________________
*
*
'
,
+;
+
T
૧૭૬
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧-૧ર-૧૯૫૪
વિર મા કલ ઉજવ્યું છે
-
-
થઈ જતું. તેમ છતાં જે સદગુણ જીવનને વિકાસ કરનારા છે તે નહીંજ ખીલતા એમ અત્યારે સમજી શકું છું. પાઠશાળામાં જ વારાફરતી એક આંબિલ અવશ્ય કરવામાં આવતું. તે માટે વિધાર્થિઓના વારા ગોઠવાયા હતા. આ ફરજ ઘણું કરીને મુનિઓની ઉપર નહીં લદાયેલી. મહારાજશ્રી ધર્મવિજયજી ભારે ચતુર હતા પણ સાધુ હેવાથી સાધુઓના જ વિશેષ તરફદાર હતા. એટલે એમની વ્યવસ્થા કેટલેક અંશે અધૂરી રહે એ સ્વાભાવિક જ છે. અમારી પાઠશાળાના પ્રધાન આશ્રયદાતા શેઠ વીરચંદ દીપચંદ ભારે ઉદાર, વિધાપ્રેમી અને વિશિષ્ટ પ્રકારના સજ્જન હતા. તેઓએ એકવાર એમ કહેલું કે આટલા બધા વિદ્યાથીઓમાંથી એક પણ સાધુ થશે તે મારું દાન સફળ છે. એ ઉપ- રથી પાઠશાળાને ઝેક કળી શકાય હતે. મહારાજશ્રીએ પિતાની પરિસ્થિતિ પ્રમાણે શક્ય એટલી સારી વ્યવસ્થા રાખેલી. તેમનામાં વિદ્યાર્થીઓ પ્રતિ અસાધારણ વાત્સલ્ય હતું, કઈ વિદ્યાથી માંદા પડતો કે તેની પાસે ખુદ મહારાજ પિતે પહોંચી જાય. મારા માટે તે મેં આવું જ હમેશાં અનુભવ્યું છે. ડોકટર, પથ્ય અને ઔષધ વગેરેની બરાબર તત્કાલ વ્યવસ્થા થઈ જાય અને મહારાજ પિતે વિદ્યાથીનું માથું ચાંપવા ય બેસી જાય એ મેં નજરે જોયું છે. ત્યાં વિદ્યાર્થીના માતાસમાન, પિતાસમાન એકલા મહારાજશ્રી હતા એમ કહેવામાં લેશ પણ અતિશયોકિત નથી. તેમનું વ્યહારકૌશલ, વખતને સમજી લેવાનું ચાતુર્ય અસાધારણું હતું. જે વખતે બનારસમાં જૈનેને તમામ લકે હડધુત કરતા અને જૈનેને સ્પર્શ થતા સ્નાન કરી લેતા તે વખતે તેમણે ગુજરાતથી બનારસ સુધી પગે વિહાર કરી અનેક કષ્ટો ઇચ્છાપૂર્વક પિતાને માથે ઉઠાવી જૈનમાં કેવળ વિદ્યાપ્રચારના હેતુથી બનારસ યશવિજય જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપી. મારી જોયેલી આ હકીકત છે કે શરૂ શરૂમાં મકાનની વ્યવસ્થા જ ન હતી. તેથી વિદ્યાર્થીઓ અને મુનિઓ બનારસના મહેલ્લા સુતલામાં આવેલી અને તદન જર્જરિત-આજ પડે કે કાલ પડે એવી–જૈન ધર્મશાળામાં રહેતા. બનારસમાં જૈનોની વસ્તી ઘણી જ ઓછી. તેમાં ય તાંબર મૂર્તિપૂજક જૈનેની વસ્તી તે ધણી જ ઓછી-માંડ વીશેક ઘર હશે. જૈન શબ્દને કોઈ અર્થ જ ન સમજે. કેટલાક તે ઉજૈન પણ કહે. સાધુઓને વેશ જોઈ તેમને કે કોઈ નાટકીયા સમજે અને અપમાન તિરસ્કાર તે ડગલે ને પગલે અનુભવાય. આવી પરિસ્થિતિમાં કેવળ જૈન શાસન પરની અથાગ ભક્તિને લીધે અને ભગવાન મહાવીરના શાસનની પ્રભાવના કરવાની બુદ્ધિથી પ્રેરાઈ તેમણે આ સંસ્થા શરૂ કરી. એ સમયે સમગ્ર જૈન સાધુસમુદાયમાં મહારાજશ્રીની જેડીમાં આવે એ કોઈ શુરવીર નહતો કે જે આવું અસાધારણ કામ કરી શકે એમ હું નિષ્પક્ષભાવે ખાત્રીથી કહી શકું એમ છું. ભાતભાતના અને તુંડમિજાજી પંડિતાના પરિચયમાં આવવું, તેમને રાજી રાખવા અને સંસ્થાનું નાવ ચલાવવું એ કાંઈ સાધારણ વાત નથી. તેમના હાજરજવાબીપણાના મેં ઘણા પ્રસંગે નજરોનજર જોયેલા છે. તેમાંના એક બેને જ અહીં બતાવું છું. કુંભના મેળામાં અમે બધા પગે ચાલીને પ્રયાગ ગયેલા. ત્યાં શંકરાચાર્યના પ્રમુખપણ નીચે જેમને લેકે તદ્દન નાસ્તિક માનતા એવા જૈન ધર્મના પ્રતિનિધિ મહારાજશ્રીનું ભાષણ હતું. પહેલું તે એ કે ત્યાં ભાષણ કરવાનો સમય મળ એજ અત્યંત દુર્ધટ અને વિકટ હતું. છતાં મહાનુભાવ માલવીયાજી જેવાને અસાધારણ સ્નેહ સભાવને લીધે એ બની શકયું. ત્યાં અમે દરભંગાના રાજાને તેમની કાઠી ઉપર મળવા ગયા. આવા પ્રસંગોમાં હું મહારાજજીની સાથે જ રહે. વાત કરતાં રાજાએ એકદમ પૂછી નાખ્યું કે તમે લોકો તે ગંગાને માનતા નથી, સૂર્યને માનતા નથી અને કાલી
વગેરે દેવીઓને પણ પૂજતા નથી. તેના ઉત્તરમાં મહારાજાએ કહ્યું કે “લા નé, દૃન ઢોર માની પૂરે સારુ માનતે હૈં રૂસી શાસન દમ મેં દાન કરને કે gિ દૃમારે જસ્ટિન ારો ન તુતે. વર્ચોમી મા ની મઝતે હૈ, યવિ ઇમારી મોગન સી સાધારણ શિયા મી દુમ સૂર્યજી સાક્ષી ફ્રી જ તે શું, सूर्यास्तके बाद हम कभी भी नहीं जिमते और हमारे नित्यस्मरणमें શાસ્ત્રી, મહાગ્રાહી, શૌરી, જાંધારી, સવત્રિા, માવા ચરિત્ર રેવીમોજ રોજ ચારુ જિયા જાતે હૈં.” આ સાંભળીને મહારાજા દરભંગા રાજી થયા અને જૈનધર્મ નાસ્તિક છે એ તેમને ભ્રમ ભાંગી ગયે. બીજી વખત એકવાર મહારાજજી રામનગરમાં કાશીનાં મહારાજાને મળવા ગયેલા. મહારાજા પોતે પંડિત હતા અને અનેક પંડિતથી વીંટાયેલા તેઓ ખુરશી ઉપર બેઠા હતા. મહારાજશ્રી તે નીચે જ પિતાની કાંબળી પાથરીને રાજાની સામે બેસી ગયા પંડિતે બધા જૈનધર્મના વિરોધીઓ અને તેમણે રાજાના કાન પણ ભંભેરેલા. વાત કરતાં રાજાએ કહી નાખ્યું કે “ધર્મ તો ના હૈ-માગ %%ા હૈ શૌર વેધર્મ તો વડુત ખાન હૈ.” આના જવાબમાં તરત જ મહારાજશ્રીએ કહ્યું કે “કયા ન વીગ ૩૫યો નહીં હોતી ? મી થમી ગુરાની ગ્રીનો नई चीज जरूर अतीव उपयोगी ओर फायदेमंद होती है. रेलगाडी नई है, टेलिफोन नया है, विजलीका उपयोग भी नया ही હૈ ઔર યે મોટર વાંમી તો માગwજ નહીં હૈ ?” ઉત્તર. સાંભળતાં જ કાશીના મહારાજા ખુરશી ઉપરથી ઉભા થઈ ગયા અને મહારાજશ્રીને ખુરશી આપી, પણ મહારાજશ્રીએ પિતાનું આસન ન છોડયું. જ્યારે બીજી ખુરશી આવી ત્યારે એ બન્ને મહારાજા ખુરશી ઉપર બેઠા. આ પછી તે મહારાજશ્રીએ કાશીમાં વિશેષ પ્રભાવ પાડેલે અને ઘણા જૈનષીઓને જૈન ધર્મના સ્વરૂપની ખરી સમજણ પાડી જૈન ધર્મ તરફ આકર્ષેલા. કાશીમાં સારસ્વત વ્યાકરણને અને તેની ચંદ્રકીર્તિ ટીકાને ઘણાં લોકો ભણે છે. ચંદ્રકીર્તિ નામના એક જૈન પંડિતે સારસ્વતની ટીકા બનાવેલી છે એવું જાણુતા છતાં એ ટીકામાંથી જૈનધર્મનું મંગલાચરણ કાઢી નાખવામાં આવેલ અને જાણે કે એ ટીકા કેઈ બ્રાહ્મણ પંડિત બનાવેલી છે એ દેખાવ કરવામાં આવેલ–એ ત્યાંના પંડિતેમાં અને વિદ્યાર્થીઓમાં જૈને પ્રત્યે, જૈનધર્મ પ્રત્યે અને જૈનસાહિત્ય પ્રત્યે હડહડતે દેષ ભર્યો હતો. અમારે એટલે મારે અને ભાઈ હરગોવિંદદાસને સન્મતિતર્કનું અધ્યયન કરવાનું હતું તે માટે ત્યાંના સુપ્રસિદ્ધ યાયિક પંડિત નકછેદરામ શર્મા નામના મહાપંડિતને ઘેર જઈને ભણવાનું ગોઠવ્યું, કલાકના માસિક ચાલીશ રૂપિયા આપવા નક્કી કર્યા અને અમે બંને પહેલવહેલા જ એમને ઘરે ભણવા ગયા ત્યારે તેમણે અમ નાસ્તિક જૈનેને ભણાવવાની ચેકખી ના પાડી દીધી. અરે શરૂશરૂમાં પાઠશાળામાં કોઈ પંડિત ભણાવવા આવવાની જ આનાકાની કરે. જ્યારે તેને ગામકરતાં બમણાતમણે દરમાયે. અપાય ત્યારે જ તે ભણાવવા આવવાનું સ્વીકારે અને તે પણ પાઠશાળામાંથી નીકળીને ઘરે જઈને નાહી નાખે ત્યારે જ તેમને ધર્મ સચવા માને. આવી સ્થિતિમાં ત્યાંના પંડિત પાસે ભણતાં ભારે આકરું પડતું, ભારેભાર નમ્રતા અને વિનય તથા તેમના તરફ સેવાભાવ કેળવા પડત. કેટલીકવાર તે એમ પણ બનતું કે ભણાવવાં ભણાવતાં પંડિત વચ્ચેથી જ ઉઠીને ચાલ્યા જાય; કેટલીકવાર ભણાવતાં ભણાવતાં જૈનાચાર્યોને ભાંડવા માંડે; આ બધું કમને પણ સહેવું પડતું અને વિદ્યા મેળવવી પડતી. તાત્પર્ય એ કે આવી વિષમ પરિસ્થિતિમાં મહારાજશ્રીએ પાઠશાળાને કેવી મુશીબતે ચલાવી હશે એ જરૂર વિચારવા જેવું અને કદરપાત્ર કામ છે.
(અનુસંધાન પાનું ૧૮૩)
- - - -
- - -
-
1