________________
૧૯૪.
પ્રબુધ્ધ જીવન
તા
૧-૩-૫૪
'
આવી રીતે અમે ઉભય વચ્ચે મહોબત અને પરસ્પર સમજુતી વધતી જ રહી છે. આ રીતે પિતાની આગાહી છેટી પડવા બલ્લ આપણા તે સન્મિત્રે પણ આનંદ માનવો ધટે છે. સંધની કાર્યવાહક સમિતિએ આગામી ભાદરવા-આ માસ દરમિયાન રજત મહોત્સવ ઉજવવાનું નકકી કર્યું છે તે એ રજત મહોત્સવનાં મેખરે શ્રી ભુજપુરીઆ જ હોય એમ હું ઇચ્છું છું.
આગામી રજત મહોત્સવ અંગે મારે એ કહેવાનું છે કે રજત- જયંતિ ઉજવવી કે નહિ એ પ્રશ્ન ઉપર વિચાર કરવા માટે અમે કાર્યવાહક સમિતિના સભ્ય બબ્બે વાર મળ્યા છીએ અને લાંબી ચર્ચાના પરિણામે તે ઉજવવાનો નિર્ણય લીધો છે. હવે એ નિર્ણય લેવા છે તે તેને સફળતાપૂર્વક પાર પાડવે એ આ પણ સર્વની એક અનિવાર્ય ફરજ થઈ પડે છે. આ કાર્ય કર્યું એક, બે કે ત્રણે વ્યકિતનું નથી; પણ સર્વ સભ્યના હાર્દિક સહકાર દ્વારા જ સફળ થઈ શકે તેવું છે, તે આપ સભ્યોને આ બાબતમાં કટિબધ્ધ થવા માટે આપને અનુરોધ છે,
મારે કબુલ કરવું જોઈએ કે આપણા સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી મણિભાઈ જેવી આ સંસ્થા વિષે મેં નિષ્ઠા અનુભવી નથી, તેમને મન યુવક સંધ રાતદિવસની ચિન્તાને વિષય હતું. તેમના જીવનનું તે એક અપરિહાર્ય અંગ હતું. મારા માટે એમ હતું એમ હું કહી શકું નહિ સંગોએ ઝવેરીબજાર મારૂં વ્યવસાયક્ષેત્ર બનાવ્યું . અને એ ક્ષેત્ર સાથે મારા જીવનને અગત્યનો ભાગ સંકળાઈ રહ્યો.. મુંબઈ જૈન યુવક સંઘમાં હું પ્રારંભથી જોડાયેલા અને મારા વ્યવસાયક્ષેત્રની નજીકમાં જ તે સંસ્થાનું કાર્યાલય હોઈને તેની સાથેનું મારું જોડાણ પણ કાયમી બન્યું અને મારા જાહેર જીવનનું તે એક મુખ્ય કાર્યક્ષેત્ર બનતું રહ્યું. આજે તે તે જ મારું અનન્ય કાર્યક્ષેત્ર જાણે ન હોય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. '
આ સંધ સ્થિતિચુસ્ત સમાજ સાથેના સ્વતંત્ર વિચારના જૈન યુવકેના સંઘર્ષમાંથી પેદા થયું છે. આ સંધમાં સમયાન્તરે કંઈ . કંઇ ફેરફાર થયા હશે પણ એ પાયાની સંઘર્ષવૃત્તિ તેણે કદી છેડી નથી. સંધની કાર્યશકિત મર્યાદિત હશે, વળી કાયં પરિણામ પણ વિપુલ છે એમ આપણે કહી નહિ શકીએ, પણ પિતાની ‘મૂળ નાતિને તે અખંડપણે વળગી રહેલ છે. તેનું મુખપત્રપ્રબુધ્ધ જૈન યા જીવન–અને વર્ષોથી ચાલતી પર્યુષણ વ્યાખ્યાનમાળાઆ તેની મુખ્ય પ્રવૃત્તિઓ સમાજમાં વિચારપરિવર્તન સાધવાના ધ્યેયને વફાદાર રહીને એકસરખી વિકસતી રહી છે. તેણે કદિ કઈ સાથે વિચાર કે વર્તનની અણઘટતી બાંધછોડ કરી નથી, અને કેઈની ધાકધમકીને તે કદિ વશ થયેલ નથી. એક સંપ્રદાયની છતાં સંપ્રદાયવૃત્તિથી સદા અસ્કૃષ્ટ એવી આ સંસ્થા સાથે સરખાવી શકાય એવી ભાગ્યે જ બીજી કઈ કેમી સંસ્થા આપના જોવામાં આવશે. નાને પણ રાયને દાણો એવી આ સંસ્થાની પ્રતિષ્ઠા અને નામના છે. આપણા સંધનું આ ગૌરવ ધ્યાનમાં લઇને તેને રજત મહોત્સવ તેની ચાલુ પરંપરાને શોભે એ રીતે ઉજવવાને આપ સર્વ યુકત થાઓ એવી મારી પ્રાર્થના છે.
આપ જાણે છે કે માનવી કરતાં સંસ્થાનું આયુષ્ય સાધારણ રીતે ઘણું નાનું હોય છે. આ રીતે માનવીની ૭૫ વરસની ઉમ્મર અને સંસ્થાની ૨૫ વરસની સરખાં ગણાવા જોઈએ. આમ છતાં માનવી ૭૫ વર્ષની ઉમ્મરે વૃધ્ધ ગણાય છે જ્યારે સક્રિયતાને વરેલી સંસ્થાને ઉમ્મરનું વાર્ધક્ય કદિ લાગતું નથી. કાર્યવાહીની સતત થતી રહેતી ચૂંટણીઓ દ્વારા તેમાં કાળક્રમે નવા નવા માણસની ભરતી થતી રહે છે. સમયાન્તરે મન્દ અને શિથિલ દેખાતી સંસ્થા નવી કાર્યશકિતના આગમન સાથે-શિશિરમાં લગભગ પણ શૂન્ય દેખાતી વનથી વસન્તના આગમન સાથે જેમ નવી શોભા અને
ચેતના ધારણ કરે છે તેમ-પુનઃ નવયૌવન-નવી કાર્યશકિત-પ્રગટ કરે છે. આ સંસ્થાના આત્મારૂપ મણિભાઈ ગયા. મારી જેવા પિતાને યુવક લેખાવે તે પણ ઉમ્મરની અસરથી મુકત રહી શકતા નથી, એ પણ કબુલ કરવું જ રહ્યું. એક બાજુએ આમ છે તે બીજી બાજુએ આપણને નવા કાર્યકર્તા તરીકે એક ભુજપુરી મળ્યા છે. જે આપણે આપણા સંઘને ચેતનવન્ત રાખવો હોય તે આવા જ બીજા એ ત્રણ નવા શકિતશાળી અને સંસ્કારસંપન્ન કાર્યકર્તાઓની પુરવણી થવાની ખાસ આવશ્યકતા છે. આપણે આશા રાખીએ કે આપણા સંધને થડા સમય બાદ ઉજવવામાં આવનાર રજતમહોત્સવ આપણા માટે અનેક નવા સમાગમના સુયોગ પેદા કરશે અને તેમાંથી મુંબઈ જૈન યુવક સંધની વિચાર૫રં૫રાને ઝીલે અને સંવધત કરે એવી સુયોગ્ય વ્યકિતઓ પણ આ હાથ લાગશે.”
ત્યારબાદ નવા વર્ષ માટેનાં સંધ તેમ જ વાચનાલ્ય-પુસ્તકાલયને લગતા અંદાજપત્ર મંત્રી તરફથી રજુ કરવામાં આવ્યાં હતાં અને સામાન્ય સભા તરફથી તેને બાહલી આપવામાં આવી હતી.
કાર્યવાહક સમિતિની ચૂંટણી ત્યારબાદ સંધના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિની ચૂંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું – શ્રી ખીમજી માંડણ ભુજપુરિયા-પ્રમુખ , લીલાવતીબહેન દેવીદાસ-ઉપપ્રમુખ , ચીમનલાલ પી. શાહ-કેષાધ્યક્ષ , પરમાનંદ કુંવરજી કાપડિયા મંત્રીઓ - ટી. જી. શાહ છે.
રમણિકલાલ મણિલાલ શાહુ-સભ્ય - જસુતીમબહેન મનુભાઈ કાપડિયા ,, , ચીમનલાલ ચકુભાઈ શાહ , રતીલાલ ચીમનલાલ કોઠારી , દીપચંડ ત્રીભવનદાસ શાહ. , કાંતિલાલ ઉમેદચંદ બડિયા , મેનાબહેન નત્તમદાસ શેઠ , વેણુબહેન વિનયચંદ કાપડિયા
નાનચંદભાઈ શામજી , ખીમજી હેમરાજ છેડા , ચંદુલાલ સાંકળચંદ વકીલ , ચંચળબહેન ટી. જી. શાહ ય બચુભાઈ પી. દેશી , જીવરાજ ભાણજી શાહ , શાંતિલાલ દેવજી નંદુ
ત્યારબાદ સંધના તથા વાચનાલય અને પુસ્તકાલયના હીસાબનીશ તરીકે મેસર્સ શાહ મહેતા એન્ડ ચેકસીની નીમણુંક કરવામાં આવી હતી અને અ૯પાહાર બાદ સભા વિસર્જન કરવામાં આવી.
સત્યં શિવ સુન્દરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને થોડા સમયમાં પ્રગટ થનારે લેખસંગ્રહ કિં, ૨, ૩,
મુંબઈ જૈન યુવક સંઘ અને પ્રબુદ્ધ જીવનના ગ્રાહુકેને તા. ૧-૫-૫૪ સુધીમાં રૂ. ૨ માં મળશે. પિસ્ટેજ રૂ. ૦-૬-૦ લ: મંત્રીઓ, શ્રી મુબઈ જૈન યુવક સંઘ'
૪૫૪૭૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩,