SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૫૪ પ્રબુદ્ધ અન હરિજનપત્રા અને વિનોબા ભાવે તા. ૨૭-૨-૫૪ ના હરિજનબંધુ ઉપરથી માલુમ પડે છે કે ઇ. સ. ૧૯૫૩ ના વર્ષાન્તે નવજીવન ટ્રસ્ટને હરિજન પત્રા ચલાવવા પાછળ લગભગ રૂા.૨૫૦૦૦ ની ખેાટ આવી છે. આજથી ત્રણ વર્ષ પહેલાં ૧૯૫૧માં આ પત્રાની ધરાકી ૯૦૦૦ જેટલી ટી ગઇ હતી અને તેના પરિણામે નવજીવન સંસ્થાના ટ્રસ્ટીએ આ પત્રો બંધ કરવાનો નિર્ણય કર્યો હતા, પણ તે વખતના હરિજન પત્રાના તંત્રી સ્વ, કિશારલાલભાઈએ અપીલ કરી હતી અને કેટલાએક મિત્રએ ઘરાક મેળવવા કમર કસીને એ સખ્યા ૧૮,૦૦ સુધી પહોંચાડી હતી. ત્યાર બાદ થોડા સમયમાં શ્રી કિશોરલાલભાઇનું અવસાન થયું અને ગ્રાહક સખ્યાનો વધારે પાછા સરવા લાગ્યા, અને ૧૯૫૪ ની શરૂઆતમાં તા કુલ ધરાકી પાછી ૧૧૨૦૯ સુધી ઊતરી ગઇ છે એમ નવજીવન સંસ્થાના ટ્રસ્ટીએ જણાવે છે. અથવા સ્વ. કિશોરલાલભાઇના સમયમાં રૂ. ૨૫,૦૦૦ એથી ઓછી ખાટે પશુ નવજીવનના ટ્રસ્ટીઓએ હરિજનપત્રા બંધ કરવાના નિય કર્યા હતા. આજે પાછી એ જ સ્થિતિ ઉપર આવવા છતાં નવજીવનના ટ્રસ્ટીઓએ હરિઝનપત્રો ચાલુ રાખવાના નિર્ણય કર્યો છે. આ કાંઈંક સૂચક હોવા છતાં એની મીમાંસામાં આપણે ન ઉતરીએ. ગાંધીજીનાં આ પત્રા કોઇ પણ રીતે ચાલુ રહેવાં જ જોઇએ એવા સૌ કોઈના દિલમાં આગ્રહ છે અને એ આગ્રહને ખ્યાલમાં રાખીને નવજીવન સંસ્થાના ટ્રસ્ટીઓએ પત્રો ચાલુ રાખવા નિÖય કર્યો છે. એ જરૂર આવકારદાયક છે. પણ હકીકત એમ છે કે હરિજનપત્રની ધટતી જતી ગ્રાહક સંખ્યાનું કારણ તેની ધટતી જતી પ્રતિભા છે. આ પ્રતિભા પુનઃ પ્રસ્થાપિત કરી શકાય તો જ ગ્રાહકસખ્યા વધે; અને ગ્રાહકસંખ્યા ૧૮,૦૦૦ સુધી પહેાંચે તે પછી પત્રા ચક્ષ:વતાં ખેાટ આવવાનું કાષ્ટ કારણ ન રહે. સ્વ. કિશારલાલભાઇના અવસાન બાદ શ્રી. મગનભાઇ દેસાઇ એ પત્રાના તંત્રીપદે આવ્યા છે અને તે પૂરી જહેમત ઉઠાવીને એ પત્રાનું સંપાદન કરી રહ્યા છે એમાં કોઈ શક નથી. શ્રી મગનભાઈ એક જૂના રાષ્ટ્રસેવક છે, ગાંધીજીના અન્તવાસી છે અને સારા વિચારક તેમ જ લેખક છે, પણુ હરિજનપત્રને પોતાનું પૂસ્થાન પ્રાપ્ત કરાવવા માટે આટલું પૂરતું નથી. કિશોરલાલભાઇ જેવી વ્યકિત-મગનભાઇ કરતાં વધારે શકિતશાળી અને મૌલિક વિચારશકિત ધરાવતી વ્યકિત—ના તંત્રીપણા નીચે પણુ હરિજનપાની ગ્રાહકસખ્યા ઉત્તરોત્તર ઘટતી રહી હતી એ આપણે જાણીએ છીએ, જાહેર ખબર ન લેવાની ટેક સાથે દેશના પશ્નો ઉપર ગંભીર વિચારણા રજૂ કરતું આવું પત્ર આજના યુગમાં સ્વાશ્રયી બનાવવું લગભગ અશકય છે. કાં તે તેને બહારની મદદથી ટકાવવું જોઈએ; અથવા તે એ પાના તંત્રીપદ ઉપર ગાંધીજીની સમાન ક્ક્ષાની કોઇ વ્યકિતને સ્થાપિત કરવો જોઇએ. જ્યાં ખાટનું પ્રમાણ આટલું મેટું હોય ત્યાં બહારની મદદ ઉપર આવાં પત્રા લાંખો સમય ટકાવી નહિ શકાય. તે પછી ખીજો વિકલ્પ પૂરો પાડવા આજે શક્ય છે કે નહિ તેને વિચાર કરવા ઘટે છે. આ વિચાર આપણી દૃષ્ટિને વિનોબા ભાવે તરફ લઈ જાય છે. ગાંધીજીના આજે કાઇ સાચા વારસદાર હોય તે તે શ્રી વિનોબાભાવે છે. આઝાદીની પ્રાપ્તિ બાદ હિંદની ગરીબાઇ ટાળવાને, જર અને જમીનની સમાનતાના કાઇ ધારણ ઉપર વહેંચણી કરવાનો પ્રશ્ન આપણી સામે ઊભેલે જ હતો. આ પ્રશ્નને ભૂમિદાન દ્વારા તેમ જ સંપતિદાન દ્વારા કોઇ શય તેમ જ વ્યવહારૂ ઉકેલ શોધવા વિનેબાજી મથી રહ્યા છે. આજના તે એક અપ્રતિમ યુગપુરૂષ છે, દેશની કાયાપલટ કરવાના તેમને મનાય છે. સરકાર તેમ જ પ્રજા ઉભયના તે સુમાન્ય અને આદરપાત્ર મહાપુરૂષ છે. તેમનાં લખાણા તેમ જ સભાષા આજે પ્રજાશરીરમાં એક સ ંજીવનીનુ કાર્ય કરી રહેલ છે. તે પાંતાના વિચરાના પ્રચાર અર્થે માસિકા તેમ જ સાપ્તાહિ ૧૯૫ ચલાવે છે. આજના તે એક દૃષ્ટ છે, તેમની વાણી યુગને ઘડી રહી છે. આવા લેાાત્તર પુરૂષને નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ હરિજનપત્રનું સંપાદન કરવા વિનંતિ કરવી ઘટે છે. તે જો આ જવાબદારી સ્વીકારે અને ગાંધીવિચારસરણીના એક મહાન પુરસ્ક તરીકે તેમણે આ જવાબદારી ઉપાડવી જ જોઇએ-તે હરિજનપત્રાને ઉંચે લાવવામાં, તેની ગ્રાહકસખ્યા વધારવામાં કશી મુશ્કેલી નહિં આવે, એટલું જ નહિ પણુ પૂર્વકાળના નવવન અને યંગ ઈન્ડીઆમાંથી જેમ નવજીવન સંસ્થા જન્મી તેવી રીતે ૨૧ લાખના દેવામાં ડુબેલી આ સંસ્થાને પણ ધીમે ધીમે જરૂર દેવામુકત કરી શકાશે એવી આશાને કાઇ વધારે પડતી નહિ લેખે. આ હૅરિજનપત્રાના મેખરે વિનોબાજી જેવી વ્યકિત હોવી જોઇએ તેવુ એક ખીજું પણ કારણ છે. એક વખત કોંગ્રેસ દેશમાં પ્રસ્થાપિત સરકાર સામે લડનારી સંસ્થા હતી. પછી કોંગ્રેસના હાથમાં સમસ્ત હિંદુ સરકારી સૂત્ર આવ્યું. એ સમય દરમિયાન ગાંધીજી, હસ્તક ચાલતાં હરિજનપત્રાની એ વિશેષતા હતી કે કોંગ્રેસ અથવા તે તેનુ વહિવટીતંત્ર કાઇ પણ ગંભીર ભૂલ કરે તે આ પત્રો' તરત જ જવાબદાર વ્યકિતઓનુ સચોટપણે ધ્યાન ખેચતાં હતાં અને દિકર્દિ જરૂર જણુાયે ઘણી સખત ટીકા પણ કરતાં હતાં ગાંધીજી તેમ જ તેમના હાથે સંચાલિત પૉ કૉંગ્રેસનાં મિત્ર હતાં અને એમ છતાં એ મિત્રભાવ જરૂર પડયે સ્પષ્ટ અને નીડર કથનની આડે આવતા નહાતા, કારણકે તેમને મન કૉંગ્રેસ કરતાં પણ દેશ માટા હતા. આ જ પરંપરા કિશોરલાલભાઇએ જાળવી રાખી હતી અને તેથી જ તેમણે ઘણી વખત ગઇ કાલના સાથી અને આજના સત્તાધીશ મિત્રાની લાગણી દુભવી હતી. સત્યનિષ્ટ વ્યકિત માટે. આ અનિવાર્ય હતું. કિશારલાલભાઈના જવા પછી આ પરંપરા એ સ્વરૂપે જળવાઇ નથી, હરિજનપત્રા, કૉંગ્રેસ અને કોંગ્રેસ સરકાર લગભગ એક જ વિચારશ્રેણી ઉપર ચાલતાં લાગે છે. પરિણામે ગાંધીજીના સમયમાં હરિજનપત્ર આ કે તે બાબતમાં શુ કહેરો એ જાણવાની લોકોના દિલમાં ભારે ઈંતેજારી રહેતી હતી અને હિરજનને દરેક અંક પ્રજાજીવનના એક યા ખીજા અંગ માટે ચાકકસ ઘડતરનું કામ કરતા હતા, અને એ કંતેજારી અને ઘડતર કિશોરલાલભાઇના સમયમાં પણ કેટલાક અંશે જળવાઇ રહ્યાં હતાં. આજે ખાસ કરીને આ અંતેજારી જોવામાં આવતી નથી, પરિણામે હરિજનપત્રા લો હાંશથી ખરીદતા નથી, રિજનપત્રાના મેખરે એવા જ પુષ જોઇએ કે જેનુ વ્યકિતત્વ અસાધારણ પ્રભુત્વ ધરાવતું હોય, જે યુગના પ્રજાપતિ હોય, જે સાચું લાગે તે કાંગ્રેસને પણ સંભળાવે, અન્ય પક્ષાને પણ કહે અને પ્રજાનેા પણ કાન ખેંચતા રહે. આ દૃષ્ટિએ હરિજનપત્રાના સંપાદન માટે વિનોબાજી અત્યન્ત સુયોગ્ય અને અજોડ વ્યકિત છે. આા સબંધમાં એમત હાવા સભવ નથી. આ સુચના ઉપર જવાબદાર વ્યકિત લક્ષ્ય આપશે કે કેમ તે એક પ્રશ્ન છે. સંભવ છે કે વિનોબાજીને આ રીતે સ્વીકારવામાં તેમને કંઇ કંઇ પ્રકારની મુશ્કેલી હેય. પણ હરિજનપત્રા એ માત્ર નવજીવન ટ્રસ્ટની જ ચિંતાને વિષય નથી. એ પત્રાએ પૂત્ર ઇતિહાસના બળે પ્રજાના દિલમાં એક એવુ સ્થાન પ્રાપ્ત કર્યું છે કે એ પત્રના મોખરે કોણ હાય અને કાળુ ન હેાય એ વિચારવાના તથા કહેવાના અને એ મુજાનું જવાબદાર વ્યકિત ઉપર દબાણ લાવવાને દરેક પ્રજાજનને અધિકાર છે. આવા એક પ્રજાજન તરીકે આ મારા વિચાર રજુ કરૂ છું અને નવજીવન સંસ્થાના ટ્રસ્ટીઓને આ ખાબત ગંભીરપણે વિચારવા વિનંતિ કરૂ છું. બીજી રીતે હરિજનપત્રાને લાંખે। વખત ટકાવવા કે ચલાવવાના પ્રયત્નો મિથ્યા છે, પરમાનંદ
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy