SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૫૪ દેશો વચ્ચે મૈત્રી અને સહકારની ભાવના જરૂરી છે એમ આપણે માનીએ છીએ. આપણી નીતિ અથવા આપણા કાઇ પણ પગલાથી દુનિયાના મહા પ્રશ્નોમાં ભારે અગત્યને ફેરફાર થશે તેમ માનવાની આપણે કોઇ ભ્રમણા સેવતાનથી, પરંતુ કોઇક વખત આપણે કદાચ શાંતિનું પલ્લું નમાવવામાં મદદરૂપ થઇ શકીએ, અને એ શકય હાય તે તે દિશામાં કરવામાં આવતા દરેક પ્રયત્ન સાથૅક છે. શાંતિના અર્થ માત્ર યુધ્ધના અભાવ એવા નથી થતું. એ તે એક માનસિક સ્થિતિ છે. તે માનસિક સ્થિતિ આજના ભારેલા યુધ્ધની દુનિયામાંથી લગભગ સંપૂર્ણપણે અદૃશ્ય થઇ ગઇ છે. યુધ્ધની અને ભયની આ હવાને આધીન ન થવાના અને અપણા તેમ જ વિશ્વના પ્રશ્નોના શકય તેટલા નિઃસ્વાર્થ ભાવે વિચાર કરવાના આપણે પ્રયત્ન કર્યાં છે. આપણે માનીએ છીએ કે દુનિયા કેઇ ભયંકર દુઃખદ પરિસ્થિતિમાં સ``વાઇ જાય તે પણ દુનિયાના અમુક ભાગને શકય તેટલો તેનાથી અલગ રાખવા એ ઇચ્છનીય છે. તેથી જ આપણે જાહેર કર્યું છે કે હિંદું યુધ્ધમાં ભાગ લેશે નહીં. આપણે આશા રાખીએ છીએ કે એશિયાના બીજા દેશે! પણ તેવી જ રાતે દૂર રહેશે અને એક શાંતિક્ષેત્ર ઉભુ કરશે, જેમ જેમ આ ક્ષેત્ર મોટુ થતુ જશે તેમ તેમ યુધ્ધના ભય દૂર થતા જશે આખી દુનિયા જો એ મેટા પ્રતિસ્પર્ધી ખળામાં વહેંચાઇ જાય તે દુનિયાને માટે કે.ઈ આશા રહેતી નથી અને યુદ્ધ અનિવાર્ય થઇ પડે છે . પ્રભુધ્ધ જીવન આપણે ભયના વાતાવરણમાં કે ભયપૂર્વક રહેવા માંગતા નથી. કમનસીબે જો આક્રમણ આવી પડે તે તેના સામના સ પ્રકાર આપણે કરીશું. આના અનુબંધમાં આપણે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી પાકીસ્તાનને મળનારી લશ્કરી સહાયની દરખાસ્તના વિચાર કર્યાં છે. એમાં માત્ર એક સમૃદ્ધ અને શક્તિશાળી દેશે ખીજા અવિકસિત દેશને મદદ કરવાને પ્રશ્ન નથી. પરંતુ તેમાં એવાં તવે છે કે જે શાન્તિની સમસ્યાના તેમ જ એશિયના ખીજા દેશેશની સ્વતંત્રતાના મૂળમાં ઘા કરે છે. ભારત સહિત આ દેશોએ તાજેતરમાં જ સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. તે તેને લાયક હશે અને તેનુ રક્ષણ કરવા શક્તિમાન હશે ત્યાં સુધી જ તેને જાળવી શકશે. જે ક્ષણે તેમણે પેાતાના રક્ષણ માટે બીજાની ઉપર આધાર રાખવા શરૂ કર્યાં તે ક્ષણુથી સ્વતંત્ર તાના એટલા અંશ તે તેમણે ગુમાવી જ દીધો અને બાકીના અંશ પણ વિષ્યમાં હાથમાંથી સરકી જવાના. એશિયાના જે દેએ લાંબા વખત સુધી પરદેશી હકૂમત નીચે ભય'કર્ યાતનાઓ સહન કરી છે તેમને માટે આ કોઇ નાનીસૂની વાત નથી. તિહાસની દીદૃષ્ટિએ જોતાં આતા અય, જે સ્વતંત્રતા માટે આપણે બધા સૈકાઓ સુધી લડયા અને છેવટે ઈષ્ટ પરિણામ આવ્યું તેને જ ઉથલાવી નાંખવાના થાય છે. આમાં કોઇ પ્રકારના હેતુના સવાલ નથી, પરંતુ અમુક પગલાં જે અનિવાર્ય પણે ખીજાં કેટલાંક પગલાં તરફ લઇ જાય છે તેના પ્રશ્ન છે, આપણે સ્વતંત્રતા માટે ઝઝુમ્યા છીએ અને મૂલ્યવાન વારસાની જેમ તેનુ રક્ષણ કરીએ છીએ. શું હવે આપણે ભય અથવા અસહાયતાની લાગણીથી તેને જ જોખમમાં મૂકીશુ' ? એશિયાના દરેક દેશે આ પ્રશ્ન પેતાની જાતને પૂછવાના છે અને જવાબ આપવાના છે. અમેરિકાની આ લશ્કરી સહાયની દરખાસ્તની ખખતમાં પાકીસ્તાન તરફથી એટલાં બધાં પરસ્પરવિરોધી નિવેદન થયાં છે કે તેમાંથી સત્ય હકીકત તારવવી મુશ્કેલ છે. પરંતુ જે કાંઇ કહેવામાં આવ્યુ છે તે પરથી એટલું તે જરૂર નક્કી થાય છે કે આ કાંઇ હવાઇ વાતા નથી, તેની પાછળ ઘણું તથ્ય રહેલુ છે અને આ ૧૯૫ દરખાસ્ત પાછળ દૂરગામી પરિણામે રહેલાં છે એમ સૂચવતું પણ ઘણું કહેવામાં આવ્યુ છે. પાકીસ્તાન જો આ મદના સ્વીકાર કરે તે તે એકબીજા સામે મંડાયેલા મહાન રાષ્ટ્રસમૂહના એક ભાગ અને છે. તેથી તે ગર્ભિત રીતે યુદ્ધવિસ્તાર બની રહે છે અને તેની પરદેશનીતિ ક્રમશ; બીજાના હાથમાં જાય છે આ વાતના ઇનકાર કરવાના ભાગ્યે જ કાંઇ અર્થ છે. પરિણામે એશિયામાં સ્વતંત્રતાની પીછેહડ થાય છે અને ઐતિહાસિક પ્રવાહેાની દિશા પણ બદલાઇ જાય છે. ભારત માટે અનેક દૃષ્ટિએ આ મહત્વના પ્રશ્ન છે. આપણી સરહદ ઉપર યુધ્ધ આવી રહ્યું છે એ હકીકત જ આપણે માટે પૂરતી ગંભીર છે. વળી આ લશ્કરી સહાયના ઉપયોગ કદાચ ભારતની સામે જ થાય એ શકયતાની પણ. અવગણના કરી શકાય નહીં. હું અંતઃકરણથી શ્રધ્ધા રાખું છું કે આ તબકકે પણુ વિચારાઇ રહેલી આ કમનસીબ જના મૂર્ત સ્વરૂપ નહિ પાર્મે. આ શબ્દો હું કાઇ વૈરભાવથી નહીં પરંતુ પાકીસ્તાની પ્રજા સાથેના મૈત્રીભાવથી કહું છું. દેશના ભાગલા પડયા અને પાકીસ્તાનની સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી હું માનતે આવ્યો છું કે ભારત અને પાકી સ્તાને મિત્રતા અને સહકારપૂર્વક રહેવું જોઇએ. મારા આ મતને માત્ર કેંગ્રેસના જ નહીં પરંતુ પ્રજાના મોટા ભાગના લોકોના ટકા છે. પાકીસ્તાનની સ્વત ંત્રતાને આપણે સ્વીકારી છે અને કઈ રીતે તેને -- પડકારવાનો પ્રશ્ન કદિ છે જ નહિ, બીજો કોઇ પણ માર્ગ લેવા તે મૂર્ખતાની પરાકાષ્ટા જ લેખાય. તેથી આપણે પાકિસ્તાન પ્રત્યે હંમેશા શુભેચ્છા દાખવતા આવ્યા છીએ અને પાકિસ્તાની પ્રજાને પ્રગતિ અને આબાદી ઇચ્છતા રહ્યા છીએ. પાકીસ્તાન સાથે આપણને અંતેક બાબતે વિષે ઝગડા હતા અને તેમાંના કેટલાક આજે પણ વણુઉકલ્યા ઉભા છે. એ વાત સાચી, પરંતુ તેથી મૂળ પરિસ્થિતિ બદલાતી નથી કે ભારત અને પુકિસ્તાને મૈત્રીભાવથી રહેવુ જોઇએ, નહીં તો અન્નેને ધણું સહન કરવું પડશે અને સ્વતંત્રતા જોખમાશે, આપણા ઝધડાઓ આપણે પોતે જ સાથે મળીને પતાવવાના છે અને નહિ કે તેમાં ખીજા ને માથું મારવાના અધિકાર છે. બહારના દેશોની દખલગીરી ન હોત તો હું માનું છું કે અત્યાર સુધીમાં આમાંના કેટલાય ઝગડાઓના ઉકેલ આવી ગયા હૈાત. ખેત્રણ વર્ષ પહેલાં પાકીસ્તાનને મ્હે “આપણે પરસ્પર યુધ્ધ દિ નહિ કરીએ” એ મુજબની જાહેરાત કરવાની દરખાસ્ત કરી હતી. આનો અર્થ સ્પષ્ટ હતા કે કોઇ પણ સજોગામાં આપણે એ દેશા સામસામા લડીશુ નહીં. એ દરખાતના અસ્વીકાર થયા. આપણા પક્ષે એ દરખાસ્ત આજે પણ ઉભી જ છે, કારણ કે આપણને યુધ્ધ કદિ ખપતું જ નથી. આપણી નીતિના સ્વાભાવિક પરિણામ તરીકે આપણે પડોશના કા' પણ દેશ સાથે આ પ્રકારની સમજૂતિ કરવા તૈયાર છીએ, જેથી બન્ને પક્ષે આક્રમણ નહીં થાય તેની બાંહેધરી મળી શકે. પાકીસ્તાનને મળનારી લશ્કરી સહાયને પરિણામે ઉભી થએલી પરિસ્થિતિ વિષમ છે. આપણે તે તરફ મેધ્યાન રહી શકીએ નહીં. પરંતુ તેથી ગભરાવાની પણ જરૂર નથી. અલબત્ત આ પરિસ્થિતિ આપણા પક્ષે નવી જવાબદારી ઉભી કરે છે અને એક બાળતની આવશ્યકતા સૌથી વધારે મહત્વની બને છે અને તે છે રાષ્ટ્રીય સંગઠ્ઠન ઇતિહાસના લાંબા ગાળામાં અનેકવાર બહારથી આપણને ધમકી અપાઈ છે અને આપણા ઉપર આક્રમણા થયાં છે. જ્યારે જ્યારે આવા આકમણની સામે આપણે હારી ગયા છીએ . અને આપણા દેશ છિન્નભિન્ન કે પરાજિત થઈ ગયા છે ત્યારે ત્યારે તેના મૂળમાં શસ્ત્રો કે શકિતને અભાવ નહીં પરંતુ આન્તરિક નબળાઈ જ હતી. અનુવાદક : હુંસા રોડ અપૂર્ણ
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy