SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૯-૫૪ પ્રબુદ્ધ જીવન સાધુઓનાં આકર્ષણુ હતાં. આમ છતાં પણ આ બન્ને દિવસની સભાઓમાં આવેલાં શ્રોતા ભાઇ-બહેનોની હાજરી વડે શૅકસી થીએટર્ ચીકાર ભરાઇ ગયું હતું. આ સભાએ। ભરવા નાટે રેકસી થીએટર અમને આપવા બદલ મેસસ કપુરચંદ કંપનીના અમે જેટલો આભાર માનીએ તેટલા ઓછા છે. તેઓ જે સદભાવ અને સરળતાથી અમને આ સગવડ આપે છે તેની અમારે મન ધણી મોટી કીમત છે. વ્યાખ્યાનમાળામાં આવનાર ભાઇ બહેને શાન્તિ અને શિસ્તના ખ્યાલેથી એટલા બધા ટેવાયેલા છે કે આ સભાની વ્યવસ્થા જાળવવાનું કામ ભાગ્યે જ ચિન્તાના વિષય બને છે. એમ છતાં નવે સિની સભાએંની વ્યવસ્થા જાળવવામાં મદરૂપ થવા માટે ઝાલાવાડી જૈન સ્વયંસેવક મંડળ તથા સ્થાનકવાસી જૈન યુવક મંડળને અમે અન્તઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. છેવટે આભાર માનવાના રહે છે શ્રોતાઓને કે જે અમને ભાગ્યે જ તકલીફ આપે છે. સવત્સરિના વિસાની બન્ને સભાએ ત્રણ ત્રણ કલાક ચાલેલી. આખુ થીએટર ભાઈઓ તથા બહેના વડે ચિકાર ભરેલુ. આમ છતાં પહેલેથી છેલ્લે સુધી એક સરખી શાન્તિ જળવાય, ભાગ્યેજ કાઇ પાતાના સ્થાન ઉપરથી ૐ; સૌ કે એક ધ્યાનથી સાંભળે; કાષ્ઠની આકૃતિ ઉપર થાક કે કંટાળા નજરે ન પડે; જાણે કે ચિત્રસ્થ ન હોય એવી આ સભાનું દર્શન જેટલું વિસ્મયજનક તેટલું જ અલૌકિક દિસતું હતું. આ દૃશ્ય કે સમય સુધી સ્મરણપટ ઉપર અંકાઇ રહે છે અને આવી શાન્તિ, સભ્યતા અને શિસ્ત આ ભા બહેનાને કાણુ શિખવી જાય છે એ વિષે ક્લિ આશ્ચર્ય અનુભવે છે. નાની કે મોટી દરેક સભાનુ આ પ્રેરક રોમાંચક દર્શન અને તેથી ક્લિમાં અનુભવાતા સતેષ અને આનંદ દ્વારા પર્યુષણ વ્યાખ્યાનમાળાને લગતી બધી જહેમતના બદ્લા મા રહેતા હોય એમ અમને લાગે છે અને એ પ્રવૃત્તિને વિકસાવવાની અને વધરેને વધારે વિશદ બનાવવાની પ્રેરણા અમે અનુભવીએ છીએ. અંતમાં જણાવવાનુ કે આ વખતની પશુ ષણ વ્યાખ્યાનનાળા આગળ જેટલી દ્રવ્યવાહક બની શકી નથી. આશરે ૩, ૨૧૦૦ ની આવક થઇ છે. જેની વિગત આવતા અંકમાં અન્યત્ર આપવામાં આવશે. બીજી આજુએ આ ઓછી આવકના અધ્યારૂપ ન હૈય એમ અમે નવા ૬૦ સભ્યો મેળવી શકયા છીએ. જેમાં ૩ જૈનેતર ભાઇઓ છે. આ રીતે સધન કાર્યશક્તિ જરુર વધી છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાને લગતી આ વિગતા રજુ કરતાં અમેા આનંદ તથા તેષ અનુનવીએ છીએ મત્રી, મુંબઇ જૈન યુવક સંઘ સમારભ રજત-મહાત્સવ શ્રી મુંબઇ જૈન યુવક સંધના અગામી રજત મહાત્સવ સમ:રંભની વિગતો લગભગ નકકી થઇ ચૂકી છે. આગળ જણાવેલા કાર્યક્રમમાં થોડા ફેરફાર કરવામાં આવ્યો છે. નિશ્ચિત કરવામાં આવેલે કાર્યક્રમ નીચે મુજ્બ છે. વિસ સમય સ્થળ પ્રસંગ ૯ આકટર શનીવાર સાંજના ૬-૩૦ રામાયણ ભારતીય (કઠપૂતળી—નૃત્ય નાટિકા) વિધાભવન ૧૦. એકટાબર રવિવાર સવારના ૯ 23 સમેલન વિદ્યાભવન સાંજના ૫-૪૫ સમૂહ બેોજન પ્રાણસુખલાલ મફતલાલ સ્વીમીંગ આય મનેર જન ભારતીય કાર્ય ક્રમ વિદ્યાભવન ૧૧ કટાબર સામવાર સાંજના ૬-૩૦ ૧૨ ઓકટાક્ષર મગળવાર રાત્રીના ૮ નૌકાવિહાર ન્યુ ફેરીવ્હા . . J ૮૮ અ રામાયણ (કઠપૂતળી નૃત્ય નાટિકા) રજત મહાત્સવનો પ્રારંભ તા. ૯-૧૦-૫૪ શનીવાર સાંજના ૬-૩૦ વાગે ભારતીય વિદ્યાભવનમાં લીટલ મેલે ગ્રુપ' તરથી ભજવાતી રામાયણ (કઠપૂતળી નૃત્ય-નાટિકા) થી કરવામાં આવશે. આ પ્રસંગે પ્રસ્તુત નાટિકા ઉપરાંત ત્રણ નાનાં નૃત્ય તેમજ સરેાદ સંગીત રજૂ કરવામાં આવશે. આ કાર્ય ક્રમ લગભગ અઢી કલાકના રહેશે અને પ્રેક્ષકોને સંગીત તેમજ નૃત્યના આયેાજન— પૂર્વકનું સુંદર કળાનિર્માણુ જોવા મળશે. આ માટે રૂ. ૫૦, ૨૫, ૧૫, ૧૦, ૫ અને ૨ ની ટીકીટા રાખવામાં આવી છે અને આ રીતે થતી સધળી આવક મુંબઇ જૈન યુવક સંધ દ્વારા સંચાલિત શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયને સુપ્રત કરવામાં આવશે. રજત-મહાત્સવ સ'મેલન તા ૧૦-૯-૫૪ રવિવારના સવારના ૯ વાગ્યે ભારતીય વિધાભવનના થીએટરમાં આ રજત-મહાત્સવ સંમેલન ભરવામાં આવશે. આ જાહેર સ ંમેલન હાઇને સૌ કોઇ ભાઇ બહેને આમાં ભાગ લઇ શકશે. સમૂહ ભેાજન સંધના સભ્યો તથા નિયંત્રિત મહેમાનો તથા રજત મહે’ત્સવના દાતાઓ માટે આ સમૂહ ભોજન યોજવામાં આળ્યુ છે. સભ્યો તેમજ દાતાઓ પોતાની સાથે રૂા. ૩ ભરીને એક વધારે વ્યક્તિને મહેમાન તરીકે લાવી શકશે. મનારજન કાર્યક્રમ સંધમાં સભ્યો તથા શુભેચ્છકો માટે તા. ૧૧-૯-૫૪ સામ વારના રાજ ભારતીય વિદ્યાભવનમાં આ કાર્યક્રમ યેાજવામાં આવ્ય છે. આ માટે ફ્રી પાસે રાખવામાં આવ્યા છે અને તે સધના કાર્યોલયમાંથી અવકાશ મુજબ આપવામાં આવશે. નૌકાવિહાર રજત-મહેત્સવ ફૅડ ન.૧ આ પ્રસંગે ઉપર જણાવેલ નૃત્યનાટિક્રાના ખર્ચ નીકળે અને સંધને સારા અર્થલાભ થાય . એ હેતુથી રજત-મહાત્સવ ફ્રેંડ ન ૧ ઉભું કરવામાં આવ્યું છે. આ કુંડમાં સધના સુસ્થિત સભ્યો તેમજ શુભેચ્છક પાસેથી રૂ. ૧૦૦ રજતમહાત્સવ મામ્તીય અથવા તેથી વધારે રકમ મેળવવી એ આ કુંડનો હેતુ છે. આ રીતે આ કુંડમાં નાણાં ભરનાર પ્રત્યેક દાતાને રજત-મહાત્સવના સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેવાના અધિકાર મળશે. તા. ૧૨-૯-૫૪ મંગળવારના રાજ રાત્રીના આથી અગિયાર સુધીનો આ નૈકાવિહાર ગોઠવવામાં આવ્યો છે. આ નકાવિહારમાં રજત-મહાત્સવ ફંડ ન. ૧ ના દાતા તથા રજત-મહાત્સવ નં. ૨ માં ઓછામાં ઓછા રૂા. ૧- ભર્યાં હોય તે સભ્યો ભાગ લઇ શકશે. આ ઉપરાંત આ દાતાઓ તથા સભ્યો અમુક મર્યાદામાં પેતાનાં સ્વજનને ૧૦ વર્ષની ઉપરની ઉમ્મરના માટે રૂ. ૩ અને ૧ વર્ષ નીચેની ઉમ્મરના માટે રૂ. ૨ એ મુજબ રકમ ભને આ નૌકા વિહારમાં સામેલ કરી શકશે. આ માટેના પાસા સંધના કાર્યાલયમાંથી મળશે. આને લગતી વિગત હવે પછી જાહેર કરવામાં આવશે. રજત-મહેસવ ફંડ નર આ પ્રસંગે નાય નાટિકા સિવાયના અન્ય ખર્ચને પહેાંચી વળવા માટે સધના દરેક સભ્ય ઓછામાં ઓછા રૂા. ૧૦ આપે એવા સંધની કાર્યવાહક સમિતિએ ઠરાવ કર્યાં છે. આ પ્રમાણે રૂ. ૧૦ ભરનાર સભ્ય નૃત્યનાટિકા સિવાયના દરેક કાર્યક્રમમાં ભાગ લઈ
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy