________________
f
ક
.* *
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૧૧-૫૪
અનેક દૃષ્ટાંત આપીને સમજાવવાને મુનિશ્રી ધનરાજજી સ્વામીએ પ્રયત્ન કર્યો છે–આ બધું સમગ્રપણે વિચારતાં તેરાપંથી માન્યતાના પાયામાં નીચેના સિધ્ધાંત રહ્યા હોય એમ માલૂમ પડે છે.
(૧) માનવી ધારે તે સંપૂર્ણપણે અહિંસક એવું જીવન અખત્યાર કરી શકે છે અને અહિંસાવ્રતધારી સાધુ વસ્તુતઃ આવું જીવન જીવે છે.
(૨) અહિંસાવ્રતધારી પોતે કશી પણ હિંસા કરતા નથી તથા જે કાર્યમાં લેશ માત્ર હિંસા હોય તેવું કાર્ય કરવાને અન્યને આદેશ કે ઉપદેશ આપી શકતા નથી.
() ધર્મને માત્ર એક જ હેતુ છે-આત્મધર્મ અથવા તે મોક્ષમાર્ગની સાધના.
(૪) વ્યકિત એ હકીકત છે. સમાજ એ કેવળ ઉપચાર અથવા ક૯૫ના છે.
(૫) સુપાત્ર એટલે કે સંચમીને જીવનનિર્વાહની સગવડ આપવી એ જ સાચું દાન છે. - (૬) ધર્મ અન્ય જીવને આત્મિક સાતા (શાન્તિ, આરામ, પ્રસન્નતા, સ્વાસ્થ) આપવામાં રહે છે; શારીરિક સાતા આપવામાં નથી.
(૭) પિતાની જાતને કે અન્યને સંયમમાર્ગે લઇ જતી . પ્રક્રિયા પુણ્યજનક છે; અન્ય પ્રકારની પ્રક્રિયા પાપજનક છે
(૮) જીવમાં નાના કે મેટાને ભેદ હોઈ ન શકે. કોઈ પણ સગામાં કોઈ પણ જીવની હિંસા ધમ્ય હોઈ ન જ શકે.
(૮) રાગ, દૈષ તથા મેહરહિત દયા, દાન, અનુકંપા એ આત્મ- ધમ છે. જે રાગાદિથી યુક્ત છે તે આત્મધમ અથવા મેક્ષધર્મ નથી.
આ પાયાના સિદ્ધાન્તને ઉપર આપેલ તેરાપંથી નિવેદનમાંથી તાવેલ છે. છઠ્ઠા નંબરને, સિદ્ધાંન્ત આ નિવેદનમાંથી આડકતરી * રીતે પ્રાપ્ત થાય છે; “ધર્મ એટલે શું? એ પુરિતકામાં એ સ્પષ્ટરૂપે ' આપેલ છે ' . 1 : - ૪ આચારવ્યવહારમાં ઊભી થતી . ફક ક હે આ સિધ્ધાન્તને સ્વીકાર કરતાં અહિંસા વિચારના - વ્યવહારૂ અમલમાં અનેક ધુએ ઊભી થાય છે. સૌથી પ્રથમ તે
અહિંસા એટલે જાતે હિંસા કરવી નહિ-આ સિદ્ધાન્ત સ્વીકારતાં અન્ય કેઈને પ્રાણહાનિથી બચાવવા કે ઉગારવાનું કાર્ય શુદ્ધ ધર્મવિચારમાંથી ફલિત થાય છે કે નહિ એ પ્રશ્ન સામે આવીને ઊભે રહે છે. આમાં પણું. જ્યારે કોઈને બચાવવા કે ઉગારવા જતાં અન્ય કે નાના સરખા જીવની હિંસા કે વિરાધના થવાનો સંભવ હોય ત્યાં શું કરવું એ વધારે ઈંચવાળા પ્રશ્ન જવાબની અપેક્ષા ‘રાખે છે. જૈન ધર્મ અને તેમાં સમાવિષ્ટ થતા તેરાપંથી સંપ્રદાય માત્ર જીવજંતુ જ નહિ પણ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુને પણ સજીવ માને છે. અને તેરાપંથીને મન સર્વે જીવે સરખા છે અને એકને હણીને અન્યને બચાવે એમ કહી શકવાની સ્થિતિમાં તેઓ નથી. આ બાબતમાં તેમનું વલણ શું છે તે તેમના જ આપેલા દષ્ટાન્ત માંથી આપણને સમજવા મળે છે.
' ' ભગવાન મહાવીરની ભૂલ
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પહેલાં ગશાળક કેટલાંક વર્ષો સુધી તેમની સાથે જોડાયા હતા. આ દરમિયાન ગશાળક ઉપર કોઈએ બે વાર તેલેસ્યા ફેંકી હતી. ભગવાન મહાવીરે પિતાને પ્રાપ્ત થયેલ શીત લબ્ધિ વડે ગોશાળકને તેજલેસ્યાના દાહમાંથી બન્ને વખતે બચાવ્યા હતા. સમયાન્તરે ભગવાનને કેવળજ્ઞાન થવા બાદ ગોશાળકે બે સાધુઓ ઉપર તેલેસ્યા ફેકેલી, પણે તે વખતે ભગવાને પિતાની શક્તિને ઉપયોગ કરીને આ બે સાધુ- એને બચાવવાનું યંગ્ય ધાર્યું નહોતું. આમાંની પ્રથમ ઘટનાને અનુ- લક્ષીને તેરાપંથીના સ્થાપક આચાર્ય ભિમજી જણાવે છે કે “ભગવાન
મહાવીરનું આ કાર્ય ભૂલભરેલું હતું. એ વખતે ભગવાન મઢાવીર આઠે કર્મોથી યુકત હતા. તેઓ હજુ છદ્મસ્થ હતા, અને કર્મોની બળવાન અસર નીચે હતા અને તેથી તેમણે આવી ખલના કરી હોય એમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી.” આ ઘટનાને Cult of Ahimsa એ નામના પુસ્તકમાં વિસ્તારથી ઉલ્લેખ છે અને એ પુસ્તકના લેખક અને જૈન તેરાપંથી મહાસભાના મંત્રી શ્રીચંદ રામપુરી જણાવે છે કે “આ બે ઘટનાઓ ઉપરથી પુરવાર થાય છે કે બીજાના બચાવ માટે કરવામાં આવતા શકિતના ઉપગને જૈને પાપમય લેખે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જૈન ધર્મ મુજબ એક સાધુ ઉપર કોઈ જંગલી પશુ આક્રમણ કરે તે તેને મારીને અથવા બીજા કોઈ બળને ઉગ કરીને અન્ય સાધુ તે સાધુને બચાવી શકે નહિ. એ જ રીતે કે વિષયલેલુપ માણસની હિંસા કરીને કોઈ સાધ્વીને કોઈ સાધુ બચાવી શકે નહિ. તે તે ધર્મને જ ઉપદેશ આપી શકે અને એ રીતે અસર ઉપજાવવામાં સાધુ નિષ્ફળ નીવડે તે તે સાધ્વીને બહાદુરીથી વીરતાપૂર્વક મરવા દેશે અને સુદઢ રહેવાને અને કંઈ પણ સગામાં પિતાને ધર્મ નહિ છોડવાને તે સાધ્વીને ઉપદેશ આપશે.” ભગવાન મહાવીરના જીવનને લગતી જે બે ઘટનાઓને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વાસ્તવિક રીતે બનેલી ઘટનાઓ છે કે નહિ તે વિષે હું કશું આધારપૂર્વક કહેવાની સ્થિતિમાં નથી, પણ એ વાસ્તવિક હોય કે ન હોય તે પણ તે ઉપરથી તારવવામાં આવેલ સાર તેરાપંથી દૃષ્ટિ સમજવામાં આપણને બહુ સહાયક નીવડે છે. સાથે સાથે એ પ્રશ્ન થાય છે કે આક્રમણકર્તા માનવી ઉપર ઉપદેશની અસર કદાપિ પણ થાય, પણ આક્રમક જંગલી પશુને હદયપદે શી રીતે સંભવે?
મઠ પકડતો બગલો અને ત્રણ સાધુઓ ..
એજ Cult of Ahimsa માં આગળ ચાલતાં શ્રીચંદ રામપુરીઆ પંચતંત્રમાંની એક કાલ્પનિક કથાનું અવલંબન લઈને તેરાપંથી મન્તવ્ય અથવા તે દૃષ્ટિક્ષણને વધારે સ્પષ્ટ કરે છે. તેઓ જણાવે છે કે
“અહિંસાના ઉપાસક સામે ઘણી વખત કર્તવ્યાય સંબંધે એક વિચિત્ર કેયડા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આવી ઘૂંચવણના પ્રસંગે, ભગવાન મહાવીરને સ્પષ્ટ આદેશ છે કે, તેણે મૌન ધારણ કરવું ઘટે. અમુક રીતે વર્તવું તે જ પુણ્યમય છે એમ તેણે કહેવું ન જોઈએ, કારણ કે સ્થાવર કે ત્રસ કોઈ પણ પ્રાણીની હિંસાને પોતે અનુમતિ આપતે તે નથી એ તેણે જોવું ઘટે છે. એ જ રીતે અમુક (જનહિતનું) કાર્ય પાપમય છે એમ તેણે કહેવું ન જોઈએ, કારણ કે તેમ કરવાથી તે ભૂખ્યા લેકેને ભિક્ષા મળતી અટકાવવામાં નિમિત્તભૂત થશે. જેમાં તેની મના કરે છે તેઓ બીજા લોકોને ધારણુપેષણના સાધનથી વંચિત કરે છે. અહિંસાના ઉપાસકે આવા પ્રસંગોએ મૌન ધારણ કરવું જોઈએ અને એક યા બીજી દિશાના પાપના ભંગ થતાં બચવું જોઈએ.
પંચતત્રમાં એક સુન્દર વાર્તા છે જે જૈન ધર્મના રહસ્યને સરસ રીતે રજૂ કરે છે અને અમારા દ્રષ્ટિકોણું વધારે સ્પષ્ટ કરવા માટે અમે અહીં તે ઉદધૃત કરીએ છીએ:
“ત્રણ સાધુઓ નદીના કિનારે તપ કરતા હતા. પિતાની તપસ્યાના બળે તેમણે દિવ્ય શકિતઓ પ્રાપ્ત કરી હતી. અને તેને લીધે તેમના દંડકમંડળ આકાશમાં અદ્ધર રહેતાં હતાં. આ દરમિયાન એક બગલે આવ્યું અને એક પગે જમીન ઉપર ઊભો અને જાણે કે ધ્યાનમાં હોય એમ બીજો પગ અધ્ધર રાખે. એકાએક એક માછલી તેના જોવામાં આવી અને બગલાએ તે માછલીને પિતાની ચાંચ વડે ઝડપી લીધી, આ ધટના નજરે પડતાં તે ત્રણમાંને એક સાધુ