________________
૮૬
હિંસા પાતે કને ગણશે. માણસ પોતાની જાતને છેતરવામાં જેટલા પાવરધા છે તેટલા પાવરધા બીજા કશામાં નહિ હાય, આમ છતાં દરેક માણસ જો પોતાના અંતરાત્માના અવાજને સાંભળે તે તે પેાતાની જાતને છેતરતા અટક્રે. માનવી ભણેલ હાય કે અભણ, દરેકને અંતરાત્મા કહે છે કે આ કરવું હિતકર છે અને આ કરવુ હિતકર નથી. માનવની દરેક પ્રવૃત્તિ વખતે અંતરાત્માના અવાજ પોકાર કરે છે, પરંતુ જયારે સ્વાર્થનુ પ્રાબલ્ય વધે છે ત્યારે માનવી ખાતાની જાતને છેતરીને પણ કહે છે કે ‘આ સ ંજોગામાં મારે આમ કર્યા વગર છૂટકે નથી, મારી જગ્યાએ બીજો હોત તે તે પણ આમ જ કરત. આ સંજોગોમાં બીજો કોઇ રસ્તે નથી.' આ રીતે માનવી પોતાની જાતને વ્યાજબી ઠરાવવા મથે છે. પેાતાની જાતને છેતરવાની કળા માનવીએ ઘણુ વિકસાવેલ છે અને તે જ કારણે "ધી ગુંચા ઉદ્દભવી છે.
પ્રબુદ્ધ જીવન
પાઉન્ડ
આ બાબતમાં વધુ વિચાર કરીએ. અહિંસાનું સ્વરૂપ ઉપર કહ્યું તેમ પોતાને દુ:ખ ન થવું જોઇએ તેમ જ પોતાના વર્તનથી ખીજાને દુ:ખ થવુ ન જોઈએ તે છે. આ પ્રશ્નમાં જરા વધુ ઉંડા ઉતરીએ. હું ઈંગ્લાંડમાં રહેતા હાઉં. મારી પાસે ૫૦૦૦ હાય, તે હું બર્માની એક ખણના શેશમાં શકું. હું મારી જાતને મનાવુ’ કે આ રીતે વ્યાજ મેળવવુ એ અહિંસક છે, કેમ કે મારે કાંઇ આરંભસમારંભ તેમાં કરવાને નથી બેઠા બેઠા ૬ % વ્યાજ મેળવવામાં શું વાંધા ? સ્વાથૅની દૃષ્ટિએ હું મારી જાતને આ રીતે મનાવુ, પરંતુ હું જો ઊંડા ઉતર્ તા મારી પાસે અનેક ગૂ ઉદ્દભવવાની. તે ખણમાં મજૂરેની શી સ્થિતિ થાય છે? મને જે વ્યાજ મળે છે તે કેવી રીતે મળે છે? મજૂરો પાસેથી કેટલું કામ ક્ષેવામાં આવે છે? તેની સ્થિતિ કેવી કફોડી થાય છે ? તેના લોહીને
આ પૈસો નથી ને? એ વ્યાજ આપવામાં લાખા માણમાને પોતાનુ શરીર નીચેાવવુ પડે છે તેને ખ્યાલ કદી આવે છે? આ બધી અહિં’સાની ગુ ંચે છે અને જે સાચી રીતે અહિં કા પાળવા માગતા હાય તેમણે વિવેકપૂર્વક આ બધી બાબતોમાં ઊંડા ઉતરવુ જોઇએ અને તે ગૂ ંચ ઉકેલવા પ્રયત્ન કરવા જોઇએ.
અહિંસાના જે મૂળભૂત પાયે છે તે અંગે મેં વાત કરી, હવે બીજી બાબત વિચારીએ. આ જગતમાં સત્ય છે અને અસત્ય પણ છે. ઝેવેર છે અને પ્રેમ પણ છે. હિંસા છે અને અહિંસા છે. માણસમાં આ બે જાતના ગુણા છે. આ સંસાર આ બે જાતની વિષમતાથી ચાલે છે. આ જગત દ્રોથી ભરેલું છે, છતાં જગત ટકેલુ છે સત્ય પર, નહિં કે અસત્ય પર. સત્ય જેવી વસ્તુ આ દુનિયામાં ન હેાય તે ક્ષણુ પણ જગત ટકી શકે નહિ. માનવમાં એકલા હિંસા, ક્રોધ, વેર-ઝેર ભરેલાં હોય અને ધ્યા, અનુકંપા, પ્રેમ, અહિંસા ન હોય તો ધડી ભરપણું જગત ટકે નહિ. એટલે દુનિયને ટકાવવી હોય તા જે ધર્મ છે તેનું જેટલા પ્રમાણમાં આચરણ થશે તેટલા પ્રમાણમાં જ દુનિયા પ્રગતિ સાધી શકશે. જ્યારે બાદબાકી, ગુણાકાર કરવાનો વખત આવે ત્યારે દરેકે વિચારવુ ઘટ કે મે' જગતમાં અહિંસા સત્ય વધાર્યું છે કે ધટાડયુ છે ? મે' મરા જીવનથી અહિંસાના વધારા કરેલ છે કે વેરઝેરને વધારો કરેલ છે? ખરા જીવનનું આ જ માપ છે, આ જ પારાશીશી છે.
ટુંકામાં અહિંસા અંગે મે એ વાત કરી. એક તે દરેક વ્યક્તિને સુખ જોઈએ છીએ, દુઃખ જોતું નથી. માટે શાશ્વત સુખ મળે અને તેથી બીજાને દુ:ખ ન ઉપજે તેવું વર્તન કશ. ખીજું જગત સત્ય અને અહિંસા પર નિર્ભર છે. અસત્ય કે હિંસા પર નહિ. આ એની પ્રતીતિ થાય તે અહિંસામય જીવન જીવ્યાં ગણાય અને જીવન સળ થયું ગણાય,
એક વખત એવી માન્યતા હતી કે અહિંસા યુધ્ધક્ષેત્રે ન ચાલે; રાજનીતિમાં તે કામ ન આવે; વ્યવહારમાં તેનું પાલન કરવા
તા. ૧૫૯ ૫૪
જએ તો ભૂખે મરવાનો વખત આવે; ધમ તા ઉપાશ્રય, દેરાસર કે ધર્મસ્થાનકમાં જ આચરવાની વસ્તુ છે. સામાન્યપણે આ માન્યતા હતી, પરન્તુ પૂજ્ય મહાત્માજીએ રાજકારણમાં અહિંસાના સફળ પ્રયાગ કરીને બતાવી આપ્યું કે જીવનની દરેકે દરેક પ્રવૃત્તિમાં અહિંસામય આચરણને સ્થાન છે. પૂ. ગાંધીજીએ બીજી વસ્તુ પણ આપણી સમક્ષ પોતાનાં આચરણથી રજુ કરી છે, તે છે અહિંસાનુ વિધાયક સ્વરૂપ. આપણે બહુ બહુ તો નિષેધાત્મક અહિંસામાં આગળ વધ્યા હતા. પરંતુ વિધાયક અહિંસા પ્રતિ ઉપેક્ષા સેવી હતી. ગાંધીજીએ વિધાયક અહિંસાના પ્રયોગ દરેક ક્ષેત્રે કરી બતાવ્યો. આખલીમાં થઇ રહેલ હત્યાકાંડની વચ્ચે તે એકલા જઈને વસ્યા, સુહરાવરદીએ પેાલીસરક્ષણ આપવા માંડયુ તેની પણ તેમણે ના પાડી, પોતાના અંગત કાર્યકરોને પણ સાથે ન રાખ્યા અને એકલા કામી દ્વેષની આગમાં રહ્યા. એ બનાવ અહિંસાના પ્રયોગની ઉત્કટતા તથા સફ્ળતાનું અનુપમ દૃષ્ટાંત છે. નેઆખલીમાં તેમણે આણેલ હૃદયપલટ વિધાયક અહિંસાનું સાકાર સ્વરૂપ છે. હિંદના ભાગલા થયા અને ૫૦ લાખ શીખો દીલ્હીમાં એકઠા થયા. કામદૂષની આગથી સળગી ઉયા હતા, તે સમયે ગાંધીજીએ ચાર મહીના દીલ્હીમાં રાતે જે કાર્ય કરેલ છે તે બતાવે છે કે અહિં સક વ્યક્તિ ષને પ્રેમમાં પલટાવી શકે છે, દ્વેષની અગ્નિને પ્રેમના પાણી વડે બુઝાવી શકે છે. ગાંધીજી વૈષ્ણવકુળમાં જન્મ્યા હતા એ ખ, પરન્તુ વાસ્તવિક રીતે તેમણે જૈન સિદ્ધાન્તાને જ પ્રચાર કરેલ છે. જો તેઓ જન્મે જૈન હાત તે તેમના પર આરેાપ આવત કે તમે જૈન ધર્મના જ પ્રચાર કરી રહ્યા ! ગાંધીજીની અહિંસા કેટલી સૂક્ષ્મ હતી તેના એક દાખલા શ્રી. મહાદેવભાઇએ નોંધપાથીમાં લખ્યું છે. આગાખાન મહેલમાં મહાત્માજી માટે લીંબુના રસ નાખેલ ગરમ પાણી ઉઘાડું પડયું હતું, તેમણે તુરત જ તે પર ઝીમ ઝુગડું ઢાંકયું', જીવ ન હણાય તે માટે. આ રીતે ગાંધીજીની દરેક પ્રવૃત્તિમાં અહિંસાનું પાલન નજરે પડે છે.
અહિંસાનુ પાલન સાચી રીતે થાય તે વ્યક્તિ કેટલા પ્રમાણમાં આગળ વધે છે તેના એક ખીને રાખો। આપુ.
શ્રી રામકૃષ્ણ પરમહ ંસ કાલીપુજક અને માંસાહારી હતા. છેટ તેમની અહિંસા એટલે સુધી વિકસી કે પુલ તેડતાં પણ તેના હૃદયને વિજળીના આંચકા જેવા આંચકા લાગતા હતા.
અહીં એક વસ્તુના ઉલ્લેખ કરવા જરૂરી છે. જે ખીજાને અહિંસાનો ઉપદેશ આપે છે. તેમણે શિષ્યની લાયકાત જોઇને ઉપ'દેશ આપવા જોઈએ. લાયકાત વિના સૂક્ષ્મમાં સક્ષ્મ અહિંસાની વાત કદાચ અનથ કારી નિવડે. શિષ્યની લાયકાત પારખવાની જે ગુરૂમાં શક્તિ ન હોય તે ગુરુ થવાને લાયક ન કહેવાય.
એક સાસુએ મહારાજ પાસે બાધા લીધી કે મારે કોઈની સુવાવડ ન કરવી. પોતાના દિકરાની વહુને સુવાવડ આવી, ત્યારે કહે કે મે તા સુવાવડ કરવની બાધા લીધી છે ! દીકરાને પરણવવે અને સુવાવડ કરવાની બાધા લેવી એ કેટલું પરસ્પરવીરેધી છે ? એક વખતે કેટલાક ભેંટીએ! કાંતવાની આધા લેવા લાગ્યા હતા. એ કારણે ક્રૂ તેથી વાઉકાયના વ હણાય છે ! તે પછી લુગડાં પહેરવાની બાધા શા માટે ન લેવી? આમાં પુરતી સમજણુનો અભાવ છે. આવા પ્રસંગે બાધા આપનારે અને બધા લેનારે વિવેક જાળવવે જરૂરી છે. તેથી જ અહિંસામાં વિવેકને મુખ્ય સ્થાન આપવામાં આવેલ છે. અહિંસા એટલે કાઇની હિંસા ન કરવી, આ છે અહિંસાનુ નિષેધાત્મક સ્વરૂપ. કોઈ જીવને બચાવવા એ છે અહિંસાનું વિધાયક સ્વરૂપ, પર`તુ આપણા અમુક વર્ગમાં એવી માન્યતા પ્રવર્તે છે કે કાઇ જીવને મારવા નિહ તેમાં અહિંસા છે, પરન્તુ કાઇ જીવને બચાવવા તેમાં અહિંસા નથી. કાઇ જીવ પાણીથી ટળવળતા હાય અને તમે તેને પાણી આપો. કોઇ જીવ ભૂખે મરતા હોય અને તમે
***
Ч