________________
' કાક'
૧૪
. પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૫૪
આ ,
શેભે તેવો તે એક જ રહે છે અને હું માનું છું કે આપણા
પ્રજાને તે માન્ય છે. એ . જે હેતુસર રીપેટ્રીએશન કમીશનની નિમણુંક થઈ હતી તે
હેતુ સંપૂર્ણપણે સિધ્ધ થયો નથી. ઘણુ યુદ્ધકેદીઓને ખુલાસે સાંભળવાની તક મળી નથી. અને ઘણા પ્રશ્નોના નિકાલ લાવવા માટે જે રાજકીય પરિષદ મળવાની હતી તે પણ હજુ મળી નથી. સામાન્ય રીતે તે બીજું પગલું લેવાય તે પહેલાં આ બધી ક્રિયાઓ પૂરી થઈ જવી જોઈતી હતી, પણ સમયની મર્યાદાથી આપણે બંધાઈ ગયા હતા અને બન્ને પક્ષની સંમતિ વિના આપણે તેનાથી આગળ જઈ શકીએ તેમ નહોતું. બન્ને પક્ષની સંમતિ શકય ન બની અને આપણે માટે ખુલ્લે એ એક જ માર્ગ આપણે લેવો પડશે. એ સિવાયના બીજા કોઈ પણ રસ્તાનું પરિણામ હિંસા અને
અરાજકતામાં આવતા ' ' યુદ્ધકેદીઓને પાછા મેકલવાનું કામ પૂરું નહેતું થયું, તેથી એ આ સંજોગોમાં આપણે કેદીઓને છેડી પણ શકતા નહોતા અને તેમને | સ્વતંત્ર નાગરિક તરીકે પણ જાહેર કરી શકતા નહોતા. આપણે
તેમને આપણા કબજામાં રાખી શકતા ન હતા, કારણ કે અમુક તારીખ પછી તેમને તેમ રાખવાની આપણી પાસે કોઈ સત્તા નહોતી. ઘણા વિચારોને અને આપણને લાગ્યું હતું કે એક પક્ષના આગ્રહથી નહીં પરંતુ બન્ને પક્ષની સંમતિથી જ આપણે આગળ પગલું ભરી શકીએ.
આપણે સતત યાદ રાખવું જોઈએ કે કોરિયામાં શાંતિની પુનઃસ્થાપના અને પરસ્પર સમજૂતી એ આપણો મુખ્ય હેતુ છે.
યુદ્ધવિરામના કરારમાં રાજકીય પરિષદને મુદ્દો આ હેતુને માટે જ , , : મૂકેલે હતે. હું આશા રાખું છું કે આ પરિષદ વહેલી મળશે અને
મુદ્દાઓ અને પ્રશ્નો વિચારશે અને નિર્ણય લેશે.
રીપેટ્ટીએશન કમીશનમાં કામ કરતા આપણા પ્રતિનિધિઓ અને કોરિયાના આપણા સેનાદળને ઘણા મુશ્કેલ પ્રશ્નોને સામને કરવું પડે છે. પિતાનું કાર્ય તેઓએ વિલક્ષણ કુશળતાથી પાર પાડયું છે. આપણે તેમને શુભેચ્છા પાઠવીએ. તમારા વતી તેમને હું કહેવા માંગું છું કે આપણે તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ અને કરિયામાં કરેલા તેમના કામને માટે આપણે મગરૂર છીએ તેમ સમજીને તેઓ પોતાની કામગીરી ચાલુ રાખે. | સ્વરાજ્યપ્રાપ્તિ પછી આપણું તાકીદનું કાર્ય લોકોની આર્થિક સ્થિતિ સુધારવાનું, તેનું જીવનધોરણ ઉંચે લાવવાનું, ગરીબીને શાપ દૂર કરવાનું અને સમાનતા તથા સામાજિક ન્યાયની સ્થાપના કરવાનું છે. આ મહાન કાર્યમાં આપણે જેટલે અંશે સફળ કે નિષ્ફળ નીવડીશું તેટલે અંશે આપણી સિદ્ધિઓની કિંમત અંકાશે. તેથી આ કાર્યો પાર પાડવાની આપણી પ્રથમ ફરજ રહે
છે અને રહેશે. - , પરંતુ દુનિયા બધી બાજુથી આપણી નજીક આવી રહી છે, . જાણે કે આપણને ઘેરી રહી છે. તેથી બીજા દેશોમાં અને ખાસ ન કરીને એશિયામાં જે બનાવ બને છે તેથી આપણે અલિપ્ત રહી
શકીએ નહીં. અણુયુગના ઉંબરે આજે આપણે ઉભા છીએ જે આખી દુનિયાને એક એકમમાં ગૂંચી રહેલ છે–પછી તે ભલાને માટે હો કે બુરા માટે હો. દક્ષિણ એશિયામાં હિંદ પિતાના ભૌગોલિક સ્થાનને લીધે વર્ષોથી એશિયાના બીજા દેશો સાથે નિકટના સંબંધ વડે સંકળાયેલું રહ્યું છે. ભૂગોળને આપણે બદલી કે અવગણી ન જ શકીએ. .
* આથી આપણે દુનિયા પ્રત્યે સમગ્ર દષ્ટિ ખીલવવી પડશે, કારણ કે આપણે એકાકી રહી શકીએ તેમ નથી. આનો અર્થ
એ નથી કે આપણે બીજાના પ્રદેશમાં દખલગીરી કરવી કે આપણા દેશમાં બીજાની દખલગીરીને સહન કરી લેવી. પરંતુ દુનિયાના દેશે અને પ્રજાઓ વચ્ચે વધુ સુમેળની જરૂર તે છે જ. કારણ કે તે સિવાયને એક માત્ર માર્ગ પ્રચંડ ઘર્ષણ અને ભયંકર વિનાશને જ છે.
આ સહકારની વૃત્તિને બદલે તેથી ઉલટું જ કાંઈક આજે નજરે પડે છે. મહાન અને શકિતશાળી દેશે સામસામાં યુદ્ધ માટે ગોઠવાઈ ગયા છે અને એક બીજા ઉપર આક્રમક યોજનાઓના આક્ષેપ મૂકે છે. આ ઘર્ષણ અને તેણે ફેલાવેલા ભયના વાતાવરણથી દુનિયા થાકી અને કંટાળી ગઈ છે. કોઈને યુધ્ધ જોઇતું નથી અને તેમ છતાં કઈક વિચિત્ર નિર્માણના જોરે આપણા જીવનમાં યુદ્ધના વિચારે જ પ્રધાનપદ ભોગવે છે.
શું યુધ્ધ આવે તો તે આપણને મૂંઝવતા કઈ પણ પ્રશ્નને ઉકેલ લાવી શકશે ખરું? ના, ઉકેલ કદ લાવી નહીં શકે એ સ્પષ્ટ છે. તે માત્ર લાવશે અનહદ વિનાશ અને આધુનિક સંસ્કૃતિ અને સંસ્કારિતાના પાયાને જ કદાચ તોડી પાડશે. આખી યે માનવજાત પાયમાલ થશે અને આજે આપણને મૂંઝવી રહ્યા છે તેથીય ઘણા મોટા પ્રશ્નો આપણી સામે ઉભા થશે. તેથી યુધ્ધ તે નિવારવું જ જોઈએ, કારણકે આજના સંજોગોમાં એથી વધારે અનિષ્ટ બીજું કઈ નથી. યુદ્ધને માર્ગે લઈ જનારા બીજા બધા પ્રયાસો . નિમરવાના રહેશે અને આપણા પ્રશ્નોને ઉકેલ આપણે બીજી રીતે શોધવાનું રહેશે. તેથી આજે જે તંગદીલીભરી પરિસ્થિતિ જ્યાં
જ્યાં વિદ્યમાન છે ત્યાં ત્યાંની તંગદીલી ઓછી કરવી તે સૌથી પ્રથમ પગલું છે
અગ્રસ્થાન ભેગવવા રાષ્ટ્રોના બે શક્તિશાળી જૂથ એકબીજાની સામે થયા છે. એક છે સામ્યવાદી જૂથ અને બીજું લોકસત્તાવાદી અથવા સામ્યવાળું વિરોધી જૂથ. જેઓ આ બેમાંથી એકકે જૂથમાં જોડાવા નથી માંગતા તેઓ પિતાની જાત સંભાળીને ઉભા છે એ બન્ને જુથવાળા તેમની ટીકા કરે છે; કેમ જાણે બે છેડા સિવાય ' ત્રીજો કોઈ વિકલ્પ જ ન હોય?
આપણ નીતિ તટસ્થતાની અને બધા દેશની સાથે મૈત્રીભાવ જાળવવાની છે. આપણે એ નીતિ સ્વીકારી છે, કારણકે આપણે અંતગત રીતે રાન્તિને વરેલા છીએ, એટલું જ નહીં પશુ આપણા દેશની પાયાની વિચાર-ભૂમિકા અને આપણા સિદ્ધાંતને આપણે બિનવફાદાર થઈ શકતા નથી. આપણને ખાત્રી થઈ છે કે આજના પ્રશ્નોને શાન્તિપૂર્વક ઉકેલ નીકળી શકે તેમ છે અને દરેક દેશ પિતાની ઇચ્છા બીજા ઉપર લાધા સિવાય પિતાનું જીવન બરોબર ચલાવી શકે તેમ છે. .
આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક છે અને આપણું હેતુઓ આપણે ઘડેલા બંધારણમાં નેધાયેલા છે આપણું રાષ્ટ્રપિતાના કથન મુજબ ઉચ્ચ ધ્યેય સિદ્ધ કરવા માટે ગમે તેવા સાધનો ઉપયોગ વ્યાજબી કરતા નથી, આ આપણે કદિ ભૂલી શકતા નથી. આજે દુનિયાની ઘણીખરી મુશ્કેલીઓ, લેકે આ મૂળભૂત સિદ્ધાંતને ભૂલી ગયા છે અને પિતાના સાધ્યને પાર પાડવા ગમે તે સાધનને ઉપયોગ કરવા તૈયાર થયા છે તેને જ આભારી છે. પરિણામે લોકશાહીના રક્ષણ અર્થે અને સ્વતંત્રતાને નામે એવું વાતાવરણ ઉભું થાય છે કે જે લોકશાહીને ગૂંગળાવી નાખે છે અને સ્વતંત્રતાને રૂંધે છે અને અંતમાં બન્નેને કદાચ નાશ કરે છે. '
આપણે કઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની નેતાગીરી પ્રાપ્ત કરવાને મેહ ધરાવતા નથી કે તે કઇ દાવો કરતા નથી. કોઈ પણ દેશના રાજ્યવહીવટમાં આપણે વચ્ચે આવવા માંગતાં નથી અને આપણા રાજ્યવહીવટમાં બહારની કોઈ દખલગીરીને ચલાવી લેવા આપણે તૈયાર નથી. અનેક રીતે ભિન્ન હોવા છતાં દુનિયાના
અને