SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ A તા. ૧-૧૧-૫૪ વિવિધ સામયિકામાં ‘પ્રબુદ્ધ જીવન’નું વિશિષ્ટ સ્થાન મુંબઇ જૈન યુવક સંધ એક વિશિષ્ટ અને ક્રાન્તિકારી સ’સ્થા છે. ‘પ્રબુધ્ધ જીવન' જેવુ પ્રગતિશીલ અને ગંભાર રીતે માનવ જીવનને લગતાં સર્વ પ્રશ્ના છતું પાક્ષિક ભાગ્યેજ જોવા મળી શકે છે. ગુજરાતી ભાષામાં પ્રકટ થતાં સર્વ પત્રામાં ‘પ્રબુદ્ધ જીવન' એક વિશેષ ભાત પાડે છે, મારી જાણ છે ત્યાં સુધી તે જૈન સમાજના સર્વ ક્રિકામાં પ્રકટ થતા સર્વ માસિકા, પાક્ષિકા કે અઠવારિકામાં ‘પ્રબુદ્ધ જીવન' સર્વોત્તમ છે. સામાજિક પ્રશ્નોની આટલી ઉંડાણથી, તલસ્પર્શી રીતે અને સમભાવ સાથે ચર્ચા કરવામાં પ્રબુદ્ધ જીવન માખરે રહે છે. જૈન સમાજના સર્વ પ્રશ્નો રાષ્ટ્રીય દૃષ્ટિએ પ્રબુદ્ધ જીવનમાં જે રીતે છણવામાં આવે છે તે રીતે ખીજુ કોઇ પત્ર રજુઆત કરી શકતુ નથી. જૈનેાની એકતા અને સધમ સમભાવ, જે મુખ' જૈન યુવક સંધના ઉદ્દેશ છે તેને વ્યાપક સ્વરૂપ આપવામાં ‘પ્રભુદ્ધ જૈન’ વર્તમાન ‘પ્રબુદ્ધ જીવને' જે મહત્ત્વને! કાળા આપ્યા છે તે અજોડ છે. ધીર, ગંભીર, પ્રગતિશીલ વિચારાની પરંપરા રજૂ કરતા પ્રબુદ્ધ જીવનના તંત્રી શ્રી પરમાનંદભાઈ કાપડિયા અને પ્રભુ જીવન' તુ સળંગ સ્વરૂપ-એ બંને એટલાં એકમય બન્યાં છે કે બન્નેને એકમેકથી છૂટા પાડી શકાય તેમ નથી. જૈન સમાજના સાંપ્રદાયિક ગણાતા વર્ગને જ નહિ, કિન્તુ પ્રગતિશીલ ગણાતા વર્ગના કોપ વહેારીને પણ પ્રબુધ્ધ જીવન જે રીતે સામાજિક અને ધાર્મિક પ્રશ્નનેાની સત્ય રજુઆત કરે છે એ એક સાચી ક્રાન્તિકારીની તમન્ના દાખવે છે. કોઈના પણ ધરની મેટાની કે માનાપમાનની પરવા ન કરતાં કે શેહમાં ન ખાતાં પ્રમુધ્ધ જીવન જે અંગેકૂચ કરી રહ્યું છે તથા સમાજના સર્વ વર્ગોમાં પોતાની વિશિષ્ટતા જાળવી રહ્યુ છે એ ગૌરવશાળી હકીકત કહેવાય. પ્રબુદ્ધ જીવન યુવક સંધની સર્વ પ્રવૃત્તિએ સાથે મારા સંબંધ શરીર અને આત્માના સુભગ સંગમથી બનેલા જીવંત જીવન જેટલો નિકટના રહ્યો છે, અને આ સબંધને કારણે જીવનમાં નવચેતન રહ્યાં કર્યું " છે એમ કહું તે અતિશયાકિત નથી. પ્રગતિશીલ અને ક્રાન્તિકારી વિચારા રજૂ કરતું પ્રબુધ્ધ જીવન, રાષ્ટ્રીય પ્રગતિ સાથે પગલા ભરતા યુવક સંધ અને સંસ્કારની રસથાળ પીરસતી વ્યાખ્યાનમાળા - અને સ્નેહનીતરતી સૌમ્યમૂર્તિ પરમાન ભાઈ આ સૌની નિકટતા એ જીવનના એક અપ્રતિમ લ્હાવો છે એમ હું ગણુ છું. ચુનીલાલ કામદાર. ‘પ્રબુદ્ધ જીવન’ના વિશેષ અક અને ક્ષમાયાચના જ્યાં પ્રબુધ્ધ જીવનના વિશેષ અંક છપાય છે તે છાપખાનાવાળા દિવાળીના કામને અંગે આ વિશેષ અક વખતસર પ્રગટ કરવામાં અસમર્થ નીવડવાને કારણે પ્રબુધ્ધ જીવનના ગ્રાહકો વાંચકોને આ ક પહેોંચાડવામાં અસાધારણ વિલંબ થયો છે જે માટે અત્યન્ત દિલગીર છીએ અને અમારા વાંચકોની અમે ક્ષમા માંગીએ છીએ, આ વિશેષ અંક સધના રજત મહાત્સવ પહેલાં પ્રગટ કરવા ધારણા હતી અને તેની ૪૮ પાનાંની અમોએ મર્યાદા બાંધી હતી. એ અંક એ પ્રમાણે પ્રગટ કરવાનું. તત્કાલીન સયોગેામાં શકય નહિ લાગવાથી તેનું પ્રકાશન તા- ૧-૧૧-૫૪ ઉપર- મુલતવી રાખવામાં આવ્યું. આમ થતાં શ્રી મુંબઇ જૈન યુવક સંધના ૨૬ વર્ષના વૃત્તાન્ત અને રજત મહેાત્સવ સમારભની વિગતે પણ વિશેષ અંકમાં સમાવિષ્ટ કરવી જ જોઈએ એમ અમને લાગ્યુ, અને ૪૮ પાનાની મર્યાદા વધારીને ૬૪ પાનાંની કરી. 59 ૧૬૧ જૈન જગતની અનેાખી સસ્થા વિશિષ્ટ કારણસર જન્મ પામેલ અને અનાખી રીતે કાર્ય કરી રહેલ શ્રી જૈન યુવક સંધ પેાતાની સેોજ્જવળ કારકિર્દીનાં પચ્ચીસ વર્ષ પૂરાં કરી આગળ ધપે છે એ હર્ષના વિષય છે. બાળદીક્ષા અને સાંપ્રદાયિક સંકુચિતતાના અનિષ્ટ સામે મેરો માંડવા આ સંસ્થાના ઉગમ થયા હતા. સદી જૂની ચાલતી આવેલ ધરેડમાંથી નીકળી નવી દ્રષ્ટિએ વન અને ધર્મના સુમેળ સાધવા એ આ સંસ્થાનું પ્રમુખ ધ્યેય રહ્યુ છે. માનવ હૃદયમાં રહેલ માનવતાના અવિર્ભાવ કરવા, ભૌતિક લાભ કરતાં તાત્ત્વિક લાભની મહત્તા સમજાવી તે પ્રતિ માનવ મનને આકૃષ્ટ કરવુ, રાષ્ટ્રહિત વિાધીકાપણુ વિચાર યા ક્રિયાને કોમી સંકુચિતતાને કારણે પેષણ ન મળે તે જોવું એટલું જ નહિ પરંતુ રાષ્ટ્રની પ્રગતિ કે તેના ઉત્થાનમાં એક એકમ તરીકે આ સંસ્થાના પણ કાળા હોય એ દૃષ્ટિબિન્દુ રાખવુ, જૈનાના ક્રૂકાભેદોને દૂર કરી સમગ્ર જૈનનુ એકીકરણ કરવુ, જીવનની વિશુદ્ધિ જળવાય અને યુગની સાથે ધખેસતા થાય તેવા ઉચ્ચ અને ઉમદા વિચારોના પ્રચાર કરવા, જૈન તથા જૈનેતર જગતના સંપર્ક દ્વારા સંસ્થાના વર્તુલને બને તેટલું વિસ્તૃત ાનાવવું એ જૈન યુવક સધનુ મુખ્ય કાર્ય બની રહ્યું છે, સંસ્કારપેાષાક, વિચારપ્રેરક, અને ક્રાન્તિકારી વિચારોની નીડરપણે રજૂઆત કરનાર આ સંસ્થાના પાક્ષિક મુખપત્ર “પ્રભુદ્ધ જીવને” અન્ય સમકાલીન સામયિામાં વિશિષ્ટ પ્રકારનું સ્થાન પાપ્ત કર્યું છે. કાઇની પણ શેહમાં તણાયા સિવાય સત્ય જણાતા વિચારાને ગંભીર, અને સંયમી ભાષામાં, પશુ પૂરી નીડરતાથી રજૂ કરવામાં “પ્રબુદ્ધ જીવન” કદી અચકાયું નથી. આ સંસ્થા દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રતિવષ વધુ ને વધુ વિકસતી અને લોકપ્રિય બનતી રહી છે. આ વ્યાખ્યાનમાળામાં પ્રખર વિદ્યાને અને તે તે વિષયના નિષ્ણાતાારા તેમના જ્ઞાન અને અનુભવના નિચેાહરૂપ જે રસથાળ શ્રોતાજન સમક્ષ પીરસવામાં આવે છે. તેમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગના સમન્વયથી ઉત્પન્ન થયેલ ભિન્ન ભિન્ન વાનગીઓ મૂકવામાં આવી હેાય છે, જે માનવમનની ઉચ્ચતમ લાગણીઓ અને ભાવનાઓને પોષક અને સવધ ક હોવા ઉપરાંત માનવજીવન સાથે પણ ધનિષ્ટ સબંધ ધરાવનાર હોય છે. જૈન સમાજની આવી અજોડ સંસ્થા પ્રતિદિન વધુ ને વધુ કાલે ખુલે અને તેની શાખા પ્રતિશાખા દ્વારા જનતાની વધુ તે વધુ સેવા કરે એજ અભ્યર્થના. લીલાવતી કામદાર આમ છતાં પણ અમને આ નિમિ-તે મળેલા સર્વ લેખાના ૬૪ પાનામાં સમાવેશ કરવાનું શકય નથી એમ લાગવાથી કેટલાક લેખા પ્રબુદ્ધ જીવનના હવે પછીના અકામાં ક્રમશઃ પ્રગટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યા છે. ૬૪ પાનાના અંક પણ આટલા મોડે પ્રગટ થઇ શકયા છે. બાકી રહેલા લેખો સમાવવાના આગ્રહ રાખવા જતાં ઘણાં વધારે પાનાં રાકવાં પડત અને અંક પ્રગટ કરવામાં હજુ પણ ધણા વધારે વિલંબ થાત. આવી અગવડ ભરેલી પરિસ્થિતિ વચ્ચે અમારા વિષે સદ્ભાવથી પ્રેરાઈને આ વિશેષ અંક માટે જે મિત્રોએ લેખો મેાકલ્યા છે તે લેખે! એ રીતે પ્રગટ નહિ કરી શકવા બદલ અમે તે લેખક બની અન્તઃકરણ પૂર્વક ક્ષમા માંગીએ છીએ. અમારી આ ક્ષતિને તેઓ ઉદાર ભાવે જોશે એવી આશા છે. હવે પછીના અર્ક તા. ૧૫-૧૧-૫૪ ના રોજ નિયમિત રીતે સમલાયના પ્રગટ કરવામાં આવશે. પ્રગટ થશે. અને તે અંકમાં તેરાપથી માન્યતાની ચિરઅપેક્ષિત તંત્રી, પ્રબુધ્ધ જીવન
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy