SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨–૧૯૫૪ પ્રબુધ્ધ જીવન ૧૭૩ ના બાવા છે. આ કરાર મુજબ સુલભ ચલણમાં વ્યાપાર થશે, અને ડેલરની જરૂર નહીં રહે. આ કરાર આપણા પરદેશ સાથેના વ્યાપારના ઈતિ- હાસમાં એક નવું પાનું ઉધાડે છે. આ કરારની વિપરીત અસર રાજકીય ક્ષેત્રે ન પડે તે અંગે તકેદારી રાખવામાં આવી છે. ભારત અને પશ્ચિમ જર્મની વચ્ચેની, વ્યાપારી મંત્રણાઓ શરૂ થઈ ચૂકી છે. તા૦ ૩૧ મી જાન્યુઆરીને રોજ ચાલુ કરારને અંત આવે છે. જાણકાર મંડળે ધારે છે કે ચાલુ કરાર પ્રમાણે માલની આપલે સંતોષકારક રહેવા પામી હોવાથી નવા વ્યાપારી કરારેમાં ખાસ કાંઈ ફેરફાર થવાનો સંભવ નથી, રૂ. ૭૧ કરોડને ખર્ચે એક જંગી પિલાદનું કારખાનું સરકાર હસ્તક ઉભું કરવા અંગે તાજેતરમાં ભારત સરકારે જર્મન કંપનીઓ સાથે કરાર કર્યા છે. આ કારખાનાનું સ્થળ નક્કી થયા પછી ચાર વર્ષે આ કારખાનામાંથી ઉત્પાદન બહાર પડશે. વ્યાપારી કરારો ઉપરાંત નિકાશ વધારવામાં ઔદ્યોગિક અને વ્યાપાર વિષયક પ્રદર્શને પણ અગત્યને ભાગ ભજવે છે. યુરોપમાં ભરાયેલા કેટલાક પ્રદર્શનમાં ભારતે પોતાને માલ દેખાડયું હતું. નિકાસ થતાં માલને વ્યાપક જાહેરાત મળે તે હેતુથી ભારતમાં મેટા પાયા પર ઉજવાતા પ્રજાસત્તાક દિને સીંગાપુરમાં અને એપ્રીલ માસમાં કરે ખાતે પ્રદર્શને ભરવાનું ભારત સરકારે નક્કી કર્યું છે. ભારતીય નિકાસ માલની રજુઆત માટે બ્રસેલ્સ, મનીલા અને ‘કલા ખાતે પણ શો રૂમ્સ’ રાખવાની ભારત સરકારે જાહેરાત કરી છે. આ પ્રયાસે ઉપરાંત નિકાસ વધારવાના કાર્યની સાંકળમાં બિન-સત્તાવાર” પ્રતિનિધિમંડળે પણ એક અગત્યની કડીનું કામ કરે છે. વ્યાપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ ધરાવતા આવા બિનસત્તાવાર પ્રતિનિધિમંડળે તાજેતરમાં ઈજીપ્ત અને જાપાન તથા દૂર પૂર્વના દેશમાં મુલાકાતે ગયા હતા. “ ઉત્પાદન વધારે ને વધુ નિકાસ કરે ? તે દિશામાં આ બધાં જરૂરી પગલાંઓ છે. કાન્તિલાલ બડિયા તેના પછી તરત જ બીજી એક પુણ્યતિથિ આવે છે. આપણું રાષ્ટ્રપિતાના બલિદાનના દિવસે આપણે આપણા હૃદયમાં ઉડી દષ્ટિ કરીએ અને તેમના સિધ્ધાંતોને આપણે કેટલા વફાદાર રહ્યા છીએ તે શોધવા પ્રયત્ન કરીએ. અવનવી ઘટનાઓનું અને મહત્વના બનાવેનું આવું વિચિત્ર મીશ્રણ તે આજની દુનિયાના પ્રતિકસમું છે. આપણે કાબૂમાં નથી રાખી શકતા તેવાં બળથી આપણે ચોતરફ ખેંચાયા કરીએ છીએ. પૂ. ગાંધીજીએ જે સિધ્ધાંતમાં શ્રદ્ધા રાખતાં આપણને શીખવ્યું હતું તે સિધ્ધતિ દૃઢ આધારસમાં આપણી સમક્ષ ખડા છે. પોષક અને બળદાયક આશા અને શ્રધ્ધા પણ આપણી પાસે છે. અને વળી આપણને પાયામાંથી સમૂળા ઉખેડી નાંખવાનો પ્રયત્ન કરતા તરફથી ધસતા ભય ધિક્કાર અને હિંસાથી પણ આપણે ઘેરાયેલા છીએ. વળી ભારેલા યુદ્ધના જે ઓળા પડે છે તે આ યુધની કાળઘેરી રાત્રીમાં પરિણમશે કે માનવતાને માટે નૂતન આશાના પ્રભાત અને સુર્યપ્રકાશના આવાહક બનશે એ વિષે આપણે કશું પણ વિશ્વાસપૂર્વક કહેવાની સ્થિતિમાં નથી. આમથી તેમ ઉથલાવવાને મથતા પરસ્પર વિરોધી બળાની વચ્ચે વર્તમાન કાળમાં તલવારની ધાર ઉપર સમતોલપણું સાચવવું તે અત્યંત દુષ્કર કાર્ય છે. આપણુ પરમ સૌભાગ્યે પૂ. ગાંધીજીએ આપણને જે પ્રેરણા આપી હતી તે હજી આપણે જીવતી રાખી છે. કદી કદી તેમને ઉપદેશ આપણે વિસરી જઈએ છીએ. એમ છતાં પણ તે પ્રેરણાને પ્રકાશ આપણા મન અને દિલને હજુ અજવાળી રહ્યો છે. કોરિયામાં ન્યુટ્રલ નેશનલ રીપેટ્રીએશન કમીશનનું પ્રમુખસ્થાન લેવાની અને આપણું લશ્કર મોકલવાની ભારે જવાબદારી આપણે સ્વીકારી હતી. સંકટગ્રસ્ત અને યુધ્ધપીડિત એ દેશમાં શાંતિ સ્થાપવામાં અને કોરિયાના યુધ્ધને અંત લાવવામાં આપણે ફાળે આપવાના હેતુથી એ કાર્ય સ્વીકારેલું. આજે અથવા નજદિકના ભવિષ્યમાં ગમે તે બને, એમ છતાં પણ અત્યંત નમ્રતાપૂર્વક આપણે દાવો કરી શકીશું કે આ યુદ્ધ પ્રવૃત્તિઓને અંત લાવવા માટે આપણે આપણાથી બનતું કર્યું છે. શાંતિની ભાવનાથી આ રીતે આપણે અમુક ઉપાસના કરી છે અને સંયુક્ત રાષ્ટ્રની સમક્ષ આપણે જે યુદ્ધકેદીઓ અંગેના ઠરાવ રજૂ કર્યા છે તેનું સાચું મૂલ્યાંકન પણું આ દૃષ્ટિબિંદુથી કરવું જોઈએ. આ કાંઈ સહેલું અને સરળ કામ ન હતું. બન્ને તરફથી સેવાયેલા વિરોધ, વહેમ અને કડવાશની વચ્ચે આપણે કામ કરવું પડયું છે. અને બન્ને પક્ષ તરફથી આપણી ઉપર ભાતભાતના આક્ષેપ થયા છે. આપણી નિષ્પક્ષતા અને તટસ્થતા ઉપર પણ ચિત્રવિચિત્ર કટાક્ષ મૂકાયા છે. અને દક્ષિણ કોરિયાના પ્રમુખશ્રીએ ધાકધમકી અને અપમાનથી આપણને નવાજવા છે. આ બધું છતાં પણ આપણે આપણી જવાબદારીઓ સતત અદા કરતા રહ્યા છીએ. શાંત અને ન્યાયી ઉકેલને વેગ આપવાના આપણા પરમ ધ્યેયમાંથી જરા પણ ચલિત થયા વિના અને કોઈ પણ પ્રકારના દબાણને વશ થયા વિના આપણે કામ કર્યું ગયા છીએ. બીનપક્ષી અને સ્વતંત્ર, રહેવાની આપણી મૂળભૂત નીતિને અને અહિંસક દષ્ટિબિંદુને વળગી રહેવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આ કોરિયાને પ્રશ્ન આપણી વિદેશનીતિને માટે એક કસોટી સમાન બન્યા છે. આશા રાખીએ કે આપણને તેમજ બીજા સૌને તે એક નાનકડા પદાર્થપાઠ અને દષ્ટાંતસમે બનશે. આપણે મુશ્કેલ પ્રમને સામને કર પડશે અને કદાચ ઘણાને પસંદ ન પડે તેવા નિર્ણ લેવા પડશે. પણ આપણા પ્રયત્નમાં અને આપણી ફરજ બજાવવામાં આપણે મકકમ રહીશું. આપણું ઉજ્જળ વારસાને પંડિતજીનું પ્રતિભાપૂર્ણ પ્રવચન (કલ્યાણી ખાતે તા. ૨૩ તથા ૨૪ મી જાન્યુઆરીના રોજ મળેલા રાષ્ટ્રીય મહાસભાની ૫૯ મા અધિવેશનના અધ્યક્ષ સ્થાનેથી મહાઅમાખ્ય N, જવાહરલાલ નહેરૂએ આપુલા અંગ્રેજી પ્રવચનને મહત્વના ભાગોને શ્રી. હંસાબહેન રેડે કરેલ અનુવાદ નીચે ક્રમશ: પ્રગટ કરવામાં કરે અનુલક પ્રવચન અને મહા છે. તપ ' - આજે આપણે કટોકટીના સમયમાં એકઠા થયા છીએ. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે કોઈ એક પ્રકારની કટોકટી ચાલુ ને ચાલુ જ હોય છે અને દુનિયા આશા અને ભય વચ્ચે ઝોલ ખાતી રહે છે. આ સંજોગોમાં પણ એટલું તે આપણે સ્વીકારવું જ રહ્યું કે આજે વર્તમાનમાં અને તત્કાળ ભવિષ્યમાં દુનિયા અનેક વિશિષ્ટ મુશ્કેલીઓને અને ભયસ્થાનને સામને કરી રહી છે. આ હું લખી કે બોલી રહ્યો છું તે વખતે પણ નજદિકના ભવિષ્યમાં શું થશે તે હું જાણતો નથી. મહાસભાની બેઠકમાં આપણે સૌ ભેગા થયા છીએ તે આજ દિવસ પણ કટી ભરેલે છે. મરણ કે "કરિયાની કરુણુ કથામાં આજના દિવસે એક મહત્વપૂર્ણ કાંડ ભજવાઈ રહ્યું છે. બે દિવસ પછી ચોર મહારાજ્યના આગેવાન પ્રતિનિધિઓ બલનમાં મળવાના છે. તે સભાનું શું પરિણામ આવે છે તે ઉપરથી કદાચ કયું પલ્લું નમતું જોખાશે તે કહી શકાશે. પછીના દિવસે ૨૬ મી જાન્યુઆરીએ આપણા પ્રજાસત્તાક રાજ્યની ચેથી વર્ષગાંઠ આપણે ઉજવવાના છીએ. ૨૪ વર્ષથી જે દિવસે આપણી પ્રજા ફરી ફરીને મહાન દયની સેવા કરવાની પ્રતિજ્ઞા લેતી આવી છે તે આ ઐતિહાસિક અને ધન્ય દિવસ છે. !
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy