SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૧૯૫૪ પ્રબુદ્ધ જીવન ૧૧૧ ' અખંડપણે કાયમ રહેલા સભ્યમાં શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, શ્રી નાનચંદભાઈ શામજી, શ્રી વલ્લભદાસ ફુલચંદ મહેતા, શ્રી ઠાકોરલાલ પી. શાહ, શ્રી ચંદુલાલ ટી. શાહ, શ્રી અમીચંદ ખેમચંદ શાહ, તથા શ્રી ઓધવજી ધનજી શાહને સમાવેશ થાય છે. આમાં પણ શ્રી રતિલાલ, પરમાનંદ, નાનચંદભાઈ અને વલભદાસ સંધની કાર્યવાહક સમિતિના સભ્ય છે, નાનચંદભાઈ ૭૭ વર્ષની ઉમ્મરના સૌથી વધારે વૃદ્ધ સભ્ય છે. અન્યને પણ ઉંમરની અસર થવા લાગી છે. સંધને વેગવાન બનાવવા માટે નવું લેહી ઉમેરાવાની અત્યન્ત આવશ્યક્તા છે. સંધના પૂર્વકાળના સાથીઓને યાદ કરતાં શ્રી કમલભાઈ ભુદરદાસ વકીલ, શ્રી મોહનલાલ દીપચંદ ચેકસી, શ્રી સાંકળચંદ જે શાહ, શ્રી જમનાદાસ અમરચંદ ગાંધી, શ્રી વાડીલાલ આશાલાલ શાહ, શ્રી ઉમેદચંદ દોલતચંદ બડિયા, શ્રી તારાચંદ લક્ષ્મીચંદ કોઠારીનાં નામે સ્મરણપટ ઉપર આરૂઢ થાય છે. એક વખતના સક્રિય અને વેગવાન કાર્યકર્તા છે. નગીનદાસ જે. શાહનું તા. ૧૨-૪-૩૨ ના રોજ અવસાન થયું; શ્રી ચંદ્રકાન્ત સુતરીઆનું ૧૯૪૬ ના જુલાઈ માસમાં અવસાન થયું; શ્રી વૃજલાલ ધરમચંદ મેઘાણીનું તા.૧૦-૧-૪૭ માં અવસાન થયું; શ્રી મનસુખલાલ હીરાલાલ લાલનનું પણ એ જ અરસામાં અવસાન થયું; શ્રી મણિલાલ મેકમચંદ શાહનું તા. ૨૬-૭-પર ના રોજ અવસાન થયું. આજે મુંબઈ જૈન યુવક સંધે જૈન તેમ જ જૈનેતર સમાજમાં જો કોઈ વિશિષ્ટ પ્રતિભાનું દર્શન કરાવ્યું હોય તે તે પ્રતિભા નિર્માણ કરવામાં આ પાંચ વ્યકિતએને. તેમજ ઉપર જણાવેલ જૂના તથા આજ સુધી ચાલુ રહેલા સંધના કાર્યકર્તાઓને અતિ મહત્વને ફાળે છે. ઉપસંહાર શ્રી મુંબઈ જૈન યુવક સંધની ૨૬ વર્ષની કારકિર્દીને આ સંક્ષિપ્ત ઇતિહાસ છે. આ ઈતિહાસનું નિરૂપણ કરતાં નાની મોટી : અનેક બાબતે અને ઘટનાઓ છેડી દેવી પડી છે. સમગ્રપણે જોતાં આદિથી આજ સુધી રાષ્ટ્રભાવનાને કાયમ રાખીને ૧૯૨૮ થી ૧૯૩૭ | સુધી સંધનું મુખ્ય કાર્યક્ષેત્ર જૈન શ્વે. મૂ સમાજ રહેલ છે. ૧૮૩૮ થી આજ સુધી જૈન સમાજને કેન્દ્રમાં રાખીને મુંબઈ જૈન યુવક સંધની સર્વ પ્રવૃત્તિઓનું સુવ્યાપકપણે સંચાલન થયું છે; આજે હવે જૈન સમાજના સ્થાને અહિંસા અને સત્યની ઉપાસના જેના મૂળમાં રહેલી છે એવી જૈન વિચારસરણીની પ્રતિષ્ઠા કરીને મુંબઈ જૈન યુવક સંધ પિતાનું કાર્ય ક્ષેત્ર વિસ્તારવાને મનોરથ સેવી રહેલ છે. તે સંધના આજે ૩૫૦ લગભગ સભ્ય છે; પ્રબુધ જૈનની ગ્રાહક સંખ્યા હજુ બહુ ગૌરવ લઈએ તેવા આંકડાને પહોંચી નથી; વાંચનાલય-પુસ્તકાલય જગ્યાની સંકડાશને લીધે ગુંગળાઈ રહેલાં છે. આમ સંધ અનેક બાજુએથી વિસ્તાર અને વિકાસની અપેક્ષા ધરાવે છે. ધીમે ધીમે પણ મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈ શહેરનું એક મહત્વનું સંસ્કાર– કેન્દ્ર બને અને વિશાળ જનસમાજને સ્પર્શે એવી અનેક સંસ્કારપ્રવૃત્તિઓ તેમાંથી વહેતી થાય અને સાથે સાથે પોતાના મુખપત્ર છે પ્રબુદ્ધ જીવન દ્વારા બહુજન સમાજને નીડરપણે સમ્યક જીવન દર્શન કરાવતું રહે એવી અમારી ભાવના છે. આનંદ અને ઉદ્દબોધન ઉભયને પ્રેરે એ ખ્યાલથી યોજાયેલ આ રજત મહોત્સવ સંમેલન આ મરથ સિદ્ધ કરવાના માર્ગો-સેવા અને પુરૂષાર્થના-મર્ગે નવું છે સીમાચિહ્ન બને એવી અમારી આકાંક્ષા અને અન્તરની પ્રાર્થના છે. ૪૫, ૪૭, ધનજી સ્ટ્રીટ, પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ ૩. ટી. જી. શાહ તા.૧૦-૧૦-૫૪. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ અપેક્ષા ધરાવે છે. ધીમે ધS જઈ જૈન યુવક સંઘ એ રોજ નોંધ:- ઉપર જણાવેલ શ્રી કાકા સાહેબ કાલેકરને ષષ્ટીપૂર્તિ સમારંભ તા. ૨૮-૭-૪૬ ના રોજ ઉજવાયો હતે. સ્વ. ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા નિબંધ હરીફાઈ ૧૯૪૭ ની સાલ દરમ્યાન જવામાં આવી હતી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આદ્યસ્થાપક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સ્થાપક તથા સંચાલક ના કરવામાં સ્વ. ડૉ. નગીનદાસ જે. શાહ સ્વ. મણિલાલ મેકમચંદ શાહ
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy