SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ તા. i-૧૨-૧૪ પ્રાદેશિક રાજાની પ્રબુદ્ધ વન શ્રી. સી. એલ. ધીવાળાં આંધ્રનું નવું રાજ્ય સ્થપાયું અને જાણે ‘લાઇન કલીઅર’ના સિગ્નલ મળી ગયો તે જુદા જુદા પ્રાદેશિક રાજ્યો સ્થાપવાના અને ખાસ કરીને કર્ણાટક, કેરાલા અને મહારાષ્ટ્રના જુદા પ્રાદેશિક વિભાગ રચવાનુ` પ્રચાર કાર્ય વેગવતુ બન્યુ. હૈદ્રાબાદના કોંગ્રેસ અધિવેશને જાહેર કર્યું" હતું કે ચાર પાંચ વર્ષ સુધી આ પ્રશ્નની વિચારણાનું કાર્ય મોકુફ્ રાખવું, પણ એ નિર્ણય. એક વર્ષ પણ ટકી ન શકયા, આંધ્ર રાજ્યની સ્થાપના પછી જે તગદિલી ફેલાવતી હિલચાલ ને પ્રચાર થયાં. પરિણામે ભારત સરકારે ડિસેમ્બર ૧૯૫૩ માં રાજ્યે ની પુનર્રચના અંગે એક પંચ નીમ્યું. છેલ્લા કેટલાએક મહિનાથી આ પંચ આ ક્લિષ્ટ પ્રશ્નના ઊંડા અભ્યાસ કરે છે, દેશના જુદા જુદા બાગામાં કરે છે અને સાંભળવા મુજબ, ભારતના રાજ્યોની પુનર્ ચના કરવાના વા અને પ્રતિા નોંધાવતા ૯૦૦૦ થી વધુ નિવેદા અને લેખિત ખુલાસાઓ પંચ પાસે આવી પડયા છે. આ પંચની નિમણુંકની જાહેરાત વખતે સરકારે આવું ધાર્યું ન હતું. અને પોતાના દાવાને મજબુત કરવા ભાષાકીય ધોરણે રાજ્યની સ્થાપના થવી જોઈએ એમ માનનારાઓએ જે ઉશ્કેરાટભર્યું વાતાવરણ સર્જ્યું છે તેના પણ સરકારને તે વખતે કદાચ ખ્યાલ નહિ ડ્રાય, આ ઘટનાએ નિશ્ચિત રીતે સ્થાપિત કરે કે આ પ્રશ્ન ફક્ત વહીવટી વિભાગાની ગોઠવણુ અંગે જ નહીં, પણ આવા આંદેશલનામાં માનતા કેટલાક નેતાઓ ભારતના જુદા જુદા રાજ્યાના બંધારણ અને ધડતર અંગે આ રીતે એક પાયાના ફેરફાર કરાવવા માંગે છે આ પંચને જે કામગીરી સોંપવામાં આવી છે અને તેમણે જે કાર્ય અને તપાસ કરવનાં છે તેને લગતી સરકારની સૂચનાઓ વ્યાજખી છે. આ પંચ ત્રણ સમર્થ વ્યકિતઓનું બનેલું છે, જેમને જાહેર જીવનનો બહોળો અનુભવ છે અને જેમનાં આવા સવાલો તપાસવા અંગેની કાર્યકુશળતા અને બુદ્ધિચાતુર્ય અંગે ખેમત છે નહીં. આ પંચની તપાસમાં આ પ્રશ્નની અનેક બાજુએની ચર્ચા સમાઇ જાય છે–રાજ્યાની પુનર્રચના કયા સંજોગામાં કરવી, તેની ઐતિહાસિક ભૂમિકા શી છે, અત્યારની પરિસ્થિતિ કેવી છે અને આ પ્રશ્નને બીજા અગત્યના પ્રશ્નો શા શે। સબંધ છે અને એક નિય સેવાથી ખીજા ઉપર તેની શી શી અસર થવા સંભવ છે વગેરે આ બધી ચર્ચા--વિચારણા પછી આ પંચ સરકારને ભલામણુ કરશે કે કયા સિધ્ધાંતેને અનુસરીને આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકાય, આ પંચ સમક્ષ અનેક સમસ્યાઓમાં મુખ્ય એ છે કે ભારતની સલામતી અને એકય જોખમાય નહીં અને તેને સમગ્રરીતે મજબુતી આપવાની સાથે સાથે આ પ્રશ્નને વિચાર તેમણે કરવા પડશે. આ પ્રશ્નની વિચારણામાં ખીજી બાબતાની સાથે સાથે આ પ્રશ્નમાં સમાચેન્ના નાણાંકીય, આર્થિક, વહીવટી પાસાઓ પણ તપાસવાં પડશે— અને તે પણ દરેક જુદા જુદા પ્રાદેશિક રાજ્યોનાં અલગ અલગ નહીં પણ સમસ્ત દેશના સામૂહિક રીતે જોઇ તપાસીને. આવી અટપટી સમસ્યાની તપાસ નિષપક્ષ રીતે ભાવનાથી પર રહીને અને સમગ્ર હિતાને અનુલક્ષીને થવી ઘટે. આ સવાલના ઊંડે ઊંડે મૂળમાં સંકૂચિતતા ભરી છે, સંકીણું તા. જામી છે અને રષ્ટ્રીય એકતા અને હિતની વિરૂધ્ધ પ્રાદેશિક સાંકડા હિતેાની જાળવણી યા તે સભાન પ્રયાસો થઇ રહ્યા છે. આની સાથે પ્રતિષ્ઠાને હાઉ પણ ઊભા કરવામાં આવે છે. આમ આ પ્રશ્ન ઉપર અનેક પડળા જામ્યા છે, અનેક વિચિત્રતાઓ ધર કરી બેઠી છે અને તેથી ઘઉં અને કાંકરા જેમ સહેલાથી જુદા પાડી શકાય' તેમ આ પ્રશ્નમાં અને તેવું નથી. પણ પંચની સાચી સફળતા આમાં જ સમાયેલી છે. તે નિવવાદ છે. લોકલાગણીને આ પ્રશ્ન અંગે ભડકાવવામાં આવી છે પુન રચનાના પ્રશ્ન Sa ૧૫૫ અને ધાક-ધમકીઓ પણ શરૂ થઇ ગઇ છે. સિધ્ધાંતાને અને શાસ્ત્રીય પધ્ધતિના નિરાકરણને બદલે કામચલાઉ રીતે અથવા અમુક વર્ગને રીઝવવા અથવા તાત્કાલિક નિકાલ લાવવા આ પ્રશ્નના ઉકેલ લાવવા જોઇએ' એવુ વલણ પણ પણ અમુક જગ્યાએ બતાવાય છે. આપણે આશા રાખીએ કે તપાસ-પંચ આ બધાં વલણો ને વ્હેણા સામે ખડકની જેમ અડગ ઊભુ` રહેશે તે જે ન્યાયી વ્યાજબી તે દેશના હિતમાં છે તે જ રીતે પોતાનાં નિર્ણયો ને ભલામણો જાહેર કરશે, ભારત સમક્ષ આજનો મુખ્ય પ્રશ્ન આ છે: પરદેશી સત્તા નીચે ૧૫૦ વષઁની ગુલામી પછી દેશમાં જે રાષ્ટ્રીય ઐકયની ભાવના જન્મી છે તેને આપણે સાંકડા માદેશિક વાદથી નવા રાજ્યે ઊભા કરી તેખમમાં મૂકવા માંગીએ છીએ કે પછી દેશને રાજકીય અને આર્થિક રીતે મજબુત અને મકકમ રાખી, તેની સલામતીને પાષક તેવી રીતે પ્રાદેશિક રાજ્યાની પુનર્રચના કરવાનું કાર્ય મુધ્ધવાદી રીતે અને શાસ્ત્રી પધ્ધતિથી આપણે કરવા માંગીએ છીએ. તપાસપંચે કાયમી નિણૅયે લેવાના છે અને નહિ કે કામચલાઉ તપાસપચે આ ભવ્ય ઉપ–ખંડના નકશાની. ઘેરી રૂપરેખા દોરવાની છે અને નહી કે આઝાદીને ધનારી. એમ ભાષાકીય જોરે સ્થપાતી નાના રાજ્યોની હારમાળા આ બધી હિલચાલે! તપાસ પંચ માટે એક પડકાર સમી અને ભાગલા કરનારી વૃત્તિ વાળાને ફાવટ નહી મળે એવી આશા રાખી રહ્યો છે. ૉંગ્રેસે શ્રી. જયપ્રકાશ નારાયણુ, શ્રી. વલ્લભભાઇ પટેલ અને ડૉ. પટ્ટાભિ સીતારામૈયાની જે કમીટી નીમી હતી.તેણે આ પ્રશ્નન ઉપર વેધક પ્રકાશ ફેંકયો છે. “આઝાદી મળ્યા પછી જે નવા સોંગા ઉભા થયા છે. તેથી આપણે ભાષાકીય પુનર`ચનાના પ્રશ્નને જુદી જ રીતે હવેથી જોવા જોઇએ. આવી વિચારણામાં સમગ્ર દેશની સલામતી, એકતા અને આર્થિક સમૃધ્ધિને પ્રથમ સ્થાન મળવું જોઇએ અને દેશને નબળા પાડી નાંખનારી વિચારધારા, મનોવૃત્તિ અને પ્રવૃત્તિને તેડી પાડવી જોઇએ. એક શ્લીલ એ કરવામાં આવે છે કે અત્યારે પણ ભાષાકીય ધારણે રાજ્યો અસ્તિત્વમાં છે અને તેથી એ દેશ નબળા નથી પડયા, તા હવે શું કામ બનશે ? આપણે એ ન ભૂલીએ કે ઉત્તરમાં જે ભાષાકીય ધેારણે રાજ્યા જનમ્યાં છે તેમના વિકાસ ઐતિહાસિક રીતે થયો છે અને વર્ષો જૂની એ ઘટના છે. હવેની માંગણી ઉપરછલ્લી રીતે એવી જ દેખાવાનો સંભવ છે છતાં તેના પ્રેરક કારણા અને સ્વરૂપ જુદાં જ છે. અત્યારે તે ભાષાવાદનું આક્રમણ અને “અમે રહી ગયા”ની વૃત્તિ કામ કરી રહી છે, જે દેશને હિતકારક નથી; પહેલાંની પ્રવૃત્તિ રાષ્ટ્રવાદને પોષક હતી. અત્યારની પ્રવૃત્તિ રાષ્ટ્રવાદને ભક્ષક છે, અત્યારે જે પુનર્રચનાની માંગણી કરવામાં આવે છે તેની પાછળ ફ્કત સાંસ્કૃતિક ભાષાકીય કારણો નથી પણ રાજકીય હેતુ અને આર્થિક ધ્યેય છે, અને અમુક પ્રાદેશિક જુયે અને અમુક કામી નેતા તેવી વૃત્તિની આળપંપાળ કરી મેળેટી હવા પ્રસરાવી રહ્યા છે. ભાષાકીય ધેારણે જ રાજ્યોની પુનર્રચના થવી જોઇએ એ માગણી ખેડૂદી છે અને તેને સ્વીકાર થાય તે ભારતના રાજ્યબંધારણના એકમેાનું સ્વરૂપ જ બદલાઇ જાય છે. આ વિચારસરણીના પુરસ્કર્તા તે એટલે સુધી આગળ વધે છે અને જાહેર કરે છે કે આ પ્રશ્નની વિચારણામાં ભૌગોલિક, આર્થિક, નાણાંકીય અને વહીવટી બાબતને લક્ષમાં લેવાની કશી જ જરૂર નથી. તે એમ મનાવવા પ્રયત્ન કરે છે કે એક ભાષા ખેલનારા વચ્ચે વિશિષ્ટ
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy