SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૧૬ મુંબઇ જૈન યુવક સંધે અમુક ક્ષેત્રમાં પરિવર્તન થવા પ્રયત્ન કરેલો છે અને તેથી તેને મેં બળવાખેાર સંસ્થા તરીકે વણુ વી છે. મુંબ જૈન યુવક સંધે જૈન સમાજમાં કાય કરેલ છે, એટલુ જ નહિ પરન્તુ રાષ્ટ્રીય ક્ષેત્રે પણ પોતાના ફાળો આપ્યો છે. શ્રી પરમાનંદ ભાઈએ સંધના અહેવાલમાં ખીસકોલીના આત્મસાર્થ તરીકે આ બાબતને વર્ણવી છે. જેમ રામે શેતુષધ બાંધ્યો અને ખીસકાલીએ કાંકરી` પૂરીપૂરીને સતેષ અનુભવ્યો તેવીજ રીતે યુવક સંઘે રાજકીય ક્ષેત્રે ભલે ખીસક્રેાલી જેટલાં કાળા આપ્યો હાય તે પણ મુ ંબઈ જૈન યુવક સધ માટે તે આત્મસંતાષના વિષય છે અને તે માટે તે ગૌરવ અનુભવે તે યથાર્થ જ છે. શ્રી પરમાનંદભાઈ લખે છે ત્યારે શબ્દોની પસ ંદગી ભાષાવૈભવ વધારવા માટે કરતા નથી, પરન્તુ બહુજ વિચારપૂર્વક શબ્દો પસંદ કરે છે, રાજકીય ક્ષેત્રે ખીસકોલીને આત્મસંતાષ એ શબ્દની પસંદગી પણ તેટલીજ યથાર્થ છે. મુંબઇ સંધે નવા બંધારણની રચના કરી ત્યારે તેણે જે ઉદ્દેશ નકકી કર્યાં તે પૈકીના બે ઉદ્દેશો નીચે મુજબ છે. એક તો ધમ અને સમાજના નામે ચાલતાં પાંખડા ખુલ્લાં પાડવાં અને સમાજ પ્રગતિને રૂ"ધતા અનેક ધાર્મિક તેમજ સામાજિક વહેમાનો તથા કુરૂઢિઓના જૈન સમાજમાંથી ' ઉચ્છેદ કરવા. આ શબ્દો આકરા છે. આજે આપણને નથી લાગતાં, પરંતુ જે સમયે આ શબ્દે વપરાયેલ છે તે સમયે આ શબ્દો વાપરવા માટે કેટલી હિંમત જોઈએ તેને વિચાર કરી જોશે, આજે આ શબ્દો આપણને આકરા નથી લાગતા કેમ કે સાધુ-સાધ્વીઓને દાર હવે ઢીલા થા છે એમ આપણને લાગે છે, જો કે આ હકીકત બરાબર છે કે કેમ તેની મને ખબર નથી. સાધુ સાધ્વીઓના દાર બહુ ઢીલા પડયા છે એમ કહેવાની મારી હિંમત ચાલતી નથી. આજે જૈતાના અધ કિાઓની એકતાની વાતા થઇ રહી છે. આ પ્રશ્ન અંગે જુનવાણી માનસ પ્રગટ રીતે વિધ કરતા નથી, કેમકે તેમ કરવાની આજના યુગે તેમનામાં હિંમત નથી, છતાં તે પોતાની રીતે આ પ્રશ્નોને વેગ મળતા અટકાવે છે ખરા. એકતાના પ્રશ્નમાં થેડું પરિવર્ત ન કરવા દેવા તેઓ તૈયાર બને છે . પરન્તુ જયારે નકકર એકતાની વાત આવે છે, ત્યારે સામ્પ્રદાયિક મમત્વ દેખાયા વિના બહાર આવ્યા વિના રહેતું નથી, બધા ક્િરકાઓની કાન્સના અધિવેશનમાં પણ એકતા અંગે સુ ંદર શબ્દોમાં ભાષા થાય છે તેમજ ઠરાવેા થાય છે, પરંતુ અમુક વર્ગોમાં સામ્પ્રદાયિક મમત્વ એટલુ ભર્યું" પડયુ છે કે નક્કર એકતાની દિશામાં એક પણ પગલુ તે આગળ વધવા દેતુ નથી, બિનસામ્પ્રદાયિક માનસવળી કાઇ પણ સંસ્થા હોય તે। તે માત્ર મુંબઈ જૈન યુવક સધ છે. આ સંસ્થાના પ્રાણરૂપ શ્રી મણિલાલ માકમચંદ શાહ આજે આપણી વચ્ચે નથી, પરન્તુ પ્રાણુરૂપ ખીજી વ્યક્તિ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ છે. શ્મા બંને વ્યક્તિઓના બિનસામ્પ્રદાયિક માનસને કારણે મુંબઈ જૈન યુવક સંધ તદ્દન બિનસામ્પ્રદાયિક રહ્યો છે અને ૨૫ વર્ષ સુધી એક ધારી રીતે બિનસામ્પ્રદાયિક રીતે કામ કરેલ છે. મને આ સસ્થા સાથે છેલ્લાં ૧૨ વર્ષથી કામ કરવાનુ સદ્દભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમના બધા વિચારો સાથે હું સહમત હાઉ એવુ હેતું નથી છતાં પણ શ્રી પરમાનદભાઇમાં સત્યનિષ્ઠાના પેાતાને જે ખરૂ લાગે તે કહેવાના જે ગુણુ છે તેના તરફ આકર્ષાઇને અમે અને ત્યાં સુધી તેમને અનુકૂળ થવા પ્રયત્ન કરીએ છીએ. પ્રબુધ્ધ જીવનમાં જે લખાણા આવે છે તે પ્રચારલક્ષી નહિ, પરન્તુ સત્યલક્ષી હાય છે. પ્રબુધ્ધ જીવનમાં લખતી વખતે, પાતે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન છે એવું કદી પરમાનંદભ ને યાદ નહિં આવ્યું હેય. હું સ્થાનકવાસી' છું... એવુ મને કે વખત થઇ આવ્યું હશે, પરન્તુ શ્રી પરમાન ભાઈએ કદી સામ્પ્રદાયિક મનોવૃત્તિ સેવી નથી અને તેથી તેમની સાથે કામ કરામાં મને આનંદ થાય છે. 16 તા. ૧-૧૧-૫૪ શ્રી મુંબ જૈન યુવક સંધના પ્રાણુરૂપ એ કાર્યકર્તાએ પૈકી શ્રી ર્માણુભાઈની કામ કરવાની શકિત અને તરવરાટ જુદાં હતાં. કોઇ પણ કાર્ય માટે રૂપીઆ એકઠા કરવાની તેમનામાં શક્તિ હતી. શ્રી પરમાનંદભાઇ જન્મથી જૈન છે, પરન્તુ સ્વભાવે બ્રાહ્મણ છે. રૂપી લાવવાની તેમનામાં શક્તિ નથી, પરન્તુ વિચારાની સમૃદ્ધિ તેમનામાં ભરેલી છે. જ્યારે પરમાનંદભાઇ પ્રબુદ્ધ જૈન' ને 'પ્રધ્યુધ્ધ જીવન' નામ આપવાના મેનેજીંગ કમિટીમાં ઠરાવ્ લાવ્યા, ત્યારે પુષ્કળ ચર્ચા થઇ; આમ છતાં શ્રી પરમાનંદભાઇ સત્યનિષ્ઠાપૂર્વક કોઇ પણુ કામ કરે ત્યારે તેમને અનુકૂળ થવાનો અમે પ્રયત્ન કરીએ છીએ, અને તેથી પ્રબુધ્ધ જીવન નામ આપવાનુ ં મેનેજીંગ કમિટિએ સ્વીકાર્યું જૈનાની એકતા સાધવાની દિશામાં સક્રિય કાર્ય કરવા માટે દિલ્હીમાં એક સમારંભ થયા હતા અને મુંબઇમાં પણ તેવે સમાર ંભ થનાર છે, પરન્તુ સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે આગળ વધેલા જૈના ધાર્મિક ક્ષેત્રે એક પંચ પણ આગળ વધવા તૈયાર થતા નથી એ દુઃખદાયક હકીકત છે. ધાર્મિક ક્ષેત્રે કાનો, માત્રા, મીડી કે પદમાં ફેરફાર થાય તેા વિતરાગની આજ્ઞાનું ઉલ્લંધન થવાના ભય સેવે છે! આ જાતનું માણસ કેળવાયેલા વર્ગ પણ ધરાવે છે. એ વિશેષ દુખદાયક બીના છે. જયારે કે Concrete Proposal નકકર યેાજના એકતાની દિશામાં રજૂ થાય છે, ત્યારે આ વર્ગ પણ એક તસુ જેટલા આગળ વધતા નથી અને યેાજના અટકી જાય છે. આ દૃષ્ટિએ જોઈએ તે જૈન સમાજમાં મુંબઈ જૈન યુવક સંધ પેાતાનુ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એકતાની દિશામાં તેમણે કદી સામ્પ્રદાયિક મનાવ્રુત્તિ સેવેલ નથી, મુંબઇ જૈન યુવક સંધ પેાતાના ઉદ્દેશીને અત્યાર સુધી વળગી રહેલ છે અને સાથીઓના સાથ ગુમાવવા પડે તે ગુમાવેલ છે, પરન્તુ સિદ્ધાન્ત જતેા કરેલ નથી. મુબઇ જૈન યુવક સંધમાં કાઇ કાઇ વખતે વિચારનું ઘર્ષણ થયું છે અને પોતાના ઉદ્દેશાને વળગી રહેવા માટે, સ ંઘે ઘણા સભ્યોના સાથ જતા પણ કરેલ છે, પરન્તુ સિદ્ધાન્તને ભાગે સથે કદી આર્થિક સહકાર મેળવવા કે અન્ય સહકાર મેળવવા પ્રયત્ન કરેલ નથી; આ છે મુંબઇ જૈન યુવક સંધની વિશિષ્ટતા. મુંબઇ જૈન યુવક સંધ તરફથી પર્યુષણ પર્વ વ્યાખ્ય નમાળા યોજાય છે તેની પાછળ પણ એ જ દૃષ્ટિ છે કે તમેા નવા વિચારો માટે તમારા કાન ખુલતા રાખા અને તમને જે રીક લાગે તે તેમાંથી ગ્રહણુ કરે. મુંબઇ જૈન યુવક સંધના સભ્યએ કદી નવી વિચારધારા માટે પોતાના કાન બંધ રાખેલ નથી; તે હંમેશા નવા વિચારો ગ્રહણ કરે છે, સત્યની કસેટી પર કસે છે અને યોગ્ય લાગે તેટલું અપન વવા તત્પર રહે છે. પર્યુંષણ પર્વ દરમ્યાન અને સવત્સરીને દિવસે પણ અન્ય કાર્યક્રમાં જતા કરીને પણ પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળામાં આવે છે તે અંતવે છે કે લોકા આજે વિચારતા થયા છે, માત્ર જરૂર છે નવા વિચારો આપનારની આ નવા વિચારો આપવા માટે મુંબઈ જૈન યુવક સંધ તરફથી પર્યુષણ પર્વ વ્યા ખ્યાનમાળા યોજાય છે. આ યુવક સંધના રજત મહેાત્સવ પ્રસંગે ૫, સુખલાલજી અને પ. બેચરદાસજીનું સધ બહુમાન કરવા ઇચ્છે છે તે પણ સધની વિચારસરણીને બરાબર અનુરૂપ જ છે. સંધ હંમેશાં નવી વિચારસરણી અપનાવતા આવ્યા છે અને તેથી તે ખડખાર સંસ્થા તરીકે ઓળખાય છે. આ બે પડિતા પણ ડખાર પ'ડિતા તરીકે જાણીતા છે. તેઓએ બંધા દર્શનના અભ્યાસ કરેલ છે અને માત્ર શાને જડપણે વળગી ન રહેતાં, આ એ પંડિતા શબ્દ પાછળના રહસ્યને પકડવા પ્રયત્ન કરે છે અને ખરી વસ્તુ સમાજ પાસે નીડરપણે રજૂ કરે છે. આવા પડિતનુ સન્માન શ્રી મુંબઈ જૈન યુવક સધ તરફથી થાય તે યથાર્થ જ છે.”
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy