________________
તા. ૧-૧૧-૧૯૫૪
પ્રયુદ્ધ જીવન
મધ્યમ વર્ગની મીમાંસા
શ્રી પેાપટલાલ ગા. શાહ
દરેક દેશના મધ્યમવર્ગ ઉપર દેશનાં સમૃદ્ધિ, વિકાસ, સંસ્કૃતિ અને ઇતિહાસના સાતત્યને આધાર રહે છે. તેમાં તે ખાસ કરીને ગુજરાતમાં, અત્યાર સુધી રાજા રજવાડા અને બાપુ, ભાયા અને ગરાશીઓની સૃષ્ટિમાં આપણું ગ્રામજીવનવિહરતું હતું, દેશની બહાર જનાગ વ્યાપારીએ પોતાની સમૃધ્ધિ અને વ્યવહારકુશળતાના લાભ રાજા અને પ્રજા બંનેને આપી શકતા રાણા પ્રતાપને સકટમાં પણ મદદ કરનાર જગડુ શેઠ, આબુના મંદિરે બંધાવનારી વસ્તુપાલ તેજપાલ ભાઈઓ અને ગુજરાતના ધનાઢય અને સાહસિક વ્યાપારીએ જાત્રા, સિંગાપોર, કોચીન, અને ખીજા અનેક દેશથી સોંપત્તિ લાવીને ગુજરાતને સમૃધ્ધ કરવાના પ્રયત્ન કર્યો છે. ગુજરાતની ફળદ્રુપ જમીન અને મહેનતુ ખેડૂતને લીધે ગુજરાતી કૃષિવાડી ઉત્તમ પ્રકારની ગણાય છે. એક વરસાદની વિચિત્રતાને લીધે અને સાધારણ રીતે નહેરા અને કુવાની ઊગ્રુપને લીધે દુકાળના પ્રસંગો ઘણીવાર પ્રાપ્ત થાય છે. પરંતુ જમીન વગરના ખેડૂતની સખ્યા વધતી જાય છે અને ખેડુત વર્ગોમાં પણ મધ્યમ વર્ગની સ્થિતિ બગડતી જાય છે. નાનામોટા શહેરોમાં અને કસ્બા જેવી વસાહતામાં પણ મધ્યમ વર્ગ ધસાતા જાય છે. એક તરફથી આવક ઓછી થતી જાય છે, અને જ્યાં આવક વધવાના પ્રસંગો વધતા જાય છે ત્યાં મોંધવારી અને માલને તંગીને લીધે ખચ વધતું જાય છે અને જીવન નિર્વાહની મુશ્કેલી વધતી જાધ છે. કારખાનાંના મજૂરા પેતાના ધબળથી સારો પગાર મેળવી શકે છે અને નોકરીમાંથી દૂર ન કરી શકાય તેવી શક્તિ પ્રાપ્ત કરી શકે છે : રહેવાને માટે ધર, માડ માટે મદદ, શિક્ષણ માટે સફળ, સાધના, અને એકદર જીવન નિર્વાહ માટે નિશ્ચિતતા ધરાવે છે. આવી પરિસ્થિતિ આપણા ઉજળા વર્ણના મધ્યમ વર્ગને માટે પ્રાપ્ત થઈ શકતી નથી. જીવનનાં ધારણ અને સાધારણ રાજિંદા જીવનનો ખર્ચ વધતા જાય છે. દેશમાં જ ઉત્પન્ન થતાં અનાજ અને ખારાક, કપડાં અને લત્તાં (ગરખાં અને પગરખાં) અને શિક્ષણ અને પુસ્તકનાં ખર્ચ, આરેગ્ય સંભાળવાના અને રોગ દૂર કરવાનાં સાધનોની કઠિનતા વધતી જાય છે. એકદર જીવનનિર્વાહના ભૌતિક ખર્ચ, શારીરિક વ્યય, અને માનસિક ખાજો વધતા જાય છે. દેશની વસ્તુસ્થિતિમાં કરાજ્ય તરફથી થયેલા અનેક પ્રયત્નોમાં ઘણી જાતની સફળતા મળી છે, મળી રહી છે, અને વધુ પ્રમાણમાં મળશે એવી ખાત્રી હોવા છતાં પણ મધ્યમ વર્ગને સંતેષ નથી મૂડીવાદીઓ અને શ્રમવાદીઓના સતત ઝગડામાં, બન્ને પ્રકારના મહારથીએ સંધબળથી પોતપોતાનું સંરક્ષણ કરી લે છે. પણ તે ખતે પક્ષાની ઉન્નતિંના ખર્ચે મધ્યમવર્ગ–માલ ખરીદનાર ઉપર જ પડે છે. વસ્તુપેાની કીમત વધે એટલે મજૂરવર્ગના પગાર વધારવા પડે એટલે મૂડીવાદી ઉત્પાદને માલની કિંમત વધારી આપવી પડેઃ અને તે વધારાની કિંમત સાધારણ સમાજ ઉપરજ પડતી જાય છે. કાપડ, ખાંડ, સ્ટીલ, અને ચહા જેવા ઉદ્યોગામાં થયેલી કિંમતના વધારાના ઇતિહાસ આ વસ્તુસ્થિતિને ખરા ખ્યાલ આપે છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે આપણા જીવનનિર્વાહ ખર્ચના ક ૧૯૩૮માં હતા તેના કરતાં લગભગ સાડાત્રણગણા થઈ ગયો છે. વચ્ચે ૧૯૫૧માં આ અંક ૪૩૨.૨ જેટલા થયા હતા અને હાલમાં ૩૫૫.૬ જેટલો ઘટયા છે એટલી સતાષની વાત છે, પરંતુ પૃથ્વી ભરના દેશામાં થયેલાં કીમતના વધારાના ઇતિહાસ ખેતાં આ કિંમતમાં હવે ઘટાડે થાય એમ નથી. રાજ્યને પણુ કરશે વધારવા છતાં જેટમાં ખે ટજ બતાવી પડે છે; અને ખોટનાં બજેટ (ડેપીસીટ
47
૧૪૯
શ્રીનાન્સીંગ) હવે રાજ્યમાં જાથુક થવાને સભવ છે. તેવીજ રીતે સાધારણ મધ્યમવર્ગનાં બજેટ પણ ખાટનાં જ રહેવાનાં છે એમ લાગે છે. પગારદાર નાકરાને પોતાના પગાર હાથમાં આવતાં પહેલાં જ ખર્ચ કરવા પડે છે. અને એ પગારની તિથિઓની વચ્ચે ઉધારવૃત્તિથી ઘર નિમાવવુ પડે છે. મધ્યમવર્ગનાં કુટુ મ્મામાં પહેલા હીરા,. સાના, ચાંદીનાં દાગીના જોવા મળતાં, પણ નવાયુગની મુશ્કેલીને લીધે, અને એક રીતે જીવનદેરી લાંબી વધવાને લીધે એમ લાગે છે કે હવે મૃત્યુ વખતે વારસામાં રકમ કે દાગીના મૂકી જનારની સેખ્યા ઘણીજ નાની રહેશે અને ઘણાં કુટુમ્બેમાં વૃધ્ધ હવે તે ફક્ત જૂના ચશ્મા કે દાંતનાં ચેકઠાં કે જૂના ફેશનવિહાા કપડાં સિવાય ખીજું કાંઇ વારસામાં મૂકી શકે એમ લાગતુ નથી.
હવે આ વસ્તુસ્થિતિના ઉપાય શો? મને તે એકજ ઉંપાય લગે છે. મધ્યમવર્ગે જૈન યુવક સંધની માફક ધબળ વધારવું. અને આ સધબળની જમાવટ મજૂર વર્ગના સ્વાર્થી કે લડાયક વાતાવરણમાં ન થવી જોઇએ. પણ રચનાત્મક રીતે શુદ્ધ સમાજ સેવા અને આત્મબળ કેળવવાની દૃષ્ટિએ કરવી જોઇએ. મુંબઈ જૈન યુવક સધના છેલ્લા પચીસ વર્ષની પ્રવૃત્તિના ઇતિહાસ જોતાં આ દૃષ્ટિ બિન્દુ આપણને જોવા મળે છે. મારા સંસ્કારી અને કાર્ય શીલ મિત્ર શ્રી પરમાનંદભાઇની સાથેના વષૅના સંપર્કથી મને આ પ્રવૃત્તિ તરફ સ્નેહ અને અખંડ મૈત્રી ભાવે જોવાની તક મળી છે. મંડળની શરૂઆત તે જૈન સમાજમાં પ્રસરેલી સાધુશાહીની આપ-. ખુદી, બાળદીક્ષા અને જૂનવાણી સામાજિક, રૂઢિઓના વિરોધી આંદેલનોનું ફળ હતું. “આત્મશુધ્ધિ, સત્યનિષ્ઠા અને સેવાભાવ એ જીવનમા આ સંસ્થાના સ્થાપકોએ પહેલેથી જ આગળ રાખ્યા હતા; સમાજનું એકીકરણ, અને એકતા સાધવા માટેના પ્રયત્ન હમેશાં સ્તુત્ય રહ્યા છે. યુવક મંડળે,માંથી એક સંસ્થા, ખે જૈન ફિરકાઓનુ એકી કરણ, કામી વાતાવરણ કરતાં રાષ્ટ્ર તરફ લેક માનસ ખેંચવાની સતત વૃત્તિ, “પ્રબુધ્ધ જૈન”માંથી “પ્રબુધ્ધ જીવન” ના વિકાસ, અને છેવટે જૈન યુવક સંધની સમૃધ્ધિ અને સંધશક્તિ ને લાભ આપવાને માટે જૈનેતેર સભ્યોને દાખલ કરવાનો ઠરાવ એ બધાં આ વિશાળ વિકસિત માનસિક દૃષ્ટિને માટે હુ જૈનેતર તરીકે આ સંસ્થાના કાર્યવાહકોને જેટલો ધન્યવાદ આપુ તેટલો આ છે.
જૈનયુવકે સ ંઘે અત્યાર સુધી મારી ઘેાડી એક નવી જ સૂચના નહિ ગણાય.
(૧) મધ્યમવર્ગ સ્વાવલખી થયા વિના છૂટકો નથી. આ સ્વાવલંબન માટે સધબળ, સહકારવૃત્તિ, અને સ શેાધન વૃત્તિ કેળવવાની જરૂર રહે છે.
સિદ્ધ કરેલી કાર્ય શકિત જોતાં આગળ ધરું' તે તે અયોગ્ય
(૨) "જીવનના સાધનો ખરીદવા માટે સહકારી મંડળેા ખેાલીને વેપારીઓને મળતા ના અચાવીને મોંધવારીની તીવ્રતા ઓછી કરી શકાય છે. સહકારી ઘર બાંધવાની સોસાયટીનો લાભ લઇને મધ્યમ વર્ગના કુટુ ભાડામાં બચાવ કરી શકે છે અને તેની સાથે મકાનની માલિકી ઉપર પણ હક પ્રાપ્ત કરી શકે છે. આરોગ્યના સબ્ધમાં પણ સહકારી આરોગ્ય મંડળેા મારત સસ્તી વા અને સારા ડોકટરોના લાખ ઓછા ખર્ચે મેળવી શકાય છે, ‘સહકારી વૃત્તિથી પુસ્તકાલય, શિક્ષણના સાધનો, ઉજાણી અને રમતગમતના પ્રસ ંગો, નાટય અને નૃત્ય કલાના પ્રસંગો, સિનેમાની ટિકિટા પણ સહકાર વૃત્તિથી સસ્તી કિંમતે