________________
૧૮૪
પ્રબુદ્ધ જીવન
જિજ્ઞાસુ શિષ્યાને જરૂર ભણવા મોકલશે! આ રખડપાટમાં અમારી સાથે બધે સ્થળે શ્રી હીરાચંદભાઇ પણ આવેલા. પાંજરાપોળમાં શ્રી વિજયનેમિસૂરીજી પાસે પણ અમે આ વિનંતિ કરવા પહોંચી ગયા. તેમને વિધિવત્ વંદન કરી અમે અરજ કરી કે વિદ્યાના અભિલાષી આપના શિક્ષકોને શાખા શાળામાં જરૂર ભણવા મેકલે.. એટલુ જ નહી પણ અમારાવતી ભાઇ હીરાચંદભાઇએ અને હરખચંદ્રભાઈએ વિનંતિ કરી કે આપ જાતે પધારીને આ અમારી શાખા શાળાનું ઉદઘાટન કરવા કૃપા કરો, સારંગપુર તળિયાની પાળમાં લાલાભાઇની પોળમાં આ માટે એક મકાન વિના મૂલ્યે મળી ગયેલુ. સંભવ છે કે એ ઉપાશ્રય હશે, ત્યારે શ્રી વિજયનેમિસૂરીએ એ તે ન સ્વીકારી અને અમે ત્યાંથી પાછા ફરતા હતા તેવામાં ભાઇ હરગોવિંદદાસને અને મને પાછા ખેલાવી પેાતાની પાસે એસવાનું કહ્યું. અમને શા માટે ખેલાવ્યા તેની ચોકકસ ખબર તે નહતી, પરંતુ એમ લાગ્યુ` કે આ અમારી સેટીના પ્રસંગ છે. અમે તે। એ માટે ખરાખર સાવધાન હતા. જ્યાં મેઢા ત્યાં શ્રી નેમવિજયુજીએ પાતાના પડિત શશીભાષુને હાંક મારી અને તેઓ આવી પહેાંચે એ પહેલાં અમને પૂછ્યું કે શું શું ભણ્યા છે ? અમે તે જે જે ન્યાય, વ્યાકરણુ, સાહિત્ય વગેરેના ગ્રંથો ભણ્યા હતા તે તદ્ન સરળ ભાવે કહી દીધા. તેવામાં તેમના પડિત આવી ગયા અને તેમણે પંડિતને કહ્યું કે આ ોકરા ન્યાય વ્યાકરણ ભણી આવ્યા છે તેની જરા પરીક્ષા તે કરો. પછી તે પતિ સન્મતિતની પહેલી જ ગાયાની ચર્ચા છેડી. અમે પણ કાશીનાં પાણી પીધેલાં ઍટલે ગોઠણભર થઇ લગભગ એ ત્રણ કલાક સંસ્કૃતમાં જ પ્રવાહમધ ચર્ચા ઉપાડી લીધી. ખીજું તે કાંખ નહીં પણ અમારા પરીક્ષક શશીબાબુ અમારાથી ઉમરમાં (ખમણા) માટા અને અમે તેમની પાસે નાના કરા જેવા, છતાં સંસ્કૃતના પ્રવાહબંધ પ્રવચનમાં જરાય ન થોથરાયા, ન ક્ષેાલ થયા અને ન અટકયા, એથી અમારી આજુબાજુ જે પ્રેક્ષક–મુનિ · અને શ્રાવકા બેઠા હતા તેઓથી ખેલાઇ જવાયું કે છે તે મારા બેટા, જરાય પાછા હઠતા નથી. તેમ ઢીલા પડતા નથી. અમને સંતોષ થયા અને મહારાજ મિવિજયજી પણ સમજી ગયા કે વાણિયા મારા એટા ભણે છે ખરા, પણ તેમની સમજ તેમણે મેઢા ઉપર ન દેખાવા દીધી, અમે નમન કરીને ઉડ્ડયા એટલે વળી ફરીવાર બન્નેને પાસે ખેલાવ્યા અને કાંઇ ખાટુ' તો નથી લાગ્યુંને? એમ પૂછ્યું એટલે અમે જવાબ દીધો કે મહારાજજી ! કાશીમાં તા આવા શાસ્રના ઘણા પ્રસંગે આવી પડે છે. એ તે અમારૂ કામ છે એમાં ખોટું લાગવાનુ કશું કારણ નથી.
જે સમયે અમે અમદાવાદમાં ભાષણા કર્યાં તે સમયે ભાવનગરમાં પણ ભાષણ માટે ગયા હતા. ત્યાં મોટા દેરાસર ઉપર આવેલી સામાયિક શાળામાં અમે ભાષણ કર્યું અને જાનાથ મહાદેવમાં ભાવનગરના નાયબ દીવાન શ્રી ત્રિભોવનદાસભાઈના પ્રમુખપણા નીચે એક જાહેર ભાષણ કર્યું. તે વખતે ભાવનગરના આગેવાને શ્રી અમરચંદભાઇ, શ્રી ગિરધરભાઇ, શ્રી કુંવરજીભાઈ, શ્રી જુઠાભાઇ વારા વગેરે ખુત્રં સતાષ પામ્યા, અને પાઠશાળાની પ્રતિષ્ઠા ઠીક થઇ, જ્યારે અમે પાઠશાળામાં ભણુતા હતા ત્યારે ત્યાંના પંડિતા કહેતા કે ‘સે। મસાલામે એક ધણિયા અને સેા ખમણમે એક અનિયા', એ કહેવત થોડીધણી અમારા આ પ્રવાસથી ચરિતાર્થ થઇ એમ અમને લાગ્યું.
તા. ૧-૧૨-૧૪
વચ્ચે હું આ કામમાં પડયા. અમદાવાદમાં શ્રી હીરાચદભાઇએ એક વીશીની ગાઠવણુ કરી આપેલી. અમે-માત્ર મહિને પચીશ રૂપીયા જ લેતા. તેમાંથી ચેોડાક જ હું ખર્યું' અને બાકીના મારાં માતાજીને મોકલી આપુ. શાખા શાળામાં જેએ ભણવા આવતા તે તદન નિરક્ષર અને દોઢ હતા. તેમને મારે પાઠ પણ ગેખાવવા પડતે. એટલે તે પઠનું શુદ્ધ ઉચ્ચારણ પોતાની મેળે ન કરી શકતા એવા ઠેકઠ હતા, મે જોયું કે આ રીતે મારે ભણાવવાનુ હાય તે। જે જે શાસ્ત્ર કાશીમાં ભણેલો છું' તે જરૂર ભૂલી જવાને. કારણ કે એક પણ વિદ્યાર્થી ખાસ શાસ્ત્રને ભણનારા ન હતા. એટલે મેં તે બનારસ મહાજશ્રીને વાત જણાવી અને શાખા શાળાનુ કામ છેડી દીધું. પછી ગુન્નરાની અપેક્ષા હેાવાથી ગોધાવીમાં સદ્ગત શ્રી રત્નવિજયજી પાસે રહેતા લોકેન્દ્રવિજયજી નામના મુનિને ભણાવવા હું રહ્યો અને એ રીતે મારાં માતાજીને આપવા સારૂ ચેડા રૂપિયા રહ્યા.
ઉપર જણાવ્યા મુજબ નવી સ્થાપેલી શાખા શાળામાં હું અને મારા કાકાના દીકરા ભાઇ ભગવાનદાસ અધ્યાપક તરીકે કામ કરવા લાગ્યા. મારો અમુક અભ્યાસ પુરો થઇ ગયેલા અને અમુક અભ્યાસ હજુ બાકી હતા. છતાં મહારાજશ્રી ધર્મવિજયજીની આજ્ઞા હાવાથી
૧૦, ઉપર મેં ચર્ચા સભાની વાત લખી છે. આવી ચર્ચાસભાએ અમે દર પડવાને દિવસે ગોઠવતા. તેમાં ગુજરાતીમાં કે સંસ્કૃતિમાં ભાષણા થતાં. તેમાં હું સારી રીતે ભાગ લેતા. શર્ શરૂમાં ટાંટિયા ધ્રુજતા, પણ પછીથી ખેલવાની ટેવ ક્ાવી ગઇ. કેટલીકવાર અમે લક્ષ્મી સરસ્વતી, આસ્તિક નાસ્તિક વગેરેના સંવાદરૂપે ચર્ચાએ ગાવતા અને એમાં નાટકની જેમ ચર્ચાને યોગ્ય પોષક પણ પહેરતાં. આમ કરવાથી મને છૂટથી ખેલવાનું ધીરે ધીરે કાળી ગયું અને ક્ષેાભ જતો રહ્યો.
૧૧. આગળ હું શ્રીમાન આનંદશંકરભાઈનુ નામ લખી ગયે છું. તે મહાશય જયારથી મારા વ્યાખ્યાનમાં આવેલા ત્યારથી મારા ઉપર' સ્નેહ સદભાવ રાખતા થઈ ગયા. અમદાવાદમાં હું તેમને કામ પ્રસંગે ધણુીવાર મળતા ત્યારે તેઓ એ મારા પ્રવચન જરૂર સંભારી આપતા. પછી તે જ્યારે અમદાવાદમાં ભગવતીસૂત્રના ભાષાંતરનું કામ કરતા ત્યારે પણ તેમને ધણીવાર સલાહ સૂચન માટે મળતા રહેતા અને એ રીતે તેમના સ્નેહસંધ વધુ માન બનતા અને તેમણે મારા સાહિત્યિક કામની કદર પણ પોતાના વસંતમાં કરેલી. વાત એમ હતી કે પૂનામાં એરિએટલ કાન્ફરન્સ ભરાયેલી. તેવખતે હું. પૂનામાં રહી જૈન સાહિત્ય સંશોધકના નામના ત્રિમાસિકના સંપાદનમાં સહાયકનુ કામ કરતા મેં ' અ માગધી ભાષાનું સ્વરૂપ કેવું હાય ’ એ વિશે એક નિબંધ અ માગધીમાં જ લખી એ કોન્ફરન્સમાં મેકલેલા. મારા નિબંધ વાચન વખતે પંજાબ યુનિવર્સિટીવાળા ડે. વુલનર પ્રમુખ હતા અને શ્રોતાઓમાં શ્રી નરસિંહરાવભાઇ, આનંદ શકરભાઇ, પ્રે. વાડકર અને શ્રી જિનવિજયજી વગેરે હતા. નિબંધની અર્ધમાગધી ભાષા કે સમજશે નહીં, માટે મારે નિબંધના સાર હિન્દીમાં કહી જવા એમ મને શ્રી આનદશંકરભાઈએ સૂચવ્યું. તે પ્રમાણે હુ હિંદીમાં નિબંધના સાર કહી ગયે અને એ સારની નોંધ શ્રી નરસિંહરાવભાઇએ વસંતમાં મોકલી, તે શ્રી વજીએ સાદર છાપેલી. એ નાંધ ઉપરથા વડાદરામાં ભાઇ ચિમનલાલ દલાલની જગ્યાએ મને નીમવાની વાત ઉપડેલી અને એ માટે વડાદરાના વિાન શ્રી મનુભાઈને તેમના ધોડદોડવાળે અગલે મળ્યો પણ ખરા. એમણે મને વડોદરામાં રહી જવાની અને સાથે મારૂં પેાતાનુ બધુ ખાનગી કામ કરવાની પણ સૂચના કરેલી, પરંતુ હું ખાદીવાળા હતા અને પૂ. ગાંધીજીમાં વિશેષ શ્રદ્ધા ધરાવતા હતા. તેથી મને લાગ્યું કે દેશી રાજ્યમાં મને રહેવુ નહીં પાલવે, કદાચ અથડામણ થાય તા વળી બીજી પંચાત. એટલે મેં શ્રી મનુભાને તેમની સામે ના ન પાડી, પણ વિચાર કરીને જવાબ લખવાનું સૂચવ્યું. પછી તે હું રાષ્ટ્રીય ગુજરાત વિધાપીઠમાં જ જોડાયા અને વાદરા ન ગયો.
અપૂર્ણ
બેચરદાસ જીવરાજ રાશી
મુંબઈ જૈન યુવક સત્ર માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. મુદ્રણુસ્થાન : જવાહીર પ્રિન્ટીંગ પ્રેસ, ૧૨, કેશજી નાયક રોડ, મુ`બઈ ૯
8