમાં મૂકવા લાગો તે તેમાંથી પણ તમને શાંતિનો માર્ગ જ મળશે. પરંતુ આપણે આપણી ધર્મવિધિઓને પૂરી રીતે સમજતા નથી. શુદ્ધ પ્રવૃતિ વિના ગાડરીઆ પ્રવાહે અનુસરવાથી કોઈ દહાડો આપણે ઉચે આવવાના નથી. ધાંચીના બળદની પેઠે હજાર ગાઉ ચાલ્યા છતાં જ્યાંના ત્યાં રહીએ છીએ. હરિભદે કહ્યું છે કે “ધર્માભિમુખ વ્યકિતમાં સૌથી પ્રથમ ભૂમિકા ન્યાયવૃત્તિની હોવી જ ઘટે. એ વગરની તમામ ધર્મવિધિઓ મુડદાને શણગારવા જેવી છે.” જ્યાં તટસ્થવૃત્તિ નથી, કદાગ્રહને ત્યાગ નથી, ગુણીજને ઉપર સદ્ભાવ . નથી અને માત્ર વેશ, બાહ્યાડંબર, અને ટીલા ટપકાને જ પ્રાધાન્ય છે તે સ્થિતિમાં ધર્મવિધિઓ કાતિલ ઝેરનું કામ કરે છે. તલવારને પકડતાં ન આવડે તે પિતાને જ કઈ દિવસ બાત થાય તેમ ધર્મ વિધિઓનું રહસ્ય બરાબર પકડતાં ન આવડે તે શુદ્ધ જીવનને નાશ થાય, એટલું જ નહિ પણ ભ્રષ્ટજીવન પણ શુદ્ધજીવન માનવા લાગી જવાય. આ બધી હકીકતની ભારપૂર્વક ઉષણા કરવી તે હરિભદ્રના સમયના કદાગ્રહી લોકો માટે ભારે ક્રાંતિકર પલું હતું. કે જેને મિથ્યાદર્શન કહે છે તે તમામના સમૂહરૂપ જિનવચન છે” આ તેમનું વચન સન્મતતર્કના પ્રાંતભાગે સૌ કોઈ વાંચી અને વિચારી શકે છે. ક્રાંતિને અર્થ કોઈ બનાવટી આચરણું કે બનાવટી પ્રક્રિયા નથી. જે જે આચાર વિચારોની શુદ્ધિ કરવા જેવું લાગે તેને સંશોધિત કરી જીવનમાં અનુભવી નિભકપણે આમજનતા પાસે રજુ કરવા તેનું જ નામ ક્રાંતિ છે. ભગવાન મહાવીર પછીના ક્રાંતિકારોએ પોતાની મર્યાદા જૈન સંધ પૂરતી રાખી તે જ દિશામાં ક્રાંતિના પગલાં ભર્યા. તેમાં આચાર્ય હરિભનું સ્થાન મોખરે છે. એમના પછી સંતકવર આનંદધનજી આવે છે. તેઓ પણ સિદ્ધસેન દિવાકર અને આચાર્ય હરિભદ્રના જેવા અસાધારણ ક્રાંતિકાર થયેલા છે. તેમના વચનમાં મધ્યસ્થવૃત્તિ, સાઠાનું મર્મગ્રાહી ચિંતન અને જડ ક્રિયાઓની ઝાટકણી આપણને વાંચવા મળે છે. એમના જીવનને પૂરેપૂરો ઇતિહાસ હજી સુધી જ નથી. છતાં જે કંઈ હકીકત એમના વિષે સંભળાય છે તેમાં તેમની પ્રતિસ્ત્રોતગામી વૃત્તિને પડઘો બરાબર પડે છે. એમ કહેવાય છે કે એક ગામમાં એવી પ્રથા હતી કે નગરશેઠ આવી ગયા પછી જ વ્યાખ્યાન વાંચવાની શરૂઆત થઈ શકે. એક વખતે શેઠને આવતા બહુ વાર થઈ. આ સંત પુરૂષે જોયું હતું કે શેઠમાં નથી વ્યાખ્યાનશ્રવણની જિજ્ઞાસાવૃત્તિ કે નથી મુર્મુક્ષુ ભાવના, માત્ર પિતાની મેટાઈ અને સત્તાનું ઘમંડ બતાવવા તેઓ ઉપાશ્રયે આવે છે. એમની રાહ જોવી તે શેડના અહંભાવને પોષવા સમાન અને અન્ય જિજ્ઞાસુઓને અનાદર કરાવા મળે છે ,
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy