________________
પ્રબુદ્ધ જીવન
વિધાયક અહિસા
(પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન તા. ૩૦–૮–૧૪ ના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ઉપર જણાવેલ વિષય ઉપર એક મહત્વપૂર્ણ વ્યાખ્યાન આવ્યું હતું. તે વ્યાખ્યાનની શ્રી મહાસુખભાઇ જે. દેસાઇએ લીધેલી અને વ્યાખ્યાતાએ અનુમત કરેલી નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
તા. ૧૫-૯-૫૪
અહિંસાને બે વિભાગમાં વહેંચી શક્ય એક છે વિધાયક અહિંસા અર્થાત્ Positive અહિંસા અને બીજી છે નિષેધાત્મક અર્થાત . Negative અહિંસા. આ પૈકી વિધાયક અહિંસાનુ મહત્ત્વ વિશેષ છે. અહિંસાની વાત આવે છે ત્યાં જૈના પાતાને અહિંસાના ઇજારદાર તરીકે માને છે. એ ખ છે કે અન્ય ધર્મની અપેક્ષાએ જૈન ધર્મમાં અહિંસા અંગે વધુ છણાવટ છે અને નાન માં નાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસા પ્રતિ જૈન ધર્મ માં કાળજી રાખવામાં આવી છે. છતાં એ કબુલવું જોશે કે જૈના જેટલા પ્રમાણમાં જૈન ધર્મની અહિંસા માટે ગર્વ અનુભવે છે તેટલા પ્રમાણમાં આચરણ કરતા નથી. જૈનાએ નકારાત્મક અહિંસા જેટલા પ્રમાણમાં અપનાવી છે તેટલા પ્રમાણમાં વિધાયક અહિંસા પ્રતિ લક્ષ આપેલ નથી એમ કહીએ તેા ખાટુ' નથી.
આટલું પ્રાસંગિક કહીને હવે હું મૂળ વિષય પર આવીશ. અહિંસા અંગે નિરૂપણ કરવા કરતાં તેની પ્રસ્તાવના કરવી એ વધુ ચેોગ્ય થશે; કેમ કે પર્યું પણ વ્યાખ્યાનમાળાના ઉદ્દેશ કાઇ પણ વિષય અંગે નિરૂપણ કરીને સમાજને નિશ્ચિત ચોકઠામાં આંધી દેવાને નથી, પરંતુ તેના મુખ્ય ઉદ્દેશ લોકોને વિચાર કરતા કરવાના તે પોતાની મેળે ઉકેલ કતા શીખવવાના છે; એટલે હું આપની સમક્ષ અહિંસાના વિષયમાં કઇ કઇ ગુંચવણો છે, કયા કયા કોયડાઓ ઉદ્દભવે છે તે રજી કરવા પ્રયત્ન કરીશ.
એ
આજના યુગે અહિંસાને સમજવાને તેમ જ આચરવાના વધુમાં વધુ પ્રયત્ન કર્યો હાય તેા તે છે પૂ, ગાંધીજી. તેમણે આ યુગે અહિંસા અંગે વ્યાપક દૃષ્ટિએ વિચાર કરેલ છે. જેમ જેમ માણસ અહિંસા અંગે વધુ વિચારતો થાય છે અને તેનું સૂક્ષ્મપણે પાલન કરવા પ્રયત્નશીલ બને છે તેમ તેમ તેની પાસે અનેક ગુંચવણો ઉભી થાય છે. મહાત્માજીને પણ તેમ જ થયું. ૧૯૪૩ માં અન્નસ કટ સમયે તેમણે માંસાહારીઓને વધુ માછલીઓ ખાવાના અને અન્નના ઓછો ઉપયોગ કરવાનું સૂચન કર્યું ત્યારે જૈનેામાં ખળભળાટ થયો હતા. તેમણે કુતરાને અને વાછરડાને મારવાનું કહ્યું તેમ જ ખેતીના પાકને બગાડતા વાંદરાએને મારવાનું કહ્યું ત્યારે પણ જૈતા મુઝવણમાં પડી ગયા હત, કે આ ગાંધીજીની અહિંસા કેવા પ્રકારની છે ? તેમનું આ સૂચન વ્યાજખી હતું કે ગેરવ્યાજબી હતુ તે અંગે હું અત્રે કશુ કહેવા ઇચ્છતા નથી. આ અંગે સૌ પોતે વિચાર કરી લે. હું તે એટલું જ કહેવા ઇચ્છું છું કે જેમ જેમ માણુસ અહિંસાના ક્ષેત્રમાં ઉંડા ઉતરતા જાય છે તેમ તેમ તેની પાસે અનેક ગુંચ ઉભી થતી જાય છે અને તેના ઉકેલ તે તે પોતાનાં જ્ઞાન અને અનુભવને આધારે કરતા જાય છે. તે ઉકેલ અન્યને ચગ્ય લાગે અગર ન પણ લાગે. તેથી જ ગાંધીજીએ કહ્યું કે - My non-violence is my own ' ( મારી અહિંસા એ મારી જ છે), તે સમયે મેં અહિંસા અંગે ઠીક ઠીક વિચાર કરેલા અને પ્રબુદ્ધ જૈનમાં પણ આ પ્રશ્ન અંગે બે ચાર લેખે લખેલા. હકીકત એ છે કે અહિંસાના પ્રશ્નના ઉષૅલ વાદવિવાદથી. આવી શકે નહિ. તર્કથી તે ઉકેલી શકાય નહીં, તેના ઉકેલ અનુભવથી જ આવી શકે. એકલી તર્ક શક્તિના ઊપયોગ કરવામાં આવે તેા કોઇ કોઇ પ્રસંગે એવી અહિંસા અનર્થકારી નિવડે છે, તેથી જ અહિંસાની વિચારણામાં વિવેકને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે.
૫
એક બાજુ હિં'સામય વાતાવરણ પ્રવર્તે છે. Curvival of the fittest જેવા સિધ્ધાંતાના પ્રચાર થઇ રહેલ છે. લીવો નાયસ્ય નયનમ્ જેવાં સિધાન્તા પ્રચલિત છે. આવા હિંસામય જગતમાં જેમણે અહિંસાની શોધ કરી છે તેમને કોટી કોટી વંદન ઘટે છે. ડગલે ને પગલે હિંસા રહી છે. ખેલવું, ચાલવું વગેરે જીવનની દરેક ક્રિયામાં હિંસા સમાયેલી છે. આમ છતાં હિંસા એ ધમ નથી, ધર્મ તે અહિંસામય જીવનમાં જ રહેલા છે; તેથી જ અહિંસાને પરમ ધર્મ કહેલ છે.
દરેક માણસને સુખ જોઇએ છે; દુઃખ કોને પસંદ નથી; માટે આપણે સુખ જોઇતું હોય તો આપણે બીજાને પણ દુ:ખ આપવું જોઈએ નહિ. આ થયો અહિંસાનો મૂળ પાયો. પરન્તુ પ્રશ્ન એ થાય છે કે સુખ ને કહેવું? દુઃખ અને માનવું? દરેક માનવી એમ કહે છે કે હું ઇરાદાપૂર્વક કોઇને દુઃખી કરતા નથી, છતાં આજે વ્યાપક રીતે આપણે ઘણાને દુઃખી કરી રહ્યા હોઇએ છીએ. આનુ કારણ એ છે કે સુખ અને દુઃખની દરેકની વ્યાખ્યા જુદી જુદી હોય છે. ખરૂ' સુખ તે તેને કહેવાય જે કદી દુઃખમાં પરિણમે નહિ અથવા જેનુ પરિણામ દુ:ખમય ન હોય. ખરૂં સુખ તેા હુ ંમેશા સુખ જ રહે છે. કેટલુંક સુખ એવુ છે કે પહેલાં સુખ લાગે છે, પરન્તુ પરિણામ દુઃખમય આવે છે. ભોગ ભોગવવા પહેલાં તે સારા લાગે છે. પરન્તુ તેનુ' પરિણામ રાગમાં આવે છે. તેથી જ કહ્યું છે કે “ ભોગે રાગ ભય. ” આને ખરૂ" સુખ કહેવાય નહિં, પરિગ્રહ આમ તે સારા લાગે છે. પરન્તુ તે અતે પોતા માટે અને ખીજા માટે દુ:ખમય નીવડે છે, એટલે પરિગ્રહમાં પણ ખરૂં સુખ નથી. ખરૂં સુખ તે તેને જ કહી શકાય કે જે કદી પોતા માટે અથવાં પારકા માટે દુઃખમાં પરિણમે નહિં. આવુ સુખ મળે તેવી પ્રવૃત્તિ દરેકે કરવી જોઇએ
આ અંગે એક બીજી બાબત પણ વિચારવાની રહે છે. જીવન એ હિંસાથી ભરેલુ છે, હિં ંસા તે હાલતાં ચાલતાં કરવી જ પડે છે, તે પછી અહિંસાવ્રતધારી જીવી કેવી રીતે શકે? આ એક પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉકેલ એ છે કે ઓછામાં ઓછી હિંસા વડે જીવવું તે જ ઉત્તમ જીવન છે, અનિવાયૅ હિંસા–Inevitable હિંસા—જેના વિના ચાલે નહિ તેટલી જ હિંસા અને તે પણ વિવેકપૂર્વક કરવી જોઇએ. આ પ્રશ્નમાં પણ જેમ જેમ ઉંડા ઉતરશુ તેમ તેમ ગુ ંચવણ તે ઉભી થવાની જ પરંતુ તેના ઉકેલ દરેક પોતાની શકિત અને અનુભવ મુજબ કરવાના રહે છે. અનિવાય હિંસા કાને કહેવી ? એ પ્રશ્ન અહિંસક માનવી પાસે ખડા થવાના જ. ગાંધીજીએ કુતરાને મારી નાખવાની સલાહ આપી હતી, ત્યારે પણ તેઓ કહેતા હતા કે અહિંસાની દૃષ્ટિ નજર સમક્ષ રાખીને જ 'મેં આ સલાહ આપી છે. કુંતરાને મારી નાખવાનું હું કહું છું તે તેના હિતમાં જ છે. કુતરા રિબાઈ રિબાઈને મરે તેના કરતાં તેને અંત આવે તે વધારે સારૂ છે. તેના પ્રતિના દ્વેષથી નહિ પરંતુ પ્રેમથી હું સલાહ આપુ છું. આ પ્રમાણે ગાંધીજીએ પેાતાના સૂચનને અહિંસાની દૃષ્ટિએ વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કરેલો. બીજી ખા વાંદરાને મારી નાખવાની સલાહ વાંદરાના હિતમાં નહાતી, તે સલાહ તે ખેતી બચાવવા માટે હતી. તેમાં સ્વાર્થ ભાવના હતી. તે પછી તે સૂચનને અહિંસક કહી શકાય કે કેમ ? આ બધી ગુંચે છે, અને તેના ઉકેલ તર્કથી લાવી શકાય નહિ. અનુ ભવ અને વિવેકથી જ તેના ઉકેલ આવી શકે. દરેક વ્યકિતએ પોતા માટે નક્કી કરવાનું છે કે પાતાનુ સ્થાન જોઈને, અનિવાય