________________
'
**-
૧૫૮
પ્રબુધ્ધ જીવન
તા. ૧-૧-૫૪
=
=
=
=
=
-
-
-
-
-
-
-
* . પ્રશ્નોત્તર વિભાગ
જે આપણા ચાલુ જીવનને લગતી અનેક એવી બાબતે છે કે જેને લગતી ગડમથલ આપણા મનમાં ચાલી રહેલી હેય છે અને જેનો સ્પષ્ટ ઉકેલ આપણને સહજ પ્રાપ્ત થતા નથી. અન્યની વિચારણા સાથે અમારી વિચારણા મેળવવી અને ધાર્મિક, નૈતિક કે સામાજિક કોઈ પણ પ્રશ્ન થી સમસ્યા હોય તેમાં ઉકેલ શોધવામાં ઉપયોગી થવું અને શકયતા મુજબ કાંઈક માર્ગદર્શક બનવું એ હેતુથી પ્રબુદ્ધ જીવનમાં હવે પછીથી પ્રશ્નોત્તર વિભાગ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. અમને અમારા જ્ઞાન અને સમજણની મર્યાદાનું પુરે પુરું ભાન છે. અન્યને માર્ગદર્શક બનવાને દાવ આગળ ધર એ પણ એક પ્રકારની ધૃષ્ટતા જેવું લાગે છે. આમ છતાં પ્રબુદ્ધ જીવનની કોટિના સામયિકોના સંચાલને પાછળ પિતપતાના મર્યાદિત સંગમાં અન્યને કોઈ ને કોઈ માર્ગદર્શન આપવાની વૃત્તિ જ કામ કરતી હોય છે. આ માર્ગદર્શન મોટા ભાગે અન્યના મનમાં ઘોળાતી બાબતને સ્પષ્ટ રૂપ આપવાનું અને વાચકોને કોઈ ચોકકસ નિર્ણય પર લઈ જવા પુરતું જ હોય છે. પ્રબુદ્ધ જીવનમાં પ્રકીર્ણ નેધ” આ ઉદ્દેશથી જ લખાય છે. હવે શરૂ કરવા ધારેલ પ્રશ્ન-તર વિભાગ પણ આ ઉદ્દેશને પહોંચી વળવામાં વધારે પૂરક બનશે એમ સમજીને જ શરૂ કરવા ધારેલ છે.
અહિં એ પણ જાહેર કરવું જોઈએ કે પ્રશ્નોત્તર વિભાગની જવાબદારીને પહોંચી વળવામાં પ્રબુદ્ધ જીવનના વિકાસમાં રસ ધરાવતા કાકાસાહેબ કાલેલકર, પંડિત સુખલાલજી, શ્રી રામનારાયણ વિ. પાઠક, ભાઈ ઉમાશંકર જોશી, પંડિત બેચરદાસ જીવરાજ દોશી, શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારી, ભાઈ વાડીલાલ ડગલી વગેરે કેટલાક મિત્રોએ પિતાથી બનતે સહકાર આપવા કબુલ્યું છે. જે પ્રશ્નને તંત્રી તરફથી જવાબ આપવામાં આવશે તે જવાબ નીચે તંત્રીની સહી હશે અને અન્ય તરફથી મેળવાયેલા જવાબ ઉપર તે તે વ્યકિતની સહી હશે. આવેલા પ્રશ્નોમાં જ્યાં જ્યાં સ્પષ્ટતા નહિં હોય ત્યાં ત્યાં તે પ્રશ્નને ભાષા થા લખાણની દૃષ્ટિએ સરખા કરવામાં આવશે.
લગ્નમંગળઃ આશીબેચન (તા. ૯-૧૨-પ૩ બુધવારના રોજ ઉજવાયલા બહેન ગીતાના લગ્નપ્રસંગે કવિમિત્ર તરફથી પ્રાપ્ત થયેલાં કેટલાંક મંગળકાવ્ય) વસી જ્યહાં સૌ ઉરની અભીપ્રાસિધ્ધિ, જ્યહાં સૌ રસની વસી મુદા, ડગે ડગે જીવન માંડતા જ તાં, હે આત્મ, તારી ગતિ ત્યાં સદા હો !
ત્યાં તું જજે જ્યાં તુજને મળી રહે તૃષા છિપાવંત છત્યંત આસ ત્યાં તું જજે જ્યાં તુજને રહે
હૈયું ભરી હે ત મ હા રસ - કે, તને ત્યહિં સૌ તિમિરે વિ દોરતી જતિ તણાં દર્શન રમ્ય લાજે, . ને જીવને સર્જતી ભવ્ય શક્તિને પ્રસાદ તારે ઘટ પૂર્ણ પૂરજો.
નાનું અહે આ ઝરણું કલેલતું એના મહા સાગરમાં પુગી જજો!
સુન્દરમ્ સંસારને જટિલ પંથ હો નિયંતા ભગે વરેણ્ય સવિતા, શ્રુતિ સાર ગીતા
સાયુજ્ય તે પુરુષ પ્રકૃતિકે પૂર્ણ જેનાથી સૃષ્ટિ, સ્થિતિ ને લયની લલામ . લીલા રહે વિલસતી બહુ વર્ણ: એમ
આનંદને પ્રભવજો તવ યજ્ઞ-કર્મ. થાતું સમર્પણ નિજત્વનું અન્યમાંહિ, ભૂમાની શક્તિ પ્રગટે ત્યહિં શૂન્ય દેશે.
જ્યાં નેત્ર વત્સલ બને ત્યહિં વિશ્વ લાગે નાના કિશાર સમ:- હે તવ એવી ભકિત,
વાણીની મુકિત લહી છંદથી યુકત મંત્રે, ને સૌ વિવર્તનની દદગત દૃષ્ટિ મુક્ત. ને સર્વના મિલનમાંહિ નિસંગ શાન્ત;
હાજે વિરાગમય જ્ઞાનથી આયુ પ્રારા, બે નેત્રમાં દર્શન એક સેહતું; બે કર્ણ ઝીલે પણ શબ્દ એક જ. તમેય બે ભિન્ન પરંતુ માણુ આનંદથી એક સમસ્ત જીવન.
- રાજેન્દ્ર શાહ જેવું કઈ મહાન સર્જકતણા ચિત્ર ન પીછાય કે રેખા સુન્દર છે સ્વયં? વિકસતી વા રંગથી? કે રહ્યો રેખા એ થકી ભી રંગ? ત્યમ આ અન્યનાં ભૂષણ જેવાં નિત ભજે વરવધ દાંપત્ય સાચું લહે!
સ્નેહરશ્મિ હાની શી કીકીઓ બહેની ! ઝીલે જેમ અનન્તને, એ અનન્ત સંસાર, નેણાં માંહિ ઝિલે તમે!
હિ...અંજારિયા,
જે કોઈ પ્રશ્ન અમને બેહુદા જેવા કે સાવ અસંગત લાગશે તે વિષે ચર્ચા કરવામાં નહિ આવે. વળી અમને આ નવી પ્રવૃત્તિમાં જે ચિન્તનશીલ વિદ્વાનોએ સહકાર આપવાનું કબુલ્યું છે તેમાંની કોઈ એક ખાસ વ્યકિતને ઉદ્દેશીને કોઈ પ્રક્ષકાર પિતાને પ્રશ્ન મેકલશે તે પ્રશ્ન તે વ્યકિત ઉપર મેકલી આપવામાં આવશે. સામાજિક તેમ જ ધાર્મિક બાબતે સંબંધે કાયદાની ગુંચ ઉકેલી આપવાને પણ પ્રયત્ન કરવામાં આવશે.
જે પ્રશ્નનો જવાબ આપવાનું કામ અમારી તાકાત બહારનું લાગશે તે વિષે મૌન ધારણ કરવામાં આવશે. સામાન્ય રીતે પ્રશ્નકારના નામનો ઉલ્લેખ કરવામાં નહિ આવે. બનાવટી પ્રશ્નો ઉભા કરવામાં આવે અને તેના તંત્રી તરફથી જવાબ આપવામાં આવે એવી પ્રથા કઈ કઈ સ્થળે જોવામાં આવે છે. પ્રસ્તુત પ્રશ્નોતર વિભાગ ચલાવવામાં આવી પ્રથાનું કદિ પણ અવલંબન લેવામાં નહિ આવે. પ્રબુધ્ધ જીવનના વાંચકે સાથે વધારે જીવન્ત સંપર્ક સાધવે અને આજની અનેક ઘુએ ઉકેલવામાં એકમેકને ઉપકારક બનવું એ આ પ્રશ્નોત્તર વિભાગ શરૂ કરવાનું મુખ્ય આશય છે.
તંત્રી, પ્રબુદ્ધ જીવન