________________
-es"
.
:
: '
,
'
'
!'
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૫૪
અને મેહરહિત જ દયાદાન કરી શકે છે. રાગદ્વેષ અને મેહ જેમના સગે નાશ પામ્યા હોય તેમને લઈએ તો ત્યાં દયા દાનને સવાલ જ કયાં રહે છે? કારણ કે બારમું ક્ષીણમાહ ગુણસ્થાન તે સીધું વીતરાગતા સાથે સંબંધ ધરાવે છે. જે રાગદ્વેષ મેહરહિત સાધનાના ધ્યેયે લાગેલાને દયા દાન હોઈ શકે તેમ માનીએ તો ત્યાં દયાને સ્થાને અનુકંપા અને દાનને સ્થાને સંયમ, ત્યાગ, તપ શબ્દ જ ભી શકે, જ્યારે દયાદાન એ સામાન્ય સમાજને સ્પર્શતા શબ્દની પરિભાષા છે. હા; એમ કહી શકાય કે જ્ઞાન વિનાની દયાને ધર્મમાં કે ચારિત્ર્યમાં સમાવેશ ન થાય. “ર્મ નrvr તો યથા”. એ જ રીતે સંયમ વિનાનું દાન એ ધર્મ કે ચારિત્ર્યમાં અવકાશ ન પામી શકે એ સમજી શકાય. કારણ કે ધર્મ અને ચારિત્ર્ય એ બન્ને શબે સમકિત પછીની જૈન ભૂમિકામાં આવે છે. જ્ઞાન કે સંયમ પહેલાંનું તપ એ બોલતપ બની શકે તેમ તે પહેલાંનાં દયાદાન પુણ્યતત્વમાં સ્થાન પામી શકે.
(૨) અહીંની પુણ્યપાપની તેરાપંથમતની વ્યાખ્યા–મારા મતે જૈન પરિભાષાએ ધર્મ અધર્મની વ્યાખ્યા જેવી દેખાય છે, જે એમ જ હોય તે ચેથા ગુણસ્થાનકની નીચે રહેલા જીવોને જૈનદર્શન દોરવણી આપી જ નથી શતું એમ કહેવાય અને તે તે. જૈનતત્ત્વમાં વિશ્વને સમાવેશ જ ન થઈ શકે, એમાં પુણ્ય-પાપની વાત છે જ, માત્ર એ બન્ને તત્વોને છેવટે છેડીને આગળ વધવાનું છે તેમ એ જરૂર કહે. પુણ્ય એ સેનું હોય, તેય બેડી જ છે. પણે તેને અર્થ એ હરગિજ નથી કે પુણ્યને પ્રથમથી જ હેય ગણવું. તે તે પુણ્યપુજે પ્રાપ્ત થયેલા માનવદેહના સાધનને જ અપલાપ કર્યા જેવું થઈ પડશે.
(૩) આત્મષ્ટિએ સર્વ જી ભલે સિધ્ધસમ રહ્યા, પણ પુણ્ય, પાપ, ધર્મ અને અધર્મની દૃષ્ટિએ ચાર ગતિ અને રાણી લક્ષ છવાયોનિ છે જ, એટલે આ વિકાસક્રમની દૃષ્ટિએ જીવજીવ વચ્ચે વ્યવહારનયે ભેદ છે જ. તે સ્વીકાર્યા વિના જૈન તત્વજ્ઞાન અધૂરું જ ગણાશે.
(૪) આમ અલ્પવિકસિત, વધુવિકસિત એવા ભેદે જૈન તત્વજ્ઞાનમાં સ્વીકારાયા જ છે, સ્વીકારાવા જ જોઈએ. તેથી જ તે પચેદિયના ઘાતને સવિશેષ પાપકારણ કે વિશેષ અધર્મકારણ અવશ્ય બતાવે છે. પચેંદ્રિયમાં પણ મનુષ્ય અને મનુષ્યમાં પણ ગૃહસ્થ, સાધુ વગેરેના અનેક ભેદ અને તારતમ્ય પૂરેપૂરું સ્વીકારે જ છે. ભાજન ભેદ કહાવત નાના એક મૃત્તિકા રૂપરી
આનંદ ધનજી (૫) જૈન ધર્મ પ્રાણિમાત્રને સીધે મેક્ષમાર્ગ કે આત્મધર્મ જ બતાવે છે, એ પણ એકાંગી કથન છે. મેં આગળ કહ્યું, તેમ તે નીતિ-ન્યાય, મિત્રાદૃષ્ટિ જેવી પ્રાથમિક ભૂમિકાઓ પણ બતાવે જ છે. પણ મેં આગળ કહ્યું તેમ ચોથા ગુણસ્થાનક પછીની ભૂમિકાની વાતે તેમાં સવિશેષ છે, પણ તે એમ માનીને કે વૈદિક ધર્મની માનવતાની વાત તથા જગતના નીતિ ધર્મોની પ્રમાણિકતાની વાતે તે તે સાધક શીખીને જ આવ્યું છે. જૈન શ્રમણોના તે વિશેષણમાં પણ “વિનાશ' શબ્દ લખાયું છે જ, આથી જ મારા નમ્ર મતે જેમ ગ્રેજ્યુએટ એકડિયાને ન ભણાવે, એવું નથી. ખરી રીતે જપાનની જેમ અથવા માંટેસરી પધ્ધતિની જેમ જૈન ધર્મ જેમણે આચાર વિચારમાં પચાવ્યો છે, તેમણે એકડા બગડાં જેવી સામાન્ય જનતાના પાયા ધર્મલક્ષી નીતિના મુકાય તે માટે આમ જનતાના ચોગાનમાં આવવું જોઈએ. અલબત્ત તે માત્ર પ્રેરક રહ્યા કરે તે સ્વાભાવિક છે, પણ દેરવણી તે એણે
સમગ્ર આપવી પડશે અને આજના નીતિનિરૂપક ધર્મસંપ્રદાય, - માનવતા નિરૂપક ધર્મસંપ્રદાય, લોકસેવાનિરૂપક પ્રવૃત્તિમાર્ગના
હિમાયલી ધર્મસંપ્રદાય તથા આત્મા અને વિશ્વના સમન્વિત ધર્મયોગ સૂચવતા ધર્મસંપ્રદાયને સુમેળ સધાવો જ પડશે. આ વાતથી અનેકાંત વ્યવહારૂ બની જશે. અને આજની દુનિયામાં સગી પ્રેરણાદાતા પણું અનાયાસે બની રહેશે. એમ મારા નમ્ર મને અને આટલા અનુભવે સ્પષ્ટ લાગે છે. “સંતબાલ” સ્વર્ગવાસી આચાર્ય શ્રીમદ વિજયવલ્લભસૂરિ
- શેકપ્રસ્તાવ તા. ૨૪-૮-૫૪ શુક્રવારના રોજ મળેલી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ તથા રજત મહોત્સવ સમિતિની સંયુકત સભાએ આચાર્ય શ્રીમદ વિજયવલ્લભસૂરિના સ્વર્ગગમન વિષે નીચે મુજબનો પ્રસ્તાવ પસાર કર્યો હતોઃ
આચાર્ય શ્રીમદ વિજયવલ્લસૂરિના તા. ૨૨-૯-૫૪ બુધવારના રેજ નીપજેલ અવસાન પરત્વે મુંબઈ જૈન યુવક સંધ ઊંડા શોકની લાગણી અનુભવે છે. તેમનું ૮૪ વર્ષનું આયુષ્ય અને તેમાં પણ ૭૦ વર્ષનું દીક્ષિત જીવન અનેક કલ્યાણના કાર્યોથી ભરેલું હતું. આજથી ૪૦ વર્ષ પહેલાંને સમય કે જયારે જૈન સમાજ ઉચ્ચ કેળવણી તરફ બહુજ ઓછા વળ્યા હતા અને સાધુઓ ઉપાશ્રય, મંદિરે અને મૂર્તિ સિવાય બીજા કોઈ જ્ઞાન કે દાનની દિશાનો વિચાર જ કરી શક્તા નહતા ત્યારે જૈન સમાજને ઉચ્ચ કેળવણીની દિશાએ વાળવામાં તેમણે પહેલ કરી હતી, તેમ કરતાં સ્થિતિચુરત સાધુ સમાજને સખ્ત સામનો કર્યો હતો અને તેના ફળરૂપે આજથી ૩૯ વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારપછીના વર્ષો દરમ્યાન ઉત્તરેઉત્તર અંબાલા, ફાલના તથા તેમના અવસાનના પંદર દિવસ પહેલાં માલેર કેટલામાં પણ એક એક કોલેજની સ્થાપના કરવામાં આવી હતી, આ ઉપરાંત બીજા અનેક છાત્રાલય તેમજ વિધાલય તેમની પ્રેરણા અને સતત કેશિષમાંથી નિર્માણ થર્યાં હતાં. કાળના બદલાતા વહેણોને ઓળખીને જૈન શ્વે. મૂ, કોન્ફરન્સની સંસ્થાને તેમણે પ્રારંભથી આજ સુધી અનુમોદન આપ્યું હતું. દેવદ્રવ્યની રૂઢિગત પ્રણાલિમાં ફેરફાર કરીને તેને સામાજીક ઉપયોગ શરૂ કરવાનું નાનું સરખું દ્વાર અઢી વર્ષ પહેલાં થાણાના ઉપધાન મહોત્સવ પ્રસંગે ઉઘાડયું હતું અને જૈનેની એકતાના વિચારનું પાછળના વર્ષો દરમિયાન જોરદાર સમર્થન કર્યું હતું. આજથી પચીસ વર્ષ પહેલાંની જૈન સમાજમાં ઉભા થયેલા અયોગ્ય દિક્ષા સામેના આજેલન પ્રસંગે તેમણે અગ્ય દિક્ષાને સ્પષ્ટ વિરોધ કર્યો હતે. આમ સમયે સમયે તેમણે જૈન સમાજને ઊચિત માર્ગદર્શન આપ્યું હતું અને સમાજનું શ્રેય સાધતી અનેક પ્રવૃત્તિઓ ઉભી થવા પાછળ તેમની સતત પ્રેરણા અને ચિન્તા રહેતી. તેઓ જૈન શ્વે. મૂ, સમાન જના અગ્રણી આચાર્ય હતા. સમગ્ર સાધુ સમુદાયમાં ઊમર અને કાર્યપરિણામના ધરણે માપતાં તેમનું સ્થાન અજોડ હતું અને કઈ કાળ સુધી રહેશે. તેમના પુણ્યજીવનમાંથી આપણે સેવા અને નિડરતાની પ્રેરણા મેળવીએ અને તેમના સ્મરણ અને અનુસરણ વડે આપણા જીવનને ધન્ય અને કૃતાર્થ બનાવીએ.”
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
- ૧૫ ઓકટોબરનો અંક પ્રગટ નહિ થાય
રજત મહોત્સવના રોકાણને અંગે આવતી ૧૫ મી ઓકટબરનો અંક પ્રગટ કરવામાં નહિ આવે.
પ્રબુધ્ધ જીવનને વિશેષ અંક તા. ૧-૧૧-૫૪ ના રોજ પ્રબુધ જીવનને વિશેષ અંક પ્રગટ કરવામાં આવશે.
તંત્રી, પ્રબુદ્ધ જીવન