SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પ્રબુદ્ધ જીવન અમારી પાકી ખાતરી છે કે, ખરેખર સવનાશને આરે આવીને ઊભેલી દુનિયાના ઉકેલ અમેરિકન કે રશિયન એ બે સત્તાનાં જૂથો પૈકી એકને ટકા આપવામાં રહેલા નથી, એ અને અમુક અંશે બિનલેાકશાહી શાસન ચલાવે છે, એક વર્ગ અથવા રાષ્ટ્રનું ખીજાના લાભને માટે શોષણ કરે છે, પ્રજા પર આધિપત્ય જમાવે છે, આધુનિક યુધ્ધનો ઉપયોગ કરે છે, ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે અણુમેાંબ તથા હાઇડ્રોજન મેથ્યુ બનાવીને ખડકે છે, જે ચાલુ રહે તે અંતે જેની આગળ હિરાશીમા તથા નાગાસાકીનો વિનાશ ફટાકડાના વડાકા જેવા બની જાય એવા ભીષણુ ત્રીજા વિશ્વયુધ્ધમાં પરિણુમે એવી શસ્ત્રસજ્જ થવાની હરીકાઇમાં ભાગ લે છે. ત્રીજો માર્ગ અનુસરીને જ અમે ભૂતકાળમાં જે કંઇ બનવા પામ્યું છે તેને માટે સાચે ખેદ દર્શાવી શકીએ. એ બુધ્ધને, શુના અને ગાંધીને, અવેરને, બૂરાઇને ખુદલે ભલાઇને, બધાં બાહ્ય આયુવેાના તથા માનવીની કતલના ત્યાગના માર્ગ છે. એ અન્યાય દૂર કરવાને, ન્યાયી સમાજવ્યવસ્થા તથા અવ્યવસ્થા નિર્માણુ કરવાના માર્ગ છે. એ ગાંધીએ હિંદની પ્રજાને તેની રાષ્ટ્રીય આઝાદી માટેની લડતની દોરવણી આપી તે રીતે અનિષ્ટની સામે અહિંસક સાધનો દ્વારા સક્રિય લડત આપવાના માર્ગ છે. ગાંધીની પેઠે અમને પશુ પાકી ખાતરી થ છે કે, “અહિંસક પધ્ધતિના તેનાં સધળા ઊજ્જવળ કલિતાર્થી સાથે હિંમતપૂર્વક બિનશરતે સ્વીકાર કર્યા સિવાય ઝઝુમી રહેલા વિનાશમાંથી ઉગરવાને ક્રે: આરો નથી. લોકશાહી અને હિંસાના કોઇ પણ રીતે મેળ બેસી શકે નહી. જે નામની લોકશાહી છે તેમણે ક તા છડેચોક સરમુખત્યારશાહી ખનવું રહ્યું અથવા, તેમણે સાચા અમાં લોકશાહી બનવુ હાય તે હિંમતપૂર્વક અહિંસક બનવું રહ્યું.’ જે જાતની દુનિયામાં આપણે જીવીએ છીએ તેમાં એના અર્થ એ છે કે, એ વસ્તુ આપણા જીવનને લાગુ પાડવાના પ્રયત્ન કરવા ઉપરાંત આપણે યુધ્ધના, સરમુખત્યારશાહીના અને અન્યાયના વિરોધ કરનારા તથા પ્રેમ, અહંસા, પ્રતિકાર, ન્યાય અને સ્વતંત્રતાના ત્રીજો માર્ગ નિર્માણ કરવાના કાર્યમાં જીવન સમર્પણુ કરનારા અહિંસક ક્રાંતિકારી બનવુ જોઇએ (અંગ્રેજી પરથી) હરિજનબંધુમાંથી સાભાર ઉષ્કૃત શ્રી અરવિંદે આપેલું જીવનદર્શન (શ્રી મુંબઇ જૈન યુવક સંધ તરફથી ચેોજાએલી પર્યુંષ્ણુપ વ્યાખ્યાન માળામાં તા. ૨૭-૮-૫૪ ના દિસે શ્રી વેણીબહેન વિનયચંદ્ર કાપડિયાએ આપેલું વ્યાખ્યાન. ) શ્રી. અવિદ્યનો આધ્યકાળ અને કેળવણી શ્રી. અરવિંદનું જીવન સક્ષેપમાં જોઇએ તે તેમની કેળવણીથી શરૂ થાય. સાત વર્ષની ઉમ્મરે તેમના માતાપિતાએ તેમને ઇંગ્લેન્ડ મેકલી આપેલા અને પૂરેપૂરી પાશ્ચાત્ય ઢબની કેળૠણી ઇંગ્લેન્ડમાં રહીને લીધી. તેમણે અંગ્રેજી ભાષા પરનું વર્ચસ્વ મેળવ્યું અને સાથે સાથે યુરોપની બીજી ભાષાએ લેટિન, જર્મની, ફ્રેંચ, ઇટાલિયન વગેરેનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. શ્રી. અરવિંદની કેળવણી પાશ્ચત્ય ઢબે હોવા છતાં ઇંગ્લેન્ડમાં પણ તેમને હિન્દની પરતંત્રતા વિષેનું તીવ્ર ભાન હતું ઇંગ્લેન્ડમાં જે હિંદી વિધાર્થી ઓ હતા તેઓનુ એક ક્રાંતિકારી મંડળ યોજાયેલુ, શ્રી. અરવિંદ પણ તેના સભાસદ હતા અને પોતે હિંદની સ્વતંત્રતા માટે કંઇક કરશે એવી પ્રતિજ્ઞા લીધેલી, તેમને આઇ. સી. એસ. ના અભ્યાસ માટે મોકલેલા પણુ પોતાની વૃત્તિ તેમાં હતી નહિ એટલે બધી પરિક્ષામાં પાસ થયા પણ જાણી જોઇને ધોડેસ્વારીની પરીક્ષામાં નિષ્ફળ ઉતર્યો અને એ રીતે વચલા માર્ગ લીધે તા. ૧૫-૯૪ ઇત્યાદી ભાષાઓનું જ્ઞાન મેળવી લીધું. આ નેકરી દરમ્યાન શ્રી. અરવિંદનાં જીવનમાં એ પ્રવૃત્તિઓ વિકસી હતીઃ રાજકારણ અને યોગ. આધ્યાત્મિક સાક્ષાત્કાર અને રાજકીય પ્રવૃત્તિ ૨૧ વર્ષની ઉમ્મરે. અભ્યાસ પૂરો કરીને તેઓએ હિંદની ભૂમિ પર પગ મૂકયા. ત્યારે પશ્ચિમની સંસ્કૃતિ અને સસ્કારનું પૂરેપૂરૂં જ્ઞાન લઇને તે આવ્યા હતા. હિંદમાં આવી વડે!દરામાં ૧૩ વર્ષ નાકરી કરી તે દરમ્યાન તેમણે બંગાળી, ગુજરાતી, મરાઠી શ્રી. અરવિંદને આધ્યાત્મિક સાક્ષાત્કારો સહજ રીતે થતાં હતાં અને ચિત્ત અંતર્મુખી બનીને તેમને યોગ તરફ ખેંચતુ હતું, શ્રી. અરવિદે હિન્દની ભૂમિ પર પગ મૂક્યા ત્યારે તેમને એક વિશાળ શાંતિએ ચારે બાજુથી ઘેરી લીધા. તેમના ઉપર શાંતિ ઉતરી આવી અને આ સાક્ષાત્કારનો અનુભવ લાંબે સમય સુધી ચાલુ રહ્યો. આ અનુભવ પછી પણ તેમને ખીજાં સાક્ષાત્કારોના અનુભવ ચયા. કાશ્મીરમાં સુલેમાનના શિખર ઉપર ક્રૂરતાં જીન્ય અનત બ્રહ્માની અનુભૂતિ મળેલી, નર્મદા નદીને કિનારે એક મંદિરમાં કાલીની પ્રત્યક્ષ હાજરી અનુભવી. વડાદરામાં પેાતાની અંદરથી એ દિવ્ય સ્વરૂપ એકદમ બહાર પ્રગટ થતુ જોયુ. શ્રી અરવિંદને આ સમયે યોગ કે એવી સૂક્ષ્મ ભૂમિકાના કશા અનુભવ હતા નહિ. આ બધા અનુભવા આપેાઆપ અણધાર્યાં આવી મળ્યા અને તે આધ્યા ત્મિક અનુભવા માટે સૂક્ષ્મ પ્રદેશમાં જવા માટેનાં આમત્રણુ જેવા બની રહ્યા. એટલે શ્રી. અરવિંદે પદ્ધતિસરની યોગસાધના કરવાની તૈયારી કરી. તેઓ ગુરૂની શોધ કરવા લાગ્યા. સૂક્ષ્મ યોગશકિત ધરાવનારા બ્રહ્મનિષ્ઠ સિદ્ધ પુરૂષોનાં પરિચયમાં આવીને તેમણે યેગ વિષેનુ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાની મેળે યોગ શરૂ કરી દીધા. શ્રી. અવે તે ચેગમાં રીતસરના પ્રવેશ મહારાષ્ટ્રી યોગી વિષ્ણુ ભાકર લેલે દ્વારા વાદરામાં કર્યાં. લેલે સાથે ત્રણ દિવસ સુધી ધ્યાન કરીને મનને વિચારોનાં પ્રવાહમાંથી સંપૂર્ણ રીતે મુકત કરી શક્યા. એકલું મન જ નહિ પણ તેમની સમગ્ર ચેતના એ શાંતિથી સભર બન્યાં. અને એ શાંતિમાં તેમને અનિવચનીય નીર બ્રહ્મના સાક્ષાત્કાર થયે, શ્રી. અરવિંદને સાક્ષાત્કારો થવા લાગેલા જોઇને સેલેએ તેમને જણાવ્યુ કે તમારી આગળની સાધના માટે હવે તમને અંતરમાંથી જ માર્ગદર્શન મળી રહેશે. શ્રી અરવિંદે પેાતાની પ્રવૃત્તિ આ આંતરદર્શન અને આંતરપ્રેરણા મુજબ શરૂ કરી. એ રીતે આધ્યાત્મિક જીવનમાં તેમણે પ્રવેશ કર્યાં ત્યારે તેમનું બાહ્ય ચિત્ત હિંદની મુક્તિનાં વિચાર કરતું હતું. તેમની બાહ્ય પ્રવૃત્તિએ હિંદની સાચી ક્રાંતિકારક અને શુદ્ધ લડતના આંદોલનનું રૂપ લીધુ. શ્રી અરવિંદની રાજકીય પ્રવૃત્તિ બે ભાગમાં શરૂ થાય છેઃ એક ગુપ્ત કાર્ય અને બીજી જાહેર કાર્ય, ક્રાંતિ-ની ભાવનાના ગુપ્ત રીતે પ્રચાર કરી એક સશસ્ત્ર બળવા માટે તૈયારી કરવી તે એક અને જનતામાં જાહેર રીતને પ્રચાર કરીને જનતાનું સંગઠન કરીને સ ંગઠિત વિરોધ ઊભો કરવા તે ખીજ. એમ બે ભાગમાં રાજકીય પ્રવૃત્તિ તેમણે હાથમાં લીધી. “વન્દે માતરમ” નામનું પત્ર કાઢી લોકમાનસમાં અજબ પલટા આણ્યો અને ‘ કર્મ યાગી ’ અને ‘ ધમ નામે અંગ્રેજી તથા બંગાળી ભાષામાં મેં સાપ્તાહિકા શરૂ કર્યાં. આ સમયે બંગાળમાં ત્રાસવાદીઓની એક પ્રવૃત્તિ ચાલતી હતી. ખૂન અને એમ્બ ફેંકવાની તેએાની પ્રવૃત્તિથી સરકારે કડક પગલાં લ કાવતરાખોરાની શોધ કરી પકડવા માંડયા શ્રી. અરવિંદની ધરપકડ કરીને તેમને અલીપોર જેલમાં લઇ જવામાં આવ્યા. ખરાખર એક વરસે શ્રી. અરવિંદ નિર્દોષ ઠરીને છૂટયા. પરંતુ શ્રી અરવિંદનુ રાજ કારણમાં વસ્વ ચાલુ હતું. ‘ કમ યાગી’ના એકાદ લેખનાં બહાના હેઠળ સરકાર શ્રી અરવિંદને ક્રીથી પકડવા માંગે છે એવા ખબર આવ્યા. (અલીપોર જેલમાં શ્રી. અરવિંદની યોગસાધના ઉત્તરાત્તર વિકસી હતી, તેમને ઊર્ધ્ય ભૂમિકાનાં આદેશા અને સાક્ષાત્કારા થયા હતાં. જેલવાસ દરમ્યાન પ્રભુની દોરવણી તેમને મળી રહેતી હતી) આ સમયે તેમને ઊર્ધ્વમાંથી આદેશ આવ્યો કે તેમને આ કા ઇંડીને ફ્રેન્ચ હિન્દમાં ચાલ્યા જવું પ્રભુ તરફથી મળેલ માર્ગદર્શન પ્રમાણે તેની રાજકીય પ્રવૃત્તિ સ ંકેલાઈ જાય છે અને ૧૯૧૦ ની કથા એપીલે તે પાંડીચરી પહોંચે છે. પેાંડીચરીમાં આવ્યા પછી તેમની ચેઞ-સાધના વધુ ને વધુ તીવ્ર બની. આધ્યાત્મિક કાર્ય માટે તમામ શકિતએ એકાગ્ર કરીને વિરાટકાય શરૂ કર્યું. પેાતાનાં કાર્ય ના પરિપાક થયેલો જોયો ત્યારે તેમણે ખીન્નને યોગની સાધના ( અનુસધાન માટે જુએ પાનુ ૯ મુ )
SR No.525939
Book TitlePrabuddha Jivan 1954 Year 15 Ank 17 to 24 and Year 16 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1954
Total Pages270
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy