________________
-
તા. ૧-૧૧-૫૪
પ્રબુદ્ધ જીવન
-
-
--
--
રજત મહોત્સવ સંમેલન તા. ૧૦-૧૦-૫૪ રવિવારના રોજ સવારના નવ વાગ્યે ભારતીય વિદ્યાભવનમાં કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપણ નીચે મુંબઈ જૈન યુવક સંઘનું રજત મહોત્સવ સંમેલન ભરવામાં આવ્યું હતું. સંઘના સભ્ય, શુભેચ્છકો અને મુંબઇના અગ્રગણ્ય શહેરીએથી ભવનનું નાટયગૃહ ભરાઈ ગયું હતું. સંમેલનની શરૂઆત શ્રી નિર્મળાબહેન ઓઝા અને બહેન ચંદ્રિકા પરીખનાં પ્રાર્થનાગીતાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી પરમાનંદ કંવરજી કાપડિયાએ રજત મહોત્સવ સંમેલનનું ઉદ્દઘાટન કરવાની શ્રી નારાયણ મહાદેવ દેસાઈને વિનંતી કરતાં જણાવ્યું કે “ આ પવિત્ર કાર્ય કરવા માટે ભાઈ, નારાયણની પસંદગી અમે શા માટે કરી તે વિષે થોડીક સ્પષ્ટતા કરું. જ્યારથી અમે રજત મહોત્સવને વિચાર કરવા માંડે ત્યારથી તેને લગતા સંમેલનના મુખ્ય સ્થાને કોઈ યુવક હોય તે વધારે સારું એમ અમને થયા કરતું હતું. સાથે સાથે અમને એમ પણું હતું કે સંમેલનના પ્રમુખ સ્થાને એવી કે. વિશિષ્ટ વ્યકિતને લાવીએ કે જે હિંદના મહાજનેમાંની એક હોય અને જે અમને ને અમારા સંધને પણ ઠીક ઠીક જાણતી હેય સંધના ૨૬ વર્ષના લાંબા ગાળાથી સુપરિચિત એવી યુવક વ્યકિત મળે તે અશકય જ હતું. આ માટે સૌથી વધારે ગ્યતા ધરાવતા કાકાસાહેબ કાલેલકર તરફ અમારું ધ્યાન ગયું, તેમને અમે વિનંતિ કરી અને તેમણે તે સહર્ષ સ્વીકારી. આમ છતાં પણ મુખ્ય સ્થાને કોઈ યુવકને લાવવાને વિચાર અમારા મનમાં ચાલુ જ રહ્યો. આ શોધ કરતાં ભાઈ નારાયણ મહાદેવ દેસાઈ જે મુંબઈમાં છેલ્લા બે મહીનાથી આવીને વસ્યા છે અને ભૂદાન આજેલનને જણાવી રહ્યા છે તેમની ઉપર નજર પડી. ભાઈ નારાયણથી આપમાંના ઘણા ખરા પરિચિત છે. તેમની કાર્યનિષ્ઠા અને ઉચ્ચ કોટીના વકતૃત્વથી તેમણે આપણું સર્વને મુગ્ધ કર્યા છે. તેમને અમે રજત મહોત્સવ સંમેલનનું ઉદ્દઘાટન કરવા વિનંતી કરી અને કાકાસાહેબ જે સંમેલનના પ્રમુખ થવાના છે તે સંમેલનનું ઉદ્ઘાટન કરતાં મને જરૂર આનંદ થશે એ જવાબ સાથે અમારી તેમણે આ વિનંતી સ્વીકારી.
સાધારણ રીતે આવા સંમેલનનું ઉદ્ધાટન કરવા માટે નિયત પ્રમુખ કરતાં વધારે વિખ્યાત વ્યક્તિને લાવવામાં આવે છે. આપણે ભાઈ નારાયણને બેલાવીને આ પરંપરા તેડીએ છીએ અને પરંપરા તેડવી અને નવી પરંપરા ઊભી કરવી એ કાર્ય યુવક સંધ જેવી સંસ્થા નહિ કરે તે બીજું કશું કરશે? બાવનામાં અમારી જાતને યુવક લેખાવીએ એમ છતાં ઉમ્મરે જર્જરિત થતા જતા અમે સંઘના જજૂના કાર્યવાહકો ભાઈ નારાયણને આ કાર્ય માટે પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવીએ છીએ અને આ શુભ ઘટનામાં અમે સંધના ઉજવળ ભાવીનું દર્શન કરીએ છીએ..
કાકાસાહેબ પ્રમુખસ્થાને અને ભાઈ નારાયણના હાથે ઉદ્ધાટન, એ ઘટનામાં એક વિશેષ ઔચિત્ય પણ રહેલું છે. સંસ્કૃતમાં કહેવત છે કે પુત્રર્ છે રાનયમ છે એટલે કે પુત્રનું સ્થાન પિતાથી ચડિયાતું બને એમ દરેક પિતા ઇચ્છે. કાકાસાહેબ અને નારાયણને સંબંધ કંઈક આવા પ્રકારને હેઈને આ સુગ જેમ આપણા માટે આનંદજનક તેમજ ગૌરવપ્રદ છે. તેમ કાકાસાહેબ માટે એટલે જ આનંદજનક તેમ જ ગૌરવપ્રદ બને છે. હવે ભાઈ નારાયણને આ સંમેલનનું ઉદ્દઘાટન જાહેર કરવા હું વિનંતી કરું છું..
- શ્રી નારાયણ દેસાઈ સંમેલનના ઉદ્દઘાટનનું મંગળ પ્રવચન કરતાં શ્રી નારાયણ દેસાઇએ કહ્યું કે અહીં મુંબઈમાં હું લગભગ બે માસથી આવ્યો છું. અનુ- ' ભવથી મને માલુમ પડયું છે કે મુંબઈમાં ઔપચારિકતા વધારે છે. આજના સમેલનને કાર્યક્રમ આપ જોશે તે તેમાં પણ આપને
કેટલું ઔપચારિકતા પૂરતું જ છે એમ લાગ્યા વગર નહીં રહે. પણ આ હું ઉદ્દઘાટનમાં વધારે વખત નહીં લઉં-કદાચ ઉદ્દઘાટન કરવાનું છે કહેવામાં જેટલો વખત લાગે તેટલે પણ નહીં લઉં. હું વિચારું છે છું કે મુંબઈ જૈન યુવક સંધના સન્મેલનનું ઉદ્દઘાટન હું કઈ રીતે કરી કરી શકું ! તે મને લાગે છે કે આમાં મારે સંબંધ ફકત યુવક છે તરીકે છે. યુવક શબ્દ આપણે બોલીએ છીએ ખરા, પણ એને ભાવ વીસરી ગયા છીએ તેથી એના ભાવને વળગી રહેવા સૌને વિનંતી છે. યુવક એટલે જગત વિષે આશાની દ્રષ્ટિથી જોનાર. મુંબઈમાં મેં આ દ્રષ્ટિને અભાવ જોવે છે. દુનિયા સુધરવાની નથી ! એવી નિરાશા ભરેલી વૃત્તિ મેં અહીં યુવાને અને બુદ્ધિમાનામાં જોઈ છે, અને એટલા અંશે આપણે આપણું યૌવન એયું છે. ઘડા અને યુવાનની મનોવૃત્તિ સમજવી હોય તે–એક ઘરડે અને એક યુવાન પહાડ ચડતા હેય, અને બન્ને અડધો પહાડ ચડી ગયા હોય ત્યારે ધરડી મનોવૃત્તિવાળાને થશે કે હજુ તે અડધે પહાડ જ ચડયા; ત્યારે યુવાન કહેશે કે હવે તે અડધું ચડવાનું જ બાકી રહ્યું. આ છે ઘરડી અને યુવાન મનોવૃત્તિ વચ્ચેનું અંતર
અહિંસાને આપણે એવી રીતે જીવી બતાવવી જોઈએ કે જગત અહિંસા તરફ આગળ વધી રહ્યું છે એ કહેવાની આપણને તાકાત મળે. અંતરમાં અહિંસા પ્રત્યે શ્રધ્ધા હશે તે જ આ થઈ શકશે. બે રાતની વચ્ચે દબાયેલ દિવસની જેવા નહિ પણ રાતને કુબાવતા બે દિવસની જેમ જુવાનોએ દેખાવું જોઈએ. - આપણે હવે ત્રણ દ્રષ્ટિએ વિચાર કરતાં થવું જોઈએ * (1) માસને પિતાની જાત સાથે સંબંધ, (૨) માણસને , 3 પોતાના સાથીઓ-સમસ્ત માનવજાત–સાથે સંબંધ, અને (૩) માણસને પ્રકૃતિ સાથે સંબંધ, આ સંબધે સ્વાર્થ વગરના હશે ? તે આ ત્રણ દ્રષ્ટિમાંથી જ જગતને આગળ લઈ જવાની હેશ સફળ થશે. આવી દ્રષ્ટિ અપનાવવી એ જ યૌવન છે. આટલા નિવેદન સાથે હું આ સમેલનને ખુલ્લું મુકાયેલું જાહેર કરું છું. તે
શ્રી કાકાસાહેબને સંમેલનનું કામ શરૂ કરવાની વિનંતી કરતાં તે શ્રીમતી લીલાવતીબહેન દેવીદાસે કહ્યું કે “યુવક સંઘના કાર્યકરે ભલે ઉંમરમાં મેટા હોય, છતાં તેઓ આપણા લાડીલા નેતા જવાહરલાલજીની જેમ જુવાન છે. આપણા સંમેલનના પ્રમુખ શ્રી કાકાસાહેબ પણ યુવક છે અને હું તેમને યુવક સંધના આ સંમેલનનું કામ શરૂ કરવા વિનંતી કરું છું.”
શ્રી. ટી, જી. શાહઃ સંદેશા વાંચન ત્યાર બાદ સંધના મંત્રી શ્રી ટી. જી. શાહે પ્રસ્તુત પ્રસંગને છે અ ગે આવેલા કેટલાક સંદેશાઓને સાર અને બાકીના સંદેશા મોકલનારાનાં નામે સંભળાવ્યાં હતાં. આમાંના અગત્યના સંદેશાઓ આ વિશેષ અંકમાં ટા છવાયા આપવામાં આવેલ છે. સંદેશાઓ મોકલનારાઓની યાદી નીચે મુજબ છે :
ઉત્તર પ્રાન્તના રાજયપાલ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી, શ્રી ગણેશ વાસુદેવ માવલંકર, શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી દિનકરરાવ દેસાઈ, શ્રી કુંદનમલ ફિરોદિયા, સૌરાષ્ટ્રના ગૃહમંત્રી શ્રી રસિક્લાલ પરીખ, પૂજ્ય કેદારનાથજી, મુનિ સન્તલાલજી, શ્રી શ્રેયાંસપ્રસાદ જૈન, શ્રી મનું સુબેદાર, મુનિશ્રી સુશીલકુમારજી, મહાસતી ઉજજવલકુમારી, મુનિશ્રી ન્યાયવિજ્યજી, શ્રી રવિશંકર રાવળ, શ્રી ગટુભાઈ ધ્રુવ, શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ, શ્રી કિશનસિંહ ચાવડા, ડે. સુમન્ત મહેતા, શ્રી શારદાબહેન મહેતા, શ્રી પદ્મનાભ જૈન, શ્રી રિષભદાસ રકા, શ્રી સરલાબહેન સારાભાઈ, શ્રી અનસ્યા બહેન સારાભાઈ, શ્રી પોપટ તો લાલ રામચંદ શાહ, શ્રી પી. જી. શાહ, શ્રી ભંવરમલ સીંધી, શ્રી પી જમુભાઈ દાણી, શ્રી સિધ્ધરાજ , શ્રી વિજયસિંહ નહાર, »ી છે વાડીલાલ શાલાલ શાહ, શ્રી પ્રભુદાસ પટવારી, શ્રી એસ લાલચંદ તો હ, શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી, શ્રી નાગકુમાર મકાતી, શ્રી