________________
પ્રબુધ્ધ જીવન
૧૬૮
માની તેમાં કર્માંક પણું કાં તા પ્રકૃતિપ્રેરિત કે ઇશ્વરપ્રેરિત આરોપથી માને છે. એ માન્યતા સાચી હોય તે મેક્ષના ઉપાય પણ નકામા ઠરે. તેથી શ્રીમદ્દ આત્માનુ ક ક પણ અપેક્ષાભેદે વાસ્તવિક છે. એમ દર્શાવે છે. રાગદ્વેષાદિ પરિણુતિ વખતે આત્મા કર્મોના કર્તા છે અને શુધ્ધ સ્વરૂપમાં વર્તે છે ત્યારે કમના કર્તા નથી, ઉલટુ એને સ્વરૂપનો કર્તા કહી શકાય,——એ જૈન માન્યતા સ્થાપે છે.
૪ કર્મનું ઋતુ પણ્ હાય તેય જીવ તેના ભોકતા ન બની શકે-એ મુદ્દો ઉઠાવી શ્રી રાજય દ્રે ભાવકમ -પરિણામરૂપ કર્મ અને દ્રવ્યકમ્ – પૌદ્ગલિક ક` બન્નેના કાર્ય કારણભાવ દર્શાવી ક ઇશ્વરની પ્રેરણા સિવાય પણ કેવી રીતે ફળ આપે છે એ જણાવવા એક સુપરિચિત દાખલે આપ્યા છે કે ઝેર અને અમૃત યથાર્થ સમન્યા વિના પણ ખાવામાં આવ્યાં હોય તે તેમનું જેમ જુદુ જુદુ ફળ વખત પાકયે મળે છે તેમ બધ્ધ કમ પણ યોગ્ય કાળે સ્વયમેવ વિપાક આપે છે. કમ - શાસ્ત્રની ગહનતા શ્રીમદ્ રાજચંદ્રના ધ્યાનમાં પૂરેપૂરી છે. તેથી જ તે ભાખે છે કે આ વાત ટુંકમાં કહી છે.
૫ માનું અસ્તિત્વ સિધ્ધ કરવા તેઓ ટૂંકીટચ પણ સમર્થ એક દલીલ એ આપે છે કે જો શુભાશુભ પ્રવૃતિનું ફળ કમ હાય તા એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ શું નિષ્ફળ ? નિવૃતિ તા પ્રયત્નથી સધાય છે. એટલે તેનુ કૂળ પ્રવૃતિના કુળથી સાવ જુદું જ સંભવે. તે ફળ એ જ મેાક્ષ.
૬ મેક્ષના ઉપાય વિષેની શકા ઉઠાવી તેનુ સમાધાન કરતાં ઉપાય-નિરૂપણ કર્યું છે. અને એમાં સમગ્ર ગુણસ્થાન ક્રમની–ધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમની-મુખ્ય મુખ્ય ચાવી અનુભવ દ્વારા જ રજી કરી હોય તેવા સ્પષ્ટ ભાસ થાય છે. એમણે કેવળજ્ઞાનની નિવિવાદ અને સહજ એવી વ્યાખ્યા કરી છે કે તે સાંપ્રદાયિક લોકોએ ખાસ લક્ષ આપવા જેવી છે. એમના આ નિરૂપણમાં ઉપનિષદોના તત્ત્વમસિ' વાકયનું તાત્પ આવી જાય છે અને સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપનુ પ્રતિપાદન પણ થઇ જાય છે. શ્રીમદ્ અનુભવપૂર્વક ઉચ્ચારે છે કે બધા જ જ્ઞાનીને નિશ્ચય એક છે. એમાં પંથ, જાતિ, મત, વેશ આદિને કશે। જ અવકાશ નથી. આ રીતે છ કે ખાર મુદ્દાના નિરૂપણુ ઉપસંહાર એમણે જે ઉલ્લાસ અને જે તટસ્થતાથી કર્યાં છે તે આપણા ઉપર તેમના અનુભવની છાપ મૂકે છે.
પછી શ્રી રાજચંદ્ર શિષ્યને થયેલ ખાધબીજ પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. એમાં શિષ્યને માટે અહેાભાવના ઉદ્ગારા ટાંકી જે સમર્પણુભાવ વણું બ્યા છે. તે જેમ કવિત્વની કળા સૂચવે છે તેમ તાત્ત્વિક સિધ્ધિનો પરમ આનંદ પણ સૂચવે છે, જે વાંચતાં મન કુણુ થઈ જાય છે અને એ અહેાભાવનો અનુભવ કરવાની મેં પણ રોકી રોકાતી નથી, છેવટે આખા ઉપસહાર પણ મનનીય છે.
જિજ્ઞાસુ આત્મસિદ્ધિ' આપમેળે જ વાંચે અને તેના રસ માણે એ દૃષ્ટિથી અઢી તેના પરિચય તદ્દન સ્થૂલ રીતે મેં કરાવ્યા છે એમાંની ક્લીલાની પુનરૂકિત કરવી નકામી છે.
શ્રી રાજચન્દ્રે ‘આત્મસિધ્ધિ'માં જૈન પરિભાષાને આશરીને જે
વસ્તુ નિરૂપી છે, તે જૈનેતર દ”નામાં પણ કેવી કેવી દીતે નિર્ પાઇ છે. એના વાચકને ચેડા ખ્યાલ આપવા જરૂરી છે, જે ઉપરથી ત-જિજ્ઞાસુ એટલું સહેલાઇથી સમજી શકશે કે આત્મવાદી (ધાં દશને ભિન્ન ભિન્ન પરિભાષા દ્વારા પણ કેવી રીતે એક જ ગીત ગાઈ રહ્યાં છે. જૈનદર્શન જીવ કે આત્માને નમે જડથી ભિન્ન જે તત્ત્વ નિરૂપે છે, તેને ન્યાય-વૈશેષિક દર્શના જીવાત્મા કે આત્મા કહે છે અને સાંખ્ય-યોગ તેને પ્રકૃતિથી ભિન્ન પુરુષ કહે છે, જ્યારે વેદાન્તી એને માયાભિન્ન બ્રહ્મ પણ કહે છે. ધમ્મપદ' જેવા બૌદ્ધ ગ્રંથામાં આત્મા અત્તા અને પુગ્ગલ પદ છે. પણ આગળ જતાં એનુ' નિરૂપણ રૂપભિન્ન ચિત્ત કે નામપથી પણ થયેલુ છે.
જૈનદર્શન મિથ્યાદર્શન-અજ્ઞાન અને કષાય—રાગ-દ્વેષના નામે
તા. ૧૫-૧૫૪
આસ્રવરૂ પે જે બંધ અર્થાત્ સંસારના કારણનું નિરૂપણ કરે છે અને તેના વિપાકરૂપે જે બંધ-સ’સાર કે સુખ-દુઃખની ઘટમાળ અને પુનર્જન્મના ચક્રનુ નિરૂપણ કરે છે, તે વસ્તુને ન્યાયવૈશેષિક સમ્મત પરિભાષામાં ન્યાયાચાર્ય અક્ષપાદે પણ સ્પષ્ટ રીતે આલેખી છે. તે પોતાના સૂત્રમાં સંક્ષેપથી કહે છે કે મિથ્યા ન—અજ્ઞાનથી દોષ-રાગદ્વેષ જન્મે છે અને રાગદ્વેષથી માનસિક-વાચિક-કાયિક વ્યાપાર ( જૈન પરિભાષા પ્રમાણે • યોગ ' ) ચાલે છે જેને લીધે પુનર્જન્મ ને સુખ-દુઃખનુ ચક્ર પ્રવર્તે છે જે જૈન પરિભાષા પ્રમાણે અંધ કોટિમાં પડે છે. સાંખ્ય-યોગ દર્શન એ જ વસ્તુ પોતાની પરિભાષામાં મુકતાં કહે છે કે અવિવેકથી અજ્ઞાન યામિથ્યાદર્શનથી રાગદ્વેષાદિ કલેશ દ્વારા દુ:ખ અને પુનજન્મની પરંપરા પ્રવર્તે છે. વેદાંતદન પણ એ જ વસ્તુ વેધા અને માયાથી કે અધ્યાસથી વર્ણવે છે. બૌધ્ધ દર્શનમાં જે અવિદ્યા, સ ંસ્કાર આદિ બાર કડીની શૃંખલા છે, જે પ્રતીયસમુત્પાદને નામે જાણીતી છે, તે જૈનદર્શન સમ્મત આસ્ત્રવ, અંધ અને ન્યાય-વૈશેષિક સમ્મત મિથ્યાદર્શન, દોષ, આદિ પાંચ કડીઓની શૃંખલા અને સાંખ્ય-ચેગ સમ્મત અવિવેક અને સૌંસાર એના જ વિશેષ વિસ્તાર છે.
જૈનદર્શન પ્રમાણે જે સંવર મેક્ષના ઉપાય તીકે વર્ણ વેલ છે અને તેના મૂળરૂપે જે મેક્ષ તત્ત્વનું નિરૂપણ છે તેને જ ન્યાય-વૈશેષિક અનુક્રમે સભ્યાન-તત્ત્વજ્ઞાન અને અપવર્ગને નામે વર્ણવે છે, સાંખ્યયેગ વિવેક ભેદજ્ઞાન અને મેક્ષને નામે વર્ણવે છે, જ્યારે બૌદ્ધદર્શન નિર્વાણુગ,મિની પ્રતિપદા-માને નામે અને નિર્વાણને નામે વર્ણવે છે. બૌદ્ધ દશનમાં અન્ય દતેની પેઠે આત્મા. ચેતન, બ્રહ્મ, કે પુરૂષ નામથી આત્મસ્વરૂપનુ જોઇએ તેટલુ નથી વણ ન એટલે ઘણા લેકે એને અનાત્મવાદી માની બેસે છે; પણ એ ભૂલ છે. અનાત્મવાદી હાય તે પુનર્જન્મ કે પલેાક ન માને જ્યારે બુધ્ધે પુનર્જન્મ અને તેનાં કારણુ તેમ જ ક્રમની નિવૃત્તિ અને નિર્વાણ ઉપર ખાસ ભાર આપી ચાર આસયાને પેાતાની આગવી શેાધ બતાવી છે: (૧) દુઃખ, (૨) એનું કારણ તા; (૩) નિર્વાણુ; અને (૪) એના ઉપાય અષ્ટાંગિક માર્ગ એ જ ચાર આ સત્ય જૈન પરિભાષામાં આઅવ, બંધ, સવર અને મેક્ષ છે, જ્યારે ન્યાય-વૈશેષિક પરિભાષામાં અજ્ઞાન, સંસાર, તત્ત્વજ્ઞાન અને અપ વ છે, તેમ જ સાંખ્ય-યોગ પરિભાષામાં અવિવેક, સંસાર, વિવેક અને મેક્ષ છે આ રીતે તુલના કરતાં બધાં જ બ્રાહ્મણુ—શ્રમણદ ના મુખ્ય વસ્તુમાં એક મત થઇ જતાં હાવાથી શ્રીમદ રાજદ્રે કહ્યું છે કે
નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિમાંય- ૧૧૮ દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી ‘આત્મસિધ્ધિ'ને ઉદાર દ્રષ્ટિથી તેમ જ તુલના દ્રષ્ટિથી સમજશે તેા એમને એમાં ધમ ને મમ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવા છે. કત એને સમજાવનારનો યાગ આવશ્યક છે
શ્રી મુકુલભાઇ એમ, એ. ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક છે. પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવાની એમની ઇચ્છા જાણી ત્યારે મેં એને વધાવી લીધી, એમણે આખે ગ્રંથ વિવેચન સહિત મને સંભળાવ્યો. એ સાંભળતાં જ મારા પ્રથમને આદર અનેક ગણા વધી ગયા અને પરિણામે કાંઇક લખવાની સ્ફુરણા પણ થઇ. હું કાષ્ટ અધ્યાત્માનુભવી નથી, તેમ છતાં મારો શાસ્ત્રરસ તે છે જ. માત્ર એ રસથી અને બને ત્યાં લગી તટસ્થતાથી પ્રેરાઇ મે" કાંઈક ટૂંકું છતાં ધાર્યાં કરતાં વિસ્તૃત લખ્યુ છે. જો એ ઉપયોગી નહિ નીવડે તૈય આ શ્રમ મારી દ્રષ્ટિએ વ્યથ નથી.
સમાસ
પંડિત સુખલાલજી મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. - મુદ્રણુસ્થાન : જવાહીર પ્રિન્ટીંગ પ્રેસ, ૧૨, કેશવજી નાયક રોડ, મુંબઇ, ૯.
70