SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ આ - -- - -- ' કર્યું અને નથુરામ શમૉની ગાદીએ નાનાભાઈ આવશે એવી વાત રીતે કામતૃપ્તિનું જરૂરી મહત્ત્વ સ્વીકારવાથી આપણા આચાર - તા. ૧-૧૨–૫૪ પ્રબુદ્ધ જીવન ૧૭૯ અને ધરમાં એ એકલા હશે કે એને કોઈ પાસે અલગ જગ્યા રાખવામાં આવી હશે ? એ શ્રાવકને ઘેર વહોરવા જતા હશે ત્યારે રસેડા સુધી આવતા હશે કે ઘરની બહાર એના પાતરામાં રોટલી ફેંકવામાં આવતી હશે? એ સાધુ મંડળીમાં સાથે પ્રતિક્રમણ કરતા હશે કે એને ચેતરો જુદે જમાવતા હશે ! અને મેતાર્થ મુનિનું શું? એને તે વાધરીએ વીંટાળ્યા ત્યારે તે કદાચ સનીના ઘરમાં એ એકલા હશે, પણ અંતકૃકેવળી થઈ મોક્ષ ગયા ત્યારે તેના મૃતકને કઈ અડયું હશે કે એને કોઈ પાસે ઢસડાવી તેને દૂર પ્રદેશમાં અગ્નિસંસ્કાર કર્યો હશે ? અને માળ્યા મારનાર હરિબળ મુછીને આ પ્રસંગ શું બતાવે છે? આવા તે અનેક દાખલા છે. એટલે જૈન ધર્મ આત્માનું જ સ્વરૂપ બતાવે છે, ક્રમસાધ્ય મુકિતમાર્ગ બતાવે છે, સર્વ જીવેને માટે એગ્ય સામગ્રીને સદ્ભાવે ગ્ય તૈયારી કરવાની લાયકાત બતાવે છે તે જોતાં અમુક કુળમાં જન્મ થવાને કારણે એની દીક્ષા લેવાની કે આત્મસાધન કરવાની લાયકાત ચાલી જતી હોય એમ લાગતું નથી. અને આગળને એક પણ પાઠ ઢેઢભંગીને ધર્મ કરતે અટકાવે કે નાલાયક ગણે એ જાણવામાં નથી. અને જે ઐતિહાસિક દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તે દીવા જેવું દેખાય તેમ છે કે બ્રાહ્મણુને જ્ઞાનને આખો ઈજા તોડી પાડવાની જે મહાન હીલચાલ તે યુગમાં થઈ તેમાં જૈન અને બૌધ સંસ્કૃતિએ મોટો ફાળો આપે. બ્રાહ્મણોની માતા હતી કે વેદને અભ્યાસ બ્રાહ્મણ જ કરી શકે, અમુક વર્ણને માથે અમુક કાર્ય હોય, ધર્મ સંસ્કાર બ્રાહ્મણે જ કરાવી શકે- એ આખી બાબત સામે ધુજા કરનાર તે કાળમાં ઘણા મતે ચાલતા હતા. તેમાં જૈન, બૌદ્ધ, આજિવક મતને અગ્રસ્થાન હતું, એ મતેઓ બ્રાહ્મણને મદ તે, એ માએ બ્રાહ્મણની એકહથ્થુ સત્તા પર આક્રમણ કર્યું અને ખુદ ક૯પસૂત્રમાં પાઠ મુકાવ્યો કે અરિહત ચક્રવતી, બળદેવ, વાસુદેવ તુચકુળમાં, દરિદ્રકુળમાં, બ્રાહ્મણકુળમાં ન આવે; અરિહંત, ચક્રવતી, બળદેવ, વાસુદેવ રાજકુળમાં, ભેગકુળમાં હરિવંશકુળમાં, ક્ષત્રિયકુળમાં થાય.” આ મહાન સત્રની પાછળ તે મોટો ગંભીર ઈતિહાસ છે. મહાવીરસ્વામી, સિદ્ધાર્થ બુદ્ધ મહારાજા અને બીજી મહાન ધર્મધુરંધર ક્ષત્રિય કુળમાં થયા અને બ્રાહ્મણોનું સમ્રાજ્ય તોડી નાખ્યું. મતલબ, વર્ણનો નાશ કરે એ જૈન ધર્મનું બિરૂદ હતું એમ ઈતિહાસ કહે છે, પ્રાચીન ગ્રં સાક્ષી પુરે છે અને વિક્રમ સંવત એક હજાર સુધી જૈન ધર્મની એ સ્થિતિ કાયમ હતી. તેના પાકકા પુરાવા છે. જૈન ધર્મ પામે તે જૈન, શુદ્ધ દેવ, શુધ ગુરુ, શુદ્ધ ધર્મને પરિચય કરી તેને સ્વીકારે તે જૈન. એમાં જૈનને દીકરી જૈન એવી વાત નહેતી, એમાં એસવાળ, શ્રીમાળ કે પરવાડ અગ્રવાળ હોય તે જ જૈન એવી સ્થિતિ નહતી અને જે પ્રકારને જૈન ધર્મ ગુણસ્થાનક્રમારાની નજરે શ્રી વીરપરમાત્માએ બતાવ્યા છે એ દ્રષ્ટિએ હાઈ પણ શકે નહિ. જૈન એ કેમ નથી, જૈન એ વાદ નથી, જૈન તા અભિાની દશા છે. એમાં સાતિને, વાડાન, મંડળાને સ્થાન ન હોય. આત્માનું અનન્ત તેજ સમજે, સાચા માર્ગની સટણા કરે, આત્માને વિકાસ પડે તે જૈન. મહાન ઉપાધ્યાય શ્રી યશવિજયજી “જૈન કહે કહ્યું હવેના સ્વાધ્યાયમાં જેનની બરાબર વ્યાખ્યા આપે છે. એમાં વાણીઆ જ જૈન હોય એમ કહેતા નથી, પણ એમની વ્યાખ્યામાં આવનાર કોઈ પણ અતિમાં જૈન હોય છે એમ કહે છે. ત્યાં ઢેઢ કે ચંડાળના કુળમાં જન્મનારને અધિકાર જૈન થવાને અંગે જરા પણ કમી કરવામાં આવ્યું નથી. અને અનંત સંસારમાં રખડનારને ધર્મપ્રાપ્તિ કયારે થશે, કેમ , થશે એ જે આપણે ન જાણતા હોઈએ તે તેના માર્ગમાં વચ્ચે આવનાર અથવા એને મંદિરમાં પ્રવેશ કરવા માટે ના પાડનાર આપણે કોણ? એ તે જૈન ધર્મના મૂળ પાયાને ઉથલાવી નાખવા જેવી છે ભયંકર દશા છે અને જૈન વિકાસ માર્ગ વિષે નમું અજ્ઞાન દર્શાવનાર વાડાભૂમિ છે. વિશાળ જૈન ધર્મને વાડા ન હોય, વિશાળ જૈન ધર્મને મર્યાદા ન હોય, વિશાળ જૈન ધર્મને અનાર્ય દેશ કે ભૂમિ ન હોય. જ્યાં હોય ત્યાં, જે હોય તે, ગમે તે દિશામાં ભગવાનના માર્ગને સ્વીકારે, આદર, આચરે તે જૈન, અને તે માટેના પ્રસંગ પ્રાપ્ત કરી આપવાની ગોઠવણ કરવાની આપણી . ફરજ રહે એ તે ઠીક, પણ કાંઈ નહિ તે તેમાં આપણે પ્રત્યવાય તે ઉભા તે ન જ કરીએ. ઇતિહાસ કહે છે કે વણે અને આશ્રમ સામે મેટામાં મે વિરોધ ઉભું કરનાર જૈન ધર્મ છે. એના મુખ્ય અધિષ્ટાતામાં પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીને વગર આકાંક્ષાએ ઈતિહાસે સ્થાન આપેલ છે. સંવત ૧૦૦૦ પછી જે વાડાધર્મ થઈ ગયે તેના બેગ બનવા પહેલાં આપણે વીર પરમાત્માએ બતાવેલ અને શ્રી સુધર્માસ્વામીએ સત્રસિધ્ધાંતરૂપે ગુંથેલ આગમે જોઈ જઈએ. જો એક પણ સુત્ર એવું નીકળે કે અમુક કુળમાં જન્મ થવાને કારણે પ્રાણીની મેક્ષમાં જવાની ચોગ્યતા ઘટી જાય છે કે ગુમ થઈ જાય છે તે ઉપરની હકીક્ત રદબાતલ ગણવી, પણ ઘણી ચર્ચા અને અવગાહનને અંતે હું જણાવવાની રજા લઉં છું કે આ વાત જૈન ધર્મમાં હોય નહિ, છે નહિ, હોઈ શકે નહિ. જે આત્મવાદ, સ્વપરસ્વરૂપ, કર્મને સિધ્ધાંત, ગુણસ્થાનક્રમારોહ અને પરભવ ભવન્તરનું જે સ્વરૂપ ભગવાને બતાવ્યું છે તેમાં “અછુત” વર્ણને અધિકાર કાપી નાંખવામાં આવે છે એવી વાત આગમગ્રંથમાં નીકળે તે જૈન ધર્મનું જે સ્વરૂપ અત્યાર સુધી દુનિયાએ જાણ્યું છે તેમાં માટે વિચારફેરફાર કર પડે. આપને આધારભૂત રીતે જણાવવાની રજા લઉં છું કે આવી કોઈ પણ બાબત વિશાળ જૈન ધર્મમાં નથી. મેં વિશિષ્ટ અભ્યાસીઓ સાથે આ વિષય પર અનેકવાર લાંબા વખત સુધી ચર્ચા કરી છે અને તેમણે રવીકાર કર્યો છે કે વર્ણ કે આશ્રમ જેવી કઈ ચીજ જૈન ધર્મમાં નથી અને આવા વિશાળ ધર્મમાં વર્ણભાવના હોઈ પણ શકે ખરી ? અને શાસ્ત્રના દાખલાઓને કેમ વિસારી મૂકાય? ઉત્તરાધ્યયન સુત્રમાં તે આ વિષય પર એક આખું અધ્યયન છે. સ્પષ્ટતા ખાતર જણાવવું પડશે કે વર્ણ ચાર જાણવામાં છે, તેવા જ ચાર આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ,વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ છે. જૈન મતે એ આશ્રમભેદ સ્વીકાર્યો નથી. એ તે હેમચંદ્રાચાર્યને યોગ જાણે તે બ્રહ્મચર્યાશ્રમ દરમિયાન ચેથા આશ્રમમાં મૂકી આપે. આ વર્ષે અને આશ્રમને તેડનાર જૈન ધર્મ હરિજનને મંદિરમાં પ્રવેશ કરવાની ના પાડે એ આખા જૈન ધર્મના સ્વરૂપનું જ્ઞાન અથવા પાછળના વિકૃત સ્વરૂપને સ્વીકાર બતાવે છે, મૂળ માર્ગમાં એ વાત નહોતી, હોઈ શકે નહિ, એની વિરૂદ્ધના દાખલા કાયમ થઈ ગયેલા છે અને જૈનને પ્રથમના પંદર વર્ષને ઈતિહાસ તેની સાક્ષી પુરી રહ્યો છે. હું અને બ્રાહ્મણકુળને અધમ તુચ્છ કુળ શા માટે કહ્યું? બ્રાહ્મણ કુળમાં અવતારે નાચ ગાત્રને ઉદય શા માટે ? આ આવી વાત ખૂબ વિચારણા માગે છે. એની પાછળ જૈન તત્વજ્ઞાન અને જૈન વિચારસરણીની મહત્તા રહેલી છે. એમાં મનુષ્યના ધર્મસામ્રાજ્યના સ્વાતંત્ર્યની પરાકાષ્ઠા છે. એમાં મનુષ્ય ઈશ્વર થઈ શકે એ મહાન વિભૂતિના જ્વલંત ચમકારા છે, એમાં મનુષ્ય-સમાનતાના વિશિષ્ટ પાઠ છે, એમાં આદર્શ જીવનના અવશેષે છે, અને એમાં જીવ તું આત્માની અનંત શકિતને પર છે. કે આ રીતે હરિજન મંદિર પ્રવેશમાં આપણે આડા આવવા જેવું મને કાંઈ દેખાતું નથી. માત્ર છેલ્લાં બસે પાંચ વર્ષથી જે સંકુચિત મનોદશા ધર્મક્ષેત્રમાં થઈ પડી છે અને ધર્મને વાડામાં - કુળમાં સાકળને અધમ સાથી પર રહ્યો છે.
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy