SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૩–૫૪ પ્રબુદ્ધ જીવન વાર્ષિક સભા અને ચૂંટણી તા૦ ૨૦-૨-૫૩ શનીવારના રોજ મુબઇ જૈન વાર્ષિક સામાન્ય સભા સધના કાર્યાલયમાં. મળી હતી. શ્રી ખીમજી માંડણુ ભુજપુરીઆ ખીરાજયા હતા. તા॰ ૨૪-૭-૫૫૩ ના રાજ મળેલી બંધારણના સુધારાને લગતી સામાન્ય સભાના અહેવાલ વંચાયા અને માર રહ્યા બાદ સંધના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ વૃત્તાંત વાંચી સંભળાવ્યો હતા તથા સંધના અને શ્રી મ, મો. શાહ સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલયના આવક જાવકના હીસાબ તથા સરવૈયાં (જે આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યાં છે) રજા કરવામાં આવ્યાં હતાં. તે સને સામાન્ય સભા તરફથી મજુરી મળ્યા બાદ સંધના પ્રમુખ શ્રી ખીમજી માંડણુ જ્યુરીઆએ નીચે મુજબ નીવેદન કર્યું હતુ: યુવક સંધની પ્રમુખસ્થાને શરૂઆતમાં પ્રમુખશ્રી ભુજપુરીઆનું નિવેદન મિત્રો, સંધની ગત વર્ષની કાયવાહીને અહેવાલ શ્રી પરમાનભાઈ વાંચી ગયા. આપે જાણ્યુ હશે જ કે સંધે વર્ષ દરમ્યાન વિધવિધ દિશામાં સારા પ્રમાણમાં કાર્ય કર્યું' છે અને આ બધાના યશશ્રી પરમાનંદભાષ્ટના કાર્યો જાય છે. હું તો માનુ થ્રુ અને આશા રાખું છું કે આપ સૌ પણ માનતા હશો સંધ એટલે શ્રી પરમાનંદબા અને શ્રી પરમાનંદભાઇ એટલે સધ. તેઓશ્રી એકસઠ વર્ષની ઉંમરે પણ સંધની કાર્યવાહી સાથે આતપ્રોત રહ્યા છે. ખુખી તે એ છે કે, કામના સધળા ઢસરડા પોતે કરે છે અને તેના યશ, આપ સૌ જાણી શકયા હશે કે, આપણને આપે છે, એ એમની ઉદારતા છે. આપણા સંધમાંથી કેટલાક કાર્ય કર્તા સભ્યો આ વર્ષે છુટા થયા છે. એ છુટા થયા ન હાત તો સારૂં થાત, મેં એમને ખુબ સમ જાવ્યા કે સંધમાંથી છુટા થવાની તમારે કશી જરૂર નથી, શ્રી પરમાંનંદભાઇની કાર્યવાહી કે સ્વભાવ સાથે તમને મેળ ન હાય તા આ ત બંધારણીય સરથા છે. તમે એમને બંધારણીય રીતે ખસેડી શકા છે. પરંતુ છુટા થા એ તમારા માટે સારૂં નથી, આવી પચીસ વની સ્થાપેલી જુની ક્રાંતિકારી સંસ્થા જેવુ પ્લેટફામ તમા ગુમાવા છે. કાય કર્તાઓને કાર્ય કરવા માટે મારૂં માનવું છે કે, સાધન તરીકે પોતાને અનુકુળ એવી કોઇ પણ સ ંસ્થા સાથે સંબંધ હાવા જોઇએ. એ ભાઇને બીજી સંસ્થા સાથે સંબંધ હશે, પરંતુ આ સધ જેવું પ્લેટફોમ ગુમાવવામાં એમણે ભારે ભુલ કરી છે એમ હું ખચિત માનુ છું. મેં એમને ખુબ સમજાવ્યા, પરંતુ કહેતાં દિલગીર છું કે એમણે મારૂં કહ્યું ન માન્યું. ખેર ! AMA આપ જાણી શકયા છે કે સંધે પોતાના પચીશ વર્ષ પુરાં કર્યાં છે. ગઇ કાલની કાર્યવાહક સમિતિની સભામાં અને તેની આગલી સભામાં આપણા સધનો રજતમહાત્સવ ઉજવવા સંબંધે ખૂબ વિચારણા થઇ હતી અને પરિણામે રજતમહાસત્વ ઉજવવા એ નિણૅય પણ લેવાયા છે. આમ કરીએ અને તે સારી રીતે કરીએ તે આપણે પચીસેક હજારની આવક કરી શકીએ. પરંતુ એ બધું આપણે સૌ પૂરો સહકાર આપીએ તેજ થઈ શકે. આપણે કામની વહેંચણી કરી લેવી જોઈશે. એકલા પરમાન દભાઇ કેટલું કરી શકશે ? સંધની કાર્ય વાહક સમિતિની આગળની સભામાં મારા મિત્ર શ્રી કાંતિલાલ ખરોડિયાએ નાટક વિગેરે મનોરંજન કાર્યક્રમના વિભાગની આખી જવાબદારી પાતા માથે લેવા તૈયારી દાખવી હતી. તેમ આપણે સૈા કામ વહેચી લઈએ તો શ્રી. પરમાનંદભાઇ પરના મેજો કાંઇક અશે હળવા થાય, એ તે મારા મુરબ્બી જેવા છે, એમનુ પણુ શરીર પહેલાં જેવું ચાલતુ નથી, જો કે તે ૧૯૩ તા પણ ઢસરડા કરતા રહેવાના જ છે. એ એમના સ્વભાવ છે, તે બદલ આપણે સંતાષ અનુભવીએ છીએ. રજતમહેાત્સવ ઉજવવાને અનુકુળ સમય તે ઉનાળામાં એપ્રીલના અથવા ચેામાસા બાદ આસ મહિનાના ગણાય. એપ્રીલ તો બહુ નજીક હોવાથી આપણે પહેાંચી ન વળીએ. એટલે આમા મહિનામાં જ ઉજવવા એમ નકકી થયું. છે. આપ સૌના સાથ-સહકાર હશે તે આપણા સંધને અને આપને સૌને એપ આપે એવા એ મહેવ આપણે ઉજવી શકીશું, આપ મિત્રોએ મારામાં વિશ્વાસ બતાવી મને ગત વર્ષે પ્રમુખ તરીકે ચૂંટયે, પરંતુ હું દિલગિરી કે સંસ્થાની કેટલીક કાર્ય વાહીમાં હું ભાગ લઈ શકયો નથી, કમનસીબે હું અવારનવાર બીછાના પર હતા અને કેટલોક વખત બહાર ગામ હતા. મેં તા શ્રી પરમાન દભાઇને મને આ જવાબદારીમાંથી મુકત કરવા વિનંતી કરી છે. હું સંધની ક્રાંતિકારી કાર્યવાહીને હ ંમેશાં ચાહતા આવ્યો છું. વર્ષોથી અને સભ્ય છું, પરંતુ સક્રિય ભાગ લઇ શકયા નથી. આપ મિત્રએ મારામાં જે વિશ્વાસ દાખવ્યો અને મારા સહઅધિ કારી શ્રીમતી લીલાવતી ન્હેન અને શ્રી પરમાનંદભાઈ તથા શ્રી ટી. જી. શાહે મને જે સહકાર આપ્યો છે તે બદલ આપના અને એ અધિકારી મિત્રોને આ તકે આભાર માનુ છું.” ત્યાર બાદ શ્રી પરમાનંદભષ્ટએ નીચે મુજબ પેાતાના વિચારો રજુ કર્યો હતાઃ– મંત્રીશ્રી પરમાનંદભાઇનુ નિવેદ્યન “ગત વર્ષે સંધની વાર્ષિક સભા મળી અને નવી કાર્યવાહીની ચૂંટણી કરવામાં આવી ત્યારથી આજ સુધીની કાર્યવાહીના વૃતાન્ત આપની સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. એ વાર્ષિક સભામાં આપણે અસ્વસ્થ અને વિસંવાદી વાતાવરણ વચ્ચે મળ્યા હતા. આજે અમુક સભ્યોના છૂટા થવાના પરિણામે આપણી સંસ્થા જરૂર કૃશકાય બની છે. પણ આજે આપણે વર્ષભરની ભરચક કાર્યવાહી સાથે આનંદ, સ્વસ્થતા અને સવાદી વાતાવરણમાં મળી શક્યા છીએ એ પણ કદાચ એનુ જ પરિણ.મ હાય. વળી જેમ અનિષ્ટમાંથી કર્દિ કદિ કાંઇંક દ્ર્ષ્ટ નિર્માણ થાય છે તેમ ગત વર્ષના ઘણે આપણને એક નવા શક્તિશાળી કાર્યકર્તાના સુયેાગ પ્રાપ્ત કરાવ્યા. છે અને તે છે આપણા પ્રમુખશ્રી ખીમજી માંડણ ભુજપુરી તેમની સાથે ઓળખાણ. તેા વર્ષીજીની હતી અને સંધના પણ તે વર્ષોથી સભ્ય હતા, પણ તેમના ખરા પરિચય અને ઓળખ તા તેઓ ગયા વર્ષે અમુક ચિત્રવિચિત્ર સોગા વચ્ચે આપણા પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે અને તેમની સાથે કામ કરવાનું બન્યું. ત્યારથી જ થઈ છે. સંસ્થાના સૂત્રધાર તરીકે તેઓ ખરેખર એક સુયોગ્ય એટલું જ નહિ પણ કુશળ પુરૂષ છે, તેમને પ્રાપ્ત કરવામાં હું મુંબઈ જૈન યુવક સંધનું પરમ સદ્ભાગ્ય સમજું છું. તેમની ચૂંટણી થયા બાદ આપણા એક ાના સાથી કા કર્યાં જે આપણા કમનસીબે આજે આપણાથી છુટા પડયા છે તેમણે આગાહી કરેલી કે મારી કાર્ય કરવાની આપખુદ પધ્ધતિ અમા બંને વચ્ચે બહુ ટુંકા સમયમાં અથડામણી પેદા કર્યાં વિના નહિ જ રહે અને એક અથવા અન્યને દ્ધિથી છુટા પડવાનો વખત આવશે અમારા અને સંધના સદ્ભાગ્યે આ આગાહી સાચી પડી નથી એમ અમે બંને આજે પ્રમાણીકપણે કહેવાની સ્થિતિમાં છીએ. અમે દિનપ્રતિદિન વધારે ને વધારે નજીક આવતા જઈએ છીએ. સંસ્થાના પ્રશ્નો વિષે અને વહીવટી ખાખ વિષે અમારી વિચારણા સમાન્તર જ ચાલતી હાય છે એમ અમને માલુમ પડયું છે. સંસ્થાને લગતું કોઈ પણ લખાણુ તેમને જોવા મોકલુ અને તે તેમાં સુધારા કરે તે મને એમ જ લાગે કે તેવું લખાણ તેમણે મારી ઉપર માકલ્યું હોત તે મે પણ તે એ.જ રીતે સુધાયું હતું,
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy