SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૧૯૫૪ પ્રબુધ્ધ જીવન ૧૦૯ સ્વ. ડાહ્યાભાઈ બાલાભાઈ કેર નિબંધ હરીફાઈ સ્વ. છોટુભાઈ કોરાએ પિતાના પિતાશ્રીના સ્મરણમાં “ આધુનિક સમયને અનુલક્ષીને જૈન ધર્મ અને સમાજને ઉત્કર્ષ કેમ . થાય?” એ વિષય ઉપર નિબંધ હરીફાઈ જવા માટે સંધને રૂા. ૪૦)ની રકમ આપી હતી આ વિષય ઉપર સારી સંખ્યામાં નિબળે મળ્યા હતા. જેમાંથી પહેલું ઈનામ રૂ. ૨૫૦)નું શ્રી પદ્મનાભ જૈનને અને બીજું ઈનામ રુ. ૧૫) નું શ્રી રતિલાલ મફાભાઈ શાહને આપવામાં આવ્યું હતું. પરીક્ષક તરીકે ૫. સુખ- લાલજી, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી શાન્તિલાલ હ. શાહ અને શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ કામ બજાવ્યું હતું. છે. વ્રજલાલ ધરમચંદ મેઘાણીનું અવસાન જેમની દર્દ ભરી માનવતાપ્રેરક વાર્તાઓ વડે પ્રબુદ્ધ જૈન લોકપ્રિય બની રહ્યું હતું અને જેમણે સંધની નવરચના બાદ વર્ષે સુધી સંધના મંત્રીપદને શોભાવ્યું હતું તેમનું મુંબઈના હિદુની મુસલમાનના કોમી સંધર્ષના દિવસે દરમિયાન કોઈ એક ગુંડાના છરીને ભોગ બનતાં તા. ૧૦-૧-૪૭ ના રોજ દુઃખદ અવસાન થયું હતું. સંઘને તેમના જવાથી એક નિષ્ઠાવાન કાર્યકર્તાની અને હૃદયસ્પર્શી લેખકની ખોટ પડી હતી. સંધની તેમણે અનેક વિધ સેવાઓ બજાવી હતી. આજે પણ તેમની ખોટ પુરાય એ કાર્યકર્તા અમને મળ્યો નથી. ડે. મેઘાણીનું સ્મારક તેમના સ્મારક નિમિતે સંધના સભ્યોમાંથી રૂ. ૨૩૦૦ એકઠા થયા હતા. તેમાં સંઘમાંથી રૂ. ૨૦૦ ઉમેરીને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનુ સુબેદારને નીચેની સમજુતી ઉપર એ રૂ ૨૫૦૦ ની રકમ તા. ૧૭-૮-૪૮ ના રોજ ભેટ આપવામાં આવી હતીઃ “ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય દ્રરટે ડેમેઘાણી જે પ્રકારની માનવતાસ્પર્શી વાર્તાઓ લખતા હતા તેવી વાર્તાઓ લખાવવી અથવા તે ધર્મ સાહિત્ય કે પશ્ચિમના સાહિત્યમાંથી વાર્તાઓ તારવવી અને તેને અનુવાદ કરાવો અને એ પ્રકારના લખાણ વાં અનુવાદ માટે આ રકમમાંથી પુરસ્કાર આપવા અને એ રીતે ઓછામાં ઓછા પાંચેક દળદાર પુસ્તકો પ્રગટ કરવા અને દરેક પુસ્તકની અંદર. મેધાણી સ્મારકને લગતી તેમણે નોંધ લેવી.” છે આ અન્વયે સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી (૧) માણસાઈની વાત અને (૨) ઉચ્ચ જીવનની મંગળ વાતે-એમ બે પુસ્તકો પ્રગટ થયાં છે. ટેલકર કમીટી ધાર્મિક તથા જાહેર સખાવતનું નિયમન કરવા સંબંધમાં મુંબઈ સરકારે નીમેલ ટેન્દુલકર કમીટીએ ૧૯૪૮ દરમિયાન જૈન જૈનેતર સમાજના આગેવાનોની જુબાની લેવાનું કામ શરૂ કર્યું હતું. જૈન મંદિરમાં એકઠા થતા દેવદ્રવ્યને પ્રશ્ન આ કમીટી આગળ ઉપસ્થિત થયેલ હતું. આ દેવદ્રવ્યને મંદિર અને મૂર્તિ સિવાય અન્ય. કશા સામાજિક ઉપયોગ થઈ ન જ શકે એ જૈનેની પ્રચલિત માન્યતા હતી. આ દ્રવ્યને સામાજિક ઉપયોગ થવો જ જોઈએ એવે મુંબઈ જૈન યુવક સંધને પ્રારંભથી આગ્રહ રહ્યો હતો. આ - કમીટી સમક્ષ જુબાની આપતાં સંધના પ્રતિનિધિ શ્રી પરમાનંદ સાધના પ્રતિનિધિ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ સંધના મન્તવ્ય સ્પષ્ટ આકારમાં રજુ કર્યા હતા. અને ડુલકર કમીટી સમક્ષ રજુ કરવામાં આવેલી જુબાનીઓ પ્રબુદ્ધ જૈનમાં બહુ વિસ્તારથી પ્રગટ કરવામાં આવી હતી આને લીધે તે વખતે મુંબઈ જૈન યુવક સંઘને જૈન સમાજના મોટા ભાગના ઉગ્ર રેપનું પાત્ર બનવું પડ્યું હતું. સામાજિક કાયદાઓનું સમર્થન છેલ્લાં દશ વર્ષના ગાળામાં મુંબઈ સરકાર તરફથી આ પબ્લીક છે રીલીજીઅસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ એકટ ઉપરાંત મધનિષેધ ધારે, દિપની પ્રતિબંધક ધારે, હરિજન મંદિર પ્રવેશ ધાર, સમાજ બહિષ્કાર પ્રતિબંધક ધારે, ભિક્ષુક ધારે, લગ્નવિચ્છેદ ધારે-આવા અનેક સામાજિક વિષયને લગતા કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે, અને મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહીએ આ બધા કાયદાઓનું સમયે સમયે જોરદાર સમર્થન કર્યું છે અને આમ કરતાં જુનવાણી સ્થિતિચુસ્ત સમુદાયને સખ્ત વિરોધ વહોરી લીધું છે. - મણિભાઇના તૈલચિત્રનું અનાવરણ અમારા સંધના વર્ષોના કાર્યકર્તા સ્વ. મણિલાલ મેકમચંદ શાહ અથવા તે મણિભાઈના તૌલચિત્રનું તા. ૧-૩-૫૨ રોજ કાકાસાહેબ કાલેલકરે સંઘના કાર્યાલયમાં અનેક સ્વજને અને 'મિત્રેની હાજરીમાં તેમની હયાતી દરમિયાન અનાવરણ કર્યું હતું અને મણિભાઈને ઉચ્ચ કોટિની પ્રશસ્તી વડે નવાજ્યા હતા. મણિભાઈનું અવસાન જેમનાં તન, મન અને ધનના, સુગ વડે મુંબઈ જૈન યુવક સંધ આજ સુધી ફલ્ય ફુલ્યું હતું, જેમના દિલમાં મુંબઈ જૈન યુવક સંધ અને સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહના ઉત્કર્ષની ચિન્તા વીશે કલાક જાગૃત રહેતી હતી અને તેના વિકાસ અને આર્થિક પુરવણી માટે છેલ્લાં ત્રણ વર્ષની માંદગીના બીછાને પણ સાજા માણસ કરતાં પણ જેઓ વધારે શ્રમ લઈ રહ્યા હતા, જેમના શ્વાસે શ્વાસે સંધ અને સંયુકત વિદ્યાર્થીગૃહ ધબક્યા કરતા હતા તેવા અમારા ચિરસાથી, પ્રેરક અને સહકાર્યકર્તા તા. ૨૬૭- ૫૨ ના રોજ અમને સદાને માટે છોડીને પરલોકવાસી બન્યા. સંધની લાંબી કારકીર્દિ દરમિયાન અનેક કાર્યકર્તાઓ આવ્યા અને ગયા, પણ મણિભાઈની ધગશ, સેવા અને સંધને સતત ઉંચે લઈ જવાની ભાવના અનન્ય અજોડ હતી. તેમણે સંધની સતત ચિન્તા કરી છે, ઢગલાબંધ ધન આપ્યું છે અને માત્ર સંઘ જ નહિ પણ અનેક સામાજિક શુભ પ્રવૃત્તિઓ પાછળ તનને ઘસી નાંખ્યું છે, તેઓ સ્થળ દેહે અમારી વચ્ચેથી અલેપ થયા છે, પણ સુક્ષ્મ દેહે અમારી વચ્ચે જ વસે છે એમ અમને લાગ્યા કરે છે. નાના ક્ષેત્રને પણ પોતાની અનેકવિધ સેવાઓથી ભરી દેનાર વ્યક્તિને આપણા સમાજમાં જે મળ મુશ્કેલ છે. - સ્વ. મણિભાઇ સ્મૃતિ ફંડ તા. ૩૧-૭-૫ર ના રોજ મહાવીર જૈન વિદ્યાલયમાં સર મણિલાલ બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણ નીચે સ્વ. મણિભાઈ અંગે શોકસભા થઈ. અનેક મિત્રએ ઉંડા દર્દભરી શોકની લાગણી મૅગટ કરી. એ જ વખતે “મણિભાઈ સ્મૃતિ ફંડ સમિતિ” ઉપસ્થિત કરવામાં આવી અને તેના મંત્રી સ્થાને શ્રી તારાચંદ લક્ષ્મીચંદ કોઠારી અને શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહની નીમણ આવી. આ સ્મૃતિ ફંડમાં રૂ. ૨૫૦૦૦ એકઠા કરવાનું ધ્યેય નકકી કરવામાં આવ્યું અને તે મણિભાઈ પરિપાલિત–પાષિત સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહને અર્પણ કરવાનું ઠરાવવામાં આવ્યું. આ રકમ - બને મંત્રીઓના શુભ પ્રયાસથી ૧૯૫૪ ના જુન માસ સુધીમાં એકઠી થઈ ચુકી છે અને સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહને અર્પણ કરવામાં આવી છે. સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ કોઈપણ ફીરકા- ભેદ સિવાય જૈન સમાજના ઉચ્ચ કેળવણી લેતા વિદ્યાર્થીઓને રહેવા વગેરેની સગવડ આપવા માટે આજથી ૩૭ વર્ષ પહેલાં તા. ૨૪-૬-૧૮૧૭ ના રોજ સાક્ષરવર્ય સ્વવાડીલાલ મોતીલાલ શાહ અને સ્વ. મણિલાલ મેકમચંદ શાહે મળીને
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy