________________
~~~~
રજીસ્ટર્ડ નં. ખી ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્ર, જૈન વર્ષ ૧૪–૪, જીવન વષૅ ૨ અંક ૧૫
બુ જીવ
!!
મુંબઇ, ડીસેમ્બર ૧, ૧૮૫૪, બુધવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
શ્ર મુંબઇ જૈત યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : ત્રણ ના
minum તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
મારી કહાણી
( ગતાંકથી ચાલુ )
૩ સવારના પહેારમાં શૌચથી પરવારતાં જ મહારાજને વંદન કરવાના ધંટ વાગે, સૌ આવે એમાં મેખરે હું હાઉં, મહારાજ પ્રતિ મારી અસાધારણું ભકિત અને શ્રધ્ધા. વંદન ધિવત્ કરીને નવકારશી પારશીના પંચખાણ લેવાય. પછી મહારાજ વિધાર્થીઓ માટે પ્રવચન કરે. એ પ્રવચનમાં લગભગ હંમેશાં વીર્યરક્ષા ઉપર ભાર મૂકવામાં આવે. હું વીર્યરક્ષામાં કશું જ ન સમજું, વી શું? એ જહું ન જાણું, મુંઝાતા રહ્યો, મુંઝાતા રહ્યો, છેવટે એકવાર મેં એક મારા મિત્રને એ વિશે પૂછી લીધું ત્યારે તેણે મને એ બાબત પૂરી સમજાવી. મને એમ થયુ કે મેં આ વાત શા માટે પૂછી ? સાંભળીને મને સૂગ આવી અને કશા લાભ ન જ થયો, બલ્કે હાનિ જ થઇ, મેં રહેતાં રહેતાં જાણ્યું કે મુનિએમાં અને વિદ્યાથી એમાં એ ખાખત ઠીક ઠીક સડા પેઠેલે, મુનિ કે વિદ્યાર્થી ધાર્મિક દેખાય, સદાચારી હાય, તપસ્વી હોય, છતાંય એ સડાથી મુકત ન હોય એવું ય જણાયું. માનસિકપરિસ્થિતિનો વિચાર કર્યાં વિના તાલિમ મળવાને કારણે અમારામાંના કેટલાક વિદ્યાર્થીઓ છેવટ લગી કશુંય ભણી ન શકયા, પણ ખુશામતીયા, ચુગલીખાર અને હ્રિાન્વેષી બની ગયા. એ એકને તે બદની ગાંઠ પણ નીકળી આવી. ઘણા ખરા પાન ચાવતા થઇ ગયા. અંગત લખું છું માટે અંગત કહેવું જોઇએ કે મેં બનારસમાં રહ્યો ત્યાં સુધી કદી પાન નથી જ ખાધું અને પછી પણ અત્યાર સુધી ભાગ્યે જ પાન ખાવાની વૃત્તિ થાય છે. વાળ રાખતા, તેમાં તેલ નાખતા અને સારી રીતે આળતા પણ ખશે, પરંતુ તેની પાછળ કેવળ અનુકરણ વૃત્તિ જ મને દેખાઇ છે.
૪. પાઠશાળાની વીઝીટે મોટા મોટા માણસા આવતા, બધુ જોઇને ખુશી ખુશી થતા અને વ્યાયામ કરાવવાની અને અ ંગ્રેજી ભણતરની વ્યવસ્થા કરવાની સૌ કાષ્ટ ભલામણ કરી જતા. મહારાજ વીઝીટરાની (મુલાકાતીઓની) આ સાયકોલોજી (માનસિક વલણુ) ઝટ સમજી ગયા. તેથી તેમણે એક અંગ્રેજી ભણાવનારા શિક્ષક જરૂર રાકયા અને વ્યાયામનાં તમામ સાધના મગદળ, ડ ંખેલ્સ, દંડ કરવાની પાવડી વગેરે વસાવી લીધાં અને પાઠશાળાના એક ભાગમાં કુસ્તી કરવાને અખાડા પણ અનાવી દીધા. જોનારને અને વીઝીટૅ ( મુલાઢાતે આવનારને સૌને હવે ચેકબુ લાગે કે પાઠશાળા અધતન તમામ સાધનાથી સુસજ્જ છે, છતાં અંદરનુ રહસ્ય તે। અમે જ જાણતા. એટલે જો કાઇ વિદ્યાર્થી વ્યાયામ કરવા પ્રવૃત્ત થતા કે અખાડામાં કુસ્તી કરતા તે તે વખતે જ દિવસે સવારના પ્રવચનમાં શરીરની અસારતા અને ક્ષણુભંગુરતા ઉપર ભારે પ્રવચન ચાલતું અને એ વ્યાયામ કરનાર બિચારા ઉપર તીવ્ર કટાક્ષ થતા. તથા જો કોઇ અંગ્રેજી માસ્તર પાસે જતા તે તેની પણ રેવડી થતી. એથી જ પાઠશાળામાં એ બધાં સાધનો માત્ર વીઝીટરાને જોવા માટે જ પ્રશ્ નની માક ગવાયેલાં એમ
Qumun
ને એમ પડી રહેતાં અને માસ્તર બિચારો કેવળ શાભારૂપ બનતા અને તેના લાભ કોઈ નથી લેતું એમ કહીને તેને છુટ્ટો કરી દેવાયો.
૫. કોઇ વિદ્યાથી ભાગ્યેજ પાઠશાળા બહાર જઇ શકતા. જેને માથે બહાર જવાનું કામકાજ હોય અથવા બજારમાંથી સામાન લઇ આવવાની જવાબદારી હેાય તે સિવાય કાષ્ઠ વિદ્યાથી ભાગ્યે જ બહાર જઇ શકતા. સાંજે કાઇ કરવા નહીં જઇ શક્યું. અમારી પાશાળાથી થોડે દૂર મોટા વિશાળ કંપનીબાગ હતા, છતાં ત્યાં કાષ્ઠ ભાગ્યે જ કરવા જતું. કાઇ રાયખડયા કરવા જતા તે પ્રવચનમાં કહેવામાં આવતું કે ચે રાશીલાખ છવાયોનિમાં આજલગી ફરફર કર્યું છે, છતાં હજી મા જીવ કરતા ધરાયા નહી. આ વાત પેલા ક્રરવા જનારને લક્ષ્યમાં રાખીને કટાક્ષમાં કહેવાતી. એટલે કાઈ કરવા શી રીતે જાય ? ખીજા લોકે બહારથી પ્રવાસ કરીને ગંગામાં નહાવા આવે ત્યારે અમે અમારી પાસે જ ગંગા વહ્યા કરતી, પણ તેમાં ભાગ્યે જ નહાવા ગયા હાશું. એક જ વાર હું પોતે મહારાજની સમતિ મેળવીને હાથમાં ડાલ અને ગળણું લઈને ન્હાવા, ગયેલા. હુકમ હતા કે કાંડે બેસીને, ડાલમાં પાણી ગાળીને ન્હાવાતું. મને એ રીતે ન્હાતો જોઇને ધાટ ઉપર બેઠેલા લોકો કહેવા લાગ્યા કે ‘કયા આપ મુસલમાન હૈ?' યા યા આપ ભગીચમાર હૈ ?' · ઐસે કાં સ્નાન કરતે હૈ...? ગંગામૈયા તે પવિત્ર હૌં, ઇસકે જલક છાનનેકી જરૂરત નહીં.' હું કાળજું કઠણ કરીને સાંભળતા જાઉં અને ન્હાતા જાઉં, પણ એવા ન્હાવામાં કશા સ્વાદ ન રહ્યો. બનારસમાં પાંચસાત વરસ રહ્યો તેમાં માત્ર એક જ વાર તે પણ ઉપર જણાવેલી રીતે ગંગામાં ન્હાય. ગંગામાં તરવાનું' શીખવાની વાત જ કેમ કરાય ? અમે બધા બનારસના છળપ્રપંચથી અજાણ્યા, ત્યાં કેટલીકવાર ભરબજારમાં ખૂન થઇ જાય, મોટા મોટા છેાકરાઓ પણ ગુમ થઈ જાય, આ બધી પરિસ્થિતિને લીધે અમને બહાર ન જવાની કડક પધ્ધતિ રખાયેલી. એમ કહેવામાં આવતું કે ‘તમે બધા પારકી પુળ ગણુાઓ, કૈા ગુમ થયા તે શું જવાબ દેવા?' એક પક્ષે એ વાત ખરી આપણુ હતી તે પણ એના ખીજા પક્ષના કદી કોઇ વિચાર જ ન કરતું અને વિદ્યાર્થી ઓનાં શરીર નબળાં અને ખીકણુ ખનવા વિશે કેવળ ઉપેક્ષા સેવાતી.
૬. પ્રવચન નિત્ય થતાં અને તેમાં સ્ત્રીની નિંદા કરાતી, માતાપિતા તરફ અભાવા થઇ જાય એવી પદ્ધતિ રખાતી, જાણે દીક્ષા જ પરમ ધર્મ હાય એમ ખાધ આપતા. શ્રાવકા તા તપેલા લોઢાના ગાળા સમાન છે. એ માટે શાસ્ત્રવચનની સાક્ષી સુધાં આપી ભાર ને કહેવામાં આવતું તે આ રીતે અમારૂં વલણ દીક્ષા તરફ થાય એવી આશા રખાતી, બીજા માટે તે શું પણ મારા પક્ષે આની અસર ખરાબૂ થઈ. મને મારાં માતાજી ઉપર અભાવ ચણ ગયેલા અને સ્ત્રી જોઉં કે જાણે રાક્ષસી આવી એમ એ વખતે