________________
rary Sા
વિ
.
50MPLAINTS
તા. ૧-૩-૫૪
પ્રબુધ્ધ જીવન
૧૯ :
નિમંત્રી હતી અને વિપુલ ઉપાહાર વડે સભ્યનું આતિથ્ય કર્યું હતું. આ જ સભામાં પ્રબુધ્ધ જૈનનું નામ બદલવાને નિર્ણય લેવામાં આવ્યું હતું
આવી જ રીતે તા ૩-૮-૫૩ ના રોજ સંધના સભ્ય શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયાએ પિતાના નિવાસસ્થાન ઉપર સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય અને અન્ય કેટલાક મિત્રોનું એક સ્નેહસંમેલન યેર્યું હતું અને આ સંમેલનનું પ્રમુખસ્થાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં પત્ની શ્રી અજવાળી બહેને શોભાવ્યું હતું. આ નિમિ-તે બધાંએ દેઢ બે કલાક બહુ આનંદમાં પસાર કર્યા હતા
ચીમનલાલ ચકુભાઈ શાહુને વિદાયમાન - તા. ૧૯-૯-નાં રોજ તે અરસામાં ભરાનાર સંયુકત રાષ્ટ્ર સંસ્થાના અધિવેશનમાં ભાગ લેવા માટે ભારત સરકાર તરફથી નિમાયેલ હિંદી ડેલીગેશનના એક સભ્ય તરીકે તરતમાં જ વિદાય થતા સંધના સભ્ય શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું સન્માન કરવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંધ અને સંયુક્ત જૈન વિદ્યાથગ્રુહ ઉભયની કાર્યવાહક સમિતિનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું અને શ્રી ચીમનભાઈને પિતાની શકિત દાખવવાની આવી સુન્દર તક મળવા બદલ સૌ કેઇએ અન્તરને આનંદ પ્રગટ કર્યો હતો અને જે મહાન કાર્ય માટે તેઓ જઈ રહ્યા છે તે માટે તેમને સફળતા ઈચ્છી હતી.
સંયુકત રાષ્ટ્રસંસ્થા તા. ૨-૧-૫૪ ના રોજ થોડા સમય પહેલાં અમેરિકાથી પાછા ફરેલા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું સંયુકત રાષ્ટ્ર સંસ્થા એ વિષય ઉપર મુંબઈ જૈન યુવક સંધના આશ્રય નીચે હીરાબાગમાં સંઘના પ્રમુખ શ્રી ખીમજી માંડણ ભુજપુરી અને પ્રમુખપણાં નીચે એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ચીમનભાઇએ સંયુકત રાષ્ટ્રસંસ્થાની રચના, કાર્યવાહી, આન્તરરાષ્ટ્રીય પ્રવાહો, અમેરિકા અને રશીઆ વચ્ચે ચાલતા ગજગ્રાહ, હિંદની તટસ્થ નીતિ વગેરે અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી અને
આ રીતે દર ત્રણ મહીને શ્રી ચીમનભાઈ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિની આલોચના કરતું વ્યાખ્યાન આપતા રહે એવી સભાજને વતી શ્રી. પરમાનંદભાઈએ રજુ કરેલી વિનંતિને શ્રી. ચીમનભાઈએ સ્વીકારી હતી.
પર્યુષણ વ્યાખ્યાનમાળા સંધ તરફથી દર વર્ષ માફક આ વર્ષે પણ તા. ૫-૯-૫૩ શનીવારથી તા. ૧૩-૮-૫૩ રવિવાર સુધી -એમ કુલ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી અને જૈન તેમ જ જૈનેતર જનતાએ આ વ્યાખ્યાનમાળાને સારે લાભ લીધો હતે. શરૂઆતના સાત દિવસની વ્યાખ્યાનસભાઓ બ્લેવેકી લેજમાં અને છેલ્લા બે દિવસની વ્યાખ્યાનસભાએ રોકસી થીએટરમાં યોજવામાં આવી હતી. આ વખતે નાદુરસ્ત તબિયતના કારણે પંડિત સુખલાલજી અને ડીપ્રેડ કલાસીઝ કમીશનના ઘેરા રોકાણુને અંગે કાકાસાહેબ કાલેલકર આવી શકયા નહોતા અને તે ઉભયની ગેરહાજરી ખુબ સાલતી હતી. આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતાઓ અને વ્યાખ્યાનવિષયનું વૈવિધ્ય બહુ સારી રીતે જળવાયું હતું અને ભજન સંગીતની પણ સુન્દર પુરવણી હંમેશા થતી રહી હતી.
આ વ્યાખ્યાનમાળાની પરંપરાનું આ વર્ષે દાદર તથા માટુંગા ખાતે પણ અનુસરણ કરવામાં આવ્યું હતું અને તેને લોકોએ સારો લાભ લીધે હતે. સંઘ તરફથી જાયલી વ્યાખ્યાનમાળાને કુલ ખર્ચ રૂ. ૮૫૦ જાણીતા ઇન્કમટેકસ એકસપટ શ્રી. અમૃતલાલ જેઠાલાલ શાહે આપ્યું હતું, જેની અહિં ખાસ નેંધ લેવી ઘટે છે..
બંધારણમાં સુધારા ' ગત વર્ષની સંધની જાહેર પ્રવૃત્તિને આ ટુંક સાર છે. આ ઉપરાંત સંધને લગતી બીજી ત્રણ ઘટનાઓની ખાસ નોંધ લેવી ઘટે છે. તા. ૨૪-૪–૫૩ ના રોજ મળેલી સંધની સામાન્ય સભાએ સંધના બંધારણમાં કેટલાક ફેરફાર કર્યા હતા. આમાંના અમુક ફેરફાર કેવળ શાબ્દિક છે. જ્યારે બીજા ફેરફારો મહત્વના છે. આગળના બંધારણમાં નિયમ ૩ (ચ) રાષ્ટ્રીય મહાસભાના કાર્યક્રમને બને તેટલે કે આપવાને લગતો હતો તે નિયમ રદ કરવામાં આવ્યા' હતા. આ ઉપરાંત શિસ્ત નિયમ ૪ (૪) કોઈ પણ જ્ઞાતિનું અધિ- ; કારપદ આ સંધને સભ્ય સ્વીકારશે નહિ, તથા નિયમ ૪ (૭) આ સંધને સભ્ય એક પત્નીની હયાતીમાં બીજી પત્ની કરી શકશે નહિ-આ બે શિસ્તનિયમો મુંબઈ સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરેલા નવા સામાજિક કાનુનેને અનુલક્ષીને હવે બીનજરૂરી લગતાં રદ કરવામાં આવ્યાં હતા. કે “પ્રબુદ્ધ જૈનના સ્થાને “પ્રબુધ જીવન
ઉપર જણાવ્યું તે મુજબ તા. ૨૩-૩-૫૩ ના રોજ મળેલી સંધની કાર્યવાહક સમિતિએ સંધ તરફથી છેલ્લાં ચૌદ વર્ષથી ચાલતા પાક્ષિક પત્રનું “પ્રબુધ્ધ જૈન’નામ બદલીને તા. ૧-૫-૫૩થી પ્રબુધ્ધ જીવન’ એ પ્રકારનું નામ રાખવાનું ઠરાવ્યું હતું અને ! એ મુજબ તા. ૧-૫-૫૩ થી ‘પ્રબુદ્ધ જીવનની શરૂઆત થઈ છે. : આ નામપરિવર્તનને અનેક વિદ્વાન કાર્યકર્તાઓએ અને વિચારકોએ ભારે આનંદપૂર્વક આવકાયું છે.
૧૧ સભ્યનાં રાજીનામાં સંધના અમુક ૧૧ સભ્યોએ સંધની ચાલુ કાર્યવાહી પ્રત્યે તીવ્ર અસંતોષ વ્યકત કરતું રાજીનામું તા. ૧૪-૫–૫૩ ના રોજ સંધના મંત્રી ઉપર મોકલ્યું હતું. આ રાજીનામાં પાછાં ખેંચી લેવા તેમને વિનંતિ કરવામાં આવી હતી અને તેમને સમજાવવાને શક્ય તેટલા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. અને આ રાજીનામાને નિર્ણય લેવાનું કાર્યવાહક સમિતિની ત્રણ ત્રણ સભાએ સુધી મુલતવી રાખ- - વામાં આવ્યું હતું. છેવટે બધી સમજાવટ નિષ્ફળ નીવડવાના પરિણામે તા. ૮-૮-૧૭ ના રોજ એ રાજીનામાં દિલગીરી સાથે મંજુર કરવામાં આવ્યાં હતાં. સંઘ માટે આ એક કમનશીબ બીના બની !
છે અને છુટા થયેલા ૧૧ સભ્યમાંથી અમુક વર્ષો જુના સહકાર્યકર્તાઓ • ગુમાવવાના પરિણામે પાછળ રહેલા કાર્યવાહકેની જવાબદારી વધી છે.
. “સત્યં શિવં સુન્દરમ
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને તૈયાર કરવામાં આવેલ લેખસંગ્રહ ભારત જૈન મહામંડળ દ્વારા પ્રગટ કરવાનું કેટલાએક | સમય પહેલાં ઠરાવવામાં આવેલ, એ નિર્ણય રદ કરીને સંધે પોતે જ આ લેખસંગ્રહ પ્રગટ કરવાનું તા. ૭-૨–૫૩ ની કાર્યવાહક સમિતિની સભામાં ઠરાવવામાં આવ્યું હતું અને તે મુજબ તે લેખસંગ્રહ . ' - છપાઈ રહ્યો છે, અને “સત્યં શિવ સુન્દરમ' એ' નામથી થડા સમયમાં બહાર પડનાર છે.
મણિભાઈ સ્મૃતિફડ સંધ પ્રજિત મણિભાઈ રસૃતિકુંડ સમિતિ રૂ. ૨૫૦૦૦ ના કી દયેયને પહેચીવળવા યથાશકિત પ્રયાસ કરી રહી છે, અને આજ સુધીમાં રૂા. ૨૩૨૦૬ ના વચને મેળવવા ભાગ્યશાળી થઈ છે, જેમાં આ રૂ. ૧૮૩૩૦ વસુલ થયા છે. આ રીતે એકઠી થતી રકમ' સ્વ. મણિભાઈ જેના આત્મા હતા તે સંયુક્ત જૈન વિદ્યાથીગૃહને અપાઈ. રહી છે. આ ફાળે એકઠો કરવા માટે તે સમિતિના મંત્રીઓ શ્રી, તારાચંદ કે ઠારીને તથા શ્રી. ધીરજલાલ ધનજીભાઈ શાહને ખાસ ધન્યવાદ ઘટે છે,