________________
૧૭૬
પ્રબુધ્ધ જીવન
તા. ૧––૧૯૫૪
તાણું અમારે એમ કરવું?
[ અમથા ભગતે દેખ્યું છે લખ્યું]. ' 'પર્શે લોક પૂછવા લાગ્યું: “ભગત ! તાણે અમારે એમ કરવું ?" - “સાજનો ! જીની પાસે બે જોય લૂગડાંની છે, ઈ વસ્તર વન્યાનાને તીમાંથી એક આવી દે. છની કેડીયે જાર્યો છે, ઈ ભૂખ્યાને હેત કરીને જમાડે. - “સત ! સખિયાં ને દખિયાં આપણું સંધાંય એક પરભુપત્યાને વસ્તાર પેં; એક ધરતીનાં છેરૂ કર્યું. ભાયું ભાયને ભાગ કાઢી આલે.
મે નાનેરાને ઝઝ કરીને આલે. છ સમરથ છે ઈ ખેડાદૂબળાને માગ્યું આલે. ગાંડુંગપાળું, દખિયુંદુહાગણુ ને વખાનું માયું ઈ કળયાની હાર્યનું કેવાય. અને પૅલે હક.
. “ભાયું મારા! તમે માનતાનાં થાળનૈવેદ લઈને દેવતાને થાનક જાવા નીસર્યા, ને વાટમાં તમને સાંભર્યું કે તમારો બાયપાડોશી ભૂખે છે ને તમથી રીસણા છે, તે તમારાં નૈવેદ ન્યાં જ મેલીને પાછા વળજે. પથમ અને ધરવો. ઇનું લેણું માગણું ને હકદવા પૈ યે દૂધે ધોઈને ચૂકવો. તો પછં આવીને તમારાં થાળનૈવેદ ઝારજો.
નકકી મા જે, કે પરથમ પલે અને મનવ્યા વન્યા થાનકના દેવતા માનશે ન; તમારાં થાળનૈવેદ જમશે નઈ. - “સંત ! આ લેકની માયા જોડો માં. ઈ માયાને કાટ ચડશે, લૂણા ખાશે ને ચોર ખાતર પાડીને કાઢી જાશે. પણ તમે મારા રામની માયા જોડી હશે તે તીને કાટલૂણા ખાશે નઈ; તીને ચર કાઢી જાશે નઈ. વળી સાંભળે; સમઝાવું?
અમને ખેડૂ રામને ખેડૂ હતે. ઘર વાડી. કામ બાળાં. દા'ડિયા રાખીને પૂરાં કરાવે. દાડી પાલી જાર્યની.
ખેડૂયૅ સવારને પર ચાર રાખ્યા. પર ચડયો ને બીજા આવ્યા. ઈમનેય રાખ્યા. બપોર થ્યા સુધી કામ નેતું મળ્યું એવા હજય ગામના ચેકમાં ઉભા ભાળ્યાઃ
: “હા બાપા ! કામ આલું.” - “ આતા ! આટલે દન ; હ દા'ડી એમ આલશે ?”
ધરમ માથે રાખીને આલેશ; માથે મારા રામને સમઝીને આલેશ; હાલો તમતમારે કામ 'તું હોય તે.”
એલ્યા આવ્યા ને કામે વળગ્યા.
તીજે પર વળી બીજા આવ્યા. તમનેંધ રાખ્યા. એક બચાડે દંબ કામની આશા ઉભે ર ને સાવ પાછલે પર આવ્યું.
ઈનેય રામજીયેં રાખે. સાંઝ પડી ને સઉને ઘરે જાવા વેળા થઈ. સાથી કે આતા ! આમને એમ જાયે ભરી આલું ? ”.
ભેરૂ! સંધાયને આવ્યા'તા ઈમ હાર્યમાં ઉભા રાખ્ય, ને છેલાને પેલે ગણીને માંય આલવા ઇમની દા'ડી;-પાલી જાય, એકેએને.”
એ૯શવ મંડયા ગણગણવા.
આતા ! દનબધે અમે ટી મૂવા, આવડા આ પર દંન ચડયે આવ્યાતા; ને આ બીજા બપોરે ને બપોર પછે. આ આ તે હજી હમણે તીજે પૈ’ર દિન નમે આવ્યું, અનેંય પાલી?”
બાપલાવ! એમાં તમને અયિા શૈ થૈ ? તમારી દોડી પ.લી જાર્યની છે ને? અધવાલી આલું છું તમને?
તણે લ્યો તમતમારે તમારી પાલી. લ્યો હલાવીઠાંસીને, લે શગાશગ ને ખળખળતી; ને થાવ ઘરમેળા.
“ આ બચાડવને કામ નૈ મળ્યું કે મેડા વળગ્યા, તીર્નેય તમ જેવાં જ પેટ છે; અમને ધરેય તમ જેવાં જ છોરૂવાછરું છે.
અટલે હું હૈયે રામ રાખીને આલેશ. સંધ યને સરખું આલેશ. આ આ છેલે આ તીર્નેય પોલો જાર્યજ અલેશ. હાંસીહલાવીને, શગાશગ ને ખળખળતી.”
ઈમ સાજન ! તમેય મારા રામના ખેડૂને નિયા વરતે. મિથાપીર રચિત ઇશુભાગવતને આધારે
સ્વામી આનંદ
પ્રશ્નોત્તર ૧ પ્રશ્ન
ગૃહસ્થધમીને નિર્વાણ સંભવી શકે ખરું?
અધ્યાત્મસાધનાધારા નિર્વાણુના અન્તિમ ધ્યેયને પહોંચવા માટે સંન્યાસી દશા આવશ્યક મનાઈ છે. બીજી બાજુ ગૃહસ્થાશ્રમ પાળવા છતાં પણ એ દશા પ્રાપ્ત થઈ શકે છે એવું "ણ સ્વીકારાયું છે. ત્યારપૂર્ણ ગૃહસ્થાશ્રમ હું સમજી શકું છું. પણ અંતકાળ સુધી પણ જેઓ સ્ત્રીસંગરૂ૫ ગૃહસ્થ ધર્મ આચરતા હોય છેદાખલા તરીકે સન્ત તુકારામ-તેમ સને શું નિર્વાણ દશાને પહોંચી શકે ખરા? જેઓ પિતાની સંતતિદ્વારા નવસજનની વૃતિમાંથી છુટયા નથી તેઓ પિતાના સર્જન તંતુરૂપ પુનર્જન્મમાંથી કેવી રીતે છુટી શકે ? ' ઉત્તર :
પ્રશ્ન આન્તાક અને બાહ્ય ધર્મો તેમજ તેવા આશ્રમોની કઢંગી સમજણમાંથી ઉભું થયું છે. ખરી રીતે અધ્યાત્મસાધના, નિર્વાણ, સંન્યસ્ત. આશ્રમ, ત્યાગ અને ગૃહસ્થાશ્રમ જેવા શબ્દોના દેખીતા વ્યાવહારિક અર્થ વચ્ચેનું અંતર વિવેકથી તપાસીએ તે તુકારામના દાખલામાં અસંગત જણાવાને કોઈ કારણ જ નથી. પ્રશ્નકારે એમ માની લીધું છે કે તુકારામ મેટા સંત હતા તે તે ગૃહસ્થાશ્રમમાં પૂરા સે ન્યસ્ત પણ હોવા જોઈએ અને તેને તેવા સંન્યસ્ત હોય તે સન્તતિ વાસના કેવી રીતે સંભવે? પરંતુ તુકારામ ગમે તેટલા વિચારક, વિશ્લેષણકાર, ભકત અને ત્યાગી હોય તે પણ તેઓ સંન્યાસની પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એમ કેમ કહી શકાય? અને જ્યારે તેમનામાં સન્તતિજનન યોગ્ય વ સનાને સદ્દભાવ માનવામાં આવ્યું હોય ત્યારે તેઓ સંન્યાસની કે ત્યાગની આન્તરિક પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એ માન્યતાને તે અવકોશ જ રહેતું નથી..
ગૃહસ્થાશ્રમમાં ત્યાગ અને સંન્યાસ ખરા અર્થમાં સંભવે છે અવશ્ય, પણ જેટલા પ્રમાણમાં ભેગ વાસના શમી કે ક્ષીણ થઈ હોય તેટલા જ પ્રમાણમાં ત્યાગ અને સન્યાસને વાસ્તવિક વિકાસ થાય છે. જે ગૃહસ્થાશ્રમમાં કે પિતાની વાસનાઓને તદ્દત નિમ્ળ કરે તે જ એનામાં પૂર્ણ ત્યાગ પૂર્ણ સંન્યાસ હોઈ શકે. એજ રીતે બાહ્ય દ્રષ્ટિએ ત્યાગી, સંન્યાસી કે સાધુ આશ્રમ સ્વીકાર્યા છતાં તેનામાં વાસનાનું પ્રમાણ ઓછું કે વધતું હોય તે તે દેખીતે ત્યાગી, સંન્યાસી કે સાધુ પણ બાહ્ય ગૃહસ્થાશ્રમમાં વસતી એવી પણ તાત્વિક રીતે વાસનાઓના શમન કે દમનમાં આગળ વધેલ વ્યકિત કરતાં ઉતરત જ છે એવું આધ્યાત્મિક સાધનાનું દ્રષ્ટિબિંદુ કહે છે.
પંડિત સુખલાલજી