________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧–૧૦–૧૪
ના ક્ષેત્રે ચરિત્રલ
તૈયાર
સાધનાની
( આશ્રમમાં
આ પછી પંડિતજી અધ્યાપન અને ગ્રંથ સર્જનના કામમાં પડયા. આ સમય દરમ્યાન પણ તેઓ નવું નવું જાણવા કે શીખ- વાને એક પણ અવસર જ કરતા નહીં.
જનગણનું કલ્યાણ કરનારી રાષ્ટ્ર ભાવના અને આત્મસાધનાની ભાવનાથી પ્રેરાઈ પંડિતજી પૂ. ગાંધીના આશ્રમમાં જોડાયા અને પિતાના સહક્યતા ભર્યા પાંડિત્યના બળે ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય દર્શન શાસ્ત્રોના અધ્યાપકપદે નિમાયા. ગાંધીજીની સાથે બેસીને ઘટી ફેરવવાને આનંદ પણ પંડિતજીએ અનુભવ્યું છે, ધંટી ખેંચતા ખેંચતાં હથેળીમાં ઉઠેલ ફરલાની વાત કરતાં પંડિતજીને સાંભળીને સાંભળનાર પણ રમજતો અનભવ કર્યા વગર રહેતા નથી. પ્રવૃત્તિ માત્રનું મૂલ્યાંકન સમાજ સેવા અને માનવતાના એક માત્ર ગજથી કરવા ટેવાયેલા પંડિતજીને ગાંધીજીને સંસર્ગ બહુ ફાવી ગયું હોય એમ લાગે છે. પંડિતજીના જીવન અને વિચારે ઉપર ગાંધીજીના જીવન અને વિચારોએ ભારેમાં ભારે અસર કરી હોય એમ પંડિતજીના પરિચયમાં આવનાર કોઈને પણ લાગ્યા વિના નહીં રહે.
આ પછી ઈ. સ ૧૮૩૩ની સાલમાં તેઓ બનારસ હિંદુ યુનિવર્સીટીમાં જૈન તત્વજ્ઞાનના અધ્યાપક નીમાયા. અહીં તેઓએ ૧૨-૧૩ વર્ષ કામ કર્યું. આ સમય દરમ્યાન તેઓએ જેમ નવા વિદ્વાને તૈયાર કર્યો તેમ નવા નવા ગ્રનું અવલોકન અને સંપાદન પણ કર્યું. તેમની જ્ઞાન પ્રાપ્તિ અને જીવન શુધ્ધિની મજલ તે વણથંભી ચાંલુ જ હતી. આ પછી તેઓ કાયદાની પરિભાષામાં “નિવૃત્ત થયા અને કેટલાં ૮-૧૦ વર્ષથી અમદાવાદમાં પિતાને સમય વિતાવે છે.
પણું આ ઉપરથી રખે કઈ માને કે હવે પંડિતજી પિતાને સમય આરામે, આનંદ અને ઊંધવામાં ગાળે છે. ખરી હકીકત તે એથી જુદી છે. આપણે કેટલીકવાર એક કામ પૂરું થયાને હાશકારો લઈએ છીએ ત્યાં આશ્ચર્ય વચ્ચે આપણને ભાન થાય છે કે આ કંઈ કામ પૂરું થયું નથી, પણ આ તે વધુ મેટા કામની શરૂઆત માત્ર જ છે. પંડિતજી માટે પણ બરાબર આ જ બન્યું છે. જે કોઈ આ નિવૃત્તિ’ ના સમયની ડાયરી લખે તે આ ૮-૧૦ વર્ષ વધુમાં વધુ પ્રકૃત્તિમાં ગયાનું જ એમાં પુરવાર થાય. અનેક ગ્રંથનું અધ્યયન કરવામાં, એમ. એ. અને પી. એચ. ડી. ના કે બીજા અનેક વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં, અનેક સાહિત્ય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન કરાવવામાં, અનેક લેખે લખવામાં, અનેક સામાજિક પ્રવૃત્તિઓથી માહિતગાર રહેવામાં, અનેક દુઃખી કે મુશ્કેલ સ્થિતિમાં મુકાયેલ ભાઈ-બહેનોની કથની સાંભળીને એમને આશ્વાસન આપવામાં, પિતાને મનગમતી રચનાત્મક પ્રવૃત્તિમાં સક્રિય સાથ આપવામાં પંડિતજીને જાણે ચોવીસ કલાકને દિવસ ટૂંકો પડતા લાગે છે. આવી ચાલી રહી છે પંડિતજીના આ નિવૃત્તિના સમયની સતત કાર્યસાધના. કેઈને તે એમજ લાગે કે પંડિતજી ઉમરે જેમ જેમ વૃદ્ધ બનતા જાય છે તેમ તેમ એમની નિવૃત્તિ આધી ઠેલાતી જાય છે અને આમ થવાનું એક કારણ એ પણ લાગે છે કે જૈન ધર્મમાં કાળક્રમે નિવૃત્તિ અને પ્રવૃત્તિને સાચા અર્થ ભુલાઈ ગયા છે અને લોકકલ્યાણના માર્ગમાં પણ સક્રિય ભાગ લેવાની પ્રવૃત્તિથી અળગા થઈને, એક પ્રેક્ષકની જેમ તટસ્થ રહેવાની નિવૃત્તિ કેળવવાથી ધર્મ કે આત્મસાધના થાય છે. એવી માન્યતા ઘર કરી બેઠી છે આ વાત પંડિતજીને હરગીઝ મંજુર નથી. તેઓ તે અનાસકત ભાવ કે નિઃસ્વાર્થભાવે સતત કલ્યાણપ્રવૃત્તિમાં લાગ્યા રહેવાને જ સાચી નિવૃત્તિ માને છે. - લોકકલ્યાણની પ્રવૃત્તિમાં સીધેસીધે ભાગ લે એ પંડિતજીને
મન પ્રિયમાં પ્રિય કાર્ય છે. પિતાની અમુક પ્રકારની સ્થિતિના કારણે પિતે એમાં સક્રિય ભાગ નથી લઈ શકતા એનું દુઃખ કેઈકવાર પણ તેઓ વ્યક્ત કરે છે. ત્યારે આપણુ આત્માના તાર પણ રણઝણ
ઉઠે છે. એ કાર્યની આગળ તે પાંડિત્ય પ્રવૃત્તિનું પણ તેઓ જાણે ઝાઝું મૂલ્ય આંકતા નથી.
વિધાના ક્ષેત્રે ચરિત્રશીલ, સત્યપ્રિય અને સેવાપરાયણે વિદ્વાને તૈયાર કરવામાં પંડિતજી માને છે. આ માટે કોઈ સુખ્ય વિધાથી મળી આવે છે એને માટે જરૂરી આર્થિક તેમજ બીજી સગવડે ઉભી કરી આપવામાં ગમે તેટલી દેખાદેડી કરવી પડે તે પણ એમને થાક લાગતું નથી, ઉલટું એમાં તેઓ આત્મ સતેવ જ અનુભવે છે. આ માટે પંડિતજીએ એક અનોખે વાકય પ્રયોગ ચેક કર્યો છે. વિદ્વાને તૈયાર કરવા એ એમને માટે “ચેતન ગ્રંથો” તૈયાર કરવા જેટલું મહત્વનું કાર્ય છે. વળી વિદ્વાનો તૈયાર કરવા માત્રથી પણ તેમને સંતોષ નથી થતા. તૈયાર થયેલ વિદ્વાનને તેને અનુરૂપ એગ્ય સ્થાન અપાવીને જ તેઓ જંપે છે. પથ્થરમાંથી પ્રતિમાઓનું સર્જન કરવું અને એ પ્રતિમાઓની યોગ્ય મંદિરમાં પ્રતિષ્ઠા કરવી-એમ થાય ત્યારે જ કામ પૂરું થયું પંડિતજી માને છે. આવા સુયોગ્ય “ચેતન ગ્રંથ” ન હોય કે તેનું બરાબર જતન ન થાય તે શાસ્ત્રીય ગ્રંથે ગમે તેટલા ગહન કે મેટા આપણી પાસે હોય તે તે આંધળા આગળ આરસીની જેમ કામ વગરના બની રહે છે. આવા “ચેતન ગ્રંથે તૈયાર કરવા ઉપરાંત જાકૂ ત્રિય તે ઈતિ -આધાર વગર એક અક્ષર પણ ન લખ–એ સૂત્ર મુજબ સર્વથા પ્રમાણભૂત ગ્રંથ તૈયાર કરવામાં તેઓ જ રસ ધરાવે છે. આ કસેટીએ તેઓની ગ્રંથકૃતિઓ બીજા ને માટે સૌ ટચના સેનાની ગરજ સારે એવી છે.
સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, અકલંક, સમન્તભક, હેમચંદ્રાચાર્ય કે યશોવિજયજી જેવા સત્યશોધક અને તલસ્પર્શી વિદ્વાનોની વિધાઉપાસનાથી તે આજેય પંડિતજી ડોલી ઉઠે છે. અને એમને વારસો અલ્પજ્ઞાની કે અંધશ્રદ્ધાળુ વર્ગના હાથમાં આવી પડે છે, તેથી દ્રાક્ષની વાડી ગર્દને સંપાઈ ગઈ હોય એવું દુઃખ પંડિતજી અનુભવે છે.
પંડિતજીની જીવન જીભવાની ઢબ પણ ભારે કળાભરી છે, એમને આપણે કદી નિરાશ થયેલા કે હતચેતન થયેલા નહીં જોઈએ. ગમે તેવી શારીરિક અસ્વસ્થતામાં પણ તેઓ સાવ સ્વસ્થ રહેવાના, શરીરને સાચવીને એની પાસેથી વધારેમાં વધારે કામ લઈ લેવાની આવડત તે પંડિતજીની જ !ખાનપાનમાં એ તે એટલા બધા જાગ્રત કે એમને તે પતિજીની જ ખાનપાતર ખાવાનું છોડવા માટે નહીં પણ ખાવાનું લેવા માટે જ સમજાવવા પડે ! ખાધા પછી જરા પણ આળસ ન આવે એનું નામ જ ખાવુંખાનપાનની પંડિતજીની આ વ્યાખ્યા છે. દ્રવ્યના સંગ્રહની જેમ શક્તિને સંચય પણ આત્મામાં વિકાર પ્રેરે છે, એમ માનતા હોવાથી પંડિતજીની રજની શકિત રોજ ખર્ચાઈ જાય એ રીતે જ જીવે છે અને કદી શરીરને વધુ શકિતશાળી બનાવવાની દ્રષ્ટિએ વિશિષ્ટ ખાન-પાન કે ઔષધોપચાર કરતા નથી. શરીરને તંદુરસ્ત રાખવા માટે તેઓ ખાનપાનમાંથી કે જરૂર પડે તે ખાનપાનના ત્યાગમાંથી જ ઇલાજ શોધી કાઢે છે. ન છૂટકે અને તે પણ ઓછામાં ઓછા ઔષધને આધાર, એ એમનું એક જીવનસૂત્ર છે. ઉપરાંત એમણે પિતાની રહેણી કરણી એવી કેળવી છે અને જરૂરિયાત એટલી તે મર્યાદિત રાખી છે કે બીજાની સેવા લેવાને ભાગ્યે જ અવસર આવે. કરકસર તે એમના જીવનમાં જાણે ભરી પડી છે.
સામાજિક પ્રવૃત્તિનું પંડિતજીનું ધ્યેય બહુ જ ટૂંકમાં કહેવું હોય તે માણસ માણસ વચ્ચે સમાનતાની સ્થાપના અને સ્ત્રી પુરૂષ વચ્ચે સમાનતાની સ્થાપના-એ છે. બહેનની સામાજિક દુર્દશા અને એમનું દુઃખ જોઈને પંડિતજીનું દિલ દ્રવી જાય છે. એવું જ દર્દ તેઓ પદદલિત માનવીઓને માટે અનુભવે છે. રંજ થતી હૈ હીના પર વિશે જ્ઞાનેશે વાઢ, સુર્વક હોતા હૈ ગયાં મારાઁ પાને જે વા–એ અનુભવવાણીની જેમ