SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ " and ૧૦૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૧૯૫૪ " . કે કર્યું હતું. મુંબઈ જૈન યુવક સંધની કારકીદીમાં આ એક ચિરસ્મરણીય ઘટના બની હતી.' • પંડિત લાલન-સન્માન સમારંભ તા ૦, ૧, ૬-૪૮ ના રોજ મુંબઈ જૈન યુવક સંધ તરફથી ૮૪ વર્ષની ઉંમરે પહોંચેલા પંડિત ફતેહચંદ કપુરચંદ લાલનને શ્રી. કેદારનાથજીના પ્રમુખપણા નીચે આનંદભવનમાં એક સન્માન સમારંભ ગોઠવવામાં આવ્યું હતું. પંડિત લાલનને વિચાર સ્વાતંત્ર્ય ખાતર તેમના યૌવનકાળ દરમિયાન જૈન સમાજ તરફથી સારી રીતે સહેવું પડયું હતું તે વિદ્વાન, સ્વતંત્ર વિચારક અને ઊંડી ધર્મનિષ્ઠા ધરાવતા એક સાધુ પુરૂષ હતા. ઉપર જણાવેલ પ્રસંગે તેમને અનેક પ્રશંસકોએ ભાવભરી અંજલિ આપી હતી. આવી પવિત્ર વ્યક્તિનું મુંબઈ જૈન યુવક સંઘે સન્માન કરીને કૃતાર્થતા “અનુભવી હતી '' ' ' રેશન રાહત પ્રવૃત્તિ - સંધ તરફથી ૧૯૪૩ના ઓકટોબર માસમાં સખત મેંધવારીના કારણે હાડમારી ભોગવતા જૈન કુટુંબને મદદરૂપ થવાના હેતુથી રેશન રાહતન એક એજના હાથ ધરવામાં આવી હતી. રાહતયોગ્ય કુટુંબનાં રેશન બીલેમાં આ જનાદ્વારા ૫૦ થી ૭૫ ટકાની રાહત આપવામાં આવતી હતી. આ કામ વધતાં વધતાં ૧૧૫ જૈન કુટુંબોને દર માસે રૂ. ૯૦૦ સુધી વહેંચવામાં આવતા હતા. ૧૮૪૪ માં મુંબઈમાં બેબને ધડાકે થવા બાદ આ રાહતની માંગ ઓછી ' થતી ગઈ. ૧૯૪૬ ના ડીસેંબરમાં આ પેજના બંધ કરવામાં આવી હતી. આ ત્રણ વર્ષના ગાળામાં સંધ તરફથી રૂ. ૨૧,૩•• વહેંચવામાં આવ્યા હતા, હસ્તધોગ પ્રવૃત્તિ ' આ પેજનાને પૂરક એવી એક સાર્વજનિક હસ્તધોણ રાહત વૈજના મુંબઈની પ્રમુખ સ્ત્રી સંસ્થા ભગિની સમાજના સહકારમાં સંધ તરફથી એજ અરસામાં શરૂ કરવામાં આવી હતી. આ જનામાં જે કઈ બાઈ કે ભાઈ આ રાહતને લાભ લેવા ઈચ્છતું હોય તેણે સંધના દફતરમાં પિતાનું નામ નોંધાવી જવું અને તે સુતર કાંતીને ખાદી ભંડારને આપે અને ત્યાંથી જેટલુ કતામણ તેને મળે એટલું જ કંતામણુ સંઘે આપવું એ પ્રબંધ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો લાભ લેનાર બહુ ઓછી વ્યકિતઓ નીકળવાથી એ યેજના થોડા સમયમાં બંધ કરવામાં આવી હતી. વિદ્યકીય રાહત પ્રવૃત્તિ રેશન રાહતની યોજના બંધ કરી એ જ અરસામાં સંધે જૈન સમાજ પૂરતી મર્યાદિત એવી એક વૈધકીય રાહતની પ્રવૃત્તિ શરૂ કરી હતી. જ્યારે સ્વ. મણિભાઈએ સંઘના વાચનાલય–પુસ્તકાભયને રૂ. ૧૦૧૬૮ ની રકમ ભેટ આપી ત્યારે તેમણે નર્સીગ એસોસીએશનને ડીપ્લોમા લેવા ઇચ્છતી જૈને બહેનને મદદ આપવા માટે સંઘને રૂ. ૧૦૦૦ ની રકમ આપી હતી. સતત જાહેરાત આપવા છતાં બે વર્ષ સુધી આવી મદદની જરૂરિયાતવાળી કઈ જૈન બહેન બહાર નીકળી ન આવી, તેથી તે રકમ તેમની સંમતિથી જૈને માટેની વિદ્યકીય રાહત પાછળ ખરચવાનું નકકી કરવામાં આવ્યું. આ રાહતકાર્ય આજ સુધી એક સરખું ચાલે છે. જે કોઈ જૈન ભાઈ યા બહેન આ માટે આવે છે તેને સંધ તરફથી દવા કે ઇજેકશને અપાવવામાં આવે છે. . અકય સમિતિના કરાવે જૈન . મૂ કોન્ફરન્સમાં સ્થિતિચુસ્ત વર્ગ કરશે પણ રસ લેતે નહે એટલું જ નહિ તેને સતત વિરોધ કરતું હતું. આ વર્ગ કોન્ફરન્સમાં સામેલ થાય એ હેતુથી ૧૯૪૧ માં શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપણા નીચે નીમાયલી એજ્ય સમિતિએ નીચે મુજબના બે ઠરાવે ઘડવામાં આવ્યા હતાઃ ઠરાવ ૧. “ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ સને ૧૮૩૪માં અમદાવાદ મુકામે સાધુ સંમેલને કરેલા દીક્ષા સંબંધી ઠરાવને વધાવી લે છે અને તેણે (કેન્ફરન્સ) અથવા તેની બીજી કઈ પણ પેટા સમિતિએ કરેલા વડેદરા રાજ્યના દીક્ષા સંબંધીના ઠરાવે આથી રદ કરે છે. ” કરાવ ૨. “ઐય સમિતિ જૈન સમાજને ભારપૂર્વક ભલામણ કરે છે કે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મના સિદ્ધાન્ત અને પ્રચલિત અનુષ્કાને જે પ્રમાણે માન્ય રખાતા આવ્યા છે તે પ્રમાણે જૈન સંસ્થાઓ માન્ય રાખે એટલું જ નહિ પણ તેના અધિકારી કે ધ્ધદારે તરફથી તેને હીણપત પહોંચે તેવું બોલવામાં કે લખવામાં આવશે નહિ.” 'આ બન્ને પ્રત્યાધાતી કરીને મુંબઈ જૈન યુવક સંધે પ્રારભથી સખ્ત વિરોધ કર્યો હતે. સમયાન્તરે ૧૯૪૫ ના એપ્રીલ માસના પ્રારંભમાં ભરાયેલ ઉપરોકત કોન્ફરન્સના અધિવેશનમાં આ બન્ને પ્રસ્તાવ રજુ થતાં ૧૨૧૫ મત પક્ષમાં અને ૧૨૪• મત વિરૂધ્ધમાં આવતા ઉડી ગયા હતા. કેન્ફરન્સ જેવા મધ્યમમાર્ગ અને મેટા ભાગે સ્થિતિચુસ્તના સંમેલનમાં આ ઠરાવો ઉડી ગયા એ સંધને અણધાર્યો વિજ્ય હતું. આ બન્ને ઠરાએ એ દિવસોમાં ભારે ઉગ્ર વાતાવરણ પેદા કર્યું હતું અને આવેલા પારણામે અનેક લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. ત્યાર પછીના વર્ષમાં ફાલના મુકામે મળેલા અધિવેશનમાં એ ઠરો ફરીથી રજુ કરવામાં તેમજ પસાર કરવામાં આવ્યા હતા; પણ એ ઠરાને કઈ પણ અમલ થયેલે હજુ સુધી જોવામાં આવ્યું નથી. આજે અમારા સંધની કાર્યવાહક સમિતિના એક સભ્ય શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી કેન્ફરન્સના એક મુખ્ય મંત્રી છે એ હકીકત એ જ કોન્ફરન્સની–આવા દરો કરવા છતાં–આગેકદમની એક નીશાની છે. આઝાદી ઉથાપન : ખીસકેલીને આત્મસંતોષ ૧૯૪૭ ના ઓગસ્ટ માસની ૧૫ મી તારીખે આપણે દેશ અંગ્રેજોની હકુમતથી મુક્ત થયે અને દેશભરમાં આઝાદીની મેટા પાયા ઉપર ઉજવણી થઇ. સંધ તરફથી પણ શ્રી કુન્દનલાલ ક્રિોદિયાના પ્રમુખ પણ નીચે મહાવીર જૈન વિદ્યાલયમાં આઝાદી ઉધાનને લગતે એક ભવ્ય સમારંભ ગોઠવવામાં આવ્યું હતું. મુંબઈ જૈન યુવક સંધ રાષ્ટ્રની આઝાદીની તમન્નાને પ્રારંભથી જ વરેલું હતું. તેની બીજી ગમ તે પ્રવૃત્તિઓ હોય પણ રાષ્ટ્રીય ચળવળને તે પોતાથી બનતા ટેકે સતતપણે આપી રહ્યું હતું. પ્રબુદ્ધ જૈનના સંચાલન પાછળ પણ એ ભાવના સદા મુખ્ય સ્થાને રહેતી. એ ૧૯૪૭ ની ૧૫મી ઓગસ્ટને આવકારતાં પ્રબુદ્ધ જૈનમાં જણાવવામાં આવ્યું હતું કે - “પ્રબુદ્ધ જૈન છેલ્લાં આઠ વર્ષથી જન સમાજની યથાશકિત સેવા કરી રહ્યું છે. તેના સંચાલન પાછળ આઝાદી પ્રધાન અને પ્રેરક હેતુ રહ્યો છે. એ સંકલ્પ ઉપર જ પ્રબુદ્ધ જૈન આજ સુધી ગતિમાન રહ્યું છે. જૈન સમાજ આગળ પણ તેણે બીજી અનેક બાબતે સાથે આ બાબત હંમેશાં મુખ્યપણે આગળ ધરી છે. દેશનેતાઓ અને પ્રજાજનોનાં અપૂર્વ બલિદાન આગળ પ્રબુધ્ધ જૈનના નાના સરખા ફાળાને શું હિસાબ? એમ છતાં પણ આજે જ્યારે અંગ્રેજ સરકાર વિદાય પામે છે. રાષ્ટ્ર સ્વાધીન અને સ્વતંત્ર બને છે, સરકારી સત્તાસ્થાને ઉપર રાષ્ટ્રધ્વજ ફરકવા માંડે છે, સમસ્ત પ્રજાજનોનાં દિલ આનંદ અને ગૌરવથી જ્યારે ઉછળી રહ્યાં છે, ત્યારે પ્રબુધ્ધ જૈન પણ પિતાના આજ સુધીના જીવનની મુખ્ય મનીષા સફળતાને પામેલી જોઈને ચરિતાર્થતા અનુભવે છે. રામચંદ્રજીના સેતુબંધમાં કાંકરી કાંકરી પૂરનાર પેલી ખીસકોલી માફક આ મહાન સિધ્ધિમાં પિતાથી બનતે કાંઈક ફાળો આપે છે એ આત્મસતેષ અને ધન્યતા પ્રબુધ્ધ જૈન અનુભવે છે. જેમ પ્રજાજીવનમાં તેમ પ્રબુદ્ધ જૈનના જીવનમાં આજનો દિવસ એક અપૂર્વ પર્વ સમાન છે.”
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy