SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૯-૧૯૫૪ પ્રબુદ્ધ જીવન આજનુ જાપાન ( ચેડા સમય પહેલાં હરિજનબંધુમાં આજના જાપાનની સમર્ચે પરિસ્થિતિનો ખ્યાલ આપતા શ્રી. ભારતન્ કુમારપ્પાના એ લેખો પ્રગટ થયા હતા. તે ઉપયેાગી માહીતી પૂરી પાડતા હેાવાથી પ્રબુધ્ધ જીવનમાં ક્રમશઃ પ્રગટ કરવામાં આવે છે. તત્રી ) યુનાઇટેડ સ્ટેટ્સ તરફ જાપાનનું વલણ જાપાની સેકા પરદેશીઓ આગળ પોતાનું ક્લિ ખેાલતા નથી. પરંતુ એક વખત તેમનાં એ મિતભાષીપણાનુ વલણ ભેધા પછી અને લગભગ અલ વ્યુ એવી ભાષાની દીવાલ પાર કર્યાં પછી આપણને માલુમ પડે છે કે, જાપાનનુ સામાન્યપણે પશ્ચિમના દેશ તરતુ અને ખાસ કરીને અમેરિકા તરફનું વલણુ અણુગમાં તથા અવિશ્વાસનું છે એ માટેનાં કારણે છે. જાપાન દુનિયાના પ્રવાહાથી અળગું પડીને રહેતુ હતુ અને એ રીતે અલગ રહેવાનું જ તે પસંદ કરતુ હતું. એશિયાના દૂરમાં દૂરના રિયાકિનારા પર આવેલા એટ તરીકેની તેની ભૌગોલિક સ્થિતિએ જાપાની લોકોને આવા એકાંતસેવી બનાવ્યા હતા અને બહારની દુનિયા સાથે તેમને ભાગ્યે જ કશા સંપર્ક હતા. જાપાનમાં સાંસ્કૃતિક અસરે બહારથી આવી હતી એ ખરૂં. દાખલા તરીકે બૌધમ કારિયા, ચીન અને હિંદુમાંથી ત્યાં આવ્યા. અને કળાકારીગરી અને વપરાશના માલ ચીતમાંથી ત્યાં આવ્યો. પણ આ વસ્તુઓ જાપાનની મરજી વિરૂદ્ધ તેના પર બળજખરીથી લાદવામાં આવી નહેતી. એ વસ્તુને જાપાને વધાવી લીધી અને તેમાંથી તેણે ભારે લાભ ઉડ્ડાવ્યા. એ દેશા પાસેથી તેને જે લેવું હાય તે જ લેવાની તેને છૂટ હતી. એ રિસ્થિતિમાં પરદેશી ત્યાં ભાગ્યે જ જોવા મળતા હતા. તેઓએ જાપાનમાં પગપેસારો ન કર્યાં. જાપાને તે કેવળ તેમના વિચારા અથવા તે તેમની કળાકારીગરી જ પોતાના દેશમાં આવવા દીધાં. પરદેશીઓના તેને અનુભવ ન હેાવાને કારણે, તે તેમની પ્રત્યે ભય અને શંકાની નજરે જોતુ હતુ અને તેણે પેાતાના દેશનાં દ્વાર તેમની સામે બંધ રાખ્યાં. ૧ પરંતુ ૧૮૫૩ ની સાલમાં સેનાપતિ પેરીએ પાતાના મજમુત નૌકાકાક્ષા સાથે બળજબરીથી તેમના દેશમાં પ્રવેશ કર્યો ત્યારે જાપાનને ભારે આધાત લાગ્યો અને તેમના એકાંતવાસના અત આવ્યો. જાપાને વિરોધ તે કર્યાં પણ વધારે સારી જાતનાં લશ્કરી શસ્ત્રો સામે તેને વશ થવું પડયું. પેરીએ પશ્ચિમના ખીજા દેશના લોકા માટે પણ જાપાનનાં દ્વાર ખુલ્લાં કર્યાં. બળજબરીથી કરવામાં આવેલા આ પગપેસારા સામે જાપાને અણગમે! દર્શાવ્યા અને તેમને અટકાવવાને તે સમર્થ નહેતુ એ માટે તેણે નામેાથી અનુભવી. એ દિવસથી તેણે શક્ય એટલી બધી બાબતમાં પશ્ચિમના દેશોના લોકોના બરાબરિયા થવાને પોતાનાથી બનતા બધા પ્રયાસા કરવાને નિર્ધાર કર્યાં. તેમણે ઝડપથી પોતાના દેશનુ ઉદ્યોગીકરણ કર્યું. પશ્ચિમના દેશા પાસેથી તેઓ લશ્કરી કળા શીખ્યા અને બળવાન લશ્કર, નૌકાદળ તથા હવાઈ દળ ઉભાં કર્યાં. પશ્ચિમના દેશોની તેમણે નખશિખ નકલ કરી, કારિયા જેવા દેશમાં પગપેસારો કર્યાં અને તેમના કબજો લીધો. આખરે પશ્ચિમના દેશોએ તેની હિંસાની અને લૂંટની સિદ્ધિ જોઇને તેને પાતનુ સમેડિયું ગણ્યું અને પોતાના જેવી જ એક મેટી સત્તા તરીકે તેને લેખવા લાગ્યા ત્યારે તેની મહત્વાકાંક્ષા સંતાષા, પણ પશ્ચિમના દેશોએ જોયું કે જાપાન તેમની પાસેથી સારી રીતે પાડે। ભણી ગયુ છે, અને તેમની જ રમતમાં તેમને હરાવે એવી સ્થિતિમાં આવી ગયું છે, ત્યારે તે તેનાથી ભડકયા. ફરીથી અમેરિકાએ જ પહેલ કરી, તેના પર અણુઓંબ ઝીંકયા, તેને જમીનદોસ્ત કર્યું અને તેના મુલકને કબજો લીધા. આમ, આધુનિક ઇતિહાસમાં અમેરિકાએ જાપાન સામે એ વાર પગલાં ભર્યાં. એ વસ્તુ સહેલાઇથી ભુલાય તેવી નથી. ૮૯ પરંતુ આમ છતાં, યુધ્ધ પછી તરત જ અમેરિકાએ ત્યાં જે સારૂં કામ કર્યું, તેથી કરીને, તેમણે જાપાની લોકૈાના પ્રેમ સ ́પાદન કર્યો. તેણે જાપાની લેાકાને ત્યાંના લશ્કરી આગેવાનેની ગુલામીમાંથી મુકત કર્યાં, યુદ્ધથી થાકેલા લોકોને શાન્તિવાદી રાજબંધારણુ આપ્યું. એ રાજબંધારણ તેમણે વધાવી લીધું. એ બંધારણમાં તેમને એવી ખાતરી આપવામાં આવી કે તેમને હવે લશ્કર રાખવું નહીં પડે કે યુદ્ધમાં સડાવાવુ નહીં પડે. પ્રજા પરનુ લશ્કરી આગેવાનોનું તથા વસાહત મેળવવાને માટે જાપાનને યુદ્ધમાં ધસડનાર મેટા ઉદ્યોગપતિઓનું ભારે પ્રભુત્વ તેડી નાખ્યુ અને છેલ્લે નપાનને સંપૂર્ણ - પણે ધારાસભા દ્વારા ચાલતું રાજતંત્ર આપ્યું. આ બધાને કારણે જાપાનના લોકો તેમના વિજેતા પ્રત્યે સાચા ક્લિના પ્રેમ તથા મૈત્રીની લાગણી અનુભવતા હતા. અમેરિકનો તેમને મુકિતાતા અને આશા, શાન્તિ તથા સમૃદ્ધિના યુગના પુરાગામી જેવા લાગતા હતા. પરંતુ, જાપાની લોકો જે બધી વસ્તુને લઈને ભવિષ્યને માટે આશાવાદી બન્યા તેમની બાબતમાં અમેરિકન લેાકા દુર્ભાગ્યે પાછા પડયા હોય એમ જણાય છે. કારણ કે, અમેરિકા જાપાનને હવે કરીથી શસ્ત્રસજ્જ કરવા માગે છે. આનો અર્થ એ થયો કે પહેલાંના વખતના લશ્કરી આગેવાનને, મોટા મોટા ઉદ્યોગપતિઓને અને બળવાન વેપારી પેઢીને પાછા સત્તા પર લાવવા; અને જાપાનને હવે લાગવા માંડયુ છે કે, અમેરિકાએ તેને આપેલી સેકશાહી સરકાર મૂઠીભર રાજકર્તા વર્ગના લોકોએ નક્કી કરેલી રાજનીતિ પર ઢાંકપિોડા કરવા પૂરતી જ છે અને લેાકા ફરીથી તેપા માટેના ખારાક સમાન બનશે અને એથી યે ખરાબ તે એ કે તે હાઈડ્રોજન મેથ્યના યુધ્ધના ક્રીથી શિકાર બનશે. અગાઉ કઇ નહી તે તેઓ પોતાની વસાહત વિસ્તારવાને માટે લડયા હતા. પણ હવે તેમને અમેરિકાને માટે લડવાનું થશે. અને અમેરિકાને ખાતર જાપાને ખેદાનમેદાન શાને થવુ જોઇએ તથા તેના લકાએ શાને મરવુ જોઇએ ? એમાં કશું વજૂદ દેખાતું નથી. જો તે શસ્ત્રસજજ ન હોય તે યુનાઇટેડ સ્ટેટ્સ અને સેવિયેટ રશિયા વચ્ચેના યુધ્ધમાં તેમને સડે વાવાનું ન થાય. પણ તેઓ અમેરિકાને પક્ષે શસ્ત્રસજ્જ બન્યા હાય તે તેમના દેશનો અમેરિકાના મથક તરીકે ઉપયોગ કરવામાં આવે. એને એ સ્થિતિમાં દુશ્મન ખસૂસ તેને ખેદાનમેદાન કરી મૂક, આથી તેઓ બંને સત્તાનાં જૂથેથી અલગ રહેવાની નીતિ અખત્યાર કરવાને કચ્છે છે. પણ તે જો એમ કરે તે અમેરિકા તેમને આર્થિક મદ ન આપે અને એમ થાય તે જાપાન આર્થિક રીતે ધૂળ ભેગુ થઇ જાય. વળી તેમને એવા અનુભવ પણ થયા છે કે, શસ્ત્રસજ્જ ન હોય તે, તેના પાડેશીઓ નાનકડું કારિયા પણુ, તેની એ સ્થિતિના લાભ ઉઠાવે છે. તે માછલી પકડવાને જાપાનના પાણીમાં દાખલ થાય છે. અને કારિયાથી ઘણા દુરના સમુદ્રમાં માછલી પકડતા જાપાની માછીઆની તે ધરપકડ કરે છે. પેતાની રક્ષા કરવાને તેમની પાસે લશ્કર હાય તે આવા બનાવા ખનવા ન પામે. આમ ફરીથી શસ્ત્રસજ્જ થવાની બાબતમાં જાપાનીઓનું મન બંને બાજુએ ખેંચાય છે. પરંતુ, એકદરે જોતાં સામાન્ય લેકમત, ખાસ કરીને બુધ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ અને મજૂરીને લોકમત શસ્ત્રસજ્જ થવાની વિરૂધ્ધ હાય એમ જણાય છે. આમ છતાં જાપાન પર અમેરિકાની અસર એટલી બધી પ્રબળ છે કે, તેને કરીથી શસ્ત્રસજ્જ થવું પડશે એવા ભય સેવવામાં આવે છે. અને આમ થશે તે શાન્તિને માટે કે લોકોની સાચી સ્વતંત્રતાને માટે કરશે! અવકાશ રહેશે નહીં. પરિણામે, અમેરિકા ઝપાટાબંધ જાપાની લોકોને પ્રેમ ગુમાવી રહ્યું છે.
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy