________________
૧૮૬
. પ્રબુદ્ધ જીવને
તા. ૧૫-૨-૧૪
નથી થયા એમ ન કહેવાય, પણ શ્રી ઢેબરભાઈના અગ્રતમ સ્થાનને કદિ આંચ આવે એવી કઈ ઘટના બની નથી. આમ છતાં પણ સૌરાષ્ટ્રની આબોહવામાં કે શ્રી ઢેબરભાઈની પ્રકૃતિમાં એવું કાંઈક તત્વ છે કે જેને લીધે શ્રી ઢેબરભાઈએ રાજવહીવટની ધુરા છોડવાની અને કોંગ્રેસનું સંગઠ્ઠન અને રચનાત્મક કાર્યમાં પડવાની ઉસુકતા આજ સુધીમાં ત્રણ વખત જાહેર કરી છે અને પાછા અન્તઃ પ્રેરણાથી કે ચેતરફના દબાણને વશ થઈને પતે હતા ત્યાં ને ત્યાં તેઓ ચાલુ રહ્યા છે. આગળના આ પ્રકારના બે પ્રસંગને એક યા બીજી નાની મોટી ઘટના અથવા તે અન્તર્ગત મતભેદ સાથે અમુક અંશે સાંકળી શકાતા હતા. પણ સત્તાનિવૃત્તિના આ વખતના તેમના નિર્ણય અને તત્પરતા સબંધમાં આવી પણ કોઈ ભૂમિકા શોધી જડતી નથી.
આજે સૌરાષ્ટ્રનું રાજ્યતંત્ર થિરપણે કામ કરી રહ્યું હતું. પ્રધાનમંડળની અંદર પણ કઈ તીવ્ર ઘર્ષણનું કારણુ ઉભું થયું નહેતું; સાથી પ્રધાનોમાંના કોઈ સાથે તેમને તંગદીલી હેવાનું સાંભળવામાં આવ્યું નહોતું. સૌરાષ્ટ્રના વાતાવરણને ક્ષુબ્ધ કરે
એવું પ્રજામાં કઈ ઉગ્ર આંદેલન કે હીલચાલ નહોતી. આમ | સર્વત્ર શાન્તિ અને સ્વસ્થતા હોવા છતાં ચેડાએક દિવસ પહેલાં છાપામાં એવા સમાચાર આવ્યા કે સૌરાષ્ટ્રમાં શિથિલ બનતી જતી કાંગ્રેસને મજબુત બનાવવાના હેતુથી શ્રી ઢેબરભાઈ પંતપ્રધાનના સત્તાસ્થાન ઉપરથી મુકત થવા ઇચ્છે છે. આ સમાચારે તેમના મિત્ર અને શુભચિન્તકેમાં વિસ્મય પેદા કીધું, વળી પાછા સમાચાર આવ્યા કે આવા કોઈ ફેરફારને સંભવ નથી અને મિત્રોનાં મન હળવા થયાં. પણ પછી વળી એવા ખબર આવ્યા કે શ્રી ઢેબરભાઈએ પિતાને મુકત કરવા માટે કેગ્રેિસના પ્રમુખ પંડિત જવાહરલાલ નહેરૂને પત્રદ્વારા લખી નાંખ્યું છે અને કલ્યાણી કોંગ્રેસ વખતે તેમને મળીને આ બાબતને નિર્ણય લેવા"નાર છે. આ રીતે તેઓ જવાહરલાલજીને કલ્યાણી ખાતે મળ્યા છે અને પરિણામે જો તેમના સાથીઓ અને સૌરાષ્ટ્રને ધારાસભા પક્ષ સંમતિ આપે તે પિતા તરફથી જવાહરલાલજીએ ઢેબરભાઇને છુટા થવાની અનુમતિ આપી છે એવા સમાચાર છાપામાં પ્રગટ થયા, અને શ્રી ઢેબરભાઈ જાય છે એવા સમાચાર ચોતરફ ફેલાતાં મિત્રોએ, સાથીઓએ, કોંગ્રેસીઓએ તેમજ સૌરાષ્ટ્રમાં જુદા જુદા હિત ધરાવનાર વર્ગોએ પ્રધાનપદ ઉપર ચાલુ રહેવા શ્રી ઢેબરભાઈને જોરદાર વિનંતિઓ કરવા માંડી. વિરોધ પક્ષના આગેવાનોએ પણ શ્રી ઢેબરભાઈએ ચાલુ રહેવું જોઇએ એવી ઈચ્છા વ્યકત કરી. તાર ઉપર તારને વરસાદ વરસવા માંડયું. ઢેબરભાઇ વિના ચાલે જ નહિ એવા સુર ચારે બાજુએથી નીકળવા માંડયા. કેગ્રેસના ધારાસભા પક્ષમાં સૌરાષ્ટ્રના ગૃહસચિવ શ્રી રસિકલાલ પરીખે શ્રી ઢેબરભાઈને અગ્રસચિવના સ્થાન ઉપર ચાલુ રહેવાની અત્યન્ત આગ્રહભરી વિનંતિ કરતે ઠરાવ રજુ કર્યો અને તે ઠરાવ સર્વાનુમતે પસાર થયે. ચિતરફના આવા મકકમ આચહને વશ થઇને શ્રી ઢેબરભાઈએ . પિતાના સ્થાન ઉપર ચાલુ રહેવાનું સ્વીકાર્યું.
આ રીતે આખા પ્રકરણને અન્ત શ્રી ઢેબરભાઈના ચાલુ રહેવામાં આવ્યું એ આજના સંગે જોતાં જરૂર આવકારદાયક છે. આમ છતાં પણ આ આખી ઘટના શ્રી ઢેબરભાઈ પરત્વે, ત્યાંના પ્રધાનમંડળ પર અને સૌરાષ્ટ્રના સમગ્ર રાજકારણ પર ભારે કમનશીબ લાગે છે. આમ ત્રણ ત્રણ વાર શ્રી ઢેબરભાઈ જાહેર કરે કે હવે હું જાઉં છું અને ત્રણ ત્રણ વાર તેઓ પાછા ફરે કે તેમને પાછા ફરવું પડે-આ એક વિલક્ષણ પ્રકારનું માનસ રજુ કરે છે અને તેમના વિષે અન્યના દિલમાં અનેક તર્કવિતર્કો પેદા કરે છે.. .
આ આખા પ્રકરણનું તટસ્થભાવે પૃથકકરણ કરતાં અને ઢેબરભાઈ સત્તાલુપતા અને છળપ્રપંચથી પર એવી એક ભાવનાશીલ વ્યકિત છે એ સામાન્ય અભિપ્રાય ધ્યાનમાં લેતાં આ તેમની અસ્થિરતાનો એક જ રીતે ખુલાસે થઈ શકે છે કે જેમ કોઈ
ગભ્રષ્ટ આત્મા કર્મ અને સંન્યાસ વચ્ચે ઝોલાં ખાય અને ઘડિ એક બાજુ અને ઘડિ બીજી બાજુએ ખેંચાય તેમ ટેકરભાઈના દિલમાં રાજયકારભારની જંજાળ સામે અવારનવાર એક પ્રકારને વૈરાગ્ય આવે છે અને એકાએક રાજયસન્તાનો અંચળે ફેંકી દેવાને તેઓ તૈયાર થાય છે અને તરત જ તેના પ્રત્યાધાત રૂપે રાષ્ટ્રની વિશેષ સેવા સતાસ્થાન ઉપર રહીને શમ્ય છે કે એ સ્થાન છોડવાથી શકય છે એ બાબતની તેમના દિલમાં દિધા પેદા થાય છે અને ચેતરફનું જોરદાર દબાણ તેમને ક્ષુબ્ધ બનાવી મૂકે છે અને પરિણામ તેઓ જયાં છે ત્યાં જ ચાલુ રહેવામાં આવે છે. જે જવાબદારીભરેલું સ્થાન તેઓ ધરાવે છે તેને ખ્યાલ કરતાં પિતે સત્તાસ્થાન છોડાની વાત ઉચ્ચારશે તે તેને કેવા પ્રત્યાઘાતો થશે તે બાબતને તેમને સ્પષ્ટ ખ્યાલ હો જોઈતા હતા અને તે પ્રત્યાઘાતને વટાવીને આગળ ચાલવાની પિતામાં તાકાત છે એવી તેમને સ્પષ્ટ પ્રતીતિ હોવી જોઈતી હતી. આવી પ્રતીતિ નહતી તો તેમણે રાજીનામાની વાત ઉચ્ચારવી જોઈતી નહોતી. આવી પ્રતીતિ હતી તે તેમણે પાછા કરવું જોઈતું નહોતું અને ચાલુ રહેવાને આગ્રહ કરનારાઓને મકકમપણે જણાવવું જોઈતું હતું કે “આ મારા અન્તરાત્માને આદેશ છે અને તેને સુદઢપણે અનુસરવામાં જ મારું, તમારું અને દેશનું કલ્યાણ છે.” કેવળ ભૈરાગ્ય, વાસ્તવિકતાનું અસ્પષ્ટ દર્શન તથા આવશ્યક મકકમતાને અભાવ-આ બધું ભગવદ્ ગીતાના અર્જુનના વિષાદ જેવું લાગે છે. આવો વિષાદ કોઈ પણ રીતે કલ્યાણકારી નીવડતું નથી અને આવી
અસ્થિરતા કઇ કટોકટીના વખતે ભારે ખતરનાક નીવડવા સંભવ રહે છે. આથી શ્રી ઢેબરભાઈ વિશે અનેકના દિલમાં રહેલા ઉંડા આદરભાવને આઘાત પહોંચ્યો છે. વળી તેમણે આડકતરી રીતે ગૃહસચિવ શ્રી રસિકલાલ પરીખની પ્રતિષ્ઠાને ભારે નુકશાન કર્યું છે અને આખા પ્રધાનમંડળના મેભાને હાની પહોંચાડી છે. ત૬. પરાન્ત પરસ્પર ડી ઘણી બેદીલી પેદા થઈ હશે તે વધારામાં, વળી ઢેબરભાઈ વિના અમને ન જ ચાલે એવી સૌરાષ્ટ્રની પ્રજાની વીરપૂજા સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં લોકશાહી સ્થપાણી છે પણ હજુ તેનું માનસ રાજાશાહીનું રહ્યું છે. રાજાને સ્થાને ઢેબરભાઈની લોકો પૂજા કરે પણ વૃત્તિ તે એનો એ જ રહી લેકશાહીની સફળતા તે ત્યારે જ કહેવાય કે જેને જવું હોય તે જાય, જેને રહેવું હોય તે રહે-જે કોઈ મુખ્ય સ્થાને હશે તેણે લેકશાહીની રીતે વહીવટ કરવું પડશે અને તેને અમારો સંપૂર્ણ ટેકે હશે-આવી સ્થિરતા લોકેએ પ્રાપ્ત કરી હશે.
આ આખી ચર્ચાના સાર રૂપે આપણે શ્રી ઢેબરભાઈ વિષે આશા રાખીએ કે આ બધી મથામણુ અને કડવા અનુભવના પરિણામે શ્રી ઢેબરભાઈ હવે વધારે સ્થિર માથી કામ કરતા થશે, પ્રજાને લોકશાહીના માર્ગે આગળ લઈ જશે અને કોઈ અસાધારણ સંગ તેમને ફરજ ન પડે ત્યાં સુધી પોતાના સ્થાનને નિષ્ઠાપૂર્વક વળગી રહેશે.
પરમાનંદ
સત્યં શિવં સુન્દરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને થડા સમયમાં પ્રગટ થનારે લેખસંગ્રહ કિં. રૂ. ૩.
મુંબઈ જૈન યુવક સંઘ અને પ્રબુધ્ધ જીવનના ગ્રાહકેને તા. ૧-૫-૫૪ સુધીમાં રૂ. ૨ માં મળશે. પિસ્ટેજ રૂ. ૦-૬-૦ લખે: મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
૪પ૪િ૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩,