________________
તા. ૧-૧૧-૧૯પ૪
પ્રબુદ્ધ જીવન
૧૩
=
* * * *ક કરવા
*
તમારું સંયુકત જૈન વિદ્યાથી ગ્રહ છે. એ છાત્રાલયને સબંધ યુવક સંધ સાથે નથી અને છે. એમાં અત્યારે તમે ત્રણે ફિરકાનાં વિદ્યાર્થી ઓ દાખલ કરી શક્યા છે, પણ યુગધર્મની દષ્ટિએ તમે બહુજ પછાત છે, જૈનેતર સમાજના વિદ્યાર્થીઓ પણ તમારે આગ્રહપૂર્વક દાખલ કરવા જોઈએ.
ધારો કે આવતી કાલે મારા જેવાના પ્રયત્નથી સરકાર કાનૂન કરે કે સરકાર પાસેથી લાયસન્સ લીધા વગર કોઈ પણ છાત્રાલય ચાલવું ન જોઈએ. (ચાની દુકાને અને હોટેલ માટે પણ જે લાયસન્સની જરૂર હોય છે તો જીવન ઘડનાર છાત્રાલયે કે વિદ્યાર્થીગૃહ લાયસન્સ વગર ચાલે એ નજ પોસાય.) લાયસંસ આપતી વખતે
સરકાર જેશે કે હવા ઉજાસની પૂરતી સગવડ છે કે નહીં, વિધાર્થીઓ વિભીડમાં તે નથી રહેતા. એમને તંદુરસ્ત ખોરાક મળે છે કે નહીં. સંસ્થાનું વાતાવરણ સદાચારને અનુકૂળ છે કે નહિ. દેખરેખ કઈ જાતની છે, પુસ્તકાલયની અને રમવાની સગવડ છે કે નહિ વગેરે. અને એની સામે સરકાર નિયમ કરે કે જૈન છાત્રાલયમાં પચાસ ટકા જૈન ભલે હોય. બાકીનાં પચાસ ટકા જૈનેતર હોય. અને એમાંય વીસ ટકા તે હરિજન અને ગિરિજન (આદિવાસી) હોવા જોઈએ. ભિન્ન ધર્મ લે કોને બહિષ્કાર ન જ કરાય. * આવો કાયદો અને આવા નિયમે થયા પછી માને, તે કરતાં કાકાસાહેબ કહે છે તે યુગધર્મ સમજી અત્યારથી જ એ સુધારે છે કરે તે તમને એનું શ્રેય મળશે.
પિતાની કેમ પૂરતું જ વિચાર કરવો. પિતાની કેમનાં છોકરાએને જ સ્કોલરશીપ આપવી અને કહેવું કે રાષ્ટ્રનાં બેજામાંથી એટલે બેજો અમે હળવે કર્યો તે એ દલીલ ચાલશે નહિ. જમાને કહેશે કે તમારી કેમને ભાગે જરૂરી છે એના કરતા વધુ સંપત્તિને ભાર અમે તમારા માથેથી હળવે કરીશું.
પછાત કોમેની સ્થિતિની તપાસ કરતાં અમારા જોવામાં અવ્યું કે દેશમાં તમામ સંપત્તિ, જમીન અને અધિકાર પાંચ દસ કમેનાં જ હાથમાં છે. સરકારની નોકરીમાં ઉપરના ત્રણે grades જુઓ, વકીલ, ઈજનેર, ડોકટર વગેરે પ્રતિષ્ઠિત ધંધાઓ જુઓ, નાના મેય કારખાનાંઓ જુઓ બધે આ પાંચ દસ કમેના જ લોકે દેખાશે. વાણીયા, બ્રાહ્મણ, કાયસ્થ, રાજપૂત, ભેટ, વૈધ, પાટીદાર, ગરાસિયા વગેરે દસ પંદર જાતીનું જ રાજ છે. મહા ભારતમાં જેમ દેવદેવીઓનાં નામ બાતલ કરીએ તે આખા ગ્રંથમાં
ત્રીઓ અને બ્રાહમણાનાં જ નામ જડશે, બાકીની બધી પ્રજા સંખ્યા માત્ર છે. એવી જ રીતે આજે પણ દેશમાં મુઠ્ઠીભર જાતીઓનું જ પ્રભુત્વ છે. બાકી બધી હજારે કેમ પછાત છે. એમને ઉપર આવવાની તક મળવી જોઈએ. એમને પિતાના ભાઈ ભાંડુ સમજી પિતાની સંપતિમાંથી સાર સરખે ભાગ એમને આપવો જોઈએ.
પણ આ થયો ફકત દાનધર્મ. એ દાનનું નવું રૂપ લઈને * નારાયણ દેસાઈ તમારી આગળ આવ્યા છે. એને નિરાશ તે નહિ જ
કરે ભૂમિદાન, સંપતિદાન, શ્રમદાન અને જીવનદાન આ ચતુર્વિધ દાન એ યુગધર્મની માંગ છે. એમાં આપશે જ, પણ એ ગૌણધર્મથી પ્રધાન ધર્મ પળાય એમ ન ગણાય. પ્રધાન ધર્મ છે જીવનપરિવર્તન, ન્યાત, જાત અને વર્ણથી આગળ જઈ માનવતાને અભેદ સ્વીકારવાની રીયારી હોવી જોઈએ. તમે જૈન ધર્મ પાળે એટલું જ બસ નથી. દસવીસ જૈનેતરને જૈનધર્મમાં દાખલ કરી દે એટલુયે બસ નથી. પણું સમસ્ત સાથે ઓતપ્રેત થઈ જૈન ધર્મને સંસ્કાર બધાને લાગી જાય એ મહત્ત્વાકાંક્ષા હવે રાખવાની છે. એને માટે બધા સાથે ભળવાની મનેઝત્તિ કેળવવી જોઈએ. ખાનપાનમાં બધા સાથે ભળવું એટલું તે આજે સહેજે સિદ્ધ થયું છે. હવે તે આંતરજાતીય અને આંતરધમય વિવાહ સુધી આપણે જવું જોઈએ. દેશની પછાત કેમેને અપનાવતાં કયાંય અટકવું ન જોઈએ.
જૈન સમાજને આટલી સામાજિક ક્રાંતિ માટે તૈયાર થયેલો જોવા માગું છું. એ તૈયારી કરવાનું કામ યુવક સંધનું છે. નારાયણ દેસાઈએ હમણાં યુવકની વ્યાખ્યા કહી કે ભવિષ્ય કાળ વિશે જે માણસ આશા અને શ્રધ્ધા સેવે છે તે માણસ યુવાન છે. તે વ્યાખ્યા પ્રમાણે સંધના સદસ્ય યુવક છે કે નહિ એ એમણે પિતાનું હૃદય તપાસીને નકકી કરવું જોઈએ. હું માનું છું કે તેઓ બધાં યુવક છે. પિતાને વિશે તે હું જરૂર કહું કે હું યુવક મ નથી. સમાજ વિશેની અને ભવિષ્ય કાળ વિષેની મારી શ્રદ્ધા વધતી જ જાય છે અને કેવળ નારીપૂજક તરીકે નથી કહેતે પણ મારી શ્રદ્ધાથી કહું છું કે સ્ત્રીઓ દ્વારા આ બધી ક્રાંતિ વધારે જલદી થવાની છે. પિતાનાં ઉજજવળ ચારિત્ર્યને જોરે જયારે બહેને બળવાખેર થશે, અને યુગધર્મને ઝડ હાથમાં લઈને આગળ વધશે ત્યારે એમને કોઈ રોકી નહિ શકે. દુનિયામાં ભારે પરિવર્તન થઈ રહ્યું છે, પશ્વિમનાં લોકે પિતાની સંસ્કૃતિ અમાવી થાક્યા છે. ગાંધીજીએ સૂચવેલા અહિંસાના માર્ગ વિષે હવે તેઓ સાંભળવાને તૈયાર છે. વિશ્વકુટુંબને આદર્શ સ્વીકાર્યા વગર માણસજાત હવે જીવી શકવાની નથી. એ વાત જયારે લેકના ગળે ઊતરવા માંડી છે, ત્યારે આપણે નાની પ્રવૃત્તિઓ લઈને સંતોષ ન માનીએ. સ્વરાજની પ્રવૃત્તિમાં ખીસકોલીને ફાળો આપવાના દિવસે પૂરા થયા. આજનો દિવસ કેવળ ઉત્સવને નથી. પચીસ છવીસ વરસની પ્રવૃતિને અંતે મેળવેલો અનુભવ અને ભેગી કરેલી નિતિક : મૂડીને જોરે નવા પુરુષાર્થ કરવાની દીક્ષા લેવાને આ દિવસ છે. • બાળદીક્ષા વિરોધની પ્રવૃત્તિથી શરૂ થયેલ યુવક સંઘ હવે આવા , વિશાળ પ્રબુધ્ધ જીવનની દીક્ષા લે એ જ યોગ્ય છે”
આભાર નિવેદન છેવટે સંધના કષાધ્યક્ષ શ્રી ચીમનલાલ પી. શાહે કાકાસાહેબ કાલેલકર, પંડિત સુખલાલજી તેમજ પંડિત બેચરદાસને આભાર મા, રજત મહોત્સવ ફંડમાં ઉદારતાથી ફાળો આપનાર સંધના અનેક શુભેચ્છકો ઉપકાર માન્ય અને ઝાલાવાડ જૈન સ્વયંસેવક મંડળ પ્રત્યે પણ વ્યવસ્થા જાળવવા માટે કૃતજ્ઞતા દર્શાવી થી વેણીબહેને આભાર નિવેદનનું સવિશેષ સમર્થન કર્યું, સુખડની પુષ્પમાળ વડે કાકાસાહેબ તથા ભાઈ નારાયણનું બહુમાન કર્યું અને ‘જનગણું મન અધિનાયક જય હે” એ રાષ્ટ્રગીત વડે સમેલન બરબર પણ વાગ્યે વિસર્જન કરવામાં આવ્યું.
સમૂહ ભેજન સમારંભ એ જ દિવસે સાંજે ૬ વાગ્યે પાટી ઉપર આવેલા પ્રાણસુખલાલ મફતલાલ સ્વીમીંગ પૂલના વિશાળ ચોગાનમાં રજત મહોત્સવ અંગેના સમૂહભોજન સમારંભ માટે મેટા પાયા ઉપર . વ્યવસ્થા કરવામાં આવી હતી. એક સાથે ૪૦૦ ભાઈ બહેને વ્યવસ્થિત રીતે જમી શકે એવી ટેબલ ખુરશી અને થાળી વાડકાની ગોઠવણ હતી. માઇક અને લાઉડ સ્પીકરે પણ ગઠવવામાં આવ્યાં હતાં. ચોતરફ રોશની માટે જરૂરી વ્યવસ્થા હતી. આ પ્રસંગે સંધ તરફથી મુંબઈની કેંગ્રેસ મહાસભાના પ્રમુખ શ્રી એસ. કે. પાટીલને અતિથિ વિશેષ તરીકે ખાસ નિમંત્રણું આપવામાં આવ્યું હતું. તેઓ સવા , . .
છ પછી આવ્યા. દુધપાક પૂરીનું જમણ હતું. બધી વાનીઓ પીરસાઈ રહ્યા બાદ શ્રી દલસુખભાઈ માલવાણિયાએ છે સદનાવવતુ... અને છે. અલતોનારત્નમથા...ના 'મત્રે સંભળાવ્યા અને સૌએ જમવાનું શરૂ કર્યું. જમવાનું ચાલતું હતું એ દરમિયાન સંઘના પ્રમુખ શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆએ આ પ્રસંગના અતિથિ વિશેષ ને સંધને પરિચય કરાવ્યો અને શ્રી એસ. કે. પટીલ ને પૂરી સરળતાથી સંધનું આમંત્રણ સ્વીકારવા બદલ આભાર - માનતાં તેમનું સુખડના પુષ્પહાર વડે બહુમાન કર્યું. શ્રી એસ. કે. પાટીલે પ્રસ્તુત પ્રસંગ ઉપર નિમંત્રણ આપવા બદલ સંધને ઉપકાર માનતાં જણાવ્યું કે