________________
તા. ૧૫-૧૧-૫૪ :
'પ્રબુદ્ધ જીવન
૧૭૧
કામ ધણી વખત ભારે વિકટ બને છે. હિંસા અહિંસા બે પ્રકારે વિચારી શકાય. સ્થૂળ હિંસા અને સ્થૂળ અહિંસા, ભાવ હિંસા અને ભાવ
અહિંસા. સ્થૂળ હિંસા એટલે પ્રાણાતિપાતની હિંસા અને ભાવ હિંસા એટલે માનસિક હિંસા. તે ઉભયને અભાવ એટલે ધૂળ અહિંસા
અને ભાવ અહિંસા, હવે આપણું જીવનવ્યવહારમાં મ બનતું ધણી વખત જોવામાં આવે છે કે જ્યારે બાહ્ય સ્વરૂપે હિંસા હોય અને આન્ત રિક સ્વરૂપે અહિંસા હોય. દા.ત. ડાકટર કઈ દર્દીનું ઓપરેશન કરતો હોય; મા બાળકને ઠપકો આપતી હોય; હિંસાપ્રમત્ત ટોળાને અટકાવા માટે ઉપરી અધિકારીને અનિવાર્ય , ગોળીબાર કરવાની ફરજ પડે; ગામડાને રંજાડતા વાધદીપડાની પ્રાણહાનિ કરવી પડે, મલેરિયાથી પીડિત પ્રદેશને મચ્છરમુકત કરવો પડે. આમાં ધૂળ હિંસા છે, ભાવ અહિંસા છે. બીજી બાજુએ હું નિષ્ક્રિય દેખાઉં છું પણ ચિત્તમાં અનેકનું અનિષ્ટ ચિન્તવુ છું. મને તરતાં આવડે છે, કઈ છોકરાને ડૂબતે જોઉં છું, છતાં ઊભો ઊભો જોયા કરું છું; બાજુના ઘરમાં આગ લાગી છે, અંદર માણસે સપડાયા છે, તેમને બચાવી શકું તેમ છું, છતાં જાત સંભાળીને ઊભા રહું છું. પડે- શમાં કે ગરીબ બાઈ પ્રસૂતિ પીડિત છે, ડાકટરી ઉપચારની તત્કાળ જરૂર છે; તેનલ પાસે કશી સાધનસંપત્તિ નથી, છતાં હું તેને મદદ કરતું નથી અને બાઈ મરણ પામે છે. આ બધી બાહ્ય અહિંસા છે, પણ ભાવ હિંસા છે. અહિંસાના વિચારમાં આ વિવેક પણ આપણે ખ્યાલમાં રાખવું જોઈએ.
અહિંસા અને જવાબદાર અધિકાર 'આપણે કંઇ કાળથી ગુલામી ભગવતા આવ્યા છીએ, રાજકીય વહીવટ કે શહેરની સુધરાઈમાં ભાગ્યે જ ભાગ લઈએ છીએ. જવાબદાર રાજ્યાધિકાર શું તેનું આપણને ભાન નથી. એ બધા હિંસાના જ પ્રદેશે છે એમ માનીને આપણે તેનાથી બને તેટલા દૂર રહીએ છીએ અને આપણું ધર, આપણે વ્યાપાર અને અવકાશના વખતમાં આપણે ધર્મ એટલે કે દેરૂં-ઉપાશ્રય સંભાળીને ઇતિકર્તવ્યતા અને અહિંસા ધર્મનું ભારે પાલન થઈ રહેલું અનુભવીએ છીએ. અન્ય જનોએ આપેલી સુરક્ષિતતા નીચે અહિંસાને દિગ્વિજય ચિન્તવીએ છીએ. પણ આવું વ્યકિતલક્ષી જીવન આજે આપણને પાલવે તેમ નથી. તેમાં માની લીધેલી અહિંસા અહિંસા નથી. આપણું આજનું જીવન પણ હવે બલાતું ચાલ્યું છે. કોઈ સુધરાઈને પ્રમુખ થાય છે; કોઈ ધારાસભામાં જાય છે, કઈ કલેકટરના પદ ઉપર આરૂઢ થાય છે. કઈ એન્જિનિયર છે, તે કઈ ડાકટર છે. અનેક સત્તાધારે ખુલ્યાં છે અને તે દ્વારા પ્રજાના જીવનનું નિયમન અને સંવર્ધન કરવાનું છે. પહેલાં આપણા રક્ષણ માટે, આરોગ્ય માટે, શહેરી સ્વચ્છતા અને સલામતી માટે બીજાએ હિંસા કરતા અને આપણે અહિંસાને આનંદ માણતા. આજે આપણે જ આપણું રક્ષણ કરવાનું છે, સ્વચ્છતા અને સલામતી સાધવાનાં છે. આ બધું હિંસામય છે એમ કહીને તેથી ભાગ્યે નહિ ચાલે. આવા અધિકારીને અહિંસાની દૃષ્ટિ
અને વૃત્તિથી એટલે કે જે કાંઈ કરવા ગ્ય હોય તે અલ્પતમ હિંસા વડે કરી બતાવીને પ્રજાકલ્યાણ સાધવાનું છે. તેરાપંથી દૃષ્ટિ આ નૂતન પરિસ્થિતિને શી રીતે મુકાબલે કરશે ? કર્તવ્યાકર્તવ્યને ક વ્યવહારૂ ઉકેલ આપશે ? અહિંસાવ્રતધારી ખા સગામાં શું કરશે? અહિંસાના ઉપાસકે આ અધિકાને કઈ રીતે અમલ કરે ? ‘આ બધું લૌકિક છે. તમારે કરવું હોય તે કરો. અમે આમાં હકાર કે નકાર નહિ ભરીએ. એમ જવાબ આપે નહિ ચાલે,
શારીરિક સાતા અને આત્મિક સાતા - પ્રારંભમાં આપેલા તેરાપંથી સિદ્ધાન્તમાં એક સિદ્ધાન્ત શારીરિક સાતા અને આત્મિક સાંતાને લગતો છે. એ સિદ્ધાન્તને સાર એ છે કે કોઈ જીવને પૌગલિક સુખ આપવું એ ધર્મ નથી. આમ
શરીર અને આત્મા વચ્ચે કેઈ અકાટય દીવાલ હોય અને શરીરને , લગતું બધું પાપમય અને આત્માને લગતું બધું પુણ્યમય એવી આ - ખ્યાલ પાછળ ભ્રમણ રહેલી છે. શરીર, મન અને આત્મા એકમેક
સાથે કેટલા ગાઢપણે સંકળાયેલા છે અને એકની શાન્તિ અશાન્તિ સાથે અન્યની શાન્તિ અશાન્તિ કેવી નિકટતાથી જોડાયેલી છે અને આ સિધ્ધાન્તમાં નર્યું અજ્ઞાન દિસે છે. એક બૌદ્ધ સાધુ એક ભિખારીને બૌદ્ધધર્મને ઉપદેશ દઈ રહ્યા હતા. પરંતુ ભિખારી તેની કોઈ પણ વાત ધ્યાન દઈને સાંભળતા નહોતા. આવી તેની ઉપેક્ષાથી એ સાધુ અત્યન્ત નારાજ થયા અને ભગવાન બુદ્ધ પાસે જઇને પોતાને મળેલી નિરાશા જાહેર કરી તે સાંભળીને ભગવાન બુદ્ધે કહ્યું કે “તે ભિખારીને અહીં લઈ આવે. હું જાતે જ ઉપદેશ આપીશ.” પછી તે ભિખારીને ભગવાન બુદ્ધ સમક્ષ લાવવામાં આવ્યું. તેને જોઈને ભગવાન બુધ્ધ અન્ય શિષ્યને કહ્યું કે
આને અંદર લઈ જઈને પહેલાં તેનું પેટ ભરાય એવું ભેજન કરાવે.” ભિખારીને અંદર લઈ જવામાં આવતા હતા એવામાં પલા બૌદ્ધ સાધુએ જરાક અકળામણુપૂર્વક પૂછ્યું કે “તેને આપે ઉપદેશ તે આપ્યા નહિ!” તથાગત બુધ્ધ શાન્ત ભાવથી જવાબ આપ્યો કે “તેના માટે જે જરૂરી હતું તે મેં તેને આપ્યું છે. આજે તેને અનની આવશ્યકતા હતી, આજે એ જીવતા રહેશે તે કાલે ઉપદેશ પણ જરૂર સાંભળશે.” આ કથામાં કેવું એક ઊંડું જીવનસત્ય રહેલું છે ? આપણે રોજ-બ-રોજને અનુભવ છે કે ભૂખ્યા પેટે કેઈને સંયમ ધર્મની વાત સાંભળવી ગમતી નથી. બીજી બાજુએ સંયમ ધર્મની લગની લાગતાં ભૂખ તરસ ઘણી વખત ભૂલી જવાય છે. તનની ! શાન્તિથી મનની શાતિ પેદા થાય છે, અને આત્મા તત્કાભિમુખ બને છે. બીજી બાજુએ મનના ઉન્માદથી શારીરિક ઉન્માદ પેધ થાય છે, અને આત્મા અગામી બને છે. આવા શરીર-મનઆત્માના પરસ્પર ઉપકારક સંબંધને ધર્મ આત્મિક સાતામાં છે, શારીરિક સાતામાં નથી” એવા એકાંગી જ સિદ્ધાન્તથી જકડી દે એમાં માનસશાસ્ત્રનું કેવળ અજ્ઞાન નજરે પડે છે. આ વિચિત્ર સિદ્ધાન્ત સ્વીકાર્યા બાદ કોઈ પણ વ્યકિતને શારીરિક, સામાજિક કે હું સાંસારિક સગવડે આપવાનું કાર્ય કેવળ પાપમય લેખાય તે સ્વાભાવિક છે. તેને 'સાંસારિક ઉ૫કાર” કે લૌકિક ધર્મ કહેવાથી તેની પાપમયતા છે કે દેયમયતામાં જરા પણ ધટાડે થતું નથી.
સમાચનાના નિષ્કર્ષરૂપે તારવેલા નિર્ણ
આ આખી સમાલોચનાનું હવે આપણે સમાવર્તન કરીએ. શરૂઆતમાં આપેલા તેરાપંથી સિધ્ધાંતો અને ત્યાર બાદ કરવામાં આવેલા વિવરણ ઉભયનું અનુસંધાન કરતાં આપણે નીચેના નિર્ણય ઉપર આવી શકીએ છીએ.
(૧) કોઈ પણ માનવી માટે જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી તેના માટે-સંપૂર્ણ અર્થવાળું અહિંસક જીવન શકય જ નથી. તે અહિંસાવૃત પાલન એટલે અલ્પતમ હિંસા ઉપર નિર્ભર કરવામાં આવેલું જીવન એમ આપણે સ્વીકારવું રહ્યું.
(૨) અલ્પતમ હિંસાની બીજી મર્યાદા એ છે કે જ્યાં મેટા તથા નાના છની હિંસા વચ્ચે. પસંદગી કરવાની હોય ત્યાં નાના
ના ભેગે મેટાને બચાવવાની નીતિ અંગીકાર કરીને આપણે ચાલવું રહ્યું.
(૩) મેટા જીવની રક્ષાના વિચારમાં પણ માનવીરક્ષાને સૌથી વધારે પ્રાધાન્ય આપવું ઘટે.
(૪) અહિંસાધર્મ એટલે માત્ર હિંસા કરવાથી દૂર રહેવું એટલું જ નહિ પણ જ્યાં હિંસા થતી હોય ત્યાં અટકાવવા શક્ય તેટલો પ્રયત્ન કરો, મરતાને બચાવવું, સબળના આક્રમણ સામે નિર્બળને