SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૯૨ જ્યારે ભગવતીસૂત્રના અનુવાદનું કામ કરતા હતા ત્યારે એ વિચારો ખૂબ ધોળાતા હતા. કોઇ મિત્રને એ વિષે વાત કરૂં તા તેને મારા વિચારા કેટલેટ અંશે વ્યાજખી લાગે, પરંતુ મને સાંભળનારા દરેક મિત્ર એ વિચારાને જાહેરમાં ચર્ચવાની ના જ પાડે. હું પણુ. જાણીજોઇને એવું ન કરતા, પરંતુ જ્યારે એવી એક સભામાં ખેલવાની તક મળી ત્યારે શ્રી મેાતીચંદભાના અધ્યક્ષપણા નીચે મે’ મારા મનમાં ધેાળાતા અને ઉછાળા મારી બહાર નીકળવા મથતા એ વિચારોને માંગરોળ જૈન સભાના હાલમાં સ્પષ્ટપણે વિસ્તારથી જાહેર કરી દીધા. લગભગ દોઢેક ક્લાક ખેલ્યા હાશ, તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનથી માંડી મહાવીર સ્વામી સુધી અને તે પછી શ્રી હરિભદ્રસુરિ -સુધીના મારી જાણમાં આવેલા એવા ઇતિહાસ કહી સભળાવ્યા અને ચૈત્યવાસ, ચૈત્ય વગેરેની વાત પણ બહેરમાં ચર્ચા તથા દેવદ્રવ્ય ચૈત્યવાસનુ પરિણામ છે એમ જણાવી તેને સાતે ક્ષેત્રમાં ઉપયોગ થઇ શકે એવું શ્રી હરિભદ્રનું વચન ટાંકી બતાવી તે ખાખત ચર્ચા પણ કરી દીધી. એકદર જૈન સાહિત્યમાં પ્રથમ શું હતું અને પછી તેમાં વિકાર થવાથી સધને કેટલી બધી હાનિ થઈ છે. અને એ હાનિ હજી પણ ચાલુ જ છે એ હકીકત સવિસ્તર નિર્ભયપણે કહી દીધી. જ્યારે મેં આ · ભાષણ કરેલું ત્યારે હું ભગવતીના કામથી ગત કારણને લીધે છૂટા થઇ ગયા હતા અને શ્રી. મહાપીર જૈન વિદ્યાલયમાં તત્ત્વાર્થસૂત્રનાં ટિપ્પા લખવાનું કામ કરતા હતા. આ મારૂં ભાષણુ તે વખતના મુંબઇનાં સુપ્રસિદ્ધ તમામ દૈનિક્સમાં મેટાં મોટાં મથાળાં સાથે છપાયુ' તેમાં મે કહ્યા કરતાં વધઘટ થયેલી પણ મેં જોઇ. જૈન સમાજ જે તદન શાંત હતા. તે આથી ભારે ખળભળી ઉઠયા અને મને સજા કરવા સુધીની વાત આવી પહોંચી, મારી પાસે શાસ્ત્રબળ હતુ. એટલે હુ જરાય ગભરાતા ન હતા તેમ ડરતા પણ ન હતેા. અમદાવાદની ગુરૂશાહી દ્વારા પ્રેરાયેલા નગરશેઠે મને નોટીસા માઢલી; એક નહીં એ. મારે કશા જવાબ આપવાપણું જ નહેતું, છતાં મેં તે વખતે હિંદુસ્તાન પત્રમાં સમાજની લાલ આંખેા' એવા શા મથાળા નીચે એક લેખ લખ્યો અને આગેવાનાને જણવ્યું કે મારૂ આખુંય ભાષણ હું મારી જાતે તમને લખી આપુ. પછી તેની સંચાઈ ના જીઠા બાબત નિય માટે તમે એક તટસ્થ પંચ નીમા અને પછી જે સજા મને થવાની હોય તે હું હસતે મુખે 'સહેવા તૈયાર છું, એટલું જ નહી પણ મે એમ પણ કહેલું કે હું તા એક વિદ્યાથી અભ્યાસી છું. મે' મારી રીતે આગમા વાંચ્યા છે અને એમાંથી જે વિચારો મતે ઉદ્દભવ્યા તે મેં તમારી સામે મૂકયા છે. તે વિચારા ખરાજ હાય વા પૂર્ણ જ હોય એવા મારા દાવા નથી, પરંતુ ગુરૂશાહીએ મારી આ એક વાત કાને ન ધરી અને ધણા યુવકોના વિરોધ વચ્ચે અમદાવાદના નગરશેઠે મને સંધ બહાર જાહેર કર્યાં. ૧૬ મારી મહાવીર જૈન વિદ્યાલયની નાકરી છૂટી ગઇ, એ વખતે મારા નાના ભાઇ માંદા હતા. એટલે ઠીક ઠીક વિપત્તિનું વાદળ આવી ગયુ. મુંબમાં ભાષણુ કરી હું કોઇ કૌટુ ખિક પ્રસંગે ભાવનગર ગયેલા તા ત્યાંની તે સમયની રૂંઢ ' સંસ્થા જૈન ધર્માં પ્રસારક સભાના આગેવાના મારા ઉપર ચીડાયેલા. ખાસ તે મારા ભાષણમાં શ્રી માતીચંદભાઇએ અધ્યક્ષપણું કરેલું અને મારા ભાષણ વિશે એમ કહેલું કે “આ વકતા અંગ્રેજી' મુદલ જાણતા નથી અને આગમાના અભ્યાસી છે. ભાષણમાં એણે આગમાના ચોકબંધ પાઠાના જે પ્રમાણા માપેલાં છે તે જરૂર વિચારવા જેવાં છે. અને આજકાલ સ્વપ્નાની જે પૂજા થાય છે. તેને હું પણુ લોકાત્તર મિથ્યાલ માનું છું.” ધંત્યાદિ તેમનું કથન સાંભળી અમદાવાદની તે વખતની ગુરૂશાહી તેમના ઉપર ચિડાયેલી. તેમને બચાવી તા ૧૫-૧૨-૫૪ ΟΥ લેવા પ્રસારક સભાએ કાંક પ્રયત્ન આદરેલે, મને પ્રસારકસભામાં ખેલાબ્યા અને અનેક પ્રશ્ન પૂછ્યા. એટલે મેં તો હું જાણું છું - તેમ તે દરેક પ્રશ્નના જવામા આપેલા અને વળતે જ દિવસે જૈન છાપામાં ‘જૈન સમાજનુ તમસ્તરણુ' નામના એક લેખ રૂપકાત્મક કલ્પીને છાપવા મોકલી દીધો. એ લેખ છપાયે એટલે તે મારા ઉપર સમાજ તુટી જ પડયો. મને નાતબહાર મૂકવાના પ્રયત્ના ગતિમાન થયા અને મને અનેક રીતે કમ હેરાન કરવા એ જ જૈન સમાજે નિર્ણય કર્યો હેય એમ મને લાગ્યું. મારૂ ધ્યાન તે આ વખતે મારા કુટુંબના નિર્વાહ તરફ્ કેન્દ્રિત થયેલું એટલે સામાજિક આ વિપત્તિની મને એટલી બધી અસર ન થઇ. હું તે વખતે રતલામ એક જૈન ગ્રંથના સ`પાદન માટે પહેોંચી ગયેલા. પણ ત્યાંનું વાતાવરણુ ધણું જ દૂષિત લાગવાથી મારા જીવનને હાનિ થવાના સંભવ જોઇ એ કામ મેં છેડી દીધું અને ફરી પાછું ભગવતીના અનુવાદનું કામ પ્રારભ્યું અને તે છેવટ રાજકોટમાં રહીને પુરૂં જ કર્યું. મારૂં કુટુંબ ભાર્રનગર હતું અને હું એકલે જ રતલામ ગયેલા, પણ પછી પૂનામાં અને રાજકોટમાં કુટુંબ સાથે જ રહેલા. જ્યારે મારા ઉપર વિપત્તિની નાખતા વાગતી હતી ત્યારે મારા સગા કાકાના દીકરા ભાઈ ભગવાનદાસને એમ લાગેલું કે કદાચ ખેચરદાસ નાતબહાર મુકાય તે એમના અને મારા સબંધ ન રહી શકે. એટલે મને સમજાવવા તેમણે પંડિત સુખલાલજી સાથે, ઘાટકોપરમાં સદેશા મેલેલો અને તડજોડ કરી લેવાની વાત કહેવરાવેલી પણ મને એ ન જ ગમ્યું અને હું એકલેજ જે આવી પડે તે સહી લેવા તૈયાર થયા. મારાં માતાજી જરૂર રાખે ભરાયાં; પણ મારાં પત્ની શ્રી અજવાળીએ મને · તમે ખરા-સાચા હા તો લેશ પણ ન ડરશે। ' એમ ભાર દઈને કહેલુ એ બરાબર મને યાદ છે. ૧૭ પ્રાકૃતભાષા શિખ્યા પછી મને અને ભાઇ હરગાવિંદદાસને કલકત્તાવાળા પ્રોફેસર અને પ્રેસીડેન્સી કોલેજ (કલકત્તા)ના પ્રીન્સીપાલ શ્રી શતીશચંદ્ર વિદ્યાભૂષણુની સાથે પાલી ભાષા અને ોધ આગમા શિખવા સારૂ મહારાજશ્રી ધર્મવિજ્યજીએ કાલ માકલેલા અને અમે બન્ને ત્યાં. આઠેક માસ રહી પાલીભાષા અને મજિઝનિકાયગ્રંથ શીખી આવ્યા. કાલમેના મેાલગાકાંડે રાડ ઉપર આવેલા વિદ્યોદય પરિવેણુમાં અમે ભણુવા રહેલા. ત્યાંના આચાર્ય શ્રી સુમરેંગલસ્થવિરે અને ત્યાંના ઉપાચાય શ્રી . જ્ઞાનેશ્વર સ્થવિરે અમને ઘણા પ્રેમપૂર્વક 'પાલી ભાષા અને પિટકગ્રંથ શીખવ્યા. તે કટ્ટર બૌધ હતા, છતાં અમારા તરફ્ તેમની સહાનુભૂતિ પુત્રવત્ હતી. આજે પણ મનમાંથી એમનાં ચિત્રો ખસતાં નથી. લખેથી આવ્યા પછી પાછા અમે બન્ને (ભાઇ હરગોવિંદદાસ અને હુ) શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના કામમાં લાગી ગયા. તેમાં પંદર સત્તર ગ્રંથા અમે બન્નેએ સાથે રહીને સ`પાદિત કર્યાં. ગ્રંચમાળા માટે મારે બાર બાર કલાક અને કયારેક તો મુઢાર અઢાર કલાક કામ કરવું પડતું. અહીં એ યાદ રાખવુ જરૂરી છે કે પૂકિત ભાષણ વગેરેની પ્રવૃત્તિ મે ત્યારે જ કરેલી જ્યારે બનારસ તદન છેડી દીધેલું. જ્યારે મેં મુંબઇમાં જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ’એ વિશે ભાષણ કરેલુ' ત્યારે પૂજ્ય ગાંધીજી મુંબઇમાં ગામદેવીમાં મણિભવનમાં હતા. ભાષણ પછી જૈનસંઘે મારા ઉપર જે આક્રમણ કરેલું તે વિશે મે મહાત્માજીને વાત કરી તે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં મને સૂચવ્યું કે તમારી વાત શાસ્ત્રની દૃષ્ટિએ તમને પ્રામાણિક લાગતી હૈાય તે ગમે તેમ થાય તેા પણ - ડગશે નહિ અને કોઇ ઉપર રાષે પણ ભરાશે નહી. તમે મુ ઝવણમાં પણ પડશો નહી. નવી વાત કહેનારને માટે સમાજ હમેશા આમ જ કરતાં આવેલ છે એ જાણીતું છે. 8
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy